________________
૩૨
(૬)
હાલ સંગ્રામ સોનીના કહેવાતા મંદિરના મંડપમાં મુકાયેલ (પણ મૂળે નેમિનાથની ભમતીમાં હશે તે) નંદીશ્વરદ્વીપના પટ્ટ (ચિત્ર ‘૩’) પરના લેખની વાચના તો ઠીક છે પણ એનો અર્થ કોઈ જ સમજ્યું હોય એમ લાગતું નથી ! મૂળ લેખ દત્તાત્રય બાલકૃષ્ણ ડિસ્કળકરે સંપાદિત કરેલો', ને તે પછી (સ્વ.) આચાર્યના સંકલનમાં તે સ્થાન પામ્યો. શ્રી અત્રિએ પણ તેનો ઉલ્લેખ કર્યો છેઃ૩. લેખ પટ્ટના ઉપરના ભાગમાં બે ખૂણામાં કોતરાયેલ છે. ડાબી બાજુનો ખૂણો ખંડિત થતાં ચારેક પંક્તિઓના પ્રારંભના અક્ષરો નષ્ટ થયા છે. છતાં એકંદરે લેખની મુખ્ય વાતો સમજવામાં કઠણાઈ નડતી નથી. કારણ વિનાની કઠણાઈ તો લેખનો અર્થ ખોટી રીતે ઘટાવવાને કારણે ઊભી થઈ છે; એટલું જ નહીં, લેખ પર વિશ્વાસ ન રાખી શકાય તેવો પણ અભિપ્રાય વ્યક્ત થયો છે, જેનું નિરસન અહીં આગળની ચર્ચામાં થશે. લેખ આ પ્રમાણે છે : [સ્વસ્તિ;સંવત્] [?]૬૬ વર્ષે બ્લેક સુવિ ૧૩ શુ વિભૂ[ત] [શ્રીમન્ન દેવઃ શ્રીમાલાન્ગયાં વરું । મુદ્દા[J]+++ રાખતે ચંદ્રમા ડ્વ ॥॥
Jain Education International
कुमारपालदेवस्य चौलुक्यान्वयभास्वतः । प्रताप इव धौरे (ये ? य) सच्चक्रावहनोद्यमः ॥२॥ स दंडनायकोत्तंसस्तत्पुत्रोऽभयदा (हवः) । બિનપ્રળીતસદ્ધર્મ (+પ<(?)ર)નશાઃ ॥॥
નિગ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
जनाशा भूतराजीनां वसंतस्तत्सुतोऽजनि । રહ્યાતો વસંતાન રહ્યો] રાષ્નલક્ષ્મી વિભૂષિતઃ ॥૪}}
नंदीश्वर वरद्वीप जैन बिबान्यलंकरत् । जनक श्रेयसे सोयं जगदेव प्रबोधतः ||५||
श्रीचंद्रसूरिसच्छिष्य श्रीजिनेश्वरसद्गुरोः । देवेंद्रसूरिभिः शिष्यैः द्वीप एषदे प्रतिष्ठितः ||६||
द्वीपोयं नंदतां तावदुज्जयंताहवे गिरौ । जगत्यामुदितौ यावत्सूर्यचंद्रमसाविमौ ||७||
લેખારંભે પટ્ટસ્થાપનાની મિતિ (સં) ૧૨૫૬ ( ઈ સ ૧૨૦૦) જેઠ સુદી ૧૩ને શુક્રવારની આપી છે. પછી ૭ શ્લોકમાં કારાપકની વંશાવલી તથા પ્રતિષ્ઠાપક આચાર્યની ગુર્વાવલી આપી છે : યથા : “શ્રીમાલિ અન્વયમાં (શ્રીમાલી જ્ઞાતિમાં) (સરોવરને વિશે ?)
For Private & Personal Use Only
www.jainelibrary.org