Book Title: Adhunik Vigyan ane Jain Dharm
Author(s): Charlotte Krause
Publisher: Sharlote Croze

View full book text
Previous | Next

Page 34
________________ २७ શિવપુરીમાં શ્રીવિજયધર્મસૂરિજીની વિદ્વત્તાની ભાવના પણ સજીવ છે, કારણ કે જૈનવિદ્યામાં અભ્યાસ કરાવો અને જૈન વિદ્યામાં નવીન શોધખોલ કરનારા વિદ્વાને તૈયાર કરવા–એ તો આ પાઠશાળાનું મુખ્ય લક્ષ્ય છે. અને શિવપુરીમાં શ્રીવિજયધર્મસૂરિજીની ધમસાહની ભાવના પણ સજીવ છે, કારણ કે જેઓની દ્વારા જૈનધર્મનું જ્ઞાન દુનીયામાં ફેલાવી શકાય અને જૈનધર્મનો સંદેશ જગતને પહોંચાડી શકાય –એવા અધ્યાપક અને વક્તાએ તૈયાર કરવા-એ તો આ પાઠશાળાનું બીજું મોટું લક્ષ્ય છે-કે જે લક્ષ્યને સફલ કરવાને માટે એક નિયમિત વકતૃત્વ કલાસ ચલાવવામાં આવે છે. એમ શિવપુરીની પાઠશાળા જરૂર એક એવું centre, કહી શકાય કે જ્યાંથી જૈનધર્મનો ફેલાવો કરવા યોગ્ય ઘણો પ્રયત સુવિહિત અને નિયમિત રીતે કરવામાં આવે છે. આવા એક centre તરીકે શિવપુરીનું નામ દુનીયાના જૈનવિદ્વાનોમાં સુપ્રસિદ્ધ છે. અને આવાં જેટલા centre ભારતવર્ષમાં કદાચિત ઉત્પન્ન થશે, તેઓમાં શિવપુરી સૌથી પહેલું આવા કેન્દ્ર તરીકે હમેશાં જૈન ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાનમાં શોભશે. અને જેટલાં જૈન તીર્થસ્થાનો તરફ કદાચિત ભવિષ્યકાલમાં વિલાયતી યાત્રીયો યાત્રા કરવા આવશે, તેમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Burmatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40