________________
કિંમત ફૂલની નથી, એમાં રહેલી સુવાસની છે. સુવાસ ચાલી જાય તેા ફૂલની કિંમત પશુ શુ છે?
વર્ષ : ૭
અક ઃ ૪
કટાખર
વિવ્યવીપ
દુર્વાસ
એક મસ્જિદના હાજમાં રાતના કુરકુરિયું મરી ગયું. સવારે નમાજ પડવા આવેલા ભાઇએ ને હાજના પાણીમાં ખાસ આવતાં કાજીને વાત કરી, એમણે કહ્યું : “હેાજનું પાણી કાઢી નાખેા.” મજૂરો ડેાલ લઈ મ`ડી પડ્યા. પણ એક ખૂણામાં ભરાઇ ગયેલું મડદું તે ત્યાં જ રહ્યું. ફરી નવા પાણીથી હાજ ભર્યાં પણ દુર્વાસ તા ચાલુ જ હતી.
વિદ્વાન કાજીએ હસીને કહ્યું : “ભલા, હેાજ તે ખાલી કર્યાં પણ જેનાથી ખાસ આવતી હતી તે તળિયેથી કાઢચુ કે નહિ? તળિયે મડદું પડ્યું જ હશે તે પાણી ઉલેચે શું વળે ? ’”
– ચિત્રભાનુ
આ વાત આપણા જીવનને કેવી લાગુ પડે છે? આપણે સૌ ક્રિયા-કાંડનાં, વિધિ-વિધાનનાં, પૂજા પાડનાં, મંત્ર-તંત્રનાં, જપ-તપનાં પાણી તેા ખૂબ ઉલેચીએ છીએ પણ મનના તળિયે જે રાગ - દ્વેષનું, લેાભ - તૃષ્ણાનું, ક્રોધ - માનનું, ઇર્ષા - અદેખાઇન', નિન્દા - ચુગલીનું ગંધાતું મડદું પડ્યું છે તેને તે! કાઢીને ખહાર ફેંકતા જ નથી. જ્યાં સુધી દુ॰ણુ રૂપી મડદુ અંદર છે ત્યાં સુધી આપણી ક્રિયાનાં પાણી નિળ અને સ્વચ્છ કેમ થાય ?
-ચિત્રભાનુ