Book Title: Divyadeep 1970 Varsh 07 Ank 04
Author(s): Chitrabhanu
Publisher: Chandulal T Shah
Catalog link: https://jainqq.org/explore/536826/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કિંમત ફૂલની નથી, એમાં રહેલી સુવાસની છે. સુવાસ ચાલી જાય તેા ફૂલની કિંમત પશુ શુ છે? વર્ષ : ૭ અક ઃ ૪ કટાખર વિવ્યવીપ દુર્વાસ એક મસ્જિદના હાજમાં રાતના કુરકુરિયું મરી ગયું. સવારે નમાજ પડવા આવેલા ભાઇએ ને હાજના પાણીમાં ખાસ આવતાં કાજીને વાત કરી, એમણે કહ્યું : “હેાજનું પાણી કાઢી નાખેા.” મજૂરો ડેાલ લઈ મ`ડી પડ્યા. પણ એક ખૂણામાં ભરાઇ ગયેલું મડદું તે ત્યાં જ રહ્યું. ફરી નવા પાણીથી હાજ ભર્યાં પણ દુર્વાસ તા ચાલુ જ હતી. વિદ્વાન કાજીએ હસીને કહ્યું : “ભલા, હેાજ તે ખાલી કર્યાં પણ જેનાથી ખાસ આવતી હતી તે તળિયેથી કાઢચુ કે નહિ? તળિયે મડદું પડ્યું જ હશે તે પાણી ઉલેચે શું વળે ? ’” – ચિત્રભાનુ આ વાત આપણા જીવનને કેવી લાગુ પડે છે? આપણે સૌ ક્રિયા-કાંડનાં, વિધિ-વિધાનનાં, પૂજા પાડનાં, મંત્ર-તંત્રનાં, જપ-તપનાં પાણી તેા ખૂબ ઉલેચીએ છીએ પણ મનના તળિયે જે રાગ - દ્વેષનું, લેાભ - તૃષ્ણાનું, ક્રોધ - માનનું, ઇર્ષા - અદેખાઇન', નિન્દા - ચુગલીનું ગંધાતું મડદું પડ્યું છે તેને તે! કાઢીને ખહાર ફેંકતા જ નથી. જ્યાં સુધી દુ॰ણુ રૂપી મડદુ અંદર છે ત્યાં સુધી આપણી ક્રિયાનાં પાણી નિળ અને સ્વચ્છ કેમ થાય ? -ચિત્રભાનુ Page #2 -------------------------------------------------------------------------- ________________ આનન્દ સૌનું મુકિતના માર્ગે પ્રયાણ છે, પણ દરેકની પગઢ'ડીએ ભિન્ન છે. કેકને શરીરને વશ કરવું છે તેા કાટકને મનથી શરુઆત કરવી છે, કાટકને જ્ઞાનના ખજાના લૂટવા છે તે કાકને ધનના ખજાના લૂટાવી દેવે છે. લેવું છે, દેવુ` છે અને ધ્યેય પ્રતિ પ્રયાણ કરવુ છે. બેઠાં શનિવાર તા. ૨૯–૮-૭૦ થી પ અને થાણામાં ઉલ્લાસ અને આનંદનું માથું ફરી વળ્યું. માનવપ્રવાહ વધતા ગયા પણ જેનું અંતર વિશાળ છે એવા થાણાના શ્રી સંઘ સહુને સમાવી શકયા. સરૂપ હતા, શાંતિ હતી, પ્રેમભયુ' મીઠું વાતાવરણ હતું. શ્રોતાજનેાના વમાં વિવિધતા હતી. બાળક હતાં, યુવાન હતાં અને વૃદ્ધો પણ હતાં. જૈન હતાં અને જૈનેતરો પણ હતાં. પર્યુષણુ ૫૧ એ માત્ર જૈનાનુ જ પ ન રહેતાં સાધક આત્માઓને પ્રગતિ કરવાનું ઉત્તમ નિમિત્ત બની ચૂકયું. જેણે કદી મહાવીરનું ન!મ પણ સાંભળ્યુ નહેતુ એવા કુમળા જૈનેતર હૃદયમાં અઠ્ઠાઇ કરવાના સંકલ્પ ઉદૃભવ્યેા. આત્મખળ હતું અને પૂ. ગુરુદેવની પ્રેરણા હતી તેથી ચેારાસી અઠ્ઠાઇવાળા ભાઇબહેનેને અપૂર્વ સુવિધા રહી. મુંબઇથી ભકતા પર્યુષણ પર્વ ઊજવવા થાણા આવી રહ્યા છે તેની જાણ થતાં શ્રી થાણા સ ંઘે સુંદર વ્યવસ્થા કરી અને ભાવભર્યાં સત્કાર પણ કર્યાં. કલ્પસૂત્ર વહેારાવવાના લાભ થાણાના શા. ભીકમચંદજી હું સાજીએ લીધે અને પ્રાથમિક ભૂમિકાના કબ્યા સમજાવી પૂ. ગુરુદેવે કલ્પસૂત્રનું વાચન શરુ કર્યુ.. તરતા હતા ગુરુવાર તા. ૩–૯–૭૦ પૂ. ગુરુદેવના મુખેથી ગણુધરવાદ સાંભળવા મુંબઈ તથા આસપાસથી શ્રોતાવગ એક વાગતાં પહેલાં જ આવી ગયા. અઢીના ટકોરે ઊભરાતી માનવમેદની વચ્ચેથી પૂ. ગુરુદેવ પધાર્યાં અને ઉત્સુક આત્માઓ એક ચિત્તે જ્ઞાનપાન કરવા તૈયાર થયા. હજારી માણસોએ શાંતિપૂર્વક ગણધરવાદ સાંભળ્યેા. સાંભળ્યે એટલુ જ નહિ પણ પૂ. ગુરુદેવનું સરળ છતાં સચેાટ તત્ત્વજ્ઞાનનું શ્રવણ કરતાં કેટલાયના કઠિન ક્રાયડા ઊકલી ગયા, અને શ્રી ગૌતમને વિલાપ સાંભળતાં તેા હૃદય દ્રવી ગયાં. એકની વિચારણામાં અનેક ખાવાઇ ગયા. ખારસા સૂત્રને વહેારાવવાને લાભ શ્રી હુગેવિંદદાસ રામજીના કુટુ ́ખીઓએ લીધેા. ખારસાસૂત્રનાં વાંચન પછી ક્ષમાપનાનું માહાત્મ્ય સમજાવતાં પૂ. ગુરુદેવે જણાવ્યું : બધી જ ક્રિયાઓનું અમૃત ખમતખામણાં છે-ક્ષમા માગવી અને ક્ષમા આપવી. આત્મા ઉપર કષાયાને મેલ લાગવાથી ખીજાએ પ્રત્યે દ્વેષ થાય છે, ખરાબ ખેાલવાનું મન પણ થાય. ખીજાના દોષ જોવા અને ધાવાનુ કામ તમે શુ' કરવા કરેા છે ? તમારામાં કયાં આછી ત્રુટીએ છે કે તમે બીજાની શેાધવા નીકળ્યા ? વસ્તુ માત્ર પર છે. કાઇ વસ્તુ કેઇની નથી. ન ઘર તમારુ છે, ન ઉપાશ્રય તમારી છે. ધર્માંની ક્રિયામાં મારું-તારુ ન કરશે. આપણે જ આપણા નથી તેા ખીજુ શું આપણુ છે? ભગવાન કદી હક્ક જમાવનારાના થયા નથી. તમારા હક્ક તમારા ઘરમાં ન ચાલે તેા ભગવાન (અનુસ ́ધાન કવર પેજ ૪ ઉપર) Page #3 -------------------------------------------------------------------------- ________________ આંતર વૈભવ નોંધ : પૂ. મુનિશ્રી ચિત્રભાનુ મહારાજશ્રીએ રાક્ષી થિયેટરમાં (તા. ૨૯-૯-૬૮) આપેલુ" પ્રવચન પ્રેમ, પ્રજ્ઞા અને ઈચ્છા – શકિતઆ ત્રણેના વિકાસ એ જ તે માનવના આંતરવૈભવને વિકાસ છે. આમાં જેમ જેમ ક્ષીણતા આવતી જાય છે તેમ તેમ મનુષ્ય નાના અને સામાન્ય બનતા જાય છે. વિકસિત પ્રજ્ઞાનુ' તત્ત્વ મનુષ્યને પેાતાના કેન્દ્ર તરફ લઈ જાય છે. કેન્દ્ર સાથેના સંબંધ મનુષ્યના વ્યકિતત્વને અખંડ અનાવે છે. વ્યક્તિત્વનાં જેટલાં જેટલાં પાસાં છે એ બધાં ય ધીરે ધીરે એકરૂપ બનતાં જાય છે. પણ કેન્દ્ર સાથેના સંબધ તૂટતાં તે વ્યકિતત્વના એટલા બધા ખંડ બની જાય છે કે મનુષ્ય પોતેજ પોતાનામાં split personality ખડાત્મક વ્યકિતત્વને અનુભવ કરતા થઈ જાય છે. વ્યકિતનું વિભાજન થતાં માણસ થાકી જાય છે, આ ધાકમાંથી મુકત થવા માટે કેન્દ્ર સાથેના સબંધ દૃઢ કરવાના છે. પેાતાનામાં પેાતાની શકિતના અનુભવ કરવાના છે. અંદર જ પરિવર્તન લાવવાનુ છે. ઘણા માણસામાં બહારનાં પિરવત ના દેખાશે પણ અંદરની સ્થિતિ તા છે એવીને એવી જ પ્રમાદપૂર્ણ રહે છે. અંદરની સ્થિતિ ન પલટાય તા બહાર એ ભકત હૈાવા છતાં, પૂજક અને પૂજારી હાવા છતાં એના જીવનમાં જે આનંદને ઉભરા આવવા જોઇએ, પ્રસન્નતાનુ વાતાવરણ પ્રસરવું જોઇએ તે ન પ્રસરે. બહારનું પરિવર્તન તરત દેખાશે પણુ અંદરનું પરિવર્તન જલ્દી નહિ દેખાય. અંદરનુ પરિવર્તન જો નહિ થયેલું હાય તેા બહારનુ પરિવર્તન લાંખા કાળ સુધી નહિ જીવે. જરાક પ્રસંગ મળતાં, જરાક નિમિત્ત મળતાં તે એકદમ બદલાઈ જશે. Norman Pill જ્યારે અમેરિકામાં હતા ત્યારે ત્યાં એક પ્રસગ અનેલેા. એના મિત્ર અમેરિકામાં મેાટી હાટેલ ચલાવતા હતા. એકવાર એની હાટેલમાં હજામેાના પ્રતિનિધિઓનુ સમૂહભાજન banquet હતું. મેટામાં મેટી મિજલસ grand party રાખવામાં આવેલી. હજામે સમાજને કેટલા ઉપયાગી છે અને સમાજ માટે શું શું કરી શકે તેની સમાજને જાણુ કરવી જરૂરી છે એમ વિચારી તેમણે ત્યાંના જાહેર ખબરની સસ્થાના પ્રતિનિધિને (advertising agent)ને બેલાવ્યા અને કહ્યું કે અમારી આ મેાટી પાટીનેા પ્રચાર થાય અને લાર્કાને અમારા કાર્યને ખ્યાલ આવે એવું કાંઇ કરશ. આ બુદ્ધિશાળી માણસ ત્યાંના ગંદા વિભાગમાં slum area માં ગયા, ખુલ્લી ગટરોની બાજુમાં એક ખૂણામાં દારૂ પીને પડેલા માણસને એમણે જોયા. એના કપડાં ફાટેલા હતાં, દાઢી મૂછ ખૂબ વધી જતાં એનુ મે ં વિકૃત લાગતું હતું, એની આંખા ઘૂમરીએ લઇ રહી હતી. એને ઉઠાડીને પૂછ્યું: “તારે શુ' જોઈએ છે?” કહ્યું: “દારૂની એ આટલી જોઈએ છે.” ‘‘ચાલ, હું તને એ માટલી આપું પણ એક શરત. હું કહું તેમ તારે કરવું પડશે.” દારૂડિયા તરત તૈયાર થઈ ગયા. પહેલાં એને ફેટા લેવડાવ્યેા, ત્યારમાદ એને હજામ પાસે લઈ જઈને સાફ હજામત કરાવી, વધી ગયેલા વાળ કપાવ્યા, શરીર ઉપર તેલનુ માલિસ કરાવીને સરસ રીતે નવડાવ્યા. એને Page #4 -------------------------------------------------------------------------- ________________ ૪૮ દિવ્ય દીપ સરસ સૂટ પહેરાવ્ય, ટાઈ અને હેટ પહેરાવ્યાં, તે પેલે દારૂ પીને ગટર આગળ પડ્યો હતો. હોટેલમાં પેટ ભરીને જમાડ્યો. અને માત્ર જોયું તો શરીર ઉપર નવા સૂટને સ્થાને ફાટેલું ચોવીસ કલાકમાં એ માણસ જૂદે બની ગયું. ખમીસ હતું. એને જોરથી ઢઢળે ત્યારે આંખના બીજે દિવસે પાછો એને ફેટો લીધો અને પાંપણ ખોલીને ઊંચા સાદે બોલ્યો : “શું છે?” ત્યાંના છાપાઓમાં અને ફેટા સાથેસાથ પેલા હોટેલ માલિકે પૂછયું: “તારે સૂટ કયાં ?” આપીને સરખામણી કરી જુઓ, ચોવીસ કલાક ઘેનમાં જ એણે કહ્યું: “દારૂમાં વેચી નાખે.” પહેલાં આ માણસ કે હતું અને હજામતે “અને સે ડોલર પાછા સૂઈ જતા એણે કહ્યું: વીસ કલાકમાં એને કેવો બનાવી દીધે! “હું અને મારા મિત્રે ભેગા થઇ પીવામાં “પહેલાં અને પછી ” આ શિર્ષક નીચે લખ્યું વાપરી નાખ્યા.” કે માણસમાં જાદુઈ પરિવર્તન લાવનાર હોય આ પ્રસંગ ઉપર Norman Piા લખે છેઃ તે હજામત છે ! માણસને તમે હજામત કરાવી, સારા કપડાં હજામના પ્રતિનિધિઓની પાર્ટીની ખૂબ પહેરાવી બહારથી પલટાવી શકો છો, ઉપરથી સરસ જાહેરાત થઈ, અને પેલા એજન્ટની પણ પરિવર્તન લાવી શકે છે પણ એ બહારનું સારી કદરદાની થઈ. પરિવર્તન બહુ લાંબું નહિ ટકે. અંદર તે એ કામ પૂરું થયું એટલે પિલા એજન્ટે આ દારૂડિયો જ હતું એટલે પાછો ત્યાં જઈને દારૂ કામ કરનાર માણસને પહેરેલે સૂટ રાખવા પીને પડ્યો. કહ્યું અને હાથમાં સે ડોલર આપતાં કહ્યું: સંસારમાં બહારથી ફેરફાર કરવાના પ્રયત્ન તે બરાબર ચોવીસ કલાક સુધી મને મદદ કરી થઈ રહ્યા છે. પણ અંદર સુધારે જે નહિ થાય તે માટે તેને સે ડોલરનું ઇનામ. તે દંભ વધી જશે. જ્યારે આભાર માનીને પેલે જવા ઊભે આજની કેલેજો, યુનિવર્સિટીઓ તમને થયો ત્યારે Norman Pillના મિત્રે પૂછ્યું : કેળવણી આપીને બહારથી પલટાવે છે પણ હવે તું શું કરીશ?” પેલે કહેઃ “મને ખબર અંદર પરિવર્તન ન થવાથી સમાજમાં જે નથી. ત્યારે માલિક કહ્યું : “તે કાલથી મારી હોટેલમાં આવ, કામ કર અને હવે તું જીવનમાં તે નથી થતી. તંદુરસ્ત, સ્વસ્થ અવસ્થા ઊભી થવી જોઈએ ધીમે ધીમે આગળ વધ. તારી પાસે નવો સૂટ આવ્યું, તને સે ડોલર મળ્યા, તારું પરિવર્તન બહારનું પરિવર્તન અમુક મર્યાદા સુધી થઈ ગયું. “પેલે કબૂલ થેયે અને કહ્યું કે કાલે કામ કરે છે, આખર તે માણસને અંદરથી હું આઠ વાગે હાજર થઈશ. પલટાવવું પડે છે. એ ગયે, બીજે દિવસે હોટેલ માલિકે વાટ જગતમાં દષ્ટિ નાખશો તે એવા ઘણું જોઈ પણ ન આવ્યું, ત્રીજે દિવસ, ચોથે દિવસ માણસો મળશે જે દાણચોરીનું કામ કરતા હોય, એમ કરતાં કરતાં અઠવાડિયું નીકળી ગયું. દારૂની ભઠ્ઠીઓ ચલાવતા હોય, મટકા અને જુગાર પછી શોધ કરવા માટે એજન્ટની મદદ લીધી. પણ ૨મતા હોય, છતાં એ બહાર નીકળે ત્યારે તપાસ કરતાં કરતાં એ slum areaમાં ગયો સારા કપડાં અને મોટી ગાડીઓમાં માણસને Page #5 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દ્વીપ આંજી નાખે. પણ પૈસા જતાં એ મૂળ સ્થિતિમાં આવી પડે. આ પ્રવચનમાળા અંદરથી પલટા લાવવા માટે છે. જ્યારે તમે અંદરથી પલટા કરતા થાઓ છે. પછી બહારનું પરિવર્તન એની મેળેજ સહજ રીતે જ આવતુ જાય છે. અંદરનુ પરિવર્તન કાનાથી આવે છે ? પ્રજ્ઞાથી. પ્રજ્ઞાને વિસ્તાર જેમ જેમ થાય છે તેમ તેમ અંદરનું વ્યકિતત્વ બદલાતુ જાય છે. એકવાર તમારુ વ્યકિતત્વ અદરથી બદલાઈ ગયું પછી તમે નવમાનવ બની ગયા, તમારા જીવન પ્રત્યેના મૂલ્યેા તમને સમજાયા. પછી તમે આ વિશ્વમાં રહેા ખરા પણ કોઇ જૂદી જ ભૂમિકાથી રહેા. પણ તમે તે કહેશે કે અમારે આ જગતમાં રહેવાનું છે, સારા અને ખરાબને સામને કરવાને છે. અમારી સામે અનેક પ્રશ્નો છે. આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક, એ બધાના ઉકેલ કેમ કરવા? પ્રશ્નો જરૂર તમારી સામે આવે છે પણ તમારે ભૂલવું ન જોઈએ કે દરેક પ્રશ્ન ઉત્તર લઇને જ આવે છે. દુનિયામાં એવા કેઇ પ્રશ્ન નથી જેના પેટમાં ઉત્તર ન છુપાયેા હાય. તમે પ્રશ્ન જોઈને ગભરાઈ જાએ છે પણ ડાહ્યો માણસ તે સમજતા હોય છે કે પ્રશ્નની આસપાસ, કે પ્રશ્નમાં જ કયાંક ઉત્તર સમાયેલે છે અને મારે એને શેાધી કાઢવાને છે. આ ઉત્તરને શેાધવા માટે શાન્ત પ્રજ્ઞાની, અને અંદર ઊભી થયેલી વ્યગ્રતાને દૂર કરનારી ધીરજની જરૂર છે. પણ જે ઉતાવળ કરે છે, પ્રશ્ન આવતાં ગભરાઈ જાય છે તે ઉત્તર સામે હાવા છતાં પણ એને જોઈ શકતા નથી. ૪૯ તમારે લગ્નમાં જવાનુ` હાય, સમય થઇ ગયેા હાય અને એ જ વખતે કમાટની ચાવી કયાંક ગુમ થઈ જાય અને તમને પરસેવા પરસેવા થાય. મેાડું થાય છે પણ ચાવી મળતી નથી. તમે ગભરાઇ જાએ, એટલામાં તમારુ સ્વજન આવે અને પૂછે કે શું થયું? આટલા ગભરાઇ કેમ ગયા? તમે કહેા કે ચાવી જડતી નથી. ત્યારે એ હસીને શું કહે ? આ ટેબલ ઉપર શું પડ્યું છે? તમે હસીને જવાબ આપેઃ અરે, આ ચાવી અહીં પડી હતી ? મને તે। દેખાયું જ નહિ. તમારી વ્યગ્રતા, તમારી ઉતાવળ, તમારા જલદી જવાના વિચારો આ બધુ એક ધૂમાડા બનીને તમારી બુદ્ધિને વિચાર કરતી બંધ કરે છે. જીવનયાત્રામાં પણ આ જ સમજવાનું છે. પ્રશ્નાના ઉત્તર ક્યાંક ના કયાંક છે જ પણ એ જડે, એને શેાધીએ અને એમાંથી સમાધાન મેળવીએ એટલી ધીરજ આપણામાં નથી, બહુ ઉતાવળ છે. આપણને થાય કે હમણાં જ એના જવાબ મળવેા જોઇએ. માથું દુ:ખે તે માથું શા માટે દુ:ખે છે એનુ` કારણ તે શેાધતા જ નથી.એનેસીન લઈને તરત માથાના દુઃખાવાને બંધ કરી દે છે. દુ:ખાવેા બે કલાક માટે બંધ થઈ ગયા એટલે પતી ગયું? પણ એ ભૂલી જાય છે કે બીજે દિવસે પા એ દુ:ખાવેા આવવાના, કારણ કે એનું કારણ શેાધ્યુ નથી. આજે દરેક વસ્તુ માણસ તરત ઉકેલવા માગે છે પણ દરેક વસ્તુના ઉકેલ તરત હાતા નથી. એને તપાસવા, એનેા જવાબ મેળવવા અમુક સમયની, ઘેાડીક ક્ષણેાની આવશ્યકતા રહે છે. તમારા જગતમાં મુસીમત ન હોય તે જિંદગી એક ક’ટાળેા બની જાય. મુસીબતાની વિવિધ રંગપૂર્ણી છે. માટે જ જીવન તમને જીવવા જેવુ લાગે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ૫૦ દિવ્ય દીપ જીવન જે એક સરખું જ હોય, માત્ર ખાવું, પણ એ વંટેળિયાની વચ્ચે, એના કેન્દ્રમાં શાન્તિ પીવું અને સૂવું, અને કોઇપણ જાતની પ્રવૃત્તિ છે તે જોવી એનું નામ પ્રજ્ઞા. કરવાની ન હોય, કે દુઃખને સામને કરવાને પાંદડાને ઉપર ચઢાવતા, ધૂળના ગેટેગોટા ન હોય, કેયડા ઉકેલવાના ન હોય તે તમને ઊભું કરતા અને ચારેબાજુ વાતાવરણને ડહેલી તમારું જીવન એકસરખું monotonous પS નાખતા વંટોળિયાના કેન્દ્રમાં ખાલી ભાગ છે ન લાગે ? જ્યાં શાંતિ છે; કચરે, પાંદડાં કે ધૂળનું રજ જીવનમાં મુશીબત છે, વિપત્તિઓ છે, પણ ત્યાં નથી. ન ગમતું આવે છે, એને સામને કરવામાં, જે ખાલી તત્વ છે એ દુનિયાને ધૂમાવી એને ઉકેલવામાં માણસના જીવનની વિશિષ્ટતા શકે છે. જે હળવે છે એ બધાને ઊંચકી શકે છે. રહેલી છે. તમને ખબર હશે કે બાળક જ્યારે માંદા ફૂટબોલને ગમે એટલી લાત મારે, પથ્થર પડે છે, ખાટલામાં પડ્યા પડ્યા હેરાન થાય છે કે ઇંટ ઉપર પછાડે પણ એના ટુકડા થતા નથી, ત્યારે માને શું કહે છે? મા, મને અત્યારે આ દબાઈ જતું નથી કારણ કે એના અંદરના કંટાળો આવે છે એટલે મારે માટે Puzzle ભાગમાં હવા છે. પણ હવા ઓછી થયા પછી box લઈ આવે. Puzzle box આવે છે એના ઉપર પગ આવતાં એ તરત burst થઈ જાય છે. એટલે છોકરું સૂનું સૂતું મહેનત કરે છે, કેયડાઓ ઉકેલે છે, રમકડાના ટુકડાઓ ગોઠવી ગોઠવીને અંદરના પિલાણે એને બહારની શકિતઓને નવા આકાર બનાવે છે, એમાં એના ત્રણ–ચાર ઝીલવા માટે શકિત આપી છે. કલાક નીકળી જાય છે. જ્યારે આખું Puzzle ઉકેલી નાખે છે ત્યારે બાળક રાજી રાજી થાય પ્રજ્ઞા અંદર એવી પરિસ્થિતિ ઊભી કરે છે છે, માને લાવીને કહે છે: “જે, મેં કેયડો કે બહારની વસ્તુઓને અંદર ઘૂસવા ન દે. જે ઉકેલી નાખ્યું ! અંદર આવવા ન દે. એ જ બહારની વસ્તુઓને સામનો કરી શકે છે. નૌકામાં પાણી જાય તો એ બાળકની વાત જીવનમાં પણ લાગુ પડે છે. પાણી પર તરી ન શકે. એટલે નૌકામાં છિદ્ર માણસના જીવનમાં રેજ કેયડાઓ આવે છે એને ન ચાલે. ઉકેલવામાં જીવનને આનંદ રહેલે છે. જે કેયડો જ નથી, વિપત્તિ જ નથી તે જીવન આ અંદરની શક્તિ એટલે અંદર સ્વસ્થતા ભારરૂપ કે બેજરૂપ બની જાય છે. રાખવી. જેમ જેમ આ સ્વસ્થતા આવતી જાય છે તેમ તેમ પ્રત્યેક પરિસ્થિતિમાં સમભાવ આવે આ કોયડા ઉકલતા અનાને વિકસા છે. સુખ આવે છે તે સ્મિતથી સ્વીકાર કરે છે, વવાની છે. દુઃખ આવી જાય તે હિંમતથી જોયા કરે છે. પ્રજ્ઞા એટલે શું? જીવનની અસ્વસ્થતા વચ્ચે એ જાણે જ છે કે આ બે છે એટલે જ જગત પણ સ્વસ્થતા રાખવી, જીવનની મુસીબતમાં છે, આ બેની વચ્ચે મારે જીવન જીવવાનું છે. ણ ક્યાંક શાંતિ છુપાયેલી છે એ લક્ષમાં રાખવું, મારે મારી જીવનરૂપી ગાડી સુખ અને દુઃખના વંટેળિયે ખૂબ જોરથી ઉપર ચઢેલ હોય ત્યારે પૈડાં ઉપર સ્થિરતાથી ચલાવવાની છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દીપ ૫૧ માટે બીજાના અભિપ્રાય (opinion) અને રાખે છે, બહાર શું છે તેને વિચાર કરવા વાહવાહ (compliments) ઉપર જીવવાને પણ દેતાં નથી. પ્રયત્ન નહિ કરવો જોઈએ. બીજાને તમારી બહાર જવાનું પણ વળગાડ સાથે નહિ. શું પડી? એ તે તમારે માટે અતિસુંદર, બહુ કારણ કે વળગાડને ટેવ છે કે બધું પાછું લાવી સરસ (beautiful, fine) એવા શબ્દો લાવીને આપ્યા જ કરે. વળગાડ તમને પરતંત્ર વાપરતા હોય છે. કારણ કે એ જાણે છે કે એને આ બનાવે છે, વસ્તુઓ ઉપર આધારિત કરી દે છે. અનાવે : અને તમારે સંબંધ ઘડી બે ઘડીનો છે તે એ સંબંધ અપ્રિય શબ્દથી શા માટે બગાડ? આધાર ગમે તેવો સારો હોય પણ ધ્યાન રાખજો કે આખરે એ આધાર છે. જે મકાનને આ બહારના શબ્દોથી તમે નાચી ઉઠશે, ટેકે છે પછી એ ભલે લોખંડને હોય પણ શબ્દ પૂર આનન્દ પણ આવશે પણ અંદરની આખર તો એ ટેકો છે. ટેકો મકાનની સલામતી તૈયારી નહિ હોય તે એ શબ્દના અભાવમાં નહીં, નિર્બળતા સૂચવે છે. પાછા હતા તેવા ને તેવા થઈ જવાના. માણસ જ્યાં સુધી ટેકા ઉપર આવે છે ત્યાં . તે હવે એવી તૈયારી ન કરે, એ અભ્યાસ સુધી એ નિર્બળ છે. જે ટેકાઓને તોડે છે, જે ન કરો કે ધન્યવાદ (compliments) આપનાર મનને કેળવે છે. તે જ ધીમે ધીમે ઉપર જાય છે. ન હોય, તેમ છતાં તમે સમભાવાત્મક જીવન જીવી શકે. તમે એવું ન કરો કે ધીમે ધીમે ચેડા થોડા ટેકા ખસેડતા જાઓ. જાણું છું કે એકદમ આ સ્વસ્થતા અનુભવ, પ્રજ્ઞાને ખ્યાલ ટેક ખસેડી નાખે તે મકાન બેસી જવાનું આપે છે. કારણ કે તમે એવી રીતે જ તમારું મકાન | ડિગ્રી અને પ્રજ્ઞાને હું જુદા પાડું છું. ડિગ્રી બાંધ્યું છે, એકલા ટેકા અને થાંભલાઓ બહારથી આપવામાં આવે છે, બહારથી દેખાય છે, પર જ ઊભું છે. જ્યારે. પ્રજ્ઞા અંદરથી આવે છે, લેકેને દેખાતી હવે એવું સર્જન (construction) ન નથી. એકને કહેવાનું છે, જાહેર કરવાનું છે, કરે કે જેમાં થાંભલા ખસેડી શકાય પણ મકાન બીજાને પોતાનામાં અનુભવ કરવાને છે; એકમાં " સલામત રહે. ઉપાધિ છે, બીજામાં નિરુપાધિક આનંદ છે. ટેકા પણ ઘણી જાતના હોય છે. વૃત્તિઓના આ આનંદની પ્રાપ્તિમાં જીવનની સાફલ્યતા હોય, વ્યસનના હેય, વિચારના હોય, માનસિક છે. માણસની સફળતાને આધાર માત્ર ધન, વ્યક્તિઓના પણ હોય. આ ટેકાઓ ચિત્તને કીર્તિ કે લેકેની વાહવાહ નથી પણ અંદરની નિર્બળ બનાવી રહ્યા છે. તૈયારી છે. અંદરની તૈયારી નથી એ મોટું આ પ્રવચન શ્રવણ કરતાં કરતાં તમારામાં દુઃખ છે. એક એવી તાકાત આવે, એવું બળવાન વિચાર જે હવા અને વાતાવરણમાં આપણે જીવી તંત્ર જાગે કે નહિ, મારે ટેકાઓ એછા રહ્યા છીએ એ આપણને ચોવીસે કલાક ઘેરી કરવા છે. ના, મારે ટેકા નહિ જોઈએ. Page #8 -------------------------------------------------------------------------- ________________ ર આ ટેકા, આ આધારે। દૂર કરવાની શકિત કેળવવા આ રચાવીશ કલાક માટે એકલા પડયા. પહેલાં તે એને ટેકાએ વિના ગમ્યું નહિ. અને એમ પ્રારભમાં તે। અને જ, તમે રાજ બીડી કે સિગારેટ પીતા હા તા એ ચાર દિવસ એના વિના તમને નહિ ગમે. પણ આઠ–દસ દિવસ જો નીકળી ગયા તેા પછી તમારામાં એવી સ્ફૂર્તિભરી તાકાત આવે, કે તમે જ હિંમતપૂર્ણાંક કહી શકે કે સારું થયું કે એક વ્યસન નીકળી ગયું. શિયાળાના દિવસેામાં જ્યાં સુધી ખાથમાં કૂદકા લગાવ્યા નથી, ત્યાં સુધી શરીર ધ્રૂજતું હાય છે, પણ ઠેકડા માર્યાં પછી ટાઢ બધી જ ઊડી જાય છે. એમ ટેકાએ જ્યાં સુધી છેાડયા નથી ત્યાં સુધી તમને બીક લાગે છે પણ એકવાર છેાડયા પછી ખસ મન મુકત બને છે. મુકિતના આનંદ ટેકાઓને છેડયા વિના મળતેા નથી. એક ભાઈએ મને પૂછ્યું: મહારાજશ્રી ! અમને આ આનંદના અનુભવ અહીં કેમ થતા નથી ? જવાબ આપ્યા: ભાઈ! તું અંધાયેલેા છે, ખંધાયેલાને મુકિતના આનંદ કેમ થાય ? ઉપર ગયા વિના નગરમાં શું થાય છે એ કેમ દેખાય ? શિખર ઉપર ગયા વિના શિખરની આસપાસનું અલૌકિક સૌન્દર્ય કેમ દેખાય ? તું જે ખીણમાં બેઠા છે ત્યાંથી તેા નહિ દેખાય. તારે બહાર જવું પડશે, મુકત થવું પડશે. આ માનસિક સ્વતંત્રતા (freedom) માણસને શકિતશાળી બનાવે છે. આ શકિતની અનુભૂતિ એ જ જીવનના આનંદ છે. મિત્રના કહ્યા પ્રમાણે આરે Listen દિવ્ય દ્વીપ carefully સાંભળવાના પ્રયત્ન કર્યાં. પણ જડવાદની વાતા એટલી બધી કાનમાં ઘૂસી ગઇ હતી કે અંદરના ઝીણા અવાજ જલી ન સંભળાયા. આજ આપણા કાન સુધી કાંઇ પહેાંચતુ નથી કારણ કે આપણું મન આખુ બગડી ગયું છે, મગજમાં ન ભરવાના વિચારે ભરાઈ ગયા છે. મન અને મગજ ન કરવાના વિચાર લઇ આવે છે. જે વિચારો નથી કરવાના એ આપણી સામે ફરી ફરીને આવે છે અને જે કરવા જોઈએ એ સ્મરણમાંય નથી આવતા. ગળ્યું ખાધા પછી ચા મેાળી લાગે છે, ચાના સ્વાદ લેવા ગળ્યાં અને ચાની વચ્ચે કાઇ તીખી વસ્તુ લેવી પડે છે; ભાજનના આ નિયમ છે. એવી જ રીતે જીવનના પણ એક નિયમ છે. તમે એટલું બધું ભૌતિક સાંભળ્યુ છે કે આત્માના અવાજને સાંભળવા માટે વચ્ચે શાંતિને, મૌનને break આવવે જોઇએ. પછી જ આત્માનુ ઝીણું ગુંજન તમારા કાન સુધી પહેાંચે છે. જડવાદના વિચારાની મન ઉપર થયેલી અસર લાંખા ગાળાની છે. આ અસર નીચે ટેવાયેલું મન વિચારોની પકડમાંથી છૂટતું નથી, છૂટી શકતુ નથી. આ પકડમાંથી છૂટવા માટે એકલા પડવુ પડે છે. આર જ્યારે એકલે પડયા ત્યારે એને ધીમે ધીમે અધું દેખાવા લાગ્યું. નૈસર્ગિક વાતાવરણુ, બાળકાના કિલકિલાટ, બધું મનને ભરવા લાગ્યું. એની માનસિક પરિસ્થિતિ બદલાઇ અને બધું જોવા લાગ્યા. Page #9 -------------------------------------------------------------------------- ________________ નિર્મળ થવું છે તો વારિ કયાં દૂર છે ? જે ચરણામાં બેસીને આત્માને પ્રકાશ મેળવ્યા એ જ ચરણામાં ત્રણ વર્ષ બાદ સ્વદેશ પાછા ફરતાં વાસક્ષેપ લેતાં છે કે સ્લેવિકયાના મહાન એ જિનિયર શ્રી સ્ટે૯બા. Page #10 -------------------------------------------------------------------------- ________________ શકિત માં થી સ જ ન પૂ. ગુરુ દેવના દર્શનાર્થે શિવસેનાના અધિનાયક શ્રી બાલ ઠાકરે તા. ૧૫-૮-૭૦ના આવીને તેઓશ્રીને મુખેથી માર્ગદર્શન મેળવતાં પૂ. ગુરુદેવે જણાવ્યું : સંસારમાં શક્તિ સૌને નથી મળતી, એ પુણ્યની મહાન ભેટ છે. એ તમને મળી છે તો એમાંથી કાંઇક સર્જન કરો. આજ માનવસંતાને દરિદ્રતામાં પશુની જેમ અને અજ્ઞાનમાં દાનવની જેમ જીવન વીતાવી રહ્યાં છે તે તમે તમારા આ બળવાન સંગઠન દ્વારા પ્રજાજીવનમાંથી દારિદ્ર અને અજ્ઞાનને કાઢવાની ઝુંબેશ ઉપાડા. શ્રમ અને સચ્ચાઇથી દરિદ્રતા જાય અને વિદ્યાના પ્રચારથી અજ્ઞાન જાય. પછી જુઓ પ્રજા ત મને કેવા આશીર્વાદ આપે છે Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂ. ગુરુદેવની વાણી ભવ્ય આત્માઓને સ્પર્યા વિના ન રહે. થાણામાં વસતા કેટલાંય બ્રાહ્મણ કુટુંબ પ્રવચનને લાભ લે છે તેમાં એક શ્રી બાબુભાઇ વડીયાના કુટુંબ તે ભાત પાડી છે. તેમનાં પુત્રી શોભના કૅલેજના પ્રથમ વર્ષમાં ભણે છે. તેમણે આઠ ઉપવાસ કરવાની ભાવના દર્શાવી ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું : એક એક કરતાં આગળ વધે અને તેમની વાણી માથે ચઢાવી એક એક કરતાં અઠ્ઠાઈ તપશ્ચર્યા પૂર્ણ કરી. પારણુ કરતાં પહેલાં શોભનાબહેન પૂજ્યશ્રીને વહોરાવી રહ્યાં છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ તપ અને ત્યાગના પગલે પગલે THE NATURAL BAND W કવિ ની આરાધના સર રીતે પણ થતાં રવિવાર તા. ૬-૯-૯૦ના રોજ થાણામાં નીકોલે. તપસ્વીઓને વડા. Page #13 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દીપ ત્રણ કલાક પૂરા થયા, બીજી પડીકી ખેલ- તે ભાઈ તું શું કરવા મરવા માટે કામ વાનો સમય છે પણ હવે એ સમજી ગયા કરે છે? કામ તે જીવવા માટે છે, આનંદ કે આમાં દવાઓ નથી પણ દુવાઓ છે, વસ્તુ અનુભવવા માટે છે, મરવા માટે કે નિસાસા નથી પણ વિચાર છે. નાખવા માટે નહિ ! બીજી ચીઠ્ઠી ખેલી ત્યારે અંદર લખેલું રળીને આવનાર પતિ પત્નીને શું કહે ? . હતું: Try reaching back. ભૂતકાળને તમારે માટે દાગીના લાવીને, સાડીઓ ખરીદીને યાદ કર. અમે હેરાન હેરાન થઈ ગયા. શું કરવા હેરાન પણ ભૂતકાળને યાદ કરવા માટે શિથિલ થાઓ છે ? જે કાંઈ કામ જીવનમાં ઉપાડ્યું છે થવાની જરૂર છે, વર્તમાનના બંધનમાંથી મુકત એ આનંદ માટે છે, ભારથી લદાવવા માટે કે થવાની જરૂર છે. કાર્યને બંધનથી બંધાવવા માટે નહિ ! આર્થર વિચાર કરવા લાગ્યો, “મને શાનાં જીવનને મહિમા ભૂલી ગયા અને જેનો બંધન છે?” “મને કોણ બાંધી રહ્યું છે? ” તમે આનંદ માટે સ્વીકાર કર્યો હતો અને તમે - સવારે અમુક ઠેકાણે જવું છે, બપોરે આને હવે ભાર, burden માની લીધું. આનંદને મળવાનું છે, સાંજે વળી પાર્ટીમાં હાજર થવાનું વિષય દુઃખને વિષય બની ગયે. છે-જીવનમાં કેટલી બધી મુલાકાતો ? જ્યાં ભાર છે ત્યાં બંધન છે. બંધનથી માણસ જીવવા માગે છે પણ આજે તે મુકત થયા વિના ઉડ્ડયન નહિ થઈ શકે. લોકે હેરાન હેરાન થઈ રહયે છે. એની પ્રવૃત્તિઓ જ્યારે ત્યારે કહેતા ફરે છે. સંસાર એ નરક છે. પણ એને બાંધી રહી છે. ભાઈ, સંસાર નરક છે કે તારા કંટાળાકવિવર ટાગોરે ક્યાંક લખ્યું હતું: World જનક વિચારેએ તારે માટે સંસારમાં નરક is a playground and be a good player. ઊભું કર્યું છે! નરક બહાર છે કે અંદર છે? બાળક શાળાની પાસે આવેલ મેદાનમાં ઘણું મને પૂછેઃ “નરક કયાં છે ?” મને ૨મે છે એમ નિદૉષ ભાવે વિશ્વના વિશાળ હસવું આવે. નરક બહુ દૂર નથી, તમારી મેદાનમાં રમવાનું છે. પાસે છે, તમારે ત્યાં જ છે. ' કાંઈ કામ કરે એ એક રમત જ છે. | મા અને દીકરી બન્ને બહુ કજિયાળા સ્નેહીને કાગળ લખે છે ત્યારે એના ખાલી હતા પણ બહારથી ધમીને દેખાવ ખૂબ કરતા. જીવનમાં લાગણીની હૂંફ ભરે છે અને મૈત્રીની આખા ગામની સાથે કજિયો કરે પણ મંદિરમાં મધુરતા વધારે છે. સારા રહે કારણકે ભગવાન બલતા નહતા. વ્યાપારને સદે કરે છે ત્યારે દેશને અને ભગવાન બોલતા હોત તે એની સાથે પણ તમારા કુટુમ્બને મદદ કરે છે શું કરવા એમ કલહ કરતા. કહે છે કે આ ઠસરડો મેં માથે લીધો છે. માદીકરી બધાની સાથે કજિયે કરી એવા પણ માણસ છે જે બધું કરે છે પણ મંદિરમાં જાય. મંદિરમાંથી ઘરે આવી કહે કે અઠવાડિયામાં એકાદવાર બલી નાખે કે તમારે મંદિરમાં કેવી શાંતિ છે! કઈ ઝઘડો નહિ, માટે હું કામ કરી કરીને મરી ગયો ! કઈ માથાફેડ નહિ, પરમ શાંતિ. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૫૪ એને કહે કાણું ? કે તારી સાથે માથાફોડ કરનાર મદિરમાં હાય કાણુ ? દીકરીનું સગપણ થયુ અને થાડા જ દિવસ પછી દીકરીએ માને કહ્યું : મા, જેની સાથે મારું સગપણ થયું છે એને હું નહિ પરણું. માએ પૂછ્યુ: બેટા, શું થયુ? દીકરીએ કહ્યું : એ ધર્માંમાં નથી માનતે. એટલે કે એ નરકમાં નથી માનતા. માએ હસીને કહ્યું: બસ આટલી જ વાતમાં તું ગભરાઇ ગઇ ! તારે ગભરાવવાની જરૂર નથી. આજે ભલે એ નરકમાં નથી માનતા પણ તું એકવાર એને પરણી લે પછી આપણે એ જણા મા-દીકરી ભેગાં થઇ એને બતાવી આપીશુ કે નરક ન હેાવાની માન્યતા ખાટી છે. આપણે એને અનુભવ કરાવીશુ કે નરક આ રહ્યું.” લેાકેાએ જીવનને જ નરક બનાવ્યું છે, કંટાળાનું ધામ કર્યુ છે. લેાકેાની સાથે, ગામની સાથે, ઘરની સાથે, વ્યકિતએની સાથે અને જેની સાથે તમારા તકદીરના દોરાઓ જોડાયાં છે એની સાથે રહેવાનુ છે, એમની સાથે જીવન જીવવાનુ છે તે હવે આ બધું મૂકીને તમે કયાં ભાગી જશે? જેની સાથે રહેવું છે એમનામાં દોષ જોવા કરતાં એમને ખીજી રીતે કેમ ન જુએ ? એનામાંથી સારું વીણીવીણીને કાઢી લેવાનુ છે. આ દુનિયાના રમતગમતના મેદાનમાં તુ સર્વશ્રેષ્ઠ રમનારી બની જા, એવી સરસ રમત ૨૫ કે તારા વિદાયના દિવસ આવીને ઊભે રહે ત્યારે તારા મુખ ઉપર સંતાષ હાય, સારી રમત રમ્યાને આનંદ હાય. જ્યારે તમે સારામાં સારી મેચ રમે છે, સાંજ થાય છે અને રમતના મેદાનમાંથી play દિવ્ય દીપ ground ઉપરથી બહાર આવે છે ત્યારે તમારી વાટ જોતાં બધાં પ્રેક્ષકે તમને ધન્યવાદ (congratulations) આપે છે, સ્મિતથી વધાવતાં હાય છે, ત્યારે તમે શું કહેા છે? મારી શક્તિ પ્રમાણે સારું રમી લીધુ'. રમતના કંટાળે નથી પણ સતેાષ છે. એની દુનિયામાં આ ધ્યાન કે રૌદ્રધ્યાન નથી પણ ધર્માંધ્યાન અને શુકલધ્યાન છે. માટે જે ખેાજાથી તું લદાયેલેા છે, અને જ્યાં જાય ત્યાં માથા ઉપર આ તાણુ tension રાખે છે, તે તુ છોડીને હળવા થા. વિચારાથી હળવા ખનીશ તે આનંદની પાંખે એસી ભૂતકાળમાં ઊડી શકીશ. અત્યારે આ વ્યાખ્યાન શ્રવણ કરનાર શ્રોતાવમાં એવા પણ મહત્ત્વના માણસે હશે જે વિચારતા હશે કે ખાખર દસના ટકારે ચિત્રભાનુનું વ્યાખ્યાન પૂરુ થશે. મેટરમાં ઘરે જતાં દશ મિનિટ લાગશે અને દસને પંદર મિનિટે મારી કાન્ફરન્સ શરૂ થશે. અહીં વિચારે આત્માના ચાલતા હૈાય ત્યારે એ ભાઇના વિચારા પેલી કેન્ફરન્સના ચાલતા હાય. એના મનમાં સવા દશ પહેલાં ઘેર કેમ પહાંચવું એની રચના ચાલતી હાય છે. વ્યાખ્યાન પછી ઘરે જાઓ, કેઇ પૂછે તેા કહે પણ ખરા કે ચિત્રભાનુના પ્રવચનમાં ગયા હતા, ઠીક હતુ પણ મને કાંઇ ખાસ સ્પર્શે (appeal) કરે એવું ન લાગ્યું લાગે ક્યાંથી ? તું તા એ માં વહેચાયેલે હતા. જેના મનમાં તાણુ tension છે એ કેઇ જ વસ્તુને આનદ માણી શકતા નથી. Tension તાણુ એને મને એના આનંદને બાંધી રાખે છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૫૫ દિવ્ય દીપ તમે ખાવા બેસે ત્યારે એફિસના વિચારને સરસ લાગી. એટલી બધી સારી લાગી કે બોજો છેડો, માત્ર ભોજનને જ ઉપયોગ રાખે. મિત્રની મા જોઈ શકી કે એ મને બહુ ભાવી પૂજામાં બેસે ત્યારે સ્વજનને અને સમાજને છે. મા અંદર જઈને બીજીવાર લઈ આવ્યા. વિચાર છેડી દે, માત્ર આત્મામાં રમે. પ્રવચન મેં કહેવા ખાતર “ના” તે કહી પણ એમણે સાંભળવા બેસે ત્યારે તર્ક અને દલીલને છોડી આગ્રહ કર્યો, એટલે જરા વધારે લીધી પણ દે, માત્ર વકતાની સાથે ચિન્તનને વિહાર કરે. હવે ભૂખ પૂરી થવા આવી, પેટ ભરાવવા લાગ્યું જ્યાં સુધી તમારા કાર્ય સાથે એક રૂપ પણ પેલી વસ્તુ હજુ પ્લેટમાં પડી હતી. એંઠી in tune નહિ થાઓ ત્યાં સુધી તમે એ વસ્તુ મૂકવી એ તે રીતભાત etiquetteની બહાર સાથે તાદાભ્યતા અને રસનો અનુભવ નહિ કહેવાય અને પેટમાં જરાપણ જગ્યા નહિ. પ્લેટ કરી શકે. ખાલી કરી પણ વસ્તુ પ્રત્યે એવો અભાવ થઈ - આર્થર બજાથી મુકત બને, હળવો થશે, ગયે કે ફરી એ વસ્તુને વિચાર પણ નથી કર્યો. - હવે ભૂતકાળ યાદ આવ્યું, જૂની સ્મૃતિઓ તાજી થઈ. થોડા સમય પહેલાં જે બહુ ભાવતી હતી એ વધારે મળતાં એની મીઠાશ ઊડી ગઈ - નાનપણમાં એક નાનકડા ફટાકડા માટે હું કેટલે ઝંખતે હતું અને એ મળી જતાં હું હવે તમને એટલી બધી વસ્તુઓ મળવા કે રાજી રાજી થઈ જતઅમારા ગરીબ માંડી છે કે રોટલી અને રોટલે સામાન્ય લાગે ઘરમાં મા જ્યારે કેક બનાવતી ત્યારે સવારથી છે, એને આનંદ ચાલ્યા ગયે છે. એ કેક સામે જોયા કરતો અને સાંજે જ્યારે મા આ નાની કેકના ચાર ટુકડા કરી એક ટુકડે , વધારે પડતી વસ્તુઓ જે આપણા આનંદને આપતી ત્યારે હું કે ખુશ થઈને ખાઈ જતો ! લૂંટી લેતી હોય, આનન્દથી વંચિત કરતી હોય - તે ખરેખર એમ નથી લાગતું કે વસ્તુઓમાંથી આજે ? આજે મારી સામે આટલું બધું મુકત બનવું એ જ આનન્દ છે. ખાવાનું પડેલું છે તો ભૂખ જ નથી. ખાવાને બદલે બેઠે બેઠે ચિંતા કરું છું. માટે જ મહાપુરુષોએ અમુક દિવસના વસ્તુઓથી હું એટલે મધ લદાયે છે કે અંતરે ઉપવાસ નક્કી કર્યા. માણસે રોજ રોજ વસ્તુને આનંદ જ ચાલ્યા ગયે છે. ખા ખા કરે છે અને ભેજનની મજા નથી આનંદ છે પણ ક્યાં સુધી ? વસ્તુઓ વધારે = માણતા તે થોડાક ઉપવાસ કરીને પણ ભેજનને ન મળે ત્યાં સુધી. વસ્તુ વધારે મળી તે માઠું ક૨તા થાય. આનંદ ગુમ. જીવનના આનંદને લૂંટી લેતી ચિંતાઓથી આ નિયમ જેટલું પ્રમાણમાં સમજી શકશે, છે, આર્થર મુક્ત થ અને નિર્દોષ શૈશવકાળને તાજે કર્યો. એટલા પ્રમાણમાં વસ્તુને આનંદ મેળવી શકશે. જે વર્ષો પહેલાની વાત છે. બાળપણમાં મારા છ કલાક પૂરા થવા આવ્યા એટલે ત્રીજી મિત્રને ત્યાં હું જમવા ગયેલ. એની માએ ચીઠ્ઠી ખેલી. હવે ચીઠ્ઠી ખોલવાની આતુરતા એક વાનગી સરસ બનાવેલી. એ મને બહુ પણ વધી ગઈ. Page #16 -------------------------------------------------------------------------- ________________ 29 દી ના દાંડી નાં આ જ વાળાં 9 જીવન એક મહાસાગર છે. આ મહાસાગરમાં વેગ, આવેશને આવેગથી દેડતા માણસને જેમ મૂલ્યવાન રત્ન તથા પાણીદાર મેતી રહેલાં આ ચિન્તનનું નવનીત ક્ષણભર વિચાર કરવા છે તેમ ભયંકર જળચરે અને મોટા ખડકે પણ તથા સાવધાનીથી આગળ ડગ ભરવા પ્રેરણા છે. આવા અપાર સાગરમાં મુસાફરી કરતા આપે છે. મુસાફરને દીવાદાંડીનાં અજવાળાં વિના કેમ ચાલે? એ વિના તે એની જીવનનૈયા કઈ દીવાદાંડીનાં આ અજવાળાં છે. ખડક સાથે અથડાઈ પડે, અને નૌકાના ચૂરેચૂરા પૂ. ચિત્રભાનુના - થઈ જાય. “ઊર્મિ અને ઉદધિમાંથી દીવાદાંડી અજવાળાં પાથરી ભયસ્થાન સૂચવે અધર્મનો ગુલામ ! છે. માણસ આગળ વધી રહ્યો છે. એને ઉત્સાહ ધર્મની આજ્ઞાએ જીવનને વ્યવસ્થિત અને અને વેગ અપૂર્વ છે. આજ એ ચાલતું નથી, દેડી રહ્યો છે; ન વર્ણવી શકાય એવી પ્રવૃત્તિ સુસંસ્કૃત બનાવવા માટે હોય છે અને ધર્મ પ્રવર્તક તત્કાલીન પરિસ્થિતિને લક્ષમાં લઈને એમાં એ રોકાય છે. એની પાસે સમય નથી તે તે આજ્ઞા કરે છે. પણ માણસ ધીમેધીમે એટલે એણે ગતિ વધારી છે. એને ઉતાવળ છે! તેના બાહ્યરૂપને જ મહત્વ આપવા લાગી જાય પણ પ્રશ્ન થાય છેઃ એ ક્યાં જવા માગે છે અને પિતાને પરંપરા દ્વારા મળેલી આજ્ઞાછે? એનું ધ્યેય શું છે? એના છેલ્લા મુકામની એને પ્રામાણિકતાપૂર્વક પાળવાને બદલે, બીજી મંજિલ કઈ છે ? પરંપરાની આજ્ઞાઓનું ખંડન કરવાને વધારે મહત્વ આપતે થાય છે અને માનતા થાય છે વેગ એટલે છે કે દયનો વિચાર કરવા કે આ રીતે પિતાની પરંપરાની પિતે વધારે સેવા અવકાશ નથી; પણ ચિન્તકને એથી ચિન્તા થાય કરી રહ્યો છે. એણે સ્વીકારેલી પરંપરાની આજ્ઞા છે એ ક્યાંય અથડાઈ ન પડે–નિયંત્રણ વિનાને પ્રમાણે જીવન ઘડી એના દ્વારા પોતાના વિકાસની વેગ માણસાઈના અસ્તિત્વનું કારણ ન બને! જેટલી ચિન્તા નથી હોતી તેથી વધારે તે એના પદાર્થવિજ્ઞાનને એક નિયમ છે. જેટલા બાહ્યરૂપના રક્ષણની હોય છે. તેથી એને પોતાના વેગથી આઘાત થાય એટલા જ તીવ્ર વેગથી ઉદ્ધારની અપેક્ષાએ બીજાના કહેવાતા ઉદ્ધારની એને પ્રત્યાઘાત થાય. ચિન્તા વધારે હોય છે અને એની આડમાં પિતાના અહંકાર અને મિથ્યાભિમાનનું પોષણ આ વેગ માણસમાં આવેગ ને આવેશ લાવી કરતે થઈ જાય છે. તે માટે તે હિંસા, અસત્ય, એના અસ્તિત્વને ન ભુલાવી દે, ન ભૂંસાવી દે કપટ આદિ દુર્ગણોને આશ્રય લેતાં પણ નથી એ જોવું રહ્યું; અને એથી જ માનવીના મનને અચકાતે અને આ રીતે ધમને અધર્મને ગુલામ કંઈક ઉચ્ચતમ એવું મળતું રહે એ માટે બનાવી દે છે. પરિણામે મંગળમય ધમ જ ચિન્તકે પોતાના ચિન્તનમાંથી તારવેલા નવનીતને અણસમજ, અહંકાર, સ્વાર્થવૃત્તિને કારણે જગત સમક્ષ ધરતા રહે છે. અમંગળ થઈ જાય છે. * Page #17 -------------------------------------------------------------------------- ________________ 56 દિવ્ય દીપ ત્રીજી ચીઠ્ઠીમાં લખેલું: Reexamine કારખાનાં કયાંક હું ડિરેક્ટર છું તે કયાંક હું your motives. ચેરમેન છું. આ બધું શા માટે? તું જે કામ કરી રહ્યો છે એ કામની હું જે સેવા જ કરવા માગું છું તે એક પાછળ તારે motive, તારે આશય અને હેતુ સંસ્થાને અર્પણ કેમ નથી થઇ જતો ? શું છે એને તું વિચાર કર.” જે ઘણી સંસ્થાઓમાં જોડાય છે એ તે એકે તું જે કામ કરે છે એ શા માટે કરે છે? સંસ્થાનું કામ વ્યવસ્થિત કરી શકતા નથી. તું મંદિરમાં જાય છે પણ શા માટે? તું કેગ્રેસમાં જોડાય છે અને કહે છે કે મારે દેશની Jack of all, master of none. જે સેવા કરવી છે, મિનિસ્ટર બનીને લેકેની ઘણને થાય એ કઈ નહિ. સ્થારેમાં વધારે, સારી રીતે સેવા કરવી છે અને એ માટે તે ખાદીની કફની પણ ધારણ હવે, તું કેઈન બની જા, એક વસ્તુને, કરી છે તે તે બધું શું સાચું છે? એક સંસ્થાને સ્વીકારી લે. કંપનીના ડિરેક્ટરે, દેશના મિનિસ્ટરો અને એક ભાઈ મને મળવા આવ્યા અને કહે મંદિરના ટ્રસ્ટીઓ બધાં એમ જ કહેતા હોય કે આપને ખબર છે કે હું કેટલા ઠેકાણે મારી છે કે અમે સેવા કરવા માટે હોદ્દો સ્વીકાર્યો છે. સેવા આપી રહયો છું? કેટલી સંસ્થાઓમાં સેક્રેટરી છું? એમ કહી લાંબું વર્ણન કર્યું. Service above self. વાક્ય સરસ છે. જાત કરતાં પણ સેવા મહત્ત્વની છે. પણ તું કેઈ ચૂંટણી લડવા ઊભો રહે છે ત્યારે જરાક શોધી લે કે તું સેવા કરવા જાય છે કે એ કેટલી કેટલી સંસ્થાઓમાં છે તેનું લિસ્ટ તારા છુપાયેલા, સંતાયેલા, દબાઈ ગયેલા અહંને બનાવે છે. એનાથી લેકે ભેળવાઈ પણ જાય છે. જીવતો કરવા જાય છે? ઘરમાં તને કઈ પૂછતું નથી, ઘરમાં તારું કંઈ ચાલતું નથી એટલે મને વિચાર આવ્યો કે જે આ માણસ લોકમાં, દુનિયામાં તારું જોર અજમાવવા તે આટલી બધી સ સ્થાઓને કાર્યકર્તા હોય તે તું નથી જતે ને ? એ બિચારે ખાત કયારે હશે ! ઊંઘતે ક્યારે હશે! જીવનચયો કયારે કરતે હશે ! એવું જોવા નથી મળતું કે જેને ઘરમાં આનંદ નથી મળતું એ આખી દુનિયામાં પણ માણસ સેવાની વાતો કરે છે ત્યારે આનંદ આનંદ કરતે ફરે છે. એને આશય જુદે જ હોય છે. એણે એના આશયને જુદી રીતે આચ્છાદિત (cover) કર્યો છે. આર્થર વિચાર કરવા લાગેઃ હું આ બધું શા માટે કરું છું ? આ સેવાનું આચ્છાદન દૂર કરવાનું છે, તમારા આશયને નગ્ન કરવાનું છે, તમારી કેટલી બધી કંપનીઓ અને કેટલા મેટાં વૃત્તિઓને મૂળ સ્વરૂપમાં જવાની છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ દિવ્ય દીપ 57. જ્યાં સુધી આપણે આપણી વૃત્તિઓને આર્થરે જોયું અને બેલી ઊઠઃ મેં ઉઘાડી નહિ પાડીએ, વૃત્તિઓ ઉપરના આચ્છાદને લખ્યું હતું તે કયાં ગયું? કઈ બેર્યું દૂર નહિ કરીએ ત્યાં સુધી આપણે બીજાને જોવાઈ ગયું. છેતરશું અને આ પણ વૃત્તિઓ જ આપણને disguise કરી છેતરશે. રેતી ઉપર લખવા જેવી મારી ચિંતાઓ આ શોધવાનું કામ આપણું છે. જાણે કે છે. જે ચિંતાઓને કાળ ધોઈ નાખવાનો છે આ બધું હું કોને માટે કરું છું? શું ખરેખર એને માટે હું શાને ધેવાઈ જાઉં ! હું સાધના માટે, શાંતિ માટે કરું છું કે મારા અહંને પોષવા માટે કરું છું ? આર્થર એકદમ ઊભું થઈ ગયું અને અહં એવો ખાડો છે, એવો ઊંડો ખાડો સંકલ્પપૂર્વક બોલ્યો કે મારે કોઈ ચિંતા જ (fathomless pit) છે કે એને તમે ગમે નથી. જેને કાળ જોઈ નાખવાનો એની મારે તેટલી પ્રસિદ્ધિથી ભરો તે પણ એ ખાડો શા માટે ચિંતા કરવી? પૂરાય તેમ નથી. એનું મસ્ત ઉન્નત હતું. ચિંતાથી મુકત - હવે તે નવ કલાક વીતી ગયા હતા. એણે બની, પ્રસન્નતા અનુભવને એ ઘર તરફ વળે. છેલી ચીઠ્ઠી ખેલી ત્યારે એમાં લખેલું: Write ને આર્થર ખરી ગયે, નવા આર્થરે your worries on the sanc" આ રેતી, આ જન્મ લીધો. દરિયાના કિનારા ઉપર તારી બધી ચિંતાઓ તું લખી નાખ. જોઈએ, તારી ચિંતાઓ કેટલી છે? આર્થર હવે નવમાનવ હતા, નવજીવનને હવે આર્થ૨ આનંદમાં મસ્ત થઈ પડયે પ્રકાશ મળ્યો હતો, પ્રજ્ઞાનું અજવાળું લઈને હતે. એણે નક્કી કર્યું કે જે થવાનું હોય તે થાય. આવ્યો હતે. આજે જે સમય મળે છે તે તે શાન્તિથી ઘરે આવ્યા, પત્ની સાથે મીઠાશથી વાત વિતાવવો. એને કોઈ ટાઈ કે સૂટ પહેરવાનાં કરી, નાનાં નાનાં બાળકોને હેતથી બેલાવી નહોતાં. એને ઊઠવાનું પણ મન ન થયું. એને ભેટી પડયો. પિતાના ઉપર હસવું આવ્યું. કાલની તે મને ખબર નથી અને વિશ વર્ષ પછી શું કરવું સ્વજને પ્રત્યે એની આંખમાં મમતા નહિ તેનું પ્લાનિંગ મેં કર્યું છે! પણ નિર્મળ પ્રેમ વહી રહ્યો હતે, આંખમાં પડયે પડો જ લખવા લાગ્યું. પાંચ-સાત આસકિત નહિ પણ સૌન્દર્ય નું દર્શન હતું. ચિંતાઓ યાદ કરીને રેતી ઉપર લખી એટલામાં તે ભરતી ચાલુ થઈ ગઈ હતી, પાણી આવી એના બહારના વૈભવની સાથે આંતરવૈભવનું રહ્યાં હતાં. લગ્ન થયું. એના જીવનને નવું જ દર્શન પાણીને આવતાં જોઈ આર્થર ઊઠશે. ઊભું મળ્યું. આજ સુધી એના આયુષ્યને વર્ષો થયો ત્યાં તે એક જોરદાર મેજું આવ્યું અને ખાતાં હતાં હવે એનું જીવન વર્ષોને ખાવા એણે જે લખ્યું હતું તે દેવાઈ ગયું. લાગ્યું. સંપૂર્ણ Page #19 -------------------------------------------------------------------------- ________________ aa%ae% 2 0 %20E0% %e gas egg વિનયયુકત વિદ્યા જ સાચી વિદ્યા છે. જે વિદ્યાથી વિનમ્રતા ન આવે, તે વિદ્યા શા કામની ? અને એ વિનય વિહેણી વિદ્યાને અવિદ્યા કહીએ તે શું ખોટું ? - “સૌરભમાંથી Learning bedecked with modesty is alone true learning. What is the use of that learning that does not engender humility ? And nothing would be lost, if learning divorced from humility were to be dubbed as sheer obscurantism. from : Lotus Bloom by : Chitrabhanu st Complimen ments from With Best C P. L. BAGRI & Co., METAL MERCHANTS & COMMISSION AGENTS 36, 2nd BH0TW ADA, BOMBAY - 2 Tel : 33 47 58 Page #20 -------------------------------------------------------------------------- ________________ થાણા તા. 30-9-70 દિવ્ય દીપ રજી. ન. એમ. એચ. લર [અનુસંધાન કવર પેજ 2 થી ચાલુ) ખમતખામણ થયાં, સંવત્સરી પ્રતિક્રમણ ઉપર ન જમાવશે. એમ ન કહો કે આ દેરાસર થયું, હૈયાં હળવા બન્યાં. કાઠિયાવાડીઓનું છે અને આ ગુજરાતીઓનું, રવિવાર તા. 6-9-70 ના બપોરે ત્રણ વાગે આ કચ્છીઓનું અને આ મારવાડીઓનું. આમ તપસ્વીઓની અનુમોદના કરતે સુંદર વરઘેડ નીકળે. થાણ ગામની પરિકમ્મા કરીને જ્યારે કરવામાં ધર્મ જ કયાં છે ? , સહુ પૂ. ગુરુદેવ સાથે મંદિરે આવી પહોંચ્યા ત્યારે આરાધનાનાં બારણાં બધાં માટે ખુલ્લાં છે. તપ અને ત્યાગને મહિમા અનેકને સમજાયે. ધમ તે ખમાવવામાં, હૈયામાં પરિવર્તન " લાવવામાં અને ચિત્તને શુદ્ધ કરવામાં છે. ચિત્તને શુદ્ધ કર્યાને, સાધર્મિક ભકિત કર્યાને અને સાધનાના પંથે કાંઈક પ્રયાસ અને પ્રવાસ પક્ષ પડાવવા જેવું અધમ પાપ એકે નથી. કલહનાં બીજ વાવ્યાં તેનું પાપ તે જીવની કર્યાને આનંદ સૌની આંખમાં તરતે હતે. સાથે પરંપરામાં ભવભવ આવે. કુ. વત્સલા અમીન એમ ન કહેશે કે આ ભગવાન મારા છે. શેઠ ત્રિભવનદાસ જમનાદાસ હાઈસ્કૂલ કહેવું જ હોય છે એમ કહે કે હું ભગવાનને છું. ભગવાન તમારા કેમ થઈ શકે? લાયકાત થાણામાં ચાતુર્માસ નિમિત્તે પધારેલા, પૂ. કેળવે તે તમે ભગવાનના થઈ શકે. મુનિશ્રી ચિત્રભાનુ મહારાજની પ્રેરક વાણીને ભગવાનના સેવક બનવા માટે અંતરમાં અલભ્ય લાભ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સુલભ રહેલા અહંને ગાળ પડશે. બને એ હેતુથી શાળાના આચાર્ય અને સંચાખમતખામણના દિવસે આંસુ વડે, પ્રેમ વડે, લકેની વિનંતીને માન્ય રાખી શેઠ ત્રિભવનદાસ મૈત્રી વડે, વેરના મેલને ધોઈને, જે અંતરને જમનાદાસ હાઈસ્કૂલ, થાણાના વિદ્યાર્થીઓ અને ચોખ્ખું કરે છે તેનું જ જૈનત્વ ટકી રહે છે, વિદ્યાર્થિનીઓ અને શિક્ષકે માટે ત્રણ દિવસને તે જ સાચો જૈન છે. એક સ્વાધ્યાય “જ્ઞાન-સત્ર ઓગસ્ટની તા. 10, જેમ સ્ટેશન ઉપરના પ્રતીક્ષાગૃહ (waiting 11, 12 સાંજના ૪થી 5 સુધી જૈન દહેરાસર room) પ્રવાસીઓ (passengers) માટે ચોખ્ખા હોલમાં યોજવામાં આવ્યા હતા. આ પ્રસંગે છે. રાખવામાં આવે છે એમ આજથી સમજી લે 5 થી 11 સુધીના લગભગ એક હજાર બાળકો કે આપણી જિંદગી એક પ્રતીક્ષા ગ્રહ છે. આપણે તથા બાલિકાઓએ અને શિક્ષકોએ પણ ઉત્સાહઆવતા ભવની ગાડી હજુ આવી નથી ત્યાં સુધી ભેર ભાગ લીધે હતે. પૂ. મુનિશ્રીએ એમને આ શરીરરૂપી પ્રતીક્ષા ગ્રહ (waiting room)માં સ્વાધ્યાય, સદ્દવર્તન, શિસ્ત તથા ચારિત્ર્યવિકાસ બેઠા છીએ. સમય આવશે ત્યારે વાટ જોવાની કેળવવા માટે જરૂરી ગુણે જીવનમાં અપનાવવા નથી. દષ્ટાંતે સહિત અનુરોધ કર્યો હતો. સંસ્થા માટે માટે મૈત્રીને સાવરણે અને ક્ષમાને સૂંડલે આ એક અને પ્રસંગ લેખાય. લઈને આ waiting roomને ચેખે કૃષ્ણપ્રસાદ ઉપાધ્યાય કરવાને છે. આચાર્ય પક, પ્રકાશ અને માના સંપાદક શ્રી ચંદુલાલ . સાહે, લિપિની પ્રિન્ટરી મંબઈ નં. 2 માં છપાવી, ડીવાઈન મોજ સોસાયય (દિવ્ય સાન સંઘ) માટે ‘કવીન્સ ન્ય” 28/30, વાલકેશ્વર મુંબઇ નં. 6 મથિી પ્રગટ કર્યું છે.