Book Title: Ujjayantgirina Purva Prakashit Abhilekho Vishe
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249381/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે તીર્થરાજ ઉજજયંતગિરિ પર જુદા જુદા સ્રોતોમાં પ્રકાશિત કેટલાક મહત્ત્વપૂર્ણ અભિલેખોનું થવું ઘટે તેટલું મૂલ્યાંકન થયું નથી. તેનાં કારણોમાં મૂળ લેખોની દોષપૂર્ણ વાચનાઓ, સંપાદકો અને સંકલનકારોમાંથી કેટલાકના જૈન સાહિત્ય અને ઐતિહાસિક પરંપરાઓના જ્ઞાનનો અભાવ, અને ગવેષણા ચલાવવાને બદલે કેવળ એમને જરૂરી લાગ્યું તેટલા પ્રમાણમાં અને ઉપલક દષ્ટિએ સમજાયું તે પ્રમાણે, અનુવાદ વા ભાવાર્થ આપી સંતોષ પકડવાની વૃત્તિ હોય તેમ લાગે છે. અહીં આથી નવેક જેટલા વિશેષ મહત્ત્વ ધરાવતા અભિલેખોની, શક્ય હતું ત્યાં પુનર્વાચના કરી, વિશેષ અન્વેષણા સહિત વિચારણા કરીશું. સ્થાપના-મિતિ ધરાવતા આ લેખને શ્રી છો. મઅત્રિ પ્રકાશમાં લાવ્યા છે. અત્યંત ટૂંકા એવા આ ત્રણ પંક્તિમાં કરાયેલા લેખનું વર્ષ સં. ૧૧૯૪ | ઈ. સ. ૧૧૩૮નું છે; અને ગિરનારગિરિ પર અઘાવધિ પ્રાપ્ત લેખોમાં કદાચ સૌથી પ્રાચીન છે. કાળની દૃષ્ટિએ તે ચૌલુક્યાપિ જયસિંહદેવ સિદ્ધરાજના સૌરાષ્ટ્ર પર સ્થપાઈ ચૂકેલ શાસન અંતર્ગત આવે છે. લેખ આ પ્રમાણે છે : सं ११९४ वर्षे ठ. थेहासुत ठ. जसयोगस्य । ઠક્કર જસયોગ (યશયોગ) કોણ હતા, શું હતા, અને કયા કારણસર આ લેખ કોતરવો પડ્યો છે તે જણાવ્યું નથી. લેખ સોલંકીયુગમાં મળે છે તેવા, પ્રાચીન પાળિયા પદ્ધતિના પ્રસ્તરફલક પર કોરેલ છે. લેખના ઉપરના ભાગમાં, તકતીમાં, અશ્વારૂઢ પુરુષની આકૃતિ પૂર્ણભાસ્કર્ધમાં ઉઠાવેલી (ચિત્ર “૧'), નીચે બાજુમાં છત્રધર એમના મસ્તકને છત્રછાયા કરી રહેલો દર્શાવ્યો છે. લેખમાં જો કે કહ્યું નથી, તો પણ આ ખાંભી સં. ૧૧૯૪માં ઠક્કર જસયોગના સંભવતયા ગિરિનારગિરિ પર થયેલ આકસ્મિક યા અન્ય કારણસર મરણ (કે સલ્લેખનાથી પ્રાપ્ત કરેલ મરણ ?) ઉપલક્ષે જિન નેમીશ્વરના મંદિરના પરિસરમાં કે તેની આસપાસમાં ક્યાંક ખોડી હશે તેવું અનુમાન થઈ શકે. ઠક્કુર' સંજ્ઞા ધરાવતા જસયોગ એ યુગના કોઈ જૈન રાજપુરુષ હશે : પણ તેમના વિશે ઉપલબ્ધ સ્રોતોમાંથી પ્રકાશ લભ્ય બનતો નથી. આ લેખની વાચના બર્જેસ-કઝિન્સ દ્વારા અપાયેલી છે. પ્રસ્તુત લેખ નેમિનાથ જિનાલયની જગતીના ઉત્તર પ્રતોલી-દ્વારની આંતરભિત્તિના એક પાષાણ પર અંકિત હતો; Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૮ નિર્ચસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પણ સાંપ્રત કાળે સમારકામ દરમિયાન ત્યાં રહેલા લેખો ધરાવતા પથ્થરો અસ્તવ્યસ્ત થયા છે, જેના પરિણામે આજે તો આ મહત્ત્વપૂર્ણ લેખ ગાયબ થયો છે. આથી મૂળ બર્જેસ-કઝિન્સ આપેલી વાચના પર આધાર રાખવો પડ્યો છે. લેખમાં કેટલેક સ્થળે ક્યાંક ક્યાંક ખાલાં છે તેમાં શક્ય હતું તેટલા સાધાર-સતર્ક (ચોરસ કૌંસમાં) પૂરણી કરી, લેખના તાત્પર્યને સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે : ઉપલબ્ધ પાઠ આ પ્રમાણે છે : ....રાજદ્દેવ પતિ] સિઘન ) રપતિ શ્રી નવિ ( ચાળ]વિનય[]... પર રાયતન પિત (?)...વતન [येन] केन उपायेन जादवकलतिलक...तीर्थंकर શ્રીનેમિનાથપ્રસાદ..૪ શા ૨ ૩ વાત.. ...સૂત્ર [૧] વિશ્વ મારુતિ.. લેખનો સાલ બતાવતો ભાગ તે કાળે નષ્ટ થઈ ચૂક્યો હશે, યા વાંચી શકાયો નહીં હોય. લેખનો પૂરો અર્થ સમજવો તો અસંભવિત છે; પણ “સિધચક્રપતિ (સિદ્ધચક્રવર્તી) શ્રી જયસિંહદેવનું શાસન તે વખતે ચાલતું હતું એ તો તદ્દન સ્પષ્ટ છે. બીજો મહત્ત્વનો ઉલ્લેખ “કરાયતન (કર્ણાયતન)નો છે. નાગેન્દ્રગચ્છીય આચાર્ય વિજયસેનસૂરિના રેવંતગિરિરાસુ (આ. ઈ. સ. ૧૦૩૨) અનુસાર ખેંગારને હણ્યા બાદ સિદ્ધરાજે અહીં સજ્જનને સોરઠનો દંડનાયક બનાવેલો, જેણે નેમિનાથના પુરાણા મંદિરનું નવનિર્માણ સં. ૧૧૮૫ | ઈ. સ. ૧૧૨૯માં કરાવેલું. પ્રભાચંદ્રાચાર્યના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪ { ઈ. સ. ૧૨૭૮) અનુસાર નવનિર્માણ પૂર્વે નવ વર્ષથી એટલે કે ઈ. સ. ૧૧૨૦થી) સોરઠ દેશ સજજનના અધિકારમાં હતો. સિદ્ધરાજના સોરઠ વિજયની મિતિ ઈતિહાસજ્ઞોએ ઈસ. ૧૧૧૫ની માની છે. ચૌદમા-૧૫મા શતકના પ્રબંધોમાં પ્રસ્તુત જિનાલયનું અભિધાન સિદ્ધરાજ પિતૃ કર્ણદેવ પરથી “કર્ણવિહાર' રાખેલું એવું જે કથન મળે છે તેનું આ સમકાલિક અભિલેખ પૂર્ણતયા સમર્થન કરી રહે છે. નેમિનાથના મંદિરની દેવકુલિકાઓની હારમાળામાં પરોવેલ ઉત્તર તરફની પ્રતોલીની અંદરની ભીંતમાં આ લેખ આજ પણ મોજૂદ છે; એને (સ્વ) ભગવાનલાલ ઇન્દ્રજીએ (વાચના દીધા સિવાય) ઈ. સ. ૧૧૨૦ (સં. ૧૧૬૬)નો, સજ્જન મંત્રીનું નામ દેતો, લેખ માની લીધેલો અને વિશેષમાં તેને દક્ષિણ દ્વારમાં કંડારેલ હોવાનું બતાવેલું. પણ આ તમામ ધારણાઓ બ્રાંત છે. તે પછી બર્જેસ દ્વારા તેમ જ બર્જેસ કઝિન્સ દ્વારા એમ બે વાર તેની Page #3 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૨૯ વાચના છપાયેલ છે; બન્નેમાં પાઠાંતર પણ છે, અને પાઠવાયના પણ ક્યાંક ક્યાંક દોષપૂર્ણ છે. લેખમાં આવતા મુનિઓને તેઓ ઓળખી શક્યા નથી; પણ (સ્વ) પં. લાલચંદ્ર ગાંધી દ્વારા તેની યથાર્થ સ્પષ્ટતા થયેલી છે. છેલ્લા સમારકામમાં લેખના બેમાંથી એક પથ્થરને કાપવામાં આવ્યો છે અને લેખ ધરાવતા પથ્થરો પણ આડાઅવળા ગોઠવ્યા છે. આથી વાંચવામાં મુસીબત ઊભી થવા અતિરિક્ત લેખની છયે પંકિતના છેલ્લા ત્રણ-ચાર અક્ષરો ઊડી ગયા છે : આથી અમારી અને બર્જેસાદિની વાચના મેળવીને નીચે તેનો સંશુદ્ધ પાઠ આપીએ છીએ : श्रीमत्सूरिधनेश्वरः समभवत्री शीलभर टा?द्रा )त्मजः शिष्यस्तत्पदपंकजे मधुकर क्रीडाकरो योऽभवत् । शिष्यः शोभितवेत्र नेमिसदने श्रीचंद्रसूरि...त... श्रीमद्रेवतके चकार शुभदे कार्य प्रतिष्ठादिकम् ॥१॥ श्री सातमहामात्य पृष्टार्थविहितोत्तरः भे समुदभूतवशा સેવવાદ્રિ બનતત્વત: | સં. ૧૨ (૭૨૦) ૬ || આમાં પહેલી વાત એ છે કે સજ્જન મંત્રીનું તેમાં નામ જ નથી. ત્યાં “સજ્ઞાત મહામાત્ય” જ વેચાય છે. બીજી વાત એ છે કે ત્યાં લેખનું વર્ષ સં. ૧૧૭૬ નહીં પણ ૧૨૭૬ જેવું વંચાયેલું; પણ શ્રીચંદ્રસૂરિની સમય-મર્યાદા જોતાં ત્યાં ત્રીજો અંક કાં તો શૂન્ય(૧૨૦૯) કે બહુ બહુ તો એકનો અંક (૧૨૧૬) હોવો ઘટે. “૭” અંક, કરનાર સલાટે ભ્રમવશ વા પ્રમાદવશ કોર્યો લાગે છે. આમ લેખ ઈ. સ. ૧૧૫૦ અથવા ઈ. સ. ૧૧૬૦નો હોવો ઘટે, શ્રી ચંદ્રસૂરિની ઘણીક સાહિત્યિક રચનાઓ ઉપલબ્ધ છે. આચાર્યપદ પૂર્વે તેમનું નામ પાર્શ્વદેવગણિ હતું અને તેમની કૃતિઓ સં. ૧૧૬૯ { ઈ. સ. ૧૧૧૩થી લઈ સં૧૨૨૮ ઈ. સ. ૧૧૭૨ સુધીના ગાળામાં મળે છે. પ્રસ્તુત કૃતિઓ પરથી સ્પષ્ટ છે કે તેમનો મુનિવંશ પ્રસિદ્ધ ચંદ્રકુલના આમ્નાયમાં હતો; અને ત્યાં તેમણે પોતાની જે ગુરુપરંપરા આપી છે તે ગિરનારના શિલાલેખ મુજબ મળી રહે છે. તદનુસાર એમની ગુર્વાવલી આ પ્રમાણે બને છે : ચંદ્રકુલ શીલભદ્રસૂરિ ધનેશ્વરસૂરિ શ્રીચંદ્રસૂરિ આબૂ-દેલવાડાના વિમલવસહીમાં દેવકુલિકા ક્રમાંક ૧૪ની ભીંતે જે લેખો કંડારેલા છે તેમાં સં. ૧૨૦૬ ! ઈ. સ. ૧૧૫૦નો મંત્રી પૃથ્વીપાલના સમુદ્ધાર સંબદ્ધ જે અભિલેખ કોરેલ છે ત્યાં સંઘ સહિત શીલભદ્રસૂરિની(શિષ્ય-પરંપરા)માં થયેલા શ્રી ચંદ્રસૂરિનો શ્રીશીત્રદ્રસૂરીuri Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩૦ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ fશષ્યઃ શ્રી ચંદ્રભૂમિ ! એવો પ્રારંભમાં ઉલ્લેખ છે. આ શ્રીચંદ્રસૂરિ તે ગિરનારના અભિલેખવાળા શીલભદ્રસૂરિ પ્રશિષ્ય શ્રીચંદ્રસૂરિથી અભિન્ન જણાય છે. આબૂની તીર્થયાત્રા મિતિ—ઈ. સ. ૧૧૫૦—ને લક્ષમાં લઈએ તો એમના દ્વારા ગિરનાર પર થયેલ પ્રતિષ્ઠાદિક કાર્યો અને એમના ગિરનારના લેખની મિતિ ઈ. સ. ૧૧૫૦ કે મોડી હોય તો ૧૧૬૦ હોવાની સંભાવના બળવત્તર બને છે. લેખે કુમારપાળના સમયનો છે તેટલું ચોક્કસ. “સંગીત મહામાત્ય” કોણ હતા તેમના વિશે ઉપલબ્ધ સ્રોતોમાંથી કંઈ જ માહિતી મળી શકતી નથી. નેમિનાથ મંદિરથી પાછળ કથિત ઉત્તર તરફના પ્રતોલી દ્વારમાં એક અન્ય પ્રાચીન લેખ પણ કંડારેલ છે, જેની અપભ્રષ્ટ ભાષાને કારણે તેમ જ તેમાં નિર્દેશિત સ્થળ તેમ જ વાસ્તુ પરિભાષા ન સમજી શકવાને લીધે તેનું અર્થઘટન ઠીક રીતે કરવામાં આવ્યું નથી. એ લેખની તપાસ કરતાં એની પણ ત્યાંના બીજા લેખોની માફક જ દુર્દશા થયેલી જોવા મળી. આથી બર્જેસે કરેલી વાચના સાથે વર્તમાને ખૂબ જ ખંડિત થયેલ લેખની અમારી વાચના મેળવી નિમ્નાનુસાર પાઠ રજૂ કરીએ છીએ : संवत १२१५ वर्षे चैत्र शुदि ८ स्वावद्येह श्रीमदुज्जयन्ततीर्थे जगती समस्त देवकुलिकासत्क छाजाकुवालिसंविरण संघवि ठ. सालवाहण प्रतिपत्या सू. जसहड (ठ. पु.?) सावदेवेन परिपूर्णाकृता । तथा ठ. भरतसुत ठ. पंडि[त] सालवाहणेन नागजरिसिया (?नागमोरिझरिया) परितः कारित [भ]ाग चत्वारि बिंबीकृत कुंड कर्मी तरतदधिष्ठात्री श्री अंबिकादेवी प्रतिमा देवकुलिका च निष्पादिता ॥ ભાષા વિભ્રષ્ટ હોવા છતાં અર્થ તો સમજાય છે જ : “સંવત ૧૨૧૫ (ઈ. સ. ૧૧૫૯)ના ચૈત્ર શુદિ આઠમને રવિવારના દિને) (અદેહ) ઉજ્જયંતતીર્થ (નેમિનાથના મંદિર)ની જગતી (પર) બધી જ દેવકુલિકાઓ(નું બાંધકામ) (છાજા, છાઘ, છજ્જા), (કુવાલી, કપાલિ કેવાળ) અને સંવરણા (‘સવિરણ', સામરણ) સમેત સંઘવિ (સંઘપતિ) ઠક્કુર સાલવાહણ (શાલિવાહનોની નિગાહમાં સૂત્રધાર(જસડ યશ:ભટ)ના (પુત્ર) (સાવદેવે શર્વદેવે) પૂરું કર્યું. (તથા) ઠક્કર(ભરત)ના પુત્ર (ઉપર્યુક્ત) ઠક્કુર પંડિત (સાલવાહણે શાલિવાહને) નાગમોરઝરાને ફરતી ચાર મૂર્તિઓ સહિત કરેલ કુંડના છેડે તેની અધિષ્ઠાત્રી અંબિકાદેવીની પ્રતિમા દેવકુલિકા સહિત નિપજાવી (નિષ્પાદિતા, કરાવી).” મૂળ સંપાદક બર્જેસ-કઝિન્સ તો વાસ્તુના પારિભાષિક શબ્દો અનુવાદમાં છોડી જ દીધા છે, અને અનુવાદ પણ બહુધા ભ્રાંતિમૂલક છે. (સ્વ) મુનિ જિનવિજયજીએ તેમાં જરાતરા સુધારો કર્યો છે; પણ તેઓ પણ “કુવાલિ” અને “સંવિરણ ઈત્યાદિનો અર્થ સમજી શક્યા નથી. જ્યારે અન્ય Page #5 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૩૧ સંકલનકાર (સ્વ) ગિરજાશંકર આચાર્યે બર્જેસાદિની જૂની ભ્રાંતિઓને યથાતથ જાળવી રાખી છે. લેખમાં આવતા “નાગઝરા'નો ઉલ્લેખ ગિરનાર અનુલક્ષે ઈસ્વીસનના ૧૫મા શતકમાં યાત્રી મુનિઓ દ્વારા લખાયેલ અનેક ચૈત્ય પરિપાટીમાં આવે છે, અને ત્યાં તેનું સ્થાન ‘ગજેન્દ્રપદ-કુંડ (હાથી પગલાના કુંડ) સમીપ હતું. પ્રસ્તુત લેખનો પથ્થર નેમિનાથના મંદિરની પૂરણીમાંથી નીકળેલો. આ નિષેદિકા પરના લેખની વાચના શ્રી છો મદ અત્રિએ સાર્થ-સટિપ્પણ પ્રગટ કરી છે. પણ શ્રી અત્રિના, અને અમે કરેલ વાચના તેમ જ અર્થઘટનમાં સારું એવું અંતર છે. સાત પંક્તિમાં કોરેલો લેખ નીચે (ચિત્ર “૨) મુજબ છે : सं [0] १२४४ वैशाख सुदि ३ वादींद्र श्रीआनंदसूरिशिष्य श्रीप्रभानंदसूरयः सपादलक्षात् सहोदरसंघ: सेनापति श्रीदूदेन सह यात्रायामागच्छतः सुरधारायां सुरसदन ययुः । तन(म? 2) + : : " સેનાપતિ દૂધ સાથે સપાદલક્ષ(ચાહમાનોના શાકંભરી દેશ)ના સંઘ સહિત (ઉજજયંતગિરિની) યાત્રાર્થે આવેલ, વાદીન્દ્ર આનંદસૂરિના શિષ્ય પ્રભાનંદસૂરિ સુરધારા પર સં. ૧૨૪૪ (ઈ. સ. ૧૧૮૮) વૈશાખ સુદ ત્રીજના દિને કાળધર્મ પામ્યા (સુરને યુ), તેમનું આ મૃત્યુ સ્મારક છે?)” લેખમાં કહેલ પ્રભાનન્દસૂરિ કોણ હતા તે વિશે પ્રાપ્ત સ્રોતોમાંથી કોઈ સૂચન મળતું નથી. લેખમાં તેમના ગચ્છ વિશે કહેવામાં આવ્યું નથી; પણ ગુરુ આનંદસૂરિ માટે “વાદીન્દ્ર” વિશેષણ લગાવ્યું છે તે જોતાં તો તેઓ નાગેન્દ્ર ગચ્છમાં થયેલા પ્રસિદ્ધ “વાદી આનંદસૂરિ હોવા ઘટે. આનંદસૂરિને (અને તેમના સતીર્થ અમરચંદ્રસૂરિને) તેમની નાની ઉંમરમાં, પણ જબરી નયાયિક વિદ્વત્તા અને વાદશક્તિને કારણે “વ્યાઘશિશુક”, (અમરસૂરિને “સિહશિશુક”)નું બિરુદ જયસિંહદેવ સિદ્ધરાજે આપેલું. પ્રભાનંદસૂરિના ગુરુ વાદીન્દ્ર આનંદસૂરિનો સંભાવ્ય સમય, અને નાગેન્દ્રગચ્છીય વાદી આનંદસૂરિની સમયસ્થિતિ જોતાં એ બને આચાર્યો અભિન્ન જણાય છે. પ્રભાનંદસૂરિની મરણ-તિથિ (ઈ. સ. ૧૧૮૮) ચૌલુક્ય ભીમદેવ દ્વિતીયના શાસનકાળ અંતર્ગત આવે છે. જે સુરધારા” સ્થાન પર પ્રભાનંદસૂરિ (કદાચ વૃદ્ધાવસ્થા, ગિરનારનો આકરો ચઢાવ, અને એથી થાકને કારણે, કે પછી સંથારો કરીને) દેવલોક પામેલા તે સંભવતઃ હાલનું ગૌમુખી ગંગાવાળું સ્થાન, કે પછી કદાચ હાથી પગલાં પાસે કુંડમાં પડતી જલધારાનું સ્થળ હશે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૩૨ (૬) હાલ સંગ્રામ સોનીના કહેવાતા મંદિરના મંડપમાં મુકાયેલ (પણ મૂળે નેમિનાથની ભમતીમાં હશે તે) નંદીશ્વરદ્વીપના પટ્ટ (ચિત્ર ‘૩’) પરના લેખની વાચના તો ઠીક છે પણ એનો અર્થ કોઈ જ સમજ્યું હોય એમ લાગતું નથી ! મૂળ લેખ દત્તાત્રય બાલકૃષ્ણ ડિસ્કળકરે સંપાદિત કરેલો', ને તે પછી (સ્વ.) આચાર્યના સંકલનમાં તે સ્થાન પામ્યો. શ્રી અત્રિએ પણ તેનો ઉલ્લેખ કર્યો છેઃ૩. લેખ પટ્ટના ઉપરના ભાગમાં બે ખૂણામાં કોતરાયેલ છે. ડાબી બાજુનો ખૂણો ખંડિત થતાં ચારેક પંક્તિઓના પ્રારંભના અક્ષરો નષ્ટ થયા છે. છતાં એકંદરે લેખની મુખ્ય વાતો સમજવામાં કઠણાઈ નડતી નથી. કારણ વિનાની કઠણાઈ તો લેખનો અર્થ ખોટી રીતે ઘટાવવાને કારણે ઊભી થઈ છે; એટલું જ નહીં, લેખ પર વિશ્વાસ ન રાખી શકાય તેવો પણ અભિપ્રાય વ્યક્ત થયો છે, જેનું નિરસન અહીં આગળની ચર્ચામાં થશે. લેખ આ પ્રમાણે છે : [સ્વસ્તિ;સંવત્] [?]૬૬ વર્ષે બ્લેક સુવિ ૧૩ શુ વિભૂ[ત] [શ્રીમન્ન દેવઃ શ્રીમાલાન્ગયાં વરું । મુદ્દા[J]+++ રાખતે ચંદ્રમા ડ્વ ॥॥ कुमारपालदेवस्य चौलुक्यान्वयभास्वतः । प्रताप इव धौरे (ये ? य) सच्चक्रावहनोद्यमः ॥२॥ स दंडनायकोत्तंसस्तत्पुत्रोऽभयदा (हवः) । બિનપ્રળીતસદ્ધર્મ (+પ<(?)ર)નશાઃ ॥॥ નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ जनाशा भूतराजीनां वसंतस्तत्सुतोऽजनि । રહ્યાતો વસંતાન રહ્યો] રાષ્નલક્ષ્મી વિભૂષિતઃ ॥૪}} नंदीश्वर वरद्वीप जैन बिबान्यलंकरत् । जनक श्रेयसे सोयं जगदेव प्रबोधतः ||५|| श्रीचंद्रसूरिसच्छिष्य श्रीजिनेश्वरसद्गुरोः । देवेंद्रसूरिभिः शिष्यैः द्वीप एषदे प्रतिष्ठितः ||६|| द्वीपोयं नंदतां तावदुज्जयंताहवे गिरौ । जगत्यामुदितौ यावत्सूर्यचंद्रमसाविमौ ||७|| લેખારંભે પટ્ટસ્થાપનાની મિતિ (સં) ૧૨૫૬ ( ઈ સ ૧૨૦૦) જેઠ સુદી ૧૩ને શુક્રવારની આપી છે. પછી ૭ શ્લોકમાં કારાપકની વંશાવલી તથા પ્રતિષ્ઠાપક આચાર્યની ગુર્વાવલી આપી છે : યથા : “શ્રીમાલિ અન્વયમાં (શ્રીમાલી જ્ઞાતિમાં) (સરોવરને વિશે ?) Page #7 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે ૩૩ પ્રકાશમાને ચંદ્રમા સમો, અને ચૌલુકય વંશના આદિત્ય સમાન “કુમારપાળદેવીના (શાસક)ચક્રને ધારણ કરી વહન કરવામાં તત્પર એવો ‘(આમ્ર)દેવ' નામનો દંડનાયક થયો. તેને જિન પ્રણીત સદ્ધર્મ રૂપી ચંદ્ર સમાન “અભયદ' નામક પુત્ર થયો. તેને રાજલક્ષ્મીથી વિભૂષિત (જનાશાભૂતરાજીનાં ?) વસંત સમો “વસંતપાલ' નામનો પુત્ર થયો. તેણે જગદેવના અનુરોધથી પિતા(અભયદ)ના શ્રેય માટે (બાવન) જિનબિંબ યુક્ત મોટો “નંદીશ્વર દ્વિીપનો પટ્ટ)' કરાવ્યો. “શ્રીચંદ્રસૂરિના શિષ્ય “જિનેશ્વરસૂરિ)' જેના સરુ છે તે દેવેન્દ્રસૂરિએ આ આનંદકારી વા માંગલિક (નંદીશ્વર)દ્વીપ(પટ્ટ)ની પ્રતિષ્ઠા “ઉજ્જયંત નામના પર્વત પર કરી, જે સૂર્ય-ચંદ્ર પ્રકાશે ત્યાં સુધી જગતને ઉદિત કરતો રહે.” પટ્ટનો કારાપક કુમારપાલના કોઈ દેવાંત નામક શ્રીમાલકુલના દંડનાયકનો પૌત્ર વસંતપાલ છે. કુમારપાલના જૈન દંડનાયકોમાં દેવાંત નામધારી બે શ્રીમાળી દંડનાયકો હતા : એક તો ઉદયન મંત્રીનો પુત્ર આદ્મભટ કિંવા આમ્રદેવ, જેણે ભૃગુકચ્છમાં સુવિકૃત મુનિસુવ્રત જિનના મંદિરનો પુનરુદ્ધાર કરી નવું બંધાવ્યું; બીજો તે મહત્તમ રાણિગ સુત આંબાક, જેણે કુમારપાળની આજ્ઞાથી ગિરનાર પર ચડવાની પાજા કરાવી. આ આંબાક ઉર્ફે આમ્રદેવનો, અને તેના દ્વારા કરાવેલ “પદ્યા”નો, ઉલ્લેખ સિદ્ધરાજ તેમ જ કુમારપાળની સભાના મહાકવિ શ્રીપાલના પુત્ર કવિવર સિદ્ધપાલે રચેલી કોઈ પ્રશસ્તિમાંથી સોમપ્રભાચાર્યના જિનધર્મપ્રતિબોધ(સં૧૨૪૧ | ઈ. સ. ૧૧૮૫)માં તેમના ગિરનાર પાજા-સંબંધીના વિવરણમાં ટાંક્યા છે. સોમપ્રભાચાર્યના કથન અનુસાર કુમારપાળે રાણિગપુત્ર(આશ્ર)ને સુરાષ્ટ્રાધિપતિ' (સોરઠનો દંડનાયક) બનાવી પ્રસ્તુત કાર્યાર્થે મોકલ્યો. વિજયસેનસૂરિના રેવંતગિરિરાસમાં પણ કુમારપાળે આંબાકને સોરઠનો દંડનાયક બનાવીને મોકલેલો એને તેણે ત્યાં પાજા કરાવી એવું કથન છે. પછીના લેખક તપાગચ્છીય જિનમંડનના કુમારપાલચરિત્ર(સં. ૧૪૯૨ | ઈ. સ ૧૪૩૬)માં પણ એ જ પ્રમાણે નોંધાયેલ છે, અને સ્વયં આંબાકના પણ સં. ૧૨૨૨ અને સં. ૧૨૨૩(ઈ. સ. ૧૧૬૬-૬૭)ના તત્સંબદ્ધ લઘુ અભિલેખો ગિરનાર પર જ છે. અમને તો લાગે છે કે ગિરનાર તીર્થમાં નંદીશ્વરદ્વીપ-પટ્ટ કરાવનાર વસંતપાલનો પિતામહ “દંડનાયક–દેવ” અન્ય કોઈ નહીં પણ રાણિગ સુત મહંતો આંબાક અપરનામ દંડનાયક આમ્રદેવ જ હોવો ઘટે. ગિરનાર સાથે સંબંધ એને હતો, લાટના દંડનાયક અને ઉદયન મંત્રીના પુત્ર આમ્રદેવને નહીં. પટ્ટ-કારાપક વસંતપાલનું વંશવૃક્ષ આ પ્રમાણે નીપજી શકે છે : નિ ઐ, ભા. ૨૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ ૩૪ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શ્રીમાલવંશ (મહત્તમ રાણિગ) દંડનાયક (આમ્ર)દેવ (મહંતો આંબાક) અભયદ વસંતપાલ પ્રતિષ્ઠાપક આચાર્ય દેવેન્દ્રસૂરિને (જ. તેમણે પોતે આ લેખનો છંદોબદ્ધ મુસદ્દો તૈયાર કર્યો હોય તો) સારી સંસ્કૃત કાવ્ય-રચના કરતાં આવડતી હતી તેવી પ્રતીતિ થતી નથી ! લેખમાં એમણે પોતાના ગચ્છ વિશે કશું કહ્યું નથી; પણ ગુર્નાવલી નીચે મુજબ આપી છે, જેના પરથી એમના ગચ્છની ઓળખ કરવા પ્રયત્ન કરીશું. શ્રીચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ દેવેન્દ્રસૂરિ (સં. ૧૨૫૬ ! ઈ. સ. ૧૨૦૦) શ્રીચંદ્ર” નામ ધરાવતા અનેક સૂરિવરો થઈ ગયા છે; અને “જિનેશ્વર” નામધારી પણ ત્રણ-ચાર આચાર્ય જાણમાં છે; જ્યારે દેવેન્દ્ર અભિયાનક રાજગચ્છીય તેમ જ તપાગચ્છીય ઇત્યાદિ મુનિઓ પણ એટલા જ સુવિદ્યુત છે, પણ “શ્રીચંદ્ર સાથે જેના શિષ્યનું નામ “જિનેશ્વર હોય તેવી એક જ ક્રમાવલી જાણમાં છે; તે રાજગચ્છીય પ્રભાચંદ્રસૂરિના પ્રભાવકચરિત (સં. ૧૩૩૪/ ઈ. સ. ૧૨૭૮)ની પ્રાંતપ્રશસ્તિમાં મળે છે. પ્રશસ્તિની ગુર્વાવલી તો લાંબી છે; તેમાં પ્રભાચંદ્રાચાર્યના ત્રીજા પૂર્વજ જિનેશ્વર અને ચોથા શ્રીચંદ્રસૂરિ કહ્યા છે. ત્યાં જિનેશ્વર પછી કેટલાક સમય માટે તેમના ગુરુબંધુઓ પધદેવ અને જિનદત્ત પણ આચાર્ય પદે રહ્યા હશે તેવો ભાસ થાય છે.) એક અન્ય સહાયકર્તા મુદ્દો એ છે કે શ્રીચંદ્રસૂરિના ગુરુબંધુ વાદીન્દ્ર ધર્મસૂરિનો સમય લગભગ ઈ. સ. ૧૧૨૦-૧૧૮૦ના અરસાનો છે. આમ નંદીશ્વરપટ્ટના પ્રતિષ્ઠાયક દેવેન્દ્રસૂરિની સમયસ્થિતિ જોતાં તેમનું સ્થાન પ્રસ્તુત રાજગચ્છમાં હોવું ઘટે અને તે નીચે મુજબ હોઈ શકે : Page #9 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે પદ્મદેવ જિનદત્ત પૂર્ણભદ્રસૂરિ | રાજગચ્છ શ્રી ચંદ્રસૂરિ જિનેશ્વરસૂરિ દેવેન્દ્રસૂરિ (સં. ૧૨૫૬ / ઈ. સ. ૧૨૦૦, નંદીશ્વરદ્વીપપટ્ટ) ચંદ્રપ્રભસૂરિ । પ્રભાચંદ્રાચાર્ય (સં. ૧૩૩૪ | ઈ- સ. ૧૨૭૮) નંદીશ્વરપટ્ટના કારાપકના મંત્રી વંશ તેમ જ પ્રતિષ્ઠાપક આચાર્યના ગચ્છ સંબંધી નિર્ણય થઈ જતાં લેખ સંબંધ મુખ્ય ગવેષણા તો પૂરી થાય છે : પણ પૂર્વના લેખકોના આ અભિલેખ પરનાં મંતવ્યો વિશે અહીં જોઈ જવું જરૂરી છે. (સ્વ) ગિરજાશંકર આચાર્યનું કથન (કંઈક અંશે ડિસળંકરના અંગ્રેજીનો તરજૂમો યથાર્થ રૂપેણ ન કરવાને કારણે) અનેક દૃષ્ટિએ કઢંગું બન્યું છે : જેમકે “પ્રસિદ્ધ ગિરનારની ટેકરી ઉપર સંગ્રામ સોનીના મંદિરથી વાયવ્યમાં નંદીશ્વરની મૂર્તિના ગોખલાની બન્ને બાજુએ આ લેખ કોતરેલ છે.”. ગિરનારને “ટેકરી’ ભાગ્યે જ કહી શકાય; અને ત્યાં ‘નદીશ્વરની મૂર્તિ” (શિવના નંદીનું પુરુષાકાર સ્વરૂપ) નહીં પણ “નંદીશ્વરદ્વીપ’નો પટ્ટ અભિપ્રેત છે ! અને લેખ ગોખલાની બન્ને બાજુએ નહીં પણ પટ્ટના ઉપરના બન્ને ખૂણે કંડારેલો છે. અને પટ્ટ ગૂઢમંડપમાં છે ! ડિસકળકરે કે આચાર્યે લેખની અંદરની વસ્તુનું યંત્રવત્ આલેખન કરવા સિવાય કોઈ જ વિચારણા ચલાવી નથી. બીજી બાજુ શ્રી અત્રિનું કહેવું છે કે “It refers to Kumarapala in 1200 A. D. when Bhimadeva II was ruling over Gujarat. Shri G. V. Acharya has correctly drawn the attention of readers to this inconsistency. This inscription too cannot be relied upon." "૨૭ આમાં ધ્યાનમાં રાખવા જેવું પહેલું તથ્ય એ છે કે લેખની મિતિ ૧૨૦૦ છે તેની ના નહીં, પણ લેખમાં કુમારપાલનું નામ આપ્યુ છે તે પટ્ટકારાપક વસંતપાલના પિતામહ દંડનાયક (આમ્ર)દેવના સંદર્ભમાં છે, લેખના સમયના સંદર્ભમાં, કારાપક વસંતપાલના સંદર્ભમાં નહીં. બીજી વાત એ છે કે અત્રિ કહે છે તેવી તો કોઈ ‘‘અપ્રસ્તુતતા” તરફ આચાર્યે નિર્દેશ નથી કર્યો. એમણે તો એટલું જ કહ્યું છે કે “લેખ વિ. સં. ૧૨૫૬નો એટલે ભીમ રાજાના સમયનો છે પણ તેનું નામ લેખમાં આપ્યું નથી.”૨૮ એવા તો ભારતમાં અને ગુજરાતમાં અનેક લેખો—સેંકડો—છે જેમાં પ્રવર્તમાન શાસનકર્તાનું ૩૫ Page #10 -------------------------------------------------------------------------- ________________ ३६ નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ નામ દીધું ન હોય. તે મુદ્દાનું ચકાસણીમાં કોઈ જ મહત્ત્વ નથી. ગુજરાતના એક, મંત્રીવંશ સંબંધ આ લેખ નવું અજવાળું પાથરતો હોઈ મૂલ્યવાન છે. શ્રી અત્રિએ ગિરનારથી પ્રાપ્ત થયેલા નવીન લેખોમાં એક વાઘેલા સમયનો— સં. ૧૨૯૯ ( ઈ. સ. ૧૨૪૩)નો—તેજપાળ મંત્રીના કાળનો એક અભિલેખ પ્રકટ કરેલો ૩૦. મૂળ અભિલેખ જોવાનો અવકાશ પ્રાપ્ત ન થયો હોવા છતાં પ્રસ્તુત લેખની વાચના કેટલાક સુધારા સાથે, અને તેની વિગતોના ખરા અર્થ સાથે સંપ્રતિ લેખના પ્રથમ લેખકે એક વિસ્તૃત ચર્ચાત્મક લેખ લખ્યો હતો”. ત્યાર બાદ સન્ ૧૯૭૭માં શ્રી લક્ષ્મણ ભોજક અને સાંપ્રત લેખની પ્રત્યક્ષ વાચના કરી, તેમાં શ્રી અત્રિની વાચનાઓમાં અગાઉ જે જે સુધારાઓ સૂચવેલા તે સૌ સાચા ઠરવા ઉપરાંત કેટલાંક ખાલાંઓ અને અન્ય ખામીઓ પણ દૂર કરી શકાઈ. લેખની સાચી અને શક્ય હતી તેટલી વાચના હવે અહીં રજૂ કરીએ છીએ : [पं० १] संवत १२९९ फागु सुदि ३ श्री उजयंतमहातीर्थे [पं० २] महामात्य श्रीवस्तुपालविहारे महं श्रीतेजपाल आदे[पं० ३] शेन साः घेढा लाहडेन श्रीनेमिनाथबिंबं षतकं च कारित [पं. ४] प्रतिष्ठितं श्रीविजयसेणसूरिभिः ।। श्रीशत्रुजयमहा[पं. ५] [तीर्थे] श्रीआदिनाथबिंब देवकुलिका डंडकलसादि सहिता [पं. ६]...वती-महं श्रीवस्तुपालकारित श्रीसाचउरदेवकुले महामा[पं. ७]...श्रीमहावीरबिंबं षातकं च श्रीअर्बुदाचलेमहामा [पं. ८]त्य श्रीतेजपालकारित श्रीनेमिनाथचैत्यजगत्यां देवकुलि[पं. ९]का० २ बिंबं ६ सपरिगरा श्रीजावालिपुरे श्रीपारस्वनाथदेव चै[पं० १०] त्यजगत्यां देवकुलिका श्रीरिषभनाथबिंबं वीजापुरे श्री ने[पं० ११] [मिनाथ ]बिंबं देवकुलिका डंडकलसादिसहिता [पं० १२] श्रीपल्हादनपुर [वास्तव्य वर] हुडिया साहु. ने [पं० १३] [मड]...........साहु. षेढा सा. [पं० १४]..........डघणेस्वर लघु Page #11 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે [is]........મવત્ અભિલેખ વસ્તુપાળ-તેજપાળના સમકાલિક વહુડિયા કુટુંબે ગિરનાર પર (અને અન્યત્ર કરેલ) સુકૃતોની (અમુકાંશે અપભ્રષ્ટ સંસ્કૃતમાં) નોંધ લે છે. સંપ્રતિ લેખના પ્રથમ લેખકના મૂળ લેખમાં તેની પૂરેપૂરી અને સાધાર ચર્ચા થઈ ચૂકી હોઈ, તેને પૂર્ણતયા બહાલ રાખવાની નોંધ સિવાય અહીં વિશેષ કહેવું અનાવશ્યક છે. (૮) ઉદયન મંત્રીના દ્વિતીય પુત્ર ચાહડના પુત્ર પદ્મસિંહના (ચાર પૈકીના) બે પુત્રો, મહત્તમ સામંતસિંહ તથા મહામાત્ય સલક્ષણસિંહે, ઉજ્જયંતગિરિ પર સં. ૧૩૦૫(ઈ. સ. ૧૨૪૯)માં પિતૃપ્રેયાર્થે પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યાનો લેખ ધરાવતું પબાસણ વર્તમાને વસ્તુપાલવિહારમાં ગર્ભગૃહમાં મૂલનાયક મલ્લિનાથની પ્રતિમાની ગાદીરૂપે બહુ પાછળના સમયે સ્થાપી દેવામાં આવ્યું છે. કાંટેલાના પ્રસ્તુત મહત્તમ સામંતસિંહના સં. ૧૩૨૦ / ઈ. સ. ૧૨૬૪ના લેખ અનુસાર તેમણે રૈવતાચલ (ગિરનાર) ૫૨ નેમિનાથના પ્રાસાદના ઉપરના ભાગે પાર્શ્વનાથના બિબવાળો પ્રાસાદ કરાવ્યાનો જે ઉલ્લેખ છે તે જોતાં પ્રસ્તુત સં ૧૩૦૫નો ચર્ચા હેઠળનો ગિરનારનો લેખ તે પાર્શ્વનાથ-પ્રાસાદના મૂળનાયકની પ્રતિમાનો જ અસલી લેખ માનવાનો રહે છે. મૂળ લેખ આ પ્રમાણે છે : १० संवत १३०५ वर्षे वैषाख शुदि ३ शनौ श्रीपत्तन वास्तव्य श्रीमालज्ञातीय ठ० चाहड संत मह [0] पद्मसिंहपुत्र ठ० पृथ्वीदेवी अंगज [મહળા]નુન મદ્દે. શ્રી સામંતસિહ ૩૭ २ तथा महामात्य श्रीसलखणसिंहाभ्यां श्री पार्श्वनाथबिंबं पित्रोः श्रेयसेऽत्र कारितं [] ततो बृहद्गच्छे श्रीप्रद्युम्नसूरिपटोद्धरश्रीमानदेवसूरिशिष्य श्रीजयानंद [ सूरिभिः ] પ્રતિષ્ઠિત [1] શુક્ષ્મ ભવતુ || આ સિવાય કદાચ આ જ મંદિરનો મૂળ હશે તેવો, પિપ્પલગચ્છના ધનેશ્વરસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિ વિરચિત પ્રશસ્તિ ધરાવતો, લગભગ ૨૭ પઘોવાળા પણ અતિ ખંડિત લેખમાં પણ આ પરિવાર સંબંધી, અને એમનાં સુકૃતોની નોંધ લેતી કેટલીક વાતો અસ્પષ્ટ રૂપે જળવાઈ રહી છે. તેમ જ કારાપકનું ટૂંકાવેલું વંશવૃક્ષ ઉપરના લેખને, અને અહીંની એ ખંડિત મોટી પ્રશસ્તિ અને કાંટેલાના કુંડના લેખના આધારે નીચે મુજબ બને છે : Page #12 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ શ્રીમાલકુલ (ઉદયન મંત્રી) ચાહડ પદ્ધસિંહ = પૃથિવીદેવી (માહણસિંહ) મહંતો સામંતસિંહ (સં.૧૩૨૦ ઈ. સ. ૧૨૬૪) મહામાત્ય સલક્ષણસિંહ (સં. ૧૩૦૫ ? ઈ. સ. ૧૨૪૯) (સ્વ) મુનિ જિનવિજયજીએ* તથા સ્વ. રામલાલ મોદીએ (અને કંઈક અંશે મોહનલાલ દલિચંદ દેશાઈએ*) ઉદયન મંત્રીના વંશ વિશે વિસ્તારપૂર્વક અને ઉપયોગી ચર્ચા કરેલી હોઈ અહીં તે વિશે પુનરુક્તિ અનાવશ્યક છે. પણ પ્રતિષ્ઠાપક આચાર્ય વિશે એ ત્રણે વિદ્વાનો જ નહીં મૂળ સંપાદક બર્જેસે, તેમ જ ડિસફળકરે પણ, મૌન સેવ્યું છે ; તેથી અહીં તેમને વિશે કંઈક કહેવા ધાર્યું છે. મહત્તમ ધાંધલે કરાવેલ અને પ્રસ્તુત જયાનંદસૂરિએ પ્રતિષ્ઠિત કરેલ, નેમિનાથ મંદિરની ભમતીના નંદીશ્વરપટ્ટના સં૧૨૮૨ { ઈ. સ. ૧૨૨૬ના લેખમાં એ જ ગુર્વાવલી આપેલી છે”. જયાનંદસૂરિના ગુરુના ગુરુ પ્રદ્યુમ્નસૂરિ તે જ છે કે જેમણે વાદસ્થલ નામક ગ્રંથમાં આશાપલ્લીના ઉદયનવિહારની પ્રતિમાઓ યતિ દ્વારા પ્રતિષ્ઠિત થયેલી હોઈ અપૂજ્ય હોવાના ખરતરગચ્છીય અભિપ્રાય સામે બચાવ કરેલો. પ્રદ્યુમ્નસૂરિ સુવિદ્યુત બૃહદ્રગચ્છીય વાદીન્દ્રદેવસૂરિના શિષ્ય મહેન્દ્રસૂરિના શિષ્ય હતા. અને આશાપલ્લીના ઉદયનવિહાર સાથે સંકળાયેલા હોય તેમ લાગે છે. કદાચ તે જ કારણસર ઉદયન મંત્રીના પ્રપૌત્રોને પણ પ્રદ્યુમ્નસૂરિની શિષ્યશાખા પ્રતિ પરંપરાગત ભક્તિભાવ અને અનુરાગ રહ્યાં હોય, જેને કારણે પ્રસ્તુત શાખાના જયાનંદસૂરિએ ગિરનાર પરની સામંતસિંહ-સલક્ષણસિંહ દ્વારા કારિત પાર્શ્વનાથના મંદિરની પ્રતિષ્ઠાવિધિ સંપન્ન કરી હોય. ગિરનારના આ પરિવારના ઉપરકથિત ખંડિત પ્રશસ્તિ લેખમાં વળી પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય રૂપે જયાનંદસૂરિના પટ્ટધર દેવસૂરિનું નામ છે. કદાચ આ પ્રશસ્તિલેખ પાર્શ્વનાથ જિનાલયને બદલે ગિરનાર પર ઉદયન મંત્રી પરિવારે કરાવેલ કોઈ બીજા મંદિરના ઉપલક્ષમાં હોય. સાહિત્યિક તેમ જ અભિલેખીય પ્રમાણોના આધારે ગિરનાર પરના સંબંધ કર્તા બૃહદ્રગથ્વીય પ્રતિષ્ઠાપક આચાર્યોની ગુર્નાવલી નીચે મુજબ બને છે Page #13 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે બૃહદ્ચ્છ (વાદીન્દ્ર દેવસૂરિ) I (મહેન્દ્રસૂરિ) T પ્રદ્યુમ્નસૂરિ માનદેવસૂરિ જયાનંદસૂરિ (સં.૧૨૮૨ / ઈ સ ૧૨૨૬; સં. ૧૩૦૫ | ઈ. સ. ૧૨૪૯) (દ્વિતીય) દેવસૂરિ (લેખની મિતિ નષ્ટ) (૯) તીર્થાધિપતિ નેમીશ્વરના મંદિર-સમુદાયના દક્ષિણ દ્વાર સમીપની પશ્ચિમ તરફની દેહરીની ભીંતમાં લગાવેલ આ ખંડિત લેખની પ્રથમ વાચના બર્જેસ કઝિન્સ અને ફરીને ડિસકળકર દ્વારા થયેલી છે. લેખ ચૂડાસમા સમયનો, રાજા મહીપાલદેવના સમયનો છે; જો પ્રસ્તુત રાજા મહીપાલદેવ પ્રથમ હોય તો તો ઈસ્વીસન્ની ૧૪મી શતાબ્દીના બીજા ત્રીજા દશકના અરસાનો હશે, પણ દ્વિતીય મહીપાલદેવના સમયનો હોય તો તે ૧૫મા શતકના ત્રીજા ચરણના અરસાનો હશે. લેખના ખંડિત થયેલા અંશને અહીં અમે શક્ય બન્યો તેટલો પૂરો કરવાની કોશિશ કરી છે : અને તેમાં આવતા “કારાપક”ના વિષયમાં થોડી ચર્ચા કરી છે. १ ॥ ९० ॥ स्वस्ति श्रीधृति + + + ૨ ાનમ:!! શ્રીનેમિનાથાય ન + +[સં ૬૪૬૪ ?] રૂ। વર્ષે પાલ્ગુન શુદ્દિ ્ ગુરૌ। શ્રી [ચાવવુi] ४ || तिलक महाराज श्रीमहीपाल [ देव राज्ये सा०] ૬ 1 વયરસીદ ભાર્યા છાંડ સુત્ત સા[સાતિા] ૬ !! સુત સા॰ સામાં 1 સા॰ મેલા મેતા [લેવી ? ] ७ ॥ ज सुत रूडी गांगी प्रभृति [ श्रीधर्म ] ૮ | નાથ પ્રાપ્તાર્ [:] òતિ (:) 1 પ્રતિષ્ઠિત શ્રી નં] ૩૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૨ સૂર તત્પટું શ્રીનિલિદ [મૂરિ મ ] ૨૦ ... ..ન્યાય.... પંદરમી શતાબ્દીના મધ્યભાગના અરસામાં રચાયેલી બે પૃથક પૃથક ગિરનારમૈત્ય પરિપાટીઓમાં આવતા ઉલ્લેખો પરથી અમે ચર્ચા હેઠળના લેખનાં ખાલાં પૂર્યા છે, જેમકે સં. ૧૫૦૯ | ઈ. સ. ૧૪૫૩ પછી તુરતમાં રચાયેલી, બૃહતપાગચ્છીય રત્નસિંહસૂરિશિષ્યની ચૈિત્યપરિપાટીમાં આ પ્રમાણે ઉલ્લેખ છે" : ઉસવાલ સાલિગ મેલાગરિ ધરમનાથ થાપીય વર જિણહરિ, પણમિસુ સુભ પરિણામ; ર૦ અને બીજો ઉલ્લેખ છે એક અન્ય ચૈત્યપરિપાટીમાં યથાર : મેલાસાહ તણી દેહરીઈ ધર્મનાથનઈ નમતાં જઈઈ સૂલદુવારિ થાકણુએ સાતમી સવાલાખી ચુકીધર; ૧૭’ શિલાલેખમાં પણ કારાપકોમાં “સામેલાનું નામ છે; જો કે તેના બાપનું નામ ઊડી ગયું છે; અને તીર્થકરના નામમાં “-નાથ” ભાગ રહ્યો છે, આગલો ભાગ નીકળી ગયો છે. ઉપર ટાંકેલ બંને સંદર્ભોના આધારે, તેમ જ પ્રસ્તુત દેહરી મૂલદ્વાર (પ્રતોલી નજીક, અને સવાલખી ચોકી પાસે, યાને નેમિનાથના પૂર્વ તરફના તંજ્યુક્ત પ્રદ્વાર પાસે ક્યાંક હતી તે ધ્યાનમાં રાખતાં, અને લેખ પણ નેમિનાથના મંદિરના બહારના દખ્ખણાદા પરિસરમાં નોંધાયો છે, એમ બધી વાત વિચારતાં એમ લાગે છે કે સંદર્ભગત લેખ ઓસવાળ વંશના ‘સાધુ લિગ અને તેના પુત્ર “સાધુમેલા'એ (મેલાગરે) બંધાવેલ જિન ધર્મનાથની કુલિકા સંબંધના છે. ચૈત્યપરિપાટીઓના સમયને લક્ષમાં લેતાં પ્રસ્તુત દેરી ૧૫મા શતકના મધ્યભાગ પૂર્વે બંધાઈ ચૂકી હોવી જોઈએ. લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય મુનિસિંહસૂરિનો ગચ્છ બતાવ્યો નથી, પણ પાટણના કનાસાના પાડાના મોટા દેરાસરમાં મૂળનાયક શાંતિનાથના ગભારાની સં૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮ના લેખવાળી શ્રેયાંસનાથની ધાતુમૂર્તિમાં પ્રતિષ્ઠાપક રૂપે સિદ્ધાંતિક-ગચ્છના મુનિસિહસૂરિનું નામ છે. અમને લાગે છે ગિરનારવાળી પ્રતિમાના ઉપર ચર્ચિત લેખના કારાપક મુનિસિહસૂરિ આ મુનિ હોઈ. ગિરનાર પર સં. ૧૪૯૪ ઈ. સ. ૧૪૩૮ના અરસામાં ત્રણેક મોટાં જિનમંદિરો–ખરતરવસહી, કલ્યાણત્રય, અને પૂર્ણસિંહ વસતી–બંધાયેલાં, તે જોતાં, અને મહિપાલદેવ(દ્વિતીય)નો પણ એ જ સમય હોઈ પ્રસ્તુત લેખ સં. ૧૪૯૪(ઈ. સ. ૧૪૩૮)ના અરસાનો હશે. સંભવ છે કે મુનિસિહસૂરિના ગુરુનું નામ શ્રીચંદ્રસૂરિ હોય. (લેખમાંદ્ર સૂરિ ભાગ અવશિષ્ટ છે.) કારાકોનું વંશવૃક્ષ લેખ અનુસાર આ પ્રમાણે સમજાય છે : Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે ૪૬ (સા)વયરસિંહ = ફાંક સા. (સાલિગ) સાઠ સાઈઝ સાહ સાઈઆ સામેલા (=મેલા દેવી ?) રૂડી ગાંગી ગિરનાર પર કેટલાક અન્ય પણ ચર્ચાસ્પદ અભિલેખો છે; પણ અહીં લંબાણ ભયે તે છોડી દીધા છે. સંભ્રાંતિ નિવારણ લેખ પૂર્ણ થઈ ગયા બાદ ગિરનાર પરના કેટલાક અભિલેખોની હસ્તી સંબંધી અર્વાચીન જૈન લેખકો દ્વારા અજ્ઞાનપણે ફેલાવાતા સંભ્રમ બાબતમાં અહીં ધ્યાન દોરવું આવશ્યક સમજી, થોડીક વિશેષ ચર્ચા, જૈન પરિભાષામાં કહીએ તો “ચૂલિકા”રૂપે (પરિશિષ્ટ રૂપે) કરવા ધાર્યું છે. આવાં બ્રાંત લેખનો, ખાસ કરીને તો તીર્થનાયક નેમિનાથના મંદિરના ઉપલક્ષમાં રહેલ અભિલેખો સંબંધમાં જોવા મળે છે. (૧) મુનિ નિત્યાનંદવિજયજીએ શ્રીરૈવતગિરિ-સ્પર્શના, શ્રી આત્મ કમલ-દાન-પ્રેમજંબૂસૂરિ જૈન ગ્રંથમાળા મણકો ૪૭, સુરેન્દ્રનગર વિ. સં. ૨૦૨૦ ઈ. સ. ૧૯૬૪, પૃ ૧૨૬ તથા પુનઃ પૃ. ૧૭૧ પર નોંધ કરી છે, તદન્વયે નેમિનાથ ભગવાનના રંગમંડપના ત્રણ થાંભલાઓ પર અનુક્રમે સં. ૧૧૧૩ વર્ષની નેમિનાથ મંદિર બનાવ્યાનો, સં. ૧૧૩પનો પ્રતિષ્ઠા સંબદ્ધ, અને ઈ. સ. ૧૨૧૮માં દેવાલયો સમરાવ્યાનો ઉલ્લેખ છે. (૨) મુનિ નિત્યાનંદવિજયથી ૧૧ વર્ષ પૂર્વે પં, અંબાલાલ પ્રેમચંદ શાહ પણ (જૈન તીર્થ સર્વ સંગ્રહ ભાગ ૧, અમદાવાદ ૧૯૫૩, પૃ. ૧૨૧ ઉપર) આવી જ વાત નોંધે છે; તે માટે તેઓ દોલત્તચંદ પુ. બરોડિયાના ગિરનાર મહાભ્યના “ઉપોદ્ધાત” પૃ. ૨૧નો (કઈ ભાષામાં (હિન્દી ?) ક્યાંથી, અને કયા વર્ષમાં પુસ્તક છપાયું તેની નોંધ કર્યા સિવાય હવાલો દે છે. (૩) પં. અંબાલાલ શાહથી ચાર વર્ષ પૂર્વે મુનિ ન્યાયવિજયજી(જૈન તીર્થોનો ઇતિહાસ, શ્રી ચારિત્ર સ્મારક ગ્રંથમાલા : પુષ્પ ૩૮ મહેસાણા ૧૯૪૯, પૃ.૧૧૯)માં લખે છે કે : “રંગમંડપમાં એક થાંભલા પર સં. ૧૧૧૩ના જેઠ ૧૪ દિને નેમીશ્વર જિનાલય કરાવ્યાનો, બીજા થાંભલા પર સં. ૧૧૩પમાં પ્રતિષ્ઠા કરાવ્યાનો, ત્રીજામાં ૧૧૩૪માં દેવાલય સમરાવ્યાનો લેખ છે. તથા ત્યાં પૃ ૧૨૦ પર નોંધ્યું છે કે રંગમંડપના પૂર્વ તરફના થાંભલામાં નીચે પ્રમાણે નિ. એ. ભા. ૧-૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ 42 નિર્ચન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ લેખ છે. સંવત્ 163 વર્ષે વેઢ માસે 64 દિને શ્રી કીશ્વર જિનાલય: તિઃ ! વળી, બીજા ખંભમાં આ પ્રમાણે કોરેલું છે કે સંવત્ 163 વર્ષે પ્રતિષ્ઠા પિતા: ' ત્રીજા સ્તંભમાં લખે છે કે સં. ૧૩૩૫માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો.” (4) મોહનલાલ દલીચંદ દેશાઈ (જૈન સાહિત્યનો , મુંબઈ 1932, પરિચય. પૃ. 145) નેમિનાથ મંદિરના ઉપલક્ષમાં નોંધે છે કે “એક થાંભલા પર સંત ૧૧૧૩ના જેઠ 14 દિને નેશ્વર જિનાલય કરાવ્યું ને બીજા થાંભલા પર સં. ૧૧૩૫માં પ્રતિષ્ઠા કરાવી, ને ત્રીજામાં સં. ૧૩૩૪માં દેવાલય સમરાવ્યું એમ લખે છે.” (5) આ બધી ગેરસમજણનું મૂળ બર્જેસની મૂળ નોંધ પૂરી ન સમજવાને કારણે ઉપસ્થિત થઈ છે. (થોડોક ગોટો તો ખુદ બર્જેસે પણ વાળ્યો છે !) (gal Report on Antiquities., p. 166; cf. also his Visit to Somnath, Girnar in May 1869, Reprint Varanasi 1976, p. 38.) બર્જસ ત્યાં લખે છે : "The largest temple is that of Neminatha......and bears an inscription on one of the pillars of the mandapa, stating, that it was repaired in A. D. 1278." The temple is of very considerable age......"(Infra) "It bears on two of the pillars of the mandap inscriptions dated 1275, 1281, and 1278, relating to donations of wealthy Sravakas for the daily worship of the Jina." બર્જેસ અને કઝિન્સ નેમિનાથ જિનાલયના ઉપર કથિત સાલોવાળા, નેમિનાથ જિનાલયના સ્તંભોવાળા સંદર્ભગત ત્રણે લેખોની વાચના સદ્દભાગ્યે પ્રકાશિત કરી છે. (Revised List, pp 352-353). તદનુસાર લેખોની મિતિઓ નીચે મુજબ છે : (મ) સં. 1333 વર્ષે યેષ્ઠ વદિ 14. (4) સં. 1335 વર્ષે વૈશાખ સુદિ 8, (5) સં. 1339 વર્ષે જયેષ્ઠ સુદિ 8. આ સિવાય પટ્ટશાલાના સ્તંભ પર પણ એક લેખ છે. (3) સં. 1334 વૈશાખ વદિ 8. આધુનિક જૈન લેખકો જેને સં. 1113 વર્ષનો જેઠ માસ ૧૪નો લેખ માની બેઠા છે તે ઉપર્યુક્ત સં. ૧૩૩૩નો જયેષ્ઠ વદિ ૧૪નો જ લેખ છે ! તેમાં નેમીશ્વર જિનાલય કરાવ્યાની વાત હોવાને બદલે ખરતરગચ્છીય જિનપ્રબોધસૂરિના ઉપદેશથી ઉચ્ચાપુરીના શ્રાવકોએ નેમિનાથની પૂજાદિ અર્થે કરેલાં ધન-દાનનો ઉલ્લેખ છે ! વળી જે લેખને તેઓ સં. ૧૧૩૫નો ઘટાવે છે તે વસ્તુતયા સં. ૧૩૩૫નો છે, અને તે પણ પ્રતિષ્ઠાને બદલે ધવલક્કક(ધોળકા)ના શ્રાવક બિલ્હણે નેમિનાથની પૂજાથે કંઈ દાન આપ્યું હશે તેની નોંધ લેતો (ખંડિત) લેખ છે. જેને સં. ૧૧૩૪માં મંદિર સમરાવ્યાનો લેખ માન્યો છે તે સં. ૧૩૩૪નો, દક્ષિણ તરફની હારની Page #17 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે દેવકુલિકાની પટ્ટશાલાના દક્ષિણ પ્રવેશ પાસેના સ્તંભ પર છે, અને એ અતિ ખંડિત લેખમાં દાનોની જ હકીકત અભિપ્રેત છે, પુનરુદ્ધારની નહીં. અસલમાં જ્યાં મંદિર જ સજ્જન મંત્રી દ્વારા સં. 1185 | ઈ. સ. ૧૧૨૯માં નવેસરથી બન્યું છે ત્યાં સં. 1113, સં. 1134 અને સં૧૧૩પના લેખો હોવાની વાતને સ્થાન જ ક્યાં છે ? એ જ પ્રમાણે ઈ. સ. ૧૨૧૮માં જીર્ણોદ્ધાર થયાની ગલત વાતનો આધાર તો બર્જેસે સંભ્રમથી ઈ. સ. ૧૨૭૮માં જીર્ણોદ્ધારની જે વાત લખી છે તેનો વિશેષ વિભ્રમ, અને ત્યાં ત્રીજા અંકનો વિપર્યાસ માત્ર છે ! ઈ. સ. 1278 | સં. ૧૩૩૪ના લેખમાં ઉપર કહી ગયા તેમ જીર્ણોદ્ધારની વાત જ નથી ! કર્નલ ટૉડથી ચાલતી આવતી એક બીજી મહાન ભ્રમણા તે સં. 1215 ચૈત્ર શુદિ ૮ના રોજ પંડિત દેવસેન-સંઘના આદેશથી જૂનાં મંદિરો કાઢી નાખી તેને સ્થાને નવાં કરાવ્યાની વાત, જેનો પહેલો ભોગ બર્જેસ બન્યા, અને બર્જેસ પછીના કેટલાયે લેખકો ગતાનુગત અનુસર્યા ! સં. 1215 ચૈત્રવદિ ૮નો (નેમિનાથની ઉત્તર-પ્રતોલીમાં) લેખ છે ખરી; પણ તેમાં જૂનાં મંદિરો કાઢી નાખી નવાં કર્યાની વાત નથી, ત્યાં નેમિનાથને ફરતી. દેવકુલિકાઓનાં બાંધકામ પૂરાં થયાની હકીકત નોંધાયેલી છે. એ કાળે ત્યાં બાજુમાં રહેલ સં. ૧૨(૭??)૬ના શ્રીચંદ્રસૂરિવાળા લેખમાં “રેવતક” “દેવચંડ”(દેવચંદ, દેવચંદ્ર, દેવસેન નહીં) અને પ્રતિષ્ઠાદિક કાર્યોની વાતો કરી છે. એ જોતાં અમને લાગે છે કે કર્નલ ટૉડ જે જૈન યતિને સાથે લઈ ગયેલા તેને કાં તો જૂની લિપિ પૂરી વાંચતા આવડતી નહીં હોય, યા તો એણે જે વાતચીતમાં કંઈ કહ્યું હશે તે ટૉડ પૂરું સમજ્યા નહીં હોય; અને એમ ખોટી રીતે સમજી બેઠેલ, બે પડખોપડખ રહેલ શિલાલેખોની વિગતોને તેમણે વિચિત્ર રીતે ભેળવી મારી છે. “સં. 1215 ચૈત્ર વદિ 8" અને “પંડિત” શબ્દો (પંડિત માલવાહણ પરથી) એક લેખમાંથી લીધા; ને બીજા શિલાલેખના દેવચંદને દેવસેન બનાવી “સંગાત મહામાત્ય”ના “સંગાત”ને બદલે “સંઘ” વાંચી બધું એકમેકમાં જેમ ઘટ્યું તેમ જોડી દીધું ! ને દેવકુલિકા બનાવ્યાની સાદી વાત જૂનાને કાઢી નવાં મંદિરો બનાવ્યાની વાત બની ગઈ ! ટૉડના આવા બીજા સંભ્રમને, સં. 1339 ! ઈસ. 1283 જયેષ્ઠ સુદિ ૧૦ના રોજ રેવતાચલનાં જૂનાં મંદિરો કાઢી નવાં થયાની વાતને, બર્જેસ સાચી માનીને ચાલે છે, પણ સં. ૧૩૩૯નો લેખ જયેષ્ઠ સુદિ ૮નો છે, ૧૦નો નહીં; અને તે દાન પ્રસંગનો છે તે વિશે અહીં ઉપર ચર્ચા થઈ ચૂકી છે. નેમિનાથના પરિસરમાં પુનરુદ્ધાર કે જીર્ણોદ્ધાર સંબદ્ધ એક પણ લેખ વાસ્તવિક રીતે નોંધાયો નથી, અને છે પણ નહીં. ગિરનાર પરના અભિલેખોમાં સોલંકી-વાઘેલા કાળની સમાપ્તિ સુધીના વિસ્તુતઃ કેટલા, કઈ સાલના છે તે અહીં તાલિકામાં સંક્ષિપ્ત રૂપે રજૂ કરીએ છીએ; તેના સંદર્ભથી લાંબા ચાલેલ સંભ્રમોનું નિવારણ થઈ શકશે. Page #18 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ - સિદ્ધરાજયુગ વર્ષ વિગત વર્તમાન સ્થાન સંપાદક | સંકલનકાર સં. 1194 ઠ૦ જસયોગની ખાંભી જૂનાગઢ મ્યુઝિયમ છો. મ. અત્રિ; ફરીને મધુસૂદન ઢાંકી, અને છેલ્લે અહીં મધુસૂદન ઢાંકી અને લક્ષ્મણ ભોજક (વર્ષ નષ્ટ) સિદ્ધચક્રવર્તી જયસિંહ એકકાળે નેમિનાથ બર્જેસ અને કઝિન્સ: સંકલન દેવના શાસન કાળનો જિનાલયની ઉત્તર જિનવિજય; આચાર્ય; પુન પ્રતોલીમાં વંચના ઢાંકી અને ભોજક (હાલ ગાયબ) કુમારપાલયુગ સં. 1215 ઠક્કર (5) સાલવા- નેમિનાથની ઉત્તર બર્જેસ; બર્જેસ અને હણનો નેમિનાથની દેવ પ્રતોલીમાં(હાલ અસ્ત કઝિન્સ: સંકલન જિન કુલિકાઓનું કામ પૂર્ણ વ્યસ્ત અને નુકસાન વિજય, આચાર્ય, પુનર્વાચના થયા બાબતનો લેખ પામેલ હાલતમાં) ઢાંકી અને ભોજક સં.૧૨(૩? શ્રીચંદ્રસૂરિનો નેમિનાથની ઉત્તર બર્જેસ; બર્જેસ અને ()6 12 પ્રતોલીમાં(હાલ અસ્ત કઝિન્સ; સંકલન જિનવિજય, (11) 6 વ્યસ્ત અને નુકસાન આચાર્ય, પુનર્વાચના પામેલ હાલતમાં) ઢાંકી અને ભોજક (વર્ષ નષ્ટ) બૃહદ્ગચ્છીય વિજય ગિરનાર પર લક્ષ્મણ ભોજક વિરચિત ખંડિત પ્રશસ્તિ; કુમારપાળનું નામ ત્રણ સ્થાને આવે છે. સં. 1222 મહંતો આંબાકનો ખબુતરીખાણનો બર્જેસ અને કઝિન્સ સં.૧૨૨૩ મતો આંબાકનો ખબુતરીખાણનો બર્જેસ અને કઝિન્સ Page #19 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે 45 ભીમદેવ(દ્વિતીય)નો સમય સં.૧૨૩૬ શ્વેતાંબર જૈનમુનિના કહેવાતા સંપ્રતિરાજાના મધુસૂદન ઢાંકી અને સ્મરણ-સ્તંભ (નિષે- મંદિરના ગૂઢમંડપની લક્ષ્મણ ભોજક દિકા) : અતિ ખંડિત દક્ષિણ ચોકીનો સ્તંભ સં.૧૨૪૪ પ્રભાનંદસૂરિની જૂનાગઢ મ્યુઝિયમ અત્રિ, પુનર્વાચના ઢાંકી અને નિદેષિકા ભોજક સં.૧૨પ૬ દંડનાયક (આમ્ર)દેવના હાલ સગરામ સોની- ડિસકળક૨; સંકલન પૌત્ર વસંતપાલ કારિત ના કહેવાતા મંદિરના આચાર્ય; પુનર્વાચના ઢાંકી નંદીશ્વરદ્વીપપટ્ટનો લેખ મંડપમાં. અને ભોજક સં.૧૨૭૫ કુંજરાપદ્રીય-ગચ્છના નેમિનાથ જિનાલયના મોદ-દેશાઈ દ્વારા ઉલ્લિખિત શાંતિસૂરિનો લેખ ગૂઢમંડપમાં પણ અદ્યાવધિ અપ્રકાશિત સં.૧૨૭૬ - ગુમાસ્તાના મંદિરમાં, ઢાંકી અને ભોજક અતિ ઘસાયેલ વાઘેલા યુગ સં. 1287 મહત્તમ ધાંધલ કારિત નેમિનાથ મંદિરની સારાભાઈ નવાબ (અપૂર્ણ નંદીશ્વરદ્વીપપટ્ટ પરનો પશ્ચિમ તરફની લેખ ભમતી. ઢાંકી અને ભોજક સંડ૧૨૮૮ વસ્તુપાલપ્રશાંત વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી સં.૧૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી સં.૧૨૮૮ વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ વા Page #20 -------------------------------------------------------------------------- ________________ નિર્ચી ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ પુણ્યવિજયજી સં. 1288 વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી સં. 1288 વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી સં. 1288 વસ્તુપાલપ્રશસ્તિ વસ્તુપાલવિહાર બર્જેસ; બર્જસ અને કઝિન્સ; સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી મિતિવિહિન, વસ્તુપાલ અને લલિતા- વસ્તુપાલવિહાર બર્જેસ; સંકલન જિનવિજય દેવીની મૂળે આરાધક મૂર્તિના ગોખલા પર મિતિવિહિન, વસ્તુપાલ અને સોખુ- વસ્તુપાલવિહાર બર્જેસ; સંકલન જિનવિજય દેવીની આરાધક મૂર્તિના ગોખલા પર મિતિવિહિન, વસ્તુપાલ અને લલિતા- વસ્તુપાલવિહાર બર્જેસ દેવીની મૂર્તિ બાબતનો ભારપટ્ટ પર લેખ મિતિવિહિન, વસ્તુપાલ અને સોનુ- વસ્તુપાલવિહાર બર્જેસ દેવીની મૂર્તિના ભારપટ્ટ પરનો લેખ સં. 1289 ટૂંકી વસ્તુપાલ પ્રશસ્તિ રાજલવેજલ ગુફાની બર્જેસ; બર્જેસ અને કઝિન્સ; પૂર્વ તરફ સંકલન જિનવિજય; આચાર્ય; મુનિ પુણ્યવિજયજી Page #21 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે સં. 1289 ટૂંકી વસ્તુપાલ પ્રશસ્તિ ખબુતરી ખાણ બર્જેસ અને કઝિન્સ; સંકલન (અતિખંડિત) જિનવિજય સં. 1290 મહત્તમ ધાંધલનો નેમિનાથની ઉત્તર ઢાંકી અને ભોજક (સમેતશિખરપટ્ટ)નો તરફની ભમતી સં. 1299 વરહુડિયા કુટુંબનો જૂનાગઢ મ્યુઝિયમ અત્રિ, પુનર્વાચના ઢાંકી, પુનપ્રશસ્તિ લેખ (મૂળ વસ્તુપાલ- ર્વાચના ઢાંકી તથા ભોજક વિહારમાં) સં. ૧૩૦પ ઉદયન મંત્રી વંશજ વસ્તુપાલવિહાર બર્જેસ અને કઝિન્સ, ડિસકળ સામંતસિહ અને મહા- ગર્ભગૃહમાં હાલ કર; સંકલન જિનવિજય; માત્ય સલક્ષણસિંહનો મલ્લિનાથ-મૂલનાયક આચાર્યનું વિશેષ ચર્ચા ઢાંકી મૂલનાયક પાર્શ્વનાથના નીચેની ગાદીરૂપે અને ભોજક પબાસણનો લેખ (સંભવતઃ ઉપર્યુક્ત પરિવારની ગિરનાર બર્જસ અને સં. 1305 મોટી (પણ અતિખંડિત (મૂળ પાર્શ્વનાથ- કઝિન્સ; સંકલન પ્રશસ્તિ) નાં મંદિરમાં?) તથા ચર્ચા જિનવિજય; પુન વચના ડિકnકર. સં 1319 અપૂર્ણ અને ખંડિત ગિરનાર ડિસકળકર સં૧૩૩૦ અર્જુનદેવ વાઘેલાના નેમિનાથ જિનાલય ડિસકળકર; સંકલન આચાર્ય સમયનો સૂત્રધાર ગૂઢમંડપ હરિપાલને પ્રદત્ત અધિકાર સંબંધી સં. 1333 દાન સંબંધી ગિરનાર બર્જેસ-કઝિન્સ: સંકલન જિનનેમિનાથ જિનાલય, વિજય ગૂઢમંડપ સં. 1334 દાન સંબંધી નેમિનાથ મંદિરના ઢાંકી અને ભોજક પટ્ટશાલાના સ્તંભ પર સં. 1335 દાન સંબંધી નેમિનાથ જિનાલય બર્જેસ-કઝિન્સ: સંકલન જિન વિજય Page #22 -------------------------------------------------------------------------- ________________ 48 નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સં.૧૩૩૯ દાન સંબંધી નેમિનાથ જિનાલય બર્જેસ-કઝિન્સ: સંકલન જિન વિજય આ તાલિકામાં, જાણમાં છે તે તમામ લેખોને કાલક્રમાનુસાર ગણતરીમાં લઈ લીધા છે. તે હિસાબે સિદ્ધરાજ-કુમારપાળ સમય પૂર્વેનો એક પણ લેખ અઘાવધિ પ્રાપ્ત નથી થયો. (સાહિત્યના તેમ જ પ્રતિમાઓના અલબત્ત પ્રાચીનતર એવાં કેટલાંક પ્રમાણો છે), અને વાઘેલાયુગની સમાપ્તિ બાદના ઘણાખરા લેખ ચૂડાસમા યુગના, છેલ્લા રાજા રા'માંડલિક સુધીના કાળના છે; તે પછી કોઈ કોઈ મોગલ, અને ત્યારબાદ બ્રિટિશ (યા નવાબી) યુગના છે. દિગંબર સંપ્રદાયના થોડાક લેખો જોવા મળ્યા છે, પણ તે સૌ ૧પમી તેમ જ ૧૭મી શતાબ્દી અને બાદના છે. જ્યારે બ્રાહ્મણીય સંપ્રદાયને અનુલક્ષ તો એક પણ અભિલેખ અદ્યાપિ મળ્યો નથી, કે પર્વત પર બ્રાહ્મણીય મંદિરો હોવાનાં સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાણો ઉપસ્થિત નથી, પ્રાપ્ત થયાં નથી. ગિરનાર પરના તમામ સાહિત્યિક ઉલ્લેખો–આગમિક, જૈનપૌરાણિક, તીર્થનિરૂપણાત્મક–સાહિત્ય (કલ્પો, તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ, રાસો, વિવાહલાઓ, ઇત્યાદિના) અને સ્તોત્રો, સ્તવો ઇત્યાદિના તેમ જ ઉપલબ્ધ અભિલેખો, દેવાલય નિર્માણો, યાત્રા-વિષયક અને સલ્લેખના આદિના ઉલ્લેખોના પરિપ્રેક્ષ્યમાં, અને મૂળ સ્રોતોને સાંગોપાંગ ઉરેંકિત કરવા સાથેની શિલ્પ-સ્થાપત્યની વિસ્તૃત ચર્ચા લેખકના સચિત્ર “મહાતીર્થ ઉજ્જયંતગિરિમાં આવનાર હોઈ અહીં આથી વિશેષ કહેવાનો આયાસ કર્યો નથી. ટિપ્પણો : 1. જુઓ “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખો” સ્વાધ્યાય, પૃ.૫, અંક 2, પૃ. 204-210. 2. શ્રી અત્રિ લેખ આ પ્રમાણે વાંચે છે : (1) સં (62) વર્ષે. (2) (તા ?) સુત (3) % ક MI M ( ?) 3.Cf. C. M. Atri "A Collection of Some Jain Stone Images from Mount Girnar," Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol. XX1, Baroda 1968, pl. XLIII, Fig. 3. 4. અત્રિ પ્રસ્તુત રાજપુરુષની સ્મારક પ્રતિમાને “ગુજરાતી દાનેશ્વરી”ની “દાતામૂર્તિ” ઘટાવે છે (પૃ. 204). પણ દાતામૂર્તિ (એટલે કે આરાધક મૂર્તિ)ને મધ્યકાલીન પશ્ચિમ ભારતમાં પ્રાયઃ અંજલિહસ્તમાં વા માલાધરરૂપે રજૂ કરવાની પ્રથા હતી. 4. Revised List of the Antiquarian Remains in Bombay Presidency, Vol. VIII, p. 356, Page #23 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે 49 No. 17. આ લેખ પ્રીનર્સન પસંદ (ભાગ બીજો) (સંગ્રાદ-સંપા. જિનવિજય), પ્રવર્તક શ્રી કાંતિવિજય જૈન ઈતિહાસમાળા પુષ્પ છઠ્ઠ, જૈન આત્માનંદ સભા-ભાવનગર, ભાવનગર 1921, અંતર્ગત પૃ. 33 પર લેખાંક 62 રૂપે સંકલિત કર્યો છે; પણ ઉપર્યુક્ત બન્ને ગ્રંથ આજે દુષ્માપ્ય બન્યા હોઈ અહીં તેનું કેટલાક ખૂટતા શબ્દો સાથેનું પુનર્મુદ્રણ ઉપયોગી નીવડશે. 6. इक्कारसयसहीउ पंचासीय वच्छरि / नेमिभुवणु उद्धरिउ साजणि नरसेहरि // 9 // (vii C. D. Dalal, Pracina-Gurjara Kavyasamgraha Part I, Gaekwad's Oriental Series, No. 13, First ed., Baroda 1920; Reprint 1978, p. 4; તથા મુ. પુણ્યવિજયસૂરિ, સુતર્લિંગોચિતિચાર વસ્તુશાસ્ત્ર પ્રશસ્તિ સંઘઉં, સિધી જૈન ગ્રંથમાલા (ગ્રંથાંક 5) મુંબઈ 1961, પૃ. 101. 9. Ed. James M. Campbell, Gazetteer of the Bombay Presidency, Vol. 1, Pt. 1, "History of Gujarat," Bombay 1896, p. 177. C. Report on the Antiquities of Kathiawad and Kacch (1874-75), Archaeological Sur vey of Western India, Reprint, Varanasi 1971, p. 167. 9. Revised List, Ins. No. 14, p. 355. 10. “સિદ્ધરાજ અને જૈનો” ઐતિહાસિક લેખ-સંગ્રહ, શ્રી સયાજી સાહિત્યમાળા, પુષ્પ 335, વડોદરા, 1963, પૃ. 119-120. 11. એજન. 12. એજન તથા મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ 1932, પૃ. ર૪૩ 244. ૧૩.જુઓ મુનિ જયંતવિજય, શ્રી અબ્દ-પ્રાચીન-જૈન-લેખસંદોહ (આબૂ-ભાગ-બીજો), શ્રી વિજયધર્મસૂરિ જૈન ગ્રંથમાળા પુ૪૦, લેખાંક 72, જાલોર 1966, ઉજજૈન વિ. સં. 1994 (ઈ. સ. 1938), “મા-ન--સંદ"પૃ. 347, લેખાંક 38, તથા પં, કલ્યાણ વિજયજી ગણિ, શ્વ-પશિત. 98.Cf. Burgess, Report on Antiquities., p. 167. And Burgess & Cousins, Revised List., p. 356. 15. એજન 16. વર૦, “અવલોકન” પૃ. 80. 17. ગુજરાતના ઐતિહાસિક લેખો, (ભાગ રજો), શ્રી ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ 15, મુંબઈ 1935, પૃ. 51. 18 બૃહત્તપાગચ્છીય રત્નાકરસૂરિની પરંપરાના જયતિલકસૂરિની સંપ્રતિ ગ્રંથમાં પ્રકાશિત, ઈસ્વીસનના નિ. ઐ, ભા. 2- Page #24 -------------------------------------------------------------------------- ________________ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ ૧૪મા શતકના પ્રારંભની “ગિરનાર ચૈત્ય પ્રવાડી(સં. સ્વ. અગરચંદ નાહટા અને મધુસૂદન ઢાંકી)માં ૨૪મી કડીમાં નીચે મુજબ ઉલ્લેખ છે : નાગમોરી ઝિરિ આગલિ કુંડ જ ગયંદમઈ પક્ષાલક પિંડ જ ઈદ્રમંડપ સો અંગો-૨૪ આ ઉલ્લેખ ઉપરથી સ્પષ્ટ છે કે બર્જેસે જેની “નાગજરિસિરિયા” એવી વાચના કરી છે તે અસલમાં ‘નાગમોરિઝિરિયા” હોવું જોઈએ. (અમે તે સુધારો લેખ અંતર્ગત સૂચવ્યો છે.) નાગોર એક હૈતવ રૂપે જૈન મધ્યકાલીન સાહિત્ય અને શિલ્પમાં પ્રસિદ્ધ છે. પંદરમા શતકના મધ્યભાગની તપાગચ્છીય રત્નસિંહ સૂરિશિષ્યની ગિરનારતીર્થમાલા અંતર્ગત પણ આ પ્રમાણે ઉલ્લેખ છે : ઈદ્રમંડપ ગજપદ વસિષ્ઠરિષિ નાગમોરઝિરિ કંડ જિહાં જિન તિહાં કરે સેવ સુણી લિખિત, 19 (સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા-સંગ્રહ, ભાગ 1 લો, ભાવનગર સં. 1978 ( ઈ. સ. 1922), પૃ. 36). તથા તપાગચ્છીય મુનિસુંદર સૂરિશિષ્ય હેમહંસગણિની ગિરનારીત્યપરિપાટી(આ સંત, 1515 , આ ઈ. સ. ૧૪૫૯)માં નીચે મુજબ ઉલ્લેખ છે : નાગમોરઝિરિ ઇંદ્રમંડપ પેખિએ આણું દો ! જોઈએ કુંડ ગઈદમુ એ છત્રસિલા તસુ હેઠિ 28']. (સં. પંડિત બેચરદાસ જીવરાજ દોશી, પુરાતત્ત્વ, 1-3, એપ્રિલ 1923, પૃ 296). 19. “ગિરનારના,” પૃ૨૦૪-૨૦૫. 20. શ્રી અત્રિએ ઠક્કર જસયોગવાળા લેખનું ચિત્ર તો પ્રગટ કર્યું છે (Cf "A Collection, pl. XLIII, Fig. 3), પણ આ સ્મરણ-સ્તંભનું ચિત્ર પ્રકાશિત નથી કર્યું. 29. Poona Orientalist, Vol I, No.4, p. 45. 22. ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, “પુરવણીના લેખો” (157 ઈ), મુંબઈ 1942, પૃ 191 192. 23. "A Collection.," p. 57. 24 મુનિ શ્રી જિનવિજયજી આ બધા સ્રોતોમાંથી મૂળ સંદર્ભે ટાંક્યા છે જુઓ પ્રાચીન , “અવલોકન” પૃ. 81-83. 25. Revised tist, ins. 27 and 30, P. 359; અને સ્ત્રીન, લેખાંક 50-51, પૃ. 70; તથા “અવલોકન” પૃ. 81-83. Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉજ્જયંતગિરિના પૂર્વપ્રકાશિત અભિલેખો વિશે 26. ગુજરાતના, ભાગ ૩જો, પૃ. 191. 27, "A collection." p. 57. 28, આચાર્ય, પૃ. 191. 29 લેખમાં અલબત્ત તિથિ વાર અને ખ્રિસ્ત્રાબ્દ માસ-તારીખમાં ફરક છે તે તરફ ડિસકળ કરે અને એમને અનુસરીને આચાર્યજીએ ધ્યાન દોર્યું છે : પણ લેખ બનાવટી જણાતો નથી. 30. “ગિરનારના,” પૃ. 205 અને તે પરનું વિવેચન પૃ૦ 206-208. 31. “ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશસ્તિ-લેખ પર દષ્ટિપાત,” સ્વાધ્યાય રૂ. 8, અંક 4, પૃ. 469-489. 32. જુઓ “અર્જુનદેવનો કાંટેલાનો શિલાલેખ” ગુજરાતના, ભાગ ૩જો, પૃ. 204-207. સંદર્ભકર્તા શ્લોક આ પ્રમાણે છે : તથા ત્રી, “અવલોકન” પૃ. 86, रैवताजलचूलै च श्रीनेमिनिलयाग्रतः प्रांशुप्रासाद प्रस्थापि बिंबं पार्श्वजिनेशतुः // 10 // 33. Revised tist., No. 23, p. 358; પ્રાચીન, લેખાંક પ૩, પૃ.૭૧ તથા “અવલોકન” પૃ. 84-86; D. B. Diskalkar, Inscriptions of Kathiawad; (Reprinted from New Indian Antiquary, No. 1U (1938-41). Bombay, p.691; ગુજરાતના ભાગ રૂજો, લેખાંક નં 210, પૃ. 42. 34. પ્રાર્થન, પૃ. 84-96. 35. “મંત્રી ઉદયન અને તેનો વંશ,” સ્વ. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ ભાગ-૨, અમદાવાદ 1965, પૃ. 100-119. 36. જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ 1932, પૃ. 268-271 તથા પૃ. 402-403. 37. આ સંદર્ભમાં જુઓ અહીં અન્ય લેખ “ઉજજ્યંતગિરિના કેટલાક અપ્રકટ ઉત્કીર્ણ લેખો.” લેખાંક 2. 3C. Revised List., ins., 11, pp. 353-354. 36. Diskalkar, Inscriptions., No. 30, p. 736. 40. આ બાબતમાં ડિસકળકરનું આમ માનવું છે : I think the King Mahipala in this inscription is probably the first of the three." (Ibid.) He dates the first to V. S. 1364-87 (A. D. 1308-31), the second to v. s. 1452-56 (A. D. 1396-1400), and the third to V. S. 1506-27 (A. D. 1450-71). પણ વિમલનાથ જિનાલયની પ્રતિષ્ઠા સમયે (ઈ. સ. ૧૪૫૩માં) રા'મંડલિક(દ્વિતીય)શાસન ચાલતું હતું, અને આ મંડલિકનો પિતા મહિપાલદેવ (દ્વિતીય) હતો તેમ પ્રસ્તુત જિનાલયના કારાપકોની પ્રશસ્તિને આધારે સિદ્ધ છે, તેનું શું? 41. સં. વિજયધર્મસૂરિ, પ્રાચીન તીર્થમાળા સંગ્રહ, ભાગ ૧લી, ભાવનગર સં. 1978 (ઈ. સ. 1922), પૃ. 36. 42. આ ગ્રંથમાં પ્રકાશિત સંઘવી શવરાજવાળી રચય-પરિપાટી. લેખમાં સા. મૈના પછી પુનઃ કેના શબ્દ છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ 52 નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ એ નામ એની ભાર્યાનું “મેલાદેવી” રૂપ હોઈ શકે, અહીં આવી કલ્પના કરવા માટે એ યુગના બે સમાંતર દાખલાઓ ટાંકીશું. વિ. સં. ૧૪૫૫(ઈ. સ. ૧૩૯૯)માં શ્રીમાળી “મલિગ” શ્રાવકે પાર્શ્વનાથચરિતની પ્રતિલિપિ કરી છે, તેની પ્રશસ્તિમાં તેની પત્નીનું નામ “મેલાદેવી” આપ્યું છે. (જુઓ, મુનિ જિનવિજય, મૈનપુતાતિસંઘ, સિધી જૈન ગ્રંથમાલા, મુંબઈ 1943, પ્રશસ્યક 44, પૃ.૪૫) બીજો દાખલો પણ પ્રસ્તુત સંકલનમાં પૃ 148 પર ક્રમાંક ૩૯૪માં નોંધાયો છે. સં. ૧૪૯૨(ઈ. સ. ૧૪૩૯)માં આવશ્યકબહવૃત્તિની નકલ કરાવનાર રાજમંત્રી સજ્જનપાલની માતાનું નામ “મેલા” આપ્યું છે. 83. Report on Antiquities., p. 169. 44. Ibid.