Book Title: Adhunik Vigyan ane Jain Dharm
Author(s): Charlotte Krause
Publisher: Sharlote Croze

View full book text
Previous | Next

Page 11
________________ વધારે પવિત્ર જીવનમાં આપણે વધારે શુદ્ધ આનન્દ અનુભવીએ છીએ, તેનું કારણ શું છે ? આ વિગેરે ઘણા પ્રશ્ન સંબંધી જિજ્ઞાસા રાખતાં– તેનો જવાબ મેળવવાને માટે મનુષ્ય જાતિએ કેટલી મહેનત કરી છે. પદ્દર્શન શાસ્ત્રીઓએ અટકલ અને અનુમાન કરતાં અને વિજ્ઞાન શાસ્ત્રીઓએ experiment અને observation દ્વારા શોધતાં શોધતાં ઘણું જુદી જુદી માન્યતાઓ–theories– સ્થાપન કરેલ છે– અસંખ્યાત વરસોથી સ્થાપન કરેલ છે અને ત્રણ ચાર હજાર વરસોથી લખવામાં પણ આવેલ છે. મોટા નામવાલા, ઉત્તમ બુદ્ધિવાલા, ઉત્કૃષ્ટ વિચારવાલા જુદા જુદા દેશોના જુદા જુદા કાળના માણસોએ જુદી જુદી પદ્ધતિ પ્રમાણે આ વિષયમાં જે શોધ અને જે મહેનત કરી છે, તેનું પરિણામ કેવું છે? તેના પરિણામથી પૂવૉક્ત સર્વ માનુષીય જિજ્ઞાસારૂપી પાની યથેસિત તૃપ્તિ થઇ છે કે નહિં, તે આપણે જોઈશું. આપણી વીસમી સદીની પાશ્ચાત્ય વૈદ્યકલા તથા biology ના ક્ષેત્રમાં આપણું જ્ઞાન તો જરૂર બહુ આગળ વધ્યું છે. જન્મ મરણના વખતે માનુષીય શરીરમાં જેજે વિકારો થાય છે, તે બધા સ્પષ્ટ છે. તો પણ ગર્ભમાં કેવી રીતે અને ક્યારે ચૈતન્યશક્તિયુક્ત આત્મા પેસી જાય છે -ક્યાંથી આવે છે–યા મરણના વખતે શરીરને છોડીને ક્યાં જાય છે ? આ વાસ્તવિક પ્રશ્નોનો જવાબ હજુ કોઈ વૈદ્ય, કોઈ ડૉકટરે, કોઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, ornatumaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40