________________ 48 નિર્ઝન્ય ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ સં.૧૩૩૯ દાન સંબંધી નેમિનાથ જિનાલય બર્જેસ-કઝિન્સ: સંકલન જિન વિજય આ તાલિકામાં, જાણમાં છે તે તમામ લેખોને કાલક્રમાનુસાર ગણતરીમાં લઈ લીધા છે. તે હિસાબે સિદ્ધરાજ-કુમારપાળ સમય પૂર્વેનો એક પણ લેખ અઘાવધિ પ્રાપ્ત નથી થયો. (સાહિત્યના તેમ જ પ્રતિમાઓના અલબત્ત પ્રાચીનતર એવાં કેટલાંક પ્રમાણો છે), અને વાઘેલાયુગની સમાપ્તિ બાદના ઘણાખરા લેખ ચૂડાસમા યુગના, છેલ્લા રાજા રા'માંડલિક સુધીના કાળના છે; તે પછી કોઈ કોઈ મોગલ, અને ત્યારબાદ બ્રિટિશ (યા નવાબી) યુગના છે. દિગંબર સંપ્રદાયના થોડાક લેખો જોવા મળ્યા છે, પણ તે સૌ ૧પમી તેમ જ ૧૭મી શતાબ્દી અને બાદના છે. જ્યારે બ્રાહ્મણીય સંપ્રદાયને અનુલક્ષ તો એક પણ અભિલેખ અદ્યાપિ મળ્યો નથી, કે પર્વત પર બ્રાહ્મણીય મંદિરો હોવાનાં સાહિત્યિક કે પુરાતત્ત્વનાં પ્રમાણો ઉપસ્થિત નથી, પ્રાપ્ત થયાં નથી. ગિરનાર પરના તમામ સાહિત્યિક ઉલ્લેખો–આગમિક, જૈનપૌરાણિક, તીર્થનિરૂપણાત્મક–સાહિત્ય (કલ્પો, તીર્થમાળાઓ, ચૈત્યપરિપાટીઓ, રાસો, વિવાહલાઓ, ઇત્યાદિના) અને સ્તોત્રો, સ્તવો ઇત્યાદિના તેમ જ ઉપલબ્ધ અભિલેખો, દેવાલય નિર્માણો, યાત્રા-વિષયક અને સલ્લેખના આદિના ઉલ્લેખોના પરિપ્રેક્ષ્યમાં, અને મૂળ સ્રોતોને સાંગોપાંગ ઉરેંકિત કરવા સાથેની શિલ્પ-સ્થાપત્યની વિસ્તૃત ચર્ચા લેખકના સચિત્ર “મહાતીર્થ ઉજ્જયંતગિરિમાં આવનાર હોઈ અહીં આથી વિશેષ કહેવાનો આયાસ કર્યો નથી. ટિપ્પણો : 1. જુઓ “ગિરનારના ત્રણ અપ્રસિદ્ધ શિલાલેખો” સ્વાધ્યાય, પૃ.૫, અંક 2, પૃ. 204-210. 2. શ્રી અત્રિ લેખ આ પ્રમાણે વાંચે છે : (1) સં (62) વર્ષે. (2) (તા ?) સુત (3) % ક MI M ( ?) 3.Cf. C. M. Atri "A Collection of Some Jain Stone Images from Mount Girnar," Bulletin of the Museum and Picture Gallery, Baroda, Vol. XX1, Baroda 1968, pl. XLIII, Fig. 3. 4. અત્રિ પ્રસ્તુત રાજપુરુષની સ્મારક પ્રતિમાને “ગુજરાતી દાનેશ્વરી”ની “દાતામૂર્તિ” ઘટાવે છે (પૃ. 204). પણ દાતામૂર્તિ (એટલે કે આરાધક મૂર્તિ)ને મધ્યકાલીન પશ્ચિમ ભારતમાં પ્રાયઃ અંજલિહસ્તમાં વા માલાધરરૂપે રજૂ કરવાની પ્રથા હતી. 4. Revised List of the Antiquarian Remains in Bombay Presidency, Vol. VIII, p. 356, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org