Book Title: Aatmshuddhi
Author(s): Anandji Bhula
Publisher: Anandji Bhula

View full book text
Previous | Next

Page 177
________________ ગુણસ્થાન આરોહણ કમ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ૧ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ચન્થ જે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચારશું કવ મહત્ પુરુષને પંથ જો? અપૂર્વ ૨ સર્વ ભાવથી ઔદાસી વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમહેતુ હોય છે, અન્ય કારણે અન્ય કશું કલ્પ નહીં, દેહે પણ કિંચિત્ મૂછ નવ જાય છે. અપૂર્વ ૩ દર્શનમોહ વ્યતીત થઈ ઉપો બોધ જે, દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે, વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ૪ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરિષહ કે ઉપસર્ગ ભથે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ ૧૩૦

Loading...

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196