Book Title: Adhunik Vigyan ane Jain Dharm
Author(s): Charlotte Krause
Publisher: Sharlote Croze

View full book text
Previous | Next

Page 16
________________ ચીજ હોઈ શકે કે કેમ? તે પણ તેની કલ્પના કરવી જરૂરી છે. કારણ કે આ સિવાય રોશનીની પ્રકૃતિ સમજી શકાય એમ નથી. આજ aether માં પણ ચાલનારા, પરતુ જુદી જાતના તરંગો, વિદ્વાનો વીજલીની વ્યાખ્યાને માટે, અને લોહચુમ્બકની પ્રકૃતિ સમજવાને માટે પણ કહપે છે. વીજલી અને લોહચુમ્બકમાં રહેલી શક્તિઓ-કે જેનાં નામ ઇલેક્ટ્રીસિટી અને મેગ્નીટિઝમ રાખવામાં આવ્યાં છે તેને મનુષ્યોએ પોતાના ગુલામ તરીકે બનાવી છે, અને તેજ શક્તિઓ ટેલીગ્રેફ, ટેલીફોન, ઇલેકટ્રિક લાઈટ, ડિનેમો મશીન, મોટરો, રેડીઓ વિગેરે અનેક જુદી જાતની વસ્તુઓમાં માણસને માટે દિન રાત કામ કરી રહી છે. બે જુદી જાતની–પરંતુ એકજ પ્રકૃતિવાલીશક્તિઓનું પરસ્પર સ્પર્શ થાય છે, એવી રીતે ઇલેકટ્રિસિટી વીજલીમાં દ્રશ્ય અને સ્પૃશ્ય થાય છે, એમ વિદ્વાનો આજે ધારે છે. પરંતુ આ બે શક્તિઓ ક્યાંથી આવેલ છે, શા કારણથી અનન્તવાર ભેગી થવા છતાં ફરીથી અને ફરીથી અલગ થાય છે, તે સંબંધી આજે પણ કોઈને બરાબર જ્ઞાન થયું નથી, જ્યારે આવી સ્થલ બાબતો સંબંધી આપણા જ્ઞાન વિજ્ઞાનના શાસ્ત્રીઓ અને ફિલોસોફરોમાં હજુ એટલી શંકાઓ અને એટલું અજ્ઞાન વિદ્યમાન છે, તો પછી આપણા આત્મબળના કારણથી કેવી રીતે આપણું શરીર કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40