Book Title: Abhinava Bhagawat Part 1 Author(s): Santbal Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad View full book textPage 4
________________ શ્રી હરિઃ બે પુષ્પ શ્રીમદ્ ભાગવત” સ્વયં પ્રસ્તાવના છે, સ્વય ગ્રન્થ છે અને સ્વયં ભગવાનનું વાડ્મય-સ્વરૂપ છે. શ્રીમદ્ ભાગવત ઉપર કાંઈપણ લખીને સાહિત્યમાં વધારો કર્યા વિના કાંઈ વિશેષ ફલ સિહ ભાગ્યે જ થાય. વિશ્વભરના સમસ્ત સાહિત્યને સાર-અર્ક –તાત્પર્ય વગેરે જે શબ્દથી વ્યવહાર કરીએ તે શબ્દનો વ્યવહાર શ્રીમદ્ ભાગવત માટે કરી શકીએ છીએ. આ તથ્યને લીધે જ કેઈપણ વ્યક્તિ પ્રતિદિન થોડી પણ પંક્તિઓનું વાંચન કરે, ચિંતન કરે અને સ્ટણ કરે તે બુદ્ધિ દિવ્ય બને; જીવન ઉત્તમ બને; અને ભગવાન અનાયાસે મળે. શ્રીમદ્ ભાગવતજીની એક સદુક્તિને આ સ્થાને ઉલ્લેખ કરું કીરિ નમાર્થી પરાજય” –માન કેઈને પણ આશ્રય, – કોઈના પણ ઉપયેગી થવું એનું નામ જીવન કહેવાય. આવી જ એક સક્તિ નીવરતરવની સા” –જીવનું ફલ કેવલ તત્ત્વજિજ્ઞાસા છે. અને તવના બ્રહ્મ–પરમાત્મા–ભગવાન એવા ત્રણ અર્થ થાય છે. એક ત્રીજી સદુક્તિ “મણો ઉષાં વર કમ સર્વગ્રાળુનીવન” ભગવાન શ્રીકૃષ્ણ વૃક્ષોને યશ ગાતાં માનવને માર્ગદર્શન આપ્યું કે “ધન્ય જીવન છેઆ વૃક્ષોને કે તેઓ પિતાનાં મહત્વના પત્ર- પુષ્પ– ફલ-છાયા-મૂલ–વકલ-કાષ્ઠ-ગંધ– રસ-ભરમ- કેયલા-નવ પલ્લવ બારે બાર અંગે દ્વારા ભેદભાવ વિના પ્રત્યેક પ્રાણી માટે ઉપયોગી જીવન જીવે છે તે મનુષ્ય વૃક્ષો પાસેથી જીવતાં શીખે. આવા તે વચનામૃતો અપાર છે. નિરંતર વાંચન-ચિંતન-મનન આવાં વાકયોનું થાય તે માનવના જીવનની પરમ શુદ્ધિ-સિદ્ધિPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 362