Book Title: Aatmshuddhi
Author(s): Anandji Bhula
Publisher: Anandji Bhula

View full book text
Previous | Next

Page 190
________________ આધુનિક વિજ્ઞાન અને સંશોધન ખેતી અને ખોરાક - હાઈબ્રીડ ધાન્યમાં શરીર સ્વાસ્થના પોષકતત્વો હોવા જોઈએ તે ન હતા કૃત્રિમ ધાન્યના આ દાણા ભરેલ ખાને પક્ષીઓ પણ ખાતા નથી. વિષમતાને પક્ષીઓ સમજી શકે છે. દેશી દાણાને ખાવા પક્ષીઓ તલપાપડ હોય છે. પક્ષીઓ ન ખાય એમાં કંઈ ચોકકસ કારણ હોવું જોઈએ. સંશોધનની દ્રષ્ટિએ એ ધાન્યમાં જે પોષક દ્રવ્યો હોવા જોઈએ તે નથી હોતા. તે ઉપરાંત છાણિયા ખાતરના બદલે વપરાતા ફટલાઈઝર ખાતરથી ખેતરમાં ઉગેલા છોડને જીવાત લાગુ પડે છે. તેને મારવા માટે પેસ્ટીસાઈડના થતા ઉપયોગથી એ ધાન્ય ઝેરીલું બને છે. રાસાયણિક ખાતરના ઉપયોગથી જમીન કઠણ બને છે. કેટલાક વરસો પછી ખેડાણ લાયક નથી રહેતી. વિશ્વ વિખ્યાત વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને જણાવ્યું છે કે, “આ ખાતર અને ટ્રેકટરની પદ્ધતિ ન અપનાવશો, કારણ કે અમેરિકાની ભૂમિની ફળદ્રુપતા ચારસો વર્ષમાં સમાપ્ત થવા બેઠી છે. જ્યારે ગાય અને બળદ આધારિત ભારતમાં હજારો વર્ષોથી ખેતી થાય છે. છતાં એની ફળદ્રુપતા જેમની તેમ ટકી રહી છે.” થોડા સમય પહેલા મુંબઈમાં હૃદયરોગ વિશે ભરાયેલા આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાર્ટ ફેઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. કે. એલ. ચોપરાએ જણાવ્યું હતું કે રસાયણિક ખાતરથી ઉગાડેલા અનાજમાં ૧૪૩

Loading...

Page Navigation
1 ... 188 189 190 191 192 193 194 195 196