Book Title: Anandghan ni Atmanubhuti 03
Author(s): Kalyanbodhivijay
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005044/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ •• © આનંદઘનતી આત્માનુભૂતિ Page #2 -------------------------------------------------------------------------- ________________ છે છે છે પUત્રની પસંદ તે પૂર્વે અર્થ એવું અવર થી અર્વથી અર્થ Don't miss this. અવર્થ પઠાથી પરિલિ. Jain Educa Page #3 -------------------------------------------------------------------------- ________________ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષસૂરિસગુરુભ્યો નમઃ શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું - ૭૯ અલગારી અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ પ્રણીત પદ પર પરિશીલત આoiદઘાની આભાનુભૂતિ (તૃતીય પદ) 1 પરિશીલનકાર 1 પ્રાચીન શ્રતોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજા હું પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ છે lain Education International for all Page #4 -------------------------------------------------------------------------- ________________ 1/4 પુસ્તકનું નામ : આનંદઘનની આત્માનુભૂતિ મૂળ કૃતિ : અલગારી અવધૂત પ. પૂ. આનંદઘનજી મહારાજ પ્રણીત તૃતીય આધ્યાત્મિક પદ વિષય વિશેષતા - પરદ્રવ્યની પ્રીતિનો પરિહાર અને સ્વરૂપરમણતા : અધ્યાત્મયાત્રાના પ્રથમ પગલાની પ્રાયોગિક પ્રક્રિયાનું નિરૂપણ... જ્ઞાનગર્ભિત વિરાગરસની પ્રાપ્તિ માટે... વિવેકજ્ઞાનના ઉદય માટે... અને સહજ સમતાની પરિણતિ માટે એક મનનીય આલંબન. વિ. સં. ૨૦૬૭ - પ્રતિઃ ૨૦૦૦. મૂલ્ય ઃ ૧૦૦/ પ્રાપ્તિ સ્થાન ઃ 1) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા .. દુ.નં.6, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-400 002. ફોન ઃ 22818390, Email: devanshjariwala@gmail.com 2) શ્રી અક્ષયભાઈ શાહ .. 506, પદ્મ એપાર્ટ, જૈન મંદિર કે સામને, સર્વોદયનગર, મુલુંડ (પ.). મો. : 9594555505, Email : jinshasan108@gmail.com ૩) શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા .. સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ–5. મો. 9426585904, Email : ahoshrut.bs@gmail.com 4) શ્રી મેહુલ જે. વારેયા .. 401, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, હનુમાન ચાર રસ્તા, સ્ટેટ બેંક ની ઉપર, ગોપીપુરા, સુરત-395 001. મો. : 9374717779, Email : mehullvaraiya@gmail.com 5) શ્રી દિનેશભાઈ જૈન .. રૂમ નં.૮, પહેલે માળે, ૯, મલ્હાર રાવ વાડી, દાદીશેઠ અગિયારી લેન, કાલબાદેવી રોડ, મુંબઈ-400 002. મો.: 7738500031 6) પરેશભાઈ શાહ .. A/202, શિવકૃપા, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, મથુરાદાસ રોડ, કાંદિવલી (૫.), મુંબઈ - 400 062. મો. 9820017030 7) મલ્ટી ગ્રાફિક્સ .. 18, Khotachi Wadi, Vardhaman Bldg., 3rd Floor, V. P. Road, Prathana Samaj, Mumbai - 4. Ph.: 23873222 / 23884222. E-mail : support@multygraphics.com Design & Printed by : MULTY GRAPHICS... www.multygraphics.com (c) Copyright held by Publisher & Author under Indian copyright act, 1957. http://copyright.gov.in/documents/copyright rules 1957.pdf For P Personal Use Only www.jalelibrary.org Page #5 -------------------------------------------------------------------------- ________________ to hi ated os Closer is he than breathing & неаrеr tан hands & feet. Forvale Eersonal use only Page #6 -------------------------------------------------------------------------- ________________ जिन मन्दिर-जल मन्दिर-जीव मन्दिर का पुण्य प्रयाग अर्थात् पावापुरी तीर्थ-जीवमैत्रीधाम SPONSOR (સુકૃત સહયોગી) વિશ્વવિખ્યાત શ્રી પાવાપુરી તીર્થ-જીવમૈત્રી ધામ નિર્માતા | શ્રી કે. પી. સંઘવી પરિવાર... સમતાની સંવેદનાનો આ પ્રસાર આપને પરમ સમતાની પ્રાપ્તિ કરાવે એ જ શુભેચ્છા. K. P. SANGHVI GROUP ૧. જન Name of the Entity K. P. Sanghvi & Sons Sumatinath Enterprises K. P. Sanghvi International Limited KP Jewels Private Limited Seratreak Investment Private Limited K. P. Sanghvi Capital Services Private Limited K. P. Sanghvi Infrastructure Private Limited KP Fabrics Fine Fabrics King Empex decanteration Page #7 -------------------------------------------------------------------------- ________________ આમંત્રણમ્.. આનંદયાત્રાનું.. જીવન્મુક્તિના આનંદથી મુક્તિના પરમાનંદ સુધીની એક આનંદયાત્રા.. અનાસક્તભાવના આવિર્ભાવથી અનાકાર પદના પ્રાકટ્ય સુધીની એક અધ્યાત્મયાત્રા.. પૂર્ણત્વની પ્રતીતિથી સંપૂર્ણત્વની પરિણતિ સુધીની એક અનુભૂતિયાત્રા.. એટલે જ આનંદઘનની આત્માનુભૂતિ પદ-પરિશીલન શૃંખલા. આ શૃંખલા વિભાવોની શૃંખલાને તોડીને સ્વભાવસુખની પ્રાપ્તિ કરાવે, આનંદઘનની અનેક જ્યોતિઓ પ્રગટાવે, સ્વરૂપરમણતાની સમાધિને શાશ્વત બનાવે, એ જ શુભાભિલાષા સહ. - આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ Page #8 -------------------------------------------------------------------------- ________________ जीय जाने मेरी सफल घरीरी. जीय जाने मेरी सफल घरीरी. सुत वनिता यौवन धन मातो, गर्भतणी वेदन विसरीरी...१ जीय जाने मेरी सफल घरी..... सुपन को राज साच करी माचत राहत छांह गगन बदरीरी, आई अचानक काल तोपची गहेगो ज्युं नाहर बकरीरी...२ जीय जाने मेरी सफल घरीरी... अहु चेत कछु चेतत नाहि. पकरी टेक हारिल लकरीरी: आनंदघन हीरो जन छांरत, नर मोह्यो माया ककरीरी....३ जीय जाने मेरी सफल घरीरी.... Jain Education Internatiori! जीय जाने मेरी सफल घरीरी, जीय जाने मेरी सफल घरीरी, सुत वनिता यौवन धन मातो, गर्भतणी वेदन विसरीरी... १ जीय जाने मेरी सफल घरीरी... Page #9 -------------------------------------------------------------------------- ________________ પુત્ર, સ્ત્રી, યૌવન અને ધનમાં મસ્તાન બનેલ પરાજય થયો. નેપોલિયનની નબળી કડી હતી બિલાડીનો ભય. જીવ એની પાછળ ગયેલી ઘડીઓને સફળ માને છે, દુમને તેની સામે બિલાડીઓ છોડી મૂકી. નેપોલિયન ગભરાઈ ગયો. મહાશક્તિશાળી હોવા છતાં પણ જીવતો પકડાઈ ગયો. અને ગર્ભની વેદના ભૂલી જાય છે. ||૧|| નળની નબળી કડી હતી જુગારનું વ્યસન. નળ ગુણવાન હોવા | એક મુનિરાજ ઉદ્યાનમાં કાઉસ્સગ્ન કરી રહ્યા હતાં. છતાં ય તેના કારણે પાયમાલ થઈ ગયો. ત્યાં નગરની કન્યાઓ રમવા આવી. રમત હતી સ્વયંવરની. અનંત શક્તિનો સ્વામી આત્મા પણ મોહાધિકારની નિયત સમયે તે કન્યાઓ એક-એક વૃક્ષને વળગી પડે અને અવસ્થામાં કેટલીક નબળી કડીનો ભોગ બની જાય છે. બોલે, “આ મારો વર.” એક કન્યા એકાએક મુનિરાજના પગને વળગી પડી, અને બોલી, ‘આ મારો વર.’’ દેવતાઓએ सुत वनिता यौवन धन मातो, પ્રસન્ન થઇને પુષ્પવૃષ્ટિ કરી. અનુકૂળ ઉપસર્ગ જોઇને મુનિરાજે પુત્ર... સ્ત્રી... યૌવન... ધન... આ એક એક નબળી ત્યાંથી વિહાર કરી દીધો. કડીએ જીવને અનંતી વાર પછાડ્યો છે... સાતમી નરકે અને | એ કન્યાએ યૌવનમાં પ્રવેશ કર્યો. એ જ મુનિને નિગોદમાં પણ મોકલ્યો છે. આત્માનુભૂતિનો અણમોલ પરણવાની હઠ લીધી. ભવિતવ્યતાના યોગે તેમનો સંયોગ અવસર અત્યંત નિકટ આવ્યો હોય... આધ્યાત્મિક આનંદનું થયો. કન્યાના આગ્રહથી મુનિરાજ પતિત થયા. શિખર સર થવાની તૈયારી હોય... એવા સમયે પણ શ્રમણને પતનની ભયાનક ખીણમાં પટકી નાખનારી છે. આ જ નબળી तज्ज्ञानं तच्च विज्ञानं तत्तपः स च संयमः। सर्वमेकपदे भ्रष्टं सर्वथा किमपि स्त्रियः।। કડીઓ. અને જીવની પણ કેવી મૂર્ખામી ! જેણે પોતાનું સર્વસ્વ લૂંટી લીધું, જેણે ઉપાર્જનના અથાગ પરિશ્રમમાં ઉપયુક્ત | તે જ્ઞાન... તે વિજ્ઞાન... તે તપ... અને તે સંયમ... કરેલ શક્તિને નિષ્ફળ કરી દીધી. જેણે અનંત કાળના ભયાનક આ બધું જ એક ઝાટકે ભ્રષ્ટ થઈ ગયું... ખરેખર... સ્ત્રીઓની ભૂતકાળનું પુનરાવર્તન કરાવ્યું. એ જ મહાશત્રુ સાથે ગાળેલી કોઈ વાત થઈ શકે તેમ નથી. ક્ષણો જીવને સફળ લાગે છે. | આનંદઘનજી મહારાજ આ જ નબળી કડી (વીક પોઈન્ટ) તરફ અંગુલિ નિર્દેશ કરી રહ્યા છે. સો સબળી કડી जीय जाने मेरी सफल घरीरी હાજર હોવા છતાં પણ એક નબળી કડી જીતની બાજીને હારમાં [ રે મોહરાજ! કેવી તારી ભેદી ચાલ! અનંતજ્ઞાની ફેરવી શકે છે. એક ઢીલું સ્કુ આખા વિમાનને જમીનદોસ્ત કરી આત્માની તું કેવી દુર્દશા કરે છે! એને અજ્ઞાનના ઘોર અંધકારમાં શકે છે, એક ઢીલી બ્રેક આખી ટ્રેનનો ખુડદો બોલાવી શકે છે. અથડાવે છે! પેલા મુનિરાજ પણ પતન પામ્યા. ગૃહસ્થ બન્યા. દુર્યોધનની નબળી કડી હતી, એની જાંઘ, ત્યાં પુત્ર જન્મ્યો. વર્ષો વીતી ગયા. જબરદસ્ત ગદા-પ્રહાર થઇ ગયો. વિજયના સ્થાને તેનો ઘોર એક દિવસ ફરી આત્મા જાગી ગયો. ચારિત્રના પુનઃ Page #10 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારની અભિલાષા વ્યક્ત કરી. પુત્રને જાણ થતાં કાચા સૂતરના તાંતણાથી પિતાના પગ બાંધી દીધા. કાલી ઘેલી ભાષામાં કહ્યું, “હવે તમે કઇ રીતે જશો? જુઓ, મેં તમને બરાબર બાંધી લીધા છે.’’ सुत वनिता यौवन धन मातो, આમ જોઇએ તો માત્ર પગ હલાવો અને તૂટી જાય એવું એ બંધન હતું. પણ એ માત્ર કાચા સૂતરનું બંધન ન હતું. એ તો હતો સ્નેહપાશ. પિતા લાચાર થઈ ગયા. વૈરાગ્યના સૂર્યને મોહના વાદળોએ ઢાંકી દીધો. ભૌતિક જગતનું સૂત્ર છે, જે પ્રિય છે એ મિત્ર છે. આધ્યાત્મિક જગતનું સૂત્ર છે જે પ્રિય છે, તે શત્રુ છે. સમાધિતંત્રમાં કહ્યું છે - मूढाऽऽत्मा यत्र विश्वस्त-स्ततो नान्यद् भयास्पदम् । यतो भीतस्ततो नान्य- दभयस्थानमात्मनः ।। મોહાધીન આત્માને જે પ્રિય છે, તેનાથી વધુ ભયંકર બીજું કાંઇ જ નથી. અને એ આત્મા જેનાથી ભય અનુભવે છે, તેની સિવાય આત્માનું બીજું કોઈ અભયસ્થાન નથી. મોહવશ આત્માની કેવી વિચિત્ર દશા! એને શત્રુ પર જ પ્રીતિ છે. તેથી એ તેનું જ સાન્નિધ્ય ઝંખે છે, એના પ્રયત્નમાં નિષ્ફળ થાય છે, તો ઝુરે છે, સફળ થાય છે, તો વધુ દુઃખી થાય છે. કારણ કે શત્રુ એના આત્માનું અહિત કર્યા વિના રહેતો નથી. એવું ન કરે, તો એ શત્રુ જ શાનો? सम्बन्धानात्मनो जन्तु-र्यावतः कुरुते प्रियान् । तावन्तस्तस्य जायन्ते, हृदये शोकशङ्कवः।। જીવ પોતાના જેટલા પ્રિય સંબંધો કરે, એટલા તેના હૃદયમાં શોક-શલ્યો ભોંકાયા કરે છે. પ્રિય સંબંધનો આધાર છે રાગ. રાગનું મૂળ છે અતત્ત્વદર્શન. રાગને દૂર કરવાનો ઉપાય છે તત્ત્વદર્શન. દશવૈકાલિક સૂત્રની ટીકામાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યું છે – - तत्त्वदर्शिनो हि निवर्तत एव रागः, अतत्त्वदर्शननिबन्धनत्वात्तस्य । જે તત્ત્વદૃષ્ટા છે, તેનો રાગ અવશ્ય દૂર થાય છે. કારણ કે અતત્ત્વદર્શન એ જ રાગનું કારણ છે. તત્ત્વ એટલે વસ્તુસ્વરૂપ. પ્રસ્તુતમાં પુત્ર પરનો રાગ દૂર થાય, એ માટે પુત્રનું સ્વરૂપ વિચારવું જોઈએ. ‘પુત્ર’ શું છે? તેનું લક્ષણ શું છે? સ્ત્રી-પુરુષના સંયોગથી પુત્રોત્પત્તિ થાય છે. તે સ્ત્રી-પુરુષ તેના માતા-પિતા કહેવાય છે. આ રીતે જન્ય-જનકના સંબંધથી પુત્ર સ્વાભાવિક રીતે પ્રિય હોય છે, એવી દુનિયાની માન્યતા છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં આ માન્યતાને ધરાશાયી કરી દે, એવો વેધક પ્રશ્ન પૂછ્યો છે - कुक्षौ युवत्याः कृमयो विचित्रा, अप्यस्रशुक्रप्रभवा भवन्ति। न तेषु तस्या न हि तत्पतेश्च, रागस्ततः कोऽयमपत्यकेषु ? ।। Page #11 -------------------------------------------------------------------------- ________________ શુક્ર અને રુધિરના સંયોગથી સ્ત્રીની કુક્ષિમાં જાત જાતના કીડા પણ ઉત્પન્ન થતા હોય છે. તેમના પર નથી સ્ત્રીને રાગ થતો, કે નથી તો પુરુષને રાગ થતો. તો પછી તે જ શુક્ર-રુધિરથી ઉત્પન્ન થયેલા પુત્રો પર કેમ રાગ થાય છે? મોહાધીન પિતા પુત્રની અશુચિને પણ શુચિ સમજે છે. હોંશે હોંશે એને લાડ કોડથી ઉછેરે છે. એની ઇચ્છાઓ પૂરી કરવા માટે મજૂરી કરે છે. એને ખભે ઉંચકીને ફરે છે. પરસેવાની કમાણી એના મોજ-શોખ ખાતર વેડફી નાખે છે, અને પરિણામ? એ જ પુત્ર કદાચ પિતાને મણ મણની સંભળાવે છે. આઘાતો અને પ્રત્યાઘાતોથી જર્જરિત કરે છે, પોતાના જ ઘરેથી એની હકાલપટ્ટી કરે છે - રે... ક્યાંક તો મારપીટ પણ થાય છે, ને ક્યાંક તો મોતને ઘાટ ઉતારવા સુધીના કાળા કરતૂતો પણ... सुत वनिता यौवन धन मातो, આમાં ક્યાં રાગ કરવો? આ તો માત્ર આ લોકના દુર્વિપાકોની વાત કરી, પરલોકમાં પણ મોહોદય કાળે બાંધેલા કર્મોના ઉદયથી દુર્ગતિની પરંપરા ઊભી થાય છે. આ છે પુત્રનું સ્વરૂપ. એનો વિચાર કરવો, એની વાસ્તવિકતાનું અવલોકન કરવું, એનું નામ તત્ત્વદર્શન. એક વાર તત્ત્વદર્શન થાય, એટલે રાગને ગયે જ છૂટકો છે. અને તત્ત્વદર્શન ન થાય, ત્યાં સુધી રાગનો વિલય થાય એવી કોઈ શક્યતા નથી. ફરીથી અણગાર બનવાના શમણા પર પુત્રમોહનું તોફાન ફરી વળ્યું. કાચા સૂતરના એ તાંતણાઓ ગણ્યા. બાર વાર એ પગમાં વીં-ટાળેલો હતાં. આત્માનુભૂતિની અણમોલ તકને બાર વર્ષ માટે પાછી ઠેલી દીધી. વૈરાગ્યશતકમાં કહ્યું છે - मा चिंतसु जीव तुमं, पुत्तकलत्ताई मम सुहहेऊ। णिउणबंधणमेयं, संसारे संसरंताणं ।।२४।। જીવ ! પુત્ર, પત્ની વગેરે મારા સુખના કારણ છે, એવી ગેરસમજમાં ન રહેતો. આ તો એવા સૂક્ષ્મ બંધન છે, જેનાથી બંધાયેલો આત્મા સતત સંસારમાં ભટકતો જ રહે છે. કદાચ પ્રશ્ન થાય કે સંસારમાં બીજે ક્યાંય રાગ ન હોય, સુંદર વિષયોનો પણ ત્યાગ કરતાં હોઇએ. પણ માત્ર ‘પુત્ર’ પર જ કે એકાદ સ્વજન પર જ રાગ હોય તો એમાં ખોટું શું? જવાબ એ છે કે એક વ્યક્તિ પર કે વસ્તુ પર જ રાગ હોય, તે પણ ભયાનક છે. કારણ કે સમગ્ર સંસારનો રાગ ત્યાં કેન્દ્રિત થયો છે. એવી રાગપાત્ર વ્યક્તિ કે વસ્તુનો વિનાશ થતા જ ભયંકર આર્દ્રધ્યાન આદિ થાય છે, તે પણ તે રાગના હેયત્વને પુરવાર કરે છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ સૂક્ષ્મસૃષ્ટિથી જોઈએ તો પુત્ર આદિ પ્રત્યેનું મમત્વ પણ મિથ્યાજ્ઞાનથી થાય છે. ‘શરીર એ હું નથી’ એવી સમ્યક્ સમજના અભાવથી થાય છે. કારણ કે પુત્ર આદિ બધા સંબંધોનો આધાર શરીર છે. અને શરીર આત્માથી જુદું છે. જ્ઞાનોપનિષમાં કહ્યું છે – अङ्गस्यैवाभावेऽङ्गजानुत्थानात् । મને કોઇ નથી. કારણ કે મને અંગ (શરીર) જ પુત્ર નથી. તો પછી અંગજ (પુત્ર) ક્યાંથી હોઈ શકે? જ્યાં સુધી શરીર પ્રત્યે મમત્વબુદ્ધિ છે કે ‘શરીર જ હું છું' એવો ‘અહંકાર’ છે, ત્યાં સુધી બીજા મમત્વો પણ ઊભા રહેવાના. ત્યાં સુધી આત્માનુભૂતિનું અંતર વધતું જ જવાનું. इतश्चिन्तामणिर्दिव्य इतः पिण्याकखण्डनम् એક બાજુ દિવ્ય ચિંતામણિ છે, અને બીજી બાજું ચામડાનો ટુકડો છે. એક બાજુ અદ્ભુત આનંદદાયિની આત્માનુભૂતિ છે. અને બીજી બાજું તાપ અને સંતાપ આપનારી પુત્રાદિ પ્રત્યેની મમત્વબુદ્ધિ છે. વિવેકી આ બેમાંથી કોની પસંદગી કરે? એક વાતને હૃદયમાં બરાબર ઠસાવી લેવા જેવી છે, કે ‘પર’નો પ્રેમ કદી આત્માને સુખી કરવાનો નથી, અને દુઃખી કર્યા વિના રહેવાનો નથી. સુખનો ઉપાય આ જ છે કે આત્મામાં લીન થઈ જવું. પરદ્રવ્યની પ્રીતિનો સંપૂર્ણપણે ત્યાગ કરી દેવો. ઇષ્ટોપદેશમાં કહ્યું છે પ: પતતો દુ:વ-માત્મવાત્મા તતઃ સુદ્યમ્॥ જે ‘પર' છે, તે ‘પર’ જ રહેવાનું છે. તે કદી ‘સ્વ’ બનવાનું નથી. ‘પર’થી દુઃખ જ મળવાનું છે. ‘સ્વ’ છે માત્ર આત્મા અને તેનાથી જ સુખ મળવાનું છે. બાર વર્ષના વા’ણા વાઇ ગયા. પુત્રમોહ શિથિલ થઇ ગયો. વૈરાગ્ય દઢ બન્યો. ફરીથી ચારિત્રના પંથે સિધાવ્યા. એ હતા આર્દ્રકુમાર મુનિ. પ્રભુ વીરના પાવન સાન્નિધ્યને પામવા માટે રાજગૃહી નગરી તરફ વિહાર કર્યો. રસ્તામાં એક સાંકળોથી બાંધેલો હાથી હતો. તેને મુનિને પ્રણામ કરવાની ભાવના થઈ. ચમત્કારિક રીતે લોઢાની સાંકળો તૂટી ગઈ. ખૂબ ભાવથી મુનિને વંદન કરીને હાથી જંગલમાં જતો રહ્યો. શ્રેણિક રાજાને આ અદ્ભુત ઘટનાની જાણ થઈ, વિસ્મિત થઈને મુનિને વંદન કરવા આવ્યાં. ચારિત્રના પ્રભાવની ખૂબ અનુમોદના કરી. ત્યારે મુનિવરે ગદ્ ગદ્ સ્વરે કહ્યું, “આ લોઢાની સાંકળો તોડવી એ મને એટલું દુષ્કર નથી લાગતું. દુષ્કર તો । લાગ્યા એ કાચા સૂતરના બંધન તોડવા...’ सुत वनिता यौवन धन मातो સમગ્ર વિશ્વ સ્વાર્થ ખાતર ભોગ આપે છે. એ ત્યાં જ પ્રયત્ન કરે છે, કે જ્યાં એનો કાંઈ સ્વાર્થ સરતો હોય. સ્નેહ... પ્રેમ... સંબંધ... આ બધાનો આધાર છે કોઇ ને કોઇ સ્વાર્થ. દુનિયામાં તે જ વિચક્ષણ ગણાય છે, કે જે પોતાનો સ્વાર્થ સાધી લે. જેનાથી સ્વાર્થ ઘવાય તેવી પ્રવૃત્તિ કરનાર ભોટ ગણાય છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં કહ્યું છે - स्निह्यन्ति तावद्धि निजा निजेषु, पश्यन्ति यावन्निजमर्थमेभ्यः । इमां भवेऽत्रापि समीक्ष्य रीतिं, સ્વાર્થે ન : પ્રત્યહિતે યતેત?।।૧-૨૧ાા ‘પોતાના’ને પણ પોતાના ત્યાં જ સુધી ચાહે છે, કે જ્યાં સુધી તેમને એમના દ્વારા પોતાનો સ્વાર્થ સરતો લાગે છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ આલોકમાં પણ આ જ નીતિ દેખાય છે, તો પરલોકમાં પોતાનો આત્મા સુખી થાય, એ સ્વાર્થ = આત્મહિત માટે કોણ પ્રયત્ન ન કરે? સાવધાન, પુત્ર પરના મમત્વના કારણે આજ સુધીમાં અનંત જીવો પુત્રની વિષ્ટામાં કીડા તરીકે ઉત્પન્ન થયા છે. શું લાભ થયો પોતાના આત્માને. આખી જિન્દગી પુત્ર પાછળ ઘસી નાખવા છતાં. એ પુત્ર સદ્ગતિની કોઈ ખાતરી આપી શકતો નથી. અરે, એ જ પુત્ર પ્રત્યેનું મમત્વ દુર્ગતિમાં ઘસડી જાય છે, सुत वनिता यौवन धन मातो અધ્યાત્મવિશ્વના પ્રવેશદ્વારે એક પ્રવેશ-ફી આપવી પડે છે. એના વિના અધ્યાત્મ-વિશ્વમાં પ્રવેશ મળતો નથી. આ પ્રવેશ-ફી એટલે પરદ્રવ્ય-વિરક્તિ અને આત્મદ્રવ્ય અનુરક્તિ. જ્યાં સુધી પરદ્રવ્યો પ્રત્યે અંતરમાં વિરાગનો ભાવ જાગૃત ન થાય, તેમનામાં પારકાપણાની પ્રતીતિ ન થાય, તેમનામાં આત્મહિતના શત્રુત્વની પ્રતીતિ ન થાય, અને જ્યાં સુધી આત્મદ્રવ્ય પ્રત્યે ‘અહં’ બુદ્ધિનો ઉદય ન થાય. આત્મકલ્યાણ માટે પુરુષાર્થ કરવાની ઝંખના ન થાય, ત્યાં સુધી અધ્યાત્મવિશ્વમાં પ્રવેશ શક્ય નથી. - આત્માનુભૂતિની અદ્ભુત કક્ષાને પ્રાપ્ત કરવા માટે તો શરીર પ્રત્યેનું ય મમત્વ છોડી દેવું અનિવાર્ય છે, અરે, માન્યતા પ્રત્યેનું ય મમત્વ છોડી દેવું અતિ આવશ્યક છે, તો પછી પુત્ર વગેરે પ્રત્યેના મમત્વની તો શું વાત કરવી? सुत वनिता यौवन धन मातो ચક્રવ્યૂહના સાત કોઠાને તો ક્યાંય શરમાવે એવા આ એક એક કોઠા છે. બિચારો જીવ આમાં ક્યાંક ને ક્યાંક ખરાબ રીતે અટવાઇ જાય છે અને મોહરાજાના હાથે ધોબીપછાડ હાર ખાય છે. બીજો કોઠો છે વનિતા = સ્ત્રી. જેની આસક્તિએ બ્રહ્મદત્ત ચક્રવર્તીને સાતમી નરકનો મહેમાન બનાવ્યો. જેના કારમા રાગે દેવશર્મા બ્રાહ્મણને પત્નીના ગુમડાની રસીનો કીડો બનાવ્યો. જેના રૂપ પાછળ પાગલ બૌદ્ધ રાજા રાણીની વિષ્ટાનો કીડો થયો. જેના લપસણા પગથિયેથી લપસીને નંદિષણ, અષાઢાભૂતિ જેવા મુનિવરો ચારિત્ર-સામ્રાજ્યથી ભ્રષ્ટ થઇ ગયાં. અરે, આગળ વધીને કહું તો વર્તમાનમાં પણ પ્રાયઃ પ્રત્યેક ઘરે જેના નિમિત્તે સંક્લેશોની હોળી સળગે છે,... પેલા ભર્તૃહરિએ સાચું જ કહ્યું છે नान्यन्मनोहारि नितम्बिनीभ्यो, दुःखैकहेतुरपि कश्चिदन्यः ।। મોહઘેલા જીવને દુનિયામાં ‘સ્ત્રી’થી વધુ સુંદર બીજું કાંઇ જ લાગતું નથી, એ જેટલું સત્ય છે, એટલું જ સત્ય એ પણ છે, કે ‘સ્ત્રી’ જેવું બીજું દુઃખનું કારણ પણ કાંઇ જ નથી. For Private & al Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ શંકા :- પરદ્રવ્ય તરીકે તો માટી, સોનું કે સ્ત્રી બધું સમાન જ છે. માટીની આસક્તિ પણ એટલા માટે છોડવાની છે કે એ પરદ્રવ્ય છે, એમ સ્ત્રીની આસક્તિ પણ એટલા માટે છોડવાની છે, કે એ પરદ્રવ્ય છે. તો પછી ‘સ્ત્રી’ જેવું બીજું કોઇ દુઃખનું કારણ નથી, એવું કેમ કહી શકાય? સમાધાન :- પરદ્રવ્યો અનંત છે. તે અનંત પરદ્રવ્યોમાં ‘પર'પણું તો સમાન જ છે. પણ આત્માને અનાદિકાલીન કુસંસ્કારોને કારણે પ્રાયઃ ‘સ્ત્રી’ પ્રત્યે અત્યધિક આસક્તિ થાય છે. વસ્તુતઃ પરદ્રવ્ય ખરાબ છે એવું પણ નથી. કારણ કે પદ્રવ્યમાં શુભાશુભત્વ તો આરોપિત તથા આપેક્ષિક છે. ખરાબ તો છે આસક્તિ, કારણ કે એ આત્મસ્વરૂપને કલુષિત કરે છે. એ આસક્તિ જેના પર વધુ થતી હોય, તેને પણ ઉપચારથી વધુ ખરાબ કહી શકાય. એ રીતે ‘સ્ત્રી’ અત્યધિક આસક્તિનું કારણ હોવાથી આત્માનું અત્યંત અહિત કરવામાં નિમિત્ત બને છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે - मोक्खाभिकंखिस्स उ माणवस्स, संसारभीरुस्स ठियस्स धम्मे। णेयारिसं दुत्तरमत्थि लोए, जहित्थिओ बालमणोरमाओ।। મનુષ્ય મોક્ષાભિલાષી હોય, ભવભીરુ હોય, તથા ધાર્મિક હોય, તેને પણ દુનિયામાં બીજું કાંઈ જ એવું દસ્તર નથી, કે જેવી દુસ્તર છે સ્ત્રી. સ્ત્રીની આસક્તિ એવો દરિયો છે કે જેને પાર કરતાં કરતાં ભલભલા હાંફી ગયા છે. સ્ત્રી મનોહર છે, એવું નથી. સ્ત્રી મનોહર લાગે છે બાળજીવોને = અન્નજીવોને. દ્રવ્યથી સ્ત્રીનું સ્વરૂપ છે તદ્દન અશુચિમય. શરીરના બાર છિદ્રો દ્વારા તે સતત અશુચિનું સ્રાવણ કરતી રહે છે. શરીરમાં સૌથી ઉપર રુંવાટા, તે ‘વાળ’મય અશુચિ. તેની નીચે ચામડી, તે ય અશુચિ, તેની નીચે ચરબી અને સ્નાયઓ. તે ય મહા દુર્ગધી અશુચિ, તેની નીચે લોહી અને માંસ, તે ય છી... છી.. થઇ જાય તેવી જુગુપ્સનીય અશુચિ. તેની સાથે હાડકાનો માળો... જોઈને ય ઉદ્વિગ્ન થઈ જવાય તેવી અશુચિ. ઇન્દ્રિયપરાજય શતકમાં કહ્યું છે – मंसं इमं मुत्तपुरीसमीसं, सिंघाणखेलाइयणिज्जरंत। एयं अणिच्चं किमियाण वासं, पासं णराणं मइबाहिराण।।५२।। એક તો માંસ સ્વયં જુગુપ્સાજનક છે. એમાં પાછા મૂત્ર અને વિષ્ટા પણ સાથે ભળ્યા છે. આંખ-કાન-નાકના મેલ અવિરતપણે ઐવી રહ્યા છે. રે... એ શરીરની અંદર કેટકેટલા કીડાઓ ખદબદી રહ્યા છે. બાહ્યદૃષ્ટિથી જે સુંદરતા લાગે છે, તે ય ક્યાં સુધી? રાતો રાત એક સુંદરી શાકિની બની શકે છે. રોગ - અકસ્માતુની તલવાર સતત માથે લટકી રહી છે. પ્રત્યેક ક્ષણે ઘડપણ વધુ ને વધુ નજીક આવતું જાય છે. વીશ વર્ષની જે સ્ત્રી મનોહર લાગતી હતી. તે જ સ્ત્રી ૫૦-૬૦-૭૦૭૫ વર્ષે જોવી કે ન ગમે, તેવી જુગુપ્સનીય બને છે. આવી અનિત્ય અને અશુચિમય સ્ત્રીમાં કોણ રાગ કરે? આવી પણ સ્ત્રી બંધનરૂપ બને છે મૂર્ખ લોકોને. જેમની પાસે વિવેકચક્ષુ નથી, જેમની પાસે તત્ત્વદૃષ્ટિ નથી, જેમના નેત્રો મોહથી આવૃત છે. તેમને આ ગટરમાં ય સુધાસરોવરના દર્શન થાય છે. યોગશતકમાં પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ કહ્યુ છે – थीरागम्मि तत्तं तासिं चिंतेज्ज। Page #15 -------------------------------------------------------------------------- ________________ એક વ્યક્તિ પ ક વસ્તુ પર જ ઈ હથિ, પાગુ થાનક છે. કાણુ કે અગ્ર સંસારની થઈ ત્યાં કેન્દ્રિત થર્થ છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ જેને સ્ત્રીની આસક્તિ બહુ સતાવતી હોય, તેણે - છેતરપિંડી, કુશીલતા, મૂર્ખતા, અત્યંત લોભીપણું,... સ્ત્રીસ્વરૂપનો વિચાર કરવો જોઇએ, દ્રવ્યથી સ્ત્રીનું સ્વરૂપ આ બધા સ્ત્રીના સ્વાભાવિક દોષો છે. ખરેખર, સ્ત્રીઓ પ્રત્યે તદ્દન અશુચિમય અને અનિત્ય છે, ભાવથી સ્ત્રીનું સ્વરૂપ કોણ રાગ કરે? દોષબહુલ છે. सुत वनिता यौवन धन मातो सुत वनिता यौवन धन मातो. | તો ય મોહથેલો જીવ આ કોઠાઓમાં અટવાઇ જાય છે. સ્ત્રીની પાછળ પાગલ બનેલા જીવને ખબર નથી, કે આ જ નિમિત્તો દ્વારા પોતે અનંતકાળ સુધી જે ભયંકર દુઃખો કેવા પાત્ર પ્રત્યે મને પ્રીતિ છે? પ્રભુ વીરે કહ્યું છે - સહ્યા, તે ભૂલી જાય છે. નિગોદના દુઃખો... નરકના દુઃખો... તિર્યંચના દુઃખો... અરે, જે દુઃખ સાવ જ નજીકના ભૂતકાળમાં अणंती पावरासिओ जया उदयमागया। तया इत्थित्तणं पत्तं सम्मं जाणाहि गोयमा !|| ભોગવ્યું છે, તે ગર્ભાવાસનું દુઃખ પણ ભૂલી જાય છે. ગૌતમ ! જ્યારે અનંત પાપરાશિઓનો ઉદય થાય છે, गर्भतणी वेदन विसरीरी ત્યારે ‘સ્ત્રીપણું” પ્રાપ્ત થાય છે. ગર્ભાવાસની વેદના કેટલી? શરીરમાં સાડા ત્રણ કરોડ જેમ ક્રોધ કરવાથી સર્પનો અવતાર મળે અને સર્પના રુંવાડા હોય છે. સાડા ત્રણ કરોડ સોયાઓને અગ્નિમાં તપાવીને લાલચોળ કરવામાં આવે અને એક સાથે સાડા ત્રણ કરોડ ભવમાં ક્રોધ સહજ બને. તે રીતે માયા કરવાથી સ્ત્રીનો રુંવાટાઓમાં ખોસી દેવામાં આવે તો કેવી ભયાનક વેદના થાય? અવતાર મળે, અને સ્ત્રીના ભવમાં માયા સહજ બને. માયાની એના કરતા આઠ ગણી વેદના ગર્ભમાં પ્રત્યેક ક્ષણે થતી હોય છે. સાથે સાથે અનેક દોષો પણ સ્વભાવગત બને. સગા પતિનો ય અને જન્મ સમયની વેદના તો તેના કરતા પણ અનંતગણી હોય દ્રોહ કરનારી સુકુમાલિકા, સગા પુત્રને ય મારી નાખવા પ્રયત્ન છે. આવી ભયાનક વેદનાને ય ભૂલાવી દે, એવી મોહજંજાળ કરતી ચુલની, શત્રુરાજાને પ્રેમસંદેશ મોકલનારી ઉપરંભા, ... કેવી ભયાનક હશે? એવી ભયાનક મોહજંજાળના નિમિત્તો કેવા આવી તો કેટકેટલી નારીઓ ઈતિહાસના પૃષ્ઠો પર એક ઉપદેશ ભયાનક હશે? અને એવા ભયાનક નિમિત્તો સાથે ગાળેલી આપી રહી છે – ક્ષણો કેટલી ભયાનક હશે? તો ય જીવ એમ સમજે છે, કે આ ‘અમારા પનારે પડશો નહીં, અન્યથા અમે તમારું ધનોત નિમિત્તો સાથે ગાળેલી ઘડી જ સફળ છે. પનોત કાઢી નાખ્યા વિના રહેવાના નથી.’ जीय जाने मेरी सफल घरीरी શાસ્ત્રમાં કહ્યું છે - શું કહેવું આને? દુર્ભાગ્ય? કે પછી દુબુદ્ધિ? वञ्चकत्वं कुशीलत्वं, मूर्खत्वमतिलोभता। આનંદઘનજી મહારાજ આ વિચિત્રતાના મૂળ સુધી પહોંચ્યા તિ નૈસર્ગિા ફોષા, પાસાં તાજુ શ્વેત વ: ? બાદ તેનો ચિતાર રજુ કરી રહ્યા છે... Page #17 -------------------------------------------------------------------------- ________________ सुपन को राज साच करी माचत राहत छांह गगन बदरीरी, आई अचानक काल तोपची गहेगो ज्युं नाहर बकरीरी ...२ जीय जाने मेरी सफल घरीरी... BO ४ Page #18 -------------------------------------------------------------------------- ________________ સ્વપ્નના રાજ્યને સાચું સમજીને રાજી થાય છે. આકાશના વાદળાની છાંયડીમાં રહે છે. પણ અચાનક કાળ તોપચી આવશે, અને જેમ નાર નામનું જંગલી પ્રાણી બકરીને લઈ જાય, તેમ પકડી જશે. રા એક હતો ભિખારી. ચાર દિવસનો ભૂખ્યો... તરસ્યો... ભટકી ભટકીને થાકી ગયો. એક ઝાડ નીચે સૂઈ ગયો. એણે સ્વપ્ન જોયું, કે પોતે રાજા છે. વિરાટ સામ્રાજ્યનો માલિક છે. હજારો શ્રેષ્ઠીઓ આવી આવીને તેના પગમાં પડે છે. લાખો-કરોડો સોનામહોરોના નજરાણા મુકી જાય છે. વૈભવી રાજમહેલ, અપ્સરા જેવી રાણીઓ, અગણિત નોકર-ચાકરો, વિરાટ સેના... આ બધું જોઇને એ રાજીનો રેડ થઈ ગયો... જાણે પોતે ન્યાલ થઈ ગયો હોય... એમ સમજી મન મુકીને નાચવા લાગ્યો... ત્યાં તો સુસવાટા કરતો પવન આવ્યો. ઝાડ પરથી એક ડાળખી તેના માથા પર પડી. આંખો ખુલી ગઈ. જુએ છે તો તે જ ઝાડ, તે જ વગડો, તે જ ધરતી અને તે જ પોતે ભિખારી... બિચારો, પોક મુકીને રડવા લાગ્યો. જેટલો રાજી થયો હતો, તેટલો જ દુઃખી થઇ ગયો. કારણ? सुपन को राज साच करी माचत સ્વપ્નના રાજને સત્ય માની લીધું. જે નથી, તે છે એમ માની લીધું. હવે આંખો ખુલી, એટલે ધ્રુસકે ધ્રુસકે રડે છે. વાસ્તવમાં જોઈએ તો કોઇએ એનું રાજ્ય પડાવી લીધું નથી. કોઇએ એને રાજામાંથી ભિખારી બનાવી દીધો નથી. એના દુઃખનું કારણ છે એનું મિથ્યાજ્ઞાન. આ વાત માત્ર ભિખારીની નથી. આ વાત આપણી છે. આપણા દુઃખનું પણ કોઇ મૂળ હોય, તો એ છે મિથ્યાજ્ઞાન. જે નથી, તે છે એવો ભ્રમ. મારી ઉંમર ૪/૫ વર્ષની હતી, ત્યારની વાત છે. ટી.વી. પર સિરિયલ-પિક્ચર જોતો. તેમાં કરુણ પ્રસંગ આવે, એટલે ધ્રુસકે ધ્રુસકે રડતો. મારી બાજુમાં મારા કાકા બેઠા હોય. એ મને કહેતા, “રડ નહીં, આ બધું ખોટું હોય...'' વગેરે વગેરે. આજે હું વિચાર કરું છું, કે ‘આ બધું ખોટું હોય’, એનો અર્થ શું? સગી આંખે જે દેખાય છે, જે સંભળાય છે, અનુભવાય છે, એ ખોટું શી રીતે હોઈ શકે? કે જવાબ એ છે કે ભલે એવું પ્રત્યક્ષ દેખાય, સંભળાય અનુભવાય... તો ય એ ખોટું છે, કારણ કે પછી તેવું હોતું નથી. સગી આંખે ફિલ્મમાં જોયું કે હીરોનું ખૂન થઈ ગયું. પણ એ ખોટું છે, કારણ કે એ દૃશ્યનું શુટિંગ પૂરું થાય, તેની બીજી જ મિનિટે તે હીરો ખુરશી પર બેસીને નાસ્તો કરતો હોય છે. સ્વપ્ન હોય, નાટક હોય કે ફિલ્મ હોય, તે બધું ખોટું છે, કારણ કે ‘પછી તેવું હોતું નથી.' એ જ રીતે આ સમગ્ર સંસાર પણ ખોટો છે, કારણ કે ‘પછી તેવું હોતું નથી.’ સ્વપ્ન કદાચ એક કલાકે પૂરું થાય છે, નાટકનો બે કલાકે અંત આવે છે, તો ત્રણ કલાકે ફિલ્મ પૂરી થાય છે. સમય ઓછો હોય કે વધુ તેની સાથે કોઇ સંબંધ નથી. ‘પછી તેવું હોતું નથી.’, માટે એ બધું ખોટું છે. એમ સંસારનું સ્વપ્ન લાંબો સમય ચાલે છે. જીવનની આ ફિલ્મ ૫૦/૬૦/૭૦ વર્ષ ચાલે છે. અહીં પણ પાત્રો છે, પ્રસંગો છે, ઘટનાઓ છે, દેખાય છે, સંભળાય છે, અનુભવાય પણ છે, પણ તો ય આ બધું ખોટું છે. કારણ કે ‘પછી તેવું હોતું નથી.’ Por Private & Persons U Of Page #19 -------------------------------------------------------------------------- ________________ એક સ્વપ્ન આંખો ખુલે અને પૂરું થાય છે, બીજું સ્વપ્ન આંખો મીંચાય અને પૂરું થાય છે. શાંતસુધારસમાં કહ્યું છે - मित्र-स्त्री-स्वजनादिसङ्गमसुखं, स्वप्नेन्द्रजालोपमं, तत् किं वस्तु भवे भवेदिह मुदा-मालम्बनं यत् सताम् ? ||१-२।। - મિત્ર, પત્ની, સ્વજનો, સાધન-સામગ્રીઓ આ બધા સાથે જે સંયોગ થયો, જે સુખ અનુભવાયું, એ બધું જ સ્વપ્ન જેવું છે, ઈન્દ્રજાળની માયા જેવું છે. આ સંસારમાં એવી કોઈ વસ્તુ નથી, કે જેના આધારે કોઇ બુદ્ધિશાળી વ્યક્તિ રાજીની રેડ થઈ જાય. એ કામ છે અજ્ઞાનીનું... મૂર્ખનું... सुपन को राज साच करी माचत રડે છે તે, જે સ્વપ્નને સત્ય માની લે છે. જે સ્વપ્નને સ્વપ્નરૂપે જ જાણે છે, તે જ્ઞાની છે. તે પ્રત્યેક પરિસ્થિતિમાં પૂર્ણપણે સ્વસ્થ રહી શકે છે. આત્માને રાગ-દ્વેષની પરિણતિથી મુક્ત રાખી શકે છે. જ્યારે પાંચમી યોગદૃષ્ટિનો ઉઘાડ થાય છે. ત્યારે આ કક્ષાની પ્રાપ્તિ થાય છે. યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે – बालधूलिगृहक्रीडा-तुल्याऽस्यां भाति धीमताम्। तमोग्रन्थिविभेदेन, भवचेष्टाऽखिलैव हि।।१५५।। मायामरीचिगन्धर्व-नगरस्वप्नसन्निभान्। बाह्यान् पश्यति तत्त्वेन, भावान् श्रुतविवेकतः।।१५६।। એક વાર અજ્ઞાન-ગ્રંથિ ભેદાઇ જાય, શ્રતવિવેકનો ઉદય થાય, તાત્ત્વિક દૃષ્ટિનો ઉઘાડ થાય, એટલે સમસ્ત સાંસારિક ચેષ્ટાઓ એવી લાગે, કે જાણે એક બાળક ધૂળનું ઘર બનાવી રહ્યો છે... જાણે ઇન્દ્રજાળનો પ્રયોગ ચાલી રહ્યો છે... જાણે વાદળાઓમાં ગંધર્વનગરની રચના થઈ રહી છે... જાણે એક દીર્ઘ સ્વપ્ન ચાલી રહ્યું છે. સ્વપ્નમાં રાજાની સેના છે, મંત્રીઓ છે, વૈભવ છે, રાજ્ય છે, રાણીઓ છે, રાજકુમારો છે, તેમ સંસારમાં પણ ઘર છે, સંપત્તિ છે, મિલકત છે, પત્ની છે, પુત્રો છે. સ્વપ્ન પૂરું થાય, તેની સાથે જ આખી ય પરિસ્થિતિ બદલાઈ જાય છે, તે જ રીતે આ જીવન પૂરું થાય, એટલે બધી પરિસ્થિતિ બદલાઇ જાય છે. ના, આને સત્ય માની લેવાની ભૂલ કરવા જેવી નથી. આ તો એવી મૂર્ખતા છે કે... राहत छांह गगन बदरीरी આકાશમાં વાદળી છે. તેની નાનકડી છાંયડી છે. પણ એ છાંયડીની સ્થિરતા ક્યાં સુધી? પવનની એક લહેર આવી નથી ત્યાં સુધી. અરે, થોડો વેગીલો પવન આવી જાય, તો વાદળીનું ય નામોનિશાન ન રહે, છાંયડીની તો વાત જ ક્યાં રહે છે? એવી છાયામાં કોણ રાચે? - જેમ વાદળીનું અસ્તિત્વ પવન પર નિર્ભર છે, તેમ જીવનનું અસ્તિત્વ પણ પવન પર નિર્ભર છે. કારણ કે જીવન પ્રાણવાયુને આધારે ચાલે છે. કદી મનમાં વિચાર પણ આવ્યો છે? વિશ્વની સૌથી ચંચળ વસ્તુ છે પવન, અને પવન ઉપર આ શરીર નભે છે. ખરેખર, પત્તાના મહેલ પર નૃત્ય કરવું અને આ સંસારમાં રાચવું... આ બંને ચેષ્ટા તુલ્ય છે. ન જાણે... કઈ ક્ષણે યમરાજ ત્રાટકશે... आई अचानक काल तोपची મૃત્યુ અચાનક અને અણધાર્યું આવે છે. નથી એ ઉંમર જોતું કે નથી તો સમય જોતું... णत्थि कालस्स णागमो એવો કોઈ સમય નથી, કે જે સમયે મૃત્યુ ન થઈ શકે. | to & Fersonal Page #20 -------------------------------------------------------------------------- ________________ પતિની બર્થ-ડે પાર્ટીમાં પતિનો પ્રિય કોફીનો કપ પત્નીએ તેના હોઠે લગાડ્યો, અને તેની સાથે જ પતિનું પ્રાણપંખેરું ઉડી ગયું. આખી રાત ડ્રાઈવિંગ કર્યા બાદ જ્યારે માત્ર ૨૦ મિનિટનું અંતર બાકી રહ્યું, ત્યારે કારનો અકસ્માત થયો. ઘટનાસ્થળ પર જ ચાર મોત થઇ ગયા. વોટર રિસોર્ટમાં ખૂબ રમ્યા બાદ જવાનો સમય થયો. ‘છેલ્લી ડુબકી’ માટે મમ્મીને મનાવીને છોકરાએ ડુબકી લગાવી, જે ખરેખર છેલ્લી બની ગઇ. અહીં મૃત્યુને તોપચીની ઉપમા આપી છે. તીરથી તો બચી પણ શકાય, અરે, તીર વાગ્યા પછી ય કદાચ ઉપચાર થઇ શકે, પણ તોપ? મૃત્યુ જાણે તોપના ગોળાથી જ પ્રહાર કરે છે. આ પ્રહાર અસ્તિત્વ પર પૂર્ણવિરામ મુક્યા વિના રહેતું નથી. सम्मीलने नयनयोर्न हि किञ्चिदस्ति એક વાર આંખો મીંચાય, એટલે માત્ર અસ્તિત્વ જ નહીં, પણ અસ્તિત્વ પર આધારિત સર્વ સંયોગો પણ શૂન્યતામાં પરિણમે છે. ઈચ્છો કે ન ઇચ્છો... એ પળ આવવાની, અવશ્ય આવવાની, મૃત્યુ ત્રાટકવાનું, વ્યક્તિ અસહાય બની જવાની, મૃત્યુ એના પરિવારની સમક્ષ એને નિર્દયતાથી ઘસડી જવાનું... गहेगो ज्युं नाहर बकरीरी નાહર નામનું ખૂંખાર જંગલી પ્રાણી. લપાઇને લાગ શોધતું હોય. એકાએક એ તરાપ મારે, બકરીઓની વચ્ચે ઝંપલાવે, બકરીઓ જીવ લઇને ભાગે. પણ જે બકરી પર તરાપ મારી હોય, એ તો ટસની મસ ન થઇ શકે. નાહરે એને પોતાના પંજામાં સજ્જડ પકડી હોય. દૂર દૂર ઝાડીઓમાં છુપાઇને બીજી બકરીઓ ટગમગ આંખે જોઈ રહી છે. નાહર એક સરમુખત્યારની અદાથી પોતાની ગુફા તરફ ચાલી રહ્યો છે. એ પ્રેક્ષક બકરીઓ અસહાયપણે પકડાયેલી બકરીને જોયા કરે છે, એમાંથી કોઇ એની માતા છે, કોઇ બહેન છે, કોઇ દીકરી છે, કોઇ સખી છે... રડતી આંખે જોયા કરે છે, પણ કોઇની તાકાત નથી કે તેને બચાવી શકે. વૈરાગ્યશતકમાં કહ્યું છે जह सीहो व मियं गहाय, मच्चू णरं णेइ उ अंतकाले । ण तस्स माया ण पिया ण भाया, कालम्मि तम्मि सहरा भवंति ।। ४३ ।। - જેમ સિંહ હરણને પકડી જાય છે, તેમ અંતસમયે મૃત્યુ મનુષ્યને લઈ જાય છે, માતા... પિતા... ભાઈ... કોઈ એ સમયે એને બચાવી શકતા નથી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ. તેમના અંતસમયે તેમના બંગલાની આસપાસ પાંચ લાખ માણસો ભેગા થઇ ગયા હતાં. આખા દેશની પ્રજા તેમના સ્વાસ્થ્યની કામના કરતી હતી. બધાની એક જ ભાવના હતી... “હમારે પ્યારે નેતા બચ જાયે.’’ વિદેશોમાં ય અનેક સ્થળે નહેરુના જીવન માટે પ્રાર્થના થતી હતી. ડોક્ટરો પોતાની બધી શક્તિ લગાડીને પ્રયત્ન કરી રહ્યા હતા. નહેરુ તો કોમામાં હતાં. છેલ્લા ડચકા ખાઈ રહ્યા હતાં. એ લાખો માનવોના મહેરામણની વચ્ચેથી મૃત્યુએ નહેરુને ઉચક્યાં... કોઈ નહેરુને બચાવી ન શક્યું. એક રે દિવસ એવો આવશે... આત્માનુભૂતિનો બહુ સરળ અને સચોટ ઉપાય છે મૃત્યુનું ચિંતન. કારણ કે મૃત્યુનું ચિંતન આત્મહિતની ચિંતા કરાવે છે. મૃત્યુનું ચિંતન શરીર પરના મમત્વભાવને દૂર કરે છે. એક વાર આત્મહિતટષ્ટિનો ઉઘાડ થાય, એટલે આત્માનુભૂતિની દિશામાં પ્રગતિ થયા વિના રહે નહીં. માટે જ જ્ઞાનીઓએ કહ્યું છે – Page #21 -------------------------------------------------------------------------- ________________ गृहीत इव केशेन मृत्युना धर्ममाचरेत्। મૃત્યુએ જાણે તમને વાળથી પકડ્યા હોય, એ રીતે, જાણે આ તમારી છેલ્લી ઘડી હોય, એ રીતે ધર્મનું આચરણ કરો. आई अचानक काल तोपची પ્રત્યેક આત્મસાધકે પ્રતિદિન પ્રભાત એટલો વિચાર કરવો જોઇએ, કે ‘‘શક્ય છે, આજનો દિવસ મારા જીવનનો અંતિમ દિવસ હોય.” શક્ય છે કે નથી? આજે મૃત્યુ ૧૦૦% છે, એવું તો ન કહી શકાય, પણ આજે મૃત્યુની શક્યતા ૧૦૦% છે, એવું તો કહી શકાય ને? એ તો એક નરી વાસ્તવિકતા છે ને? | શ્વાસોચ્છવાસની આ ધમણ ક્યાં સુધી ચાલતી રહેશે? હૃદયના આ ધબકારા ક્યાં સુધી સ્પંદન કર્યા કરશે? એકાંત અને નીરવ શાંતિમાં આ શારીરિક ક્રિયાઓ પર ચિંતન કરીએ, તો એવું લાગે, કે આ બધું તંત્ર ચાલી રહ્યું છે, એ આશ્ચર્ય છે, ગમે તે ક્ષણે આ તંત્ર ખોરવાઇ જાય, અટકી જાય, તો એમાં કોઈ આશ્ચર્ય નથી. | આનાથી મોટું વૈરાગ્યનું આલંબન બીજું શું હોઇ શકે? પણ તો ય મન માનતું નથી. હજી એને કર્તવ્યની સંવેદના થતી નથી. કેટલી વિચિત્ર અને દુ:ખદ છે આ ઘટના! અંતિમ કડીમાં આ જ ઘટનાનું શબ્દચિત્ર રજુ થઇ રહ્યું છે... Deatho has so many doors to let out Le Page #22 -------------------------------------------------------------------------- ________________ ઢજી પણ ચેત, કેમ ચેતતો નથી? હારિત, પક્ષી જેમ લાકડીને પકડી રાખે, એમ ટેક પકડી રાખી છે. ‘આનંદઘન’ સ્વરૂપ જે હીરો છે, તેને મનુષ્ય છોડી દે છે અને તે માયારૂપી કાંકરા પર મોહ પામી ગયો છે. ||૩|| | એક નદી પર ક્ષતિગ્રસ્ત પુલ હતો. તેને તોડીને નવો પુલ બનાવવાનો હતો. પુલ તોડવા માટે સુરંગ ગોઠવવામાં આવી. નિયત ક્ષણો પછી મોટા ધડાકા સાથે સુરંગ ફૂટે અને પુલના ફુરચે ફુરચા ઉડી જાય, એવી ગોઠવણી કરાઈ. બંને બાજુ લોકોને ચેતવણી આપવામાં આવી. માણસો દૂર દૂર જતા રહ્યા, એ સમયે એક પુરુષ ત્યાં ફરવા માટે આવ્યો. ‘સાવધાન' ‘પ્રવેશનિષેધ’ ‘ખતરા’ જેવા અનેક બોર્ડ વટાવીને એ ચાલતો જ રહ્યો. નદીના પુલમાં એ આગળ ને આગળ વધી રહ્યો હતો. સુરંગ ફૂટવાની તૈયારી જ હતી. અચાનક એનો ફોન રણકી ઉઠ્યો. ફોન કર્યો હતો એના કોઇ મિત્રે. હા, એણે દૂરથી એને જોઇ લીધો હતો. એણે એને ખૂબ ઝડપથી પરિસ્થિતિ સમજાવી. દોડીને પાછા આવી જવા માટે સ્પષ્ટ સૂચના આપી. નહીં તો આખા શરીરના કુરચા ઉડી જશે, એવી ચેતવણી આપી. પણ આ શું? એ માણસ તો એ જ રીતે આગળ વધતો જાય છે. એને રસ છે ત્યાંના પ્રાકૃતિક સૌન્દર્યમાં એને ગમે છે ખળખળ વહેતી નદીનું સંગીત. એને આકર્ષે છે સોળે કળાએ ખીલેલી કુદરત. પેલો મિત્ર હવે બરાબરનો અકળાયો છે. ‘ભાગી છૂટ, નહી તો મરી જઇશ. એક હાડકું ય સરખું નહી રહે, હજી સમજી શકે તો સમજ...” NA अजहु चेत कछु चेतत नाहि. पकरी टेक हारिल लकरीरी: आनंदघन हीरो जन छारत, નર મોહ્યો માયા વછરીરી...૩ जीय जाने मेरी सफल घरीरी... Page #23 -------------------------------------------------------------------------- ________________ अजहु चेत कछु चेतत नाहि લોકોને કાંઇક રહસ્ય લાગ્યું. નજીક ગયાં. જોયું તો છોકરાએ બરાબર આ સ્થિતિ છે મોહાધીન જીવની. અવધૂત ગધેડાની પૂછડી પકડી રાખી હતી. ગધેડો એને સતત લાતો આનંદઘન પેલા મિત્રની જેમ ચેતવણી આપે છે. મોતની મારતો હતો. બિચારો માર ખાઈ ખાઇને લોહીલુહાણ થઈ ગયો તલવાર માથા પર લટકી રહી છે. અને તું બાહ્ય સૌન્દર્યની હતો. આ દૃશ્ય જોઇને લોકોને તો કમકમાટી થઈ ગઈ. બધાએ પાછળ પાગલ બન્યો છે? મોતના ભણકારા વાગે છે, અને તને એને કહ્યું, “અલ્યા ! છોડી દે ગધેડાની પૂંછડી.” પેલો કહે વિષયસુખ ભોગવવાની આશા છે?... ચેત, હજી પણ ચેતી ના.” “પણ કેમ?” “એ મારે સિદ્ધાન્તવિરુદ્ધ છે.” “કયો જા, કેમ ચેતતો નથી? સિદ્ધાન્ત?’’ ‘એ જ કે કોઈ વસ્તુ પકડવી નહીં, અને પકડીએ, તો પછી તેને છોડવી નહીં.’ ભલ ભલા વિદ્વાનો પણ આ પ્રશ્નાર્થની સામે મૌન થઈ | પછી ભલે ને એ ગધેડાની પૂંછડી હોય, અને ભલે ગયા છે, ઈન્દ્રિયપરાજયશતકમાં કહ્યું છે – ને એની પકડથી પોતાની જાત લોહીલુહાણ થતી હોય... શું अहो मोहो महामल्लो, जेण अम्हारिसा विह। કહેશો આ છોકરાને? કદાગ્રહી કે કમભાગી? જે પણ કહો, जाणंता वि अणिच्चत्तं, विरमंति न खणं पिह।।५४।। આ આંતરિક પકડ આલોક અને પરલોકમાં દુ:ખજનક બને છે, ખરેખર, મોહ એ મહામલ્લ છે. અમે તો અનિત્યતાને અને પરલોકને દૂર ને દૂર રાખે છે. જાણીએ છીએ, તો ય એક ક્ષણ માટે ય વિષયતૃષ્ણાને છોડી | આત્માનુભૂતિની અવર્ણનીય કક્ષાને આત્મસાત્ કરવી શકતા નથી... ચેતી શકતા નથી. એનું કારણ છે આ જ ત્યારે જ શક્ય બને, કે જ્યારે અંતરમાં કોઇ પણ પ્રકારની પકડ મહામલ્લ. હાઇ ડાયાબિટીશ છે, પણ ગુલાબજાંબુ છૂટતા વિદ્યમાન ન હોય. યોગદૃષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે - નથી. શરદીથી ત્રાસી ગયો છે, પણ આઈસ્ક્રીમ છૂટતો નથી. ___ ग्रहः सर्वत्र तत्त्वेन, मुमुक्षूणामसङ्गतः। આ કેવી દયનીય દશા. બાહ્ય વસ્તુ છૂટતી નથી, તેનું કારણ છે. मुक्तौ धर्मा अपि प्राय-स्त्यक्तव्याः किमनेन तत्?||४-१०।। આંતરિક પકડ. જે મુમુક્ષુ છે, એણે ક્યાંય પણ પકડ રાખવી, એ पकरी टेक हारिल लकरीरी વાસ્તવમાં અનુચિત છે. મોક્ષમાં ગયા બાદ તો (ક્ષાયિક હારિલ નામનું પક્ષી લાકડીને એવી રીતે પકડી રાખે સિવાયના) ધર્મોને પણ છોડી દેવાના છે, તો પછી કઈ વસ્તુની છે કે કોઇ એને છોડાવી ન શકે. એના જેવી છે આ આંતરિક પકડ રાખવી? પકડ, જેના કારણે જીવ દુઃખી થવા તૈયાર છે, પણ છોડી દેવા | વિશુદ્ધ આધ્યાત્મિક આનંદનો બાધક છે અભિનિવેશ... રાજી નથી. કોઈ પણ વસ્તુનો આગ્રહ... મિથ્યાભિમાન વિના આગ્રહનો | એક ગધેડો જોર જોરથી હચી હોંચી કરતો હતો. લોકોએ જન્મ થતો નથી. અને સંકુચિત, માનસ વિના આગ્રહ ટકી શકતો નજર કરી તો તેની લગોલગ પાછળ એક છોકરો ઊભો હતો. નથી. ‘વિષયો સુંદર જ છે’ આ પણ એક અભિનિવેશ છે અને Puivale & Pe Page #24 -------------------------------------------------------------------------- ________________ ‘મારી માન્યતા સાચી જ છે.” આ પણ એક અભિનિવેશ છે. જેઓ આગ્રહથી થતા દુ:ખથી મુક્ત બની ગયા છે. पकरी टेक हारिल लकरीरी કોઈ આપણને તમાચો મારી દે, તો આપણે દુઃખી થઈ પકડ રાખવી એટલે પોતે જ પોતાના આત્માને સમ્યક જઈએ, તેનું કારણ તમાચો નથી, પણ એક પ્રકારનો આગ્રહ સમજથી વંચિત કરી દેવો. આગ્રહ રાખવો એટલે સ્વયં પોતાની છે, કે “કોઈએ મને લાફો ન મારવો જોઈએ.’ જો આવો કોઇ ગ્રહણશક્તિને કુંઠિત કરી દેવી. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ આગ્રહ ન હોય, તો કોઇ આપણને દુઃખી કરી શકે તેમ નથી. સ્પષ્ટ કહ્યું છે – રસ્તામાંથી આપણે પસાર થતા હોઇએ અને ઉપરથી કોઇ अभिनिवेशस्य तत्त्वप्रतिपत्तिं प्रति शत्रुभूतत्वात् આપણા પર ફૂલોની વૃષ્ટિ કરતું ન હોય, એનાથી આપણે તત્ત્વજ્ઞાનનો શત્રુ છે અભિનિવેશ. આગ્રહની હાજરીમાં દુ:ખી થઈ જતા નથી, કારણ કે, ‘આપણા પર ફૂલોની વૃષ્ટિ તત્ત્વજ્ઞાન થઇ શકતું નથી. તાત્ત્વિક જ્ઞાન વિના વાસ્તવિક વૈરાગ્ય થવી જોઇએ' એવો આપણને આગ્રહ નથી. થઈ શકતો નથી. વાસ્તવિક વૈરાગ્ય વિના પારમાર્થિક વિરતિ | દુ:ખનો એક માત્ર આધાર છે આગ્રહ. દુ:ખી થાઓ, થઈ શકતી નથી અને પારમાર્થિક વિરતિ વિના મોક્ષ મળવો | ત્યારે સૂક્ષ્મ નિરીક્ષણ કરજો, દુઃખનું મૂળ હશે કોઈ ને કોઈ સંભવિત નથી. માટે મુમુક્ષુએ કોઇ પણ જાતના આગ્રહથી મુક્ત આગ્રહ... રહેવું જોઇએ. પંચસૂત્રમાં શ્રમણનું એક વિશેષણ કહ્યું છે – पकरी टेक हारिल लकरीरी निअत्तग्गहदुक्खे ‘પુત્ર-પત્ની વગેરે મારા છે', આ પણ એક આગ્રહ છે. ‘સંસાર સ્વપ્ન નહીં, પણ સત્ય છે'. આ પણ એક આગ્રહ છે, T et not our મૃત્યુના આગમનને હજી વાર છે’, આ પણ એક આગ્રહ છે. ‘સગુરુ ચેતવે તો ય ન ચેતવું, પ્રબળ પ્રમાણથી વિરુદ્ધ માન્યતા પણ ન છોડવી’, આ પણ એક આગ્રહ છે, જાણે કે ગધેડાની પૂછડી છે. જેને પકડવામાં કોઇ લાભ તો નથી, ઉપરથી લાતો આઈને લોહીલુહાણ થવું પડે છે. અનંત ભૂતકાળમાં આપણે ભટક્યા છીએ આગ્રહના જ પાપે, ફરીથી આગ્રહને જ વળગીને આપણે એ જ અનંત ભૂતકાળનું પુનરાવર્તન કરશું? આ રીતે શું મેળવશું? શું ગુમાવશું? કલ્પના કરી છે? આનંદઘનજી મહારાજ સ્વયં એનો ઉત્તર આપી રહ્યા છે – bbling drean ams affrigh ht our souls Page #25 -------------------------------------------------------------------------- ________________ आनंदघन हीरो जन छारत, ક્યાં આ મળ-મૂત્રથી ભરેલ ગંધાતી ગટર? ક્યાં એ લાવણ્યની नर मोह्यो माया ककरीरी. સરિતા અને ક્યાં આ અશુચિમય નગરપાળ? દેવી અને મનુષ્યઆત્માનુભૂતિ એ આનંદઘન છે... આનંદનો મહાસાગર સ્ત્રીના રૂપની તુલના તો જવા દો. શાસ્ત્રોમાં યુગલિકકાળની છે. મહાસાગરમાં જેમ પાણી જ પાણી હોય... એક પરમાણું | સ્ત્રીનું જે વર્ણન કર્યું છે, તે ય કલ્પનાતીત છે. આજની કોઈ જેટલું પણ કોરું સ્થાન ન હોય, એમ આત્માનુભૂતિમાં આનંદ રૂપરમણી તેની તોલે આવી શકે તેમ નથી, સ્પષ્ટ શબ્દોમાં જ આનંદ હોય, એક સમય માત્ર પણ દુઃખનો અવકાશ ન કહીએ તો આજની મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ પણ તેની તુલનામાં ‘વાંદરી’થી અધિક પુરવાર થઇ શકે તેમ નથી... એક હોય. આ આનંદઘન એ હીરાના સ્થાને છે. પુત્ર-પત્ની વગેરેની વાર એ લોકોત્તર રૂપનું દર્શન થાય, એટલે ‘વાંદરી’નો મોહ મોહ-માયા... એ કાંકરાના સ્થાને છે. અભિનિવેશગ્રસ્ત વ્યક્તિ આપોઆપ ઉતરી જાય. ‘વાંદરી’ ગમે છે, એનો અર્થ એ જ છે હીરાને છોડીને કાંકરાનું ગ્રહણ કરે છે. કે હજી સુધી વાસ્તવિક રૂપનો પરિચય પણ થયો નથી. કાંકરો - એક યુવાન સ્ત્રીની પાછળ પાગલ બન્યો હતો. સ્ત્રીનું ગમે છે, એનો અર્થ એ છે કે હજી સુધી હીરો કોને કહેવાય, એ રૂપ દેખાયું નથી, અને તેની પાછળ દોડ્યો નથી. એક દિવસ ય મૂઢ જીવને ખબર નથી. એણે અદ્ભુત રૂપવાળી યુવતી જોઈ. આવું રૂપ તો એણે સમગ્ર જીવનમાં જોયું ન હતું, એના પ્રેમમાં બરાબર લપટાયો. બન્યું आनंदघन हीरो जन छारत, એવું કે એ યુવાનનો એક મિત્ર સુંદર સંયમજીવન જીવીને દેવ નર મોહ્યો માયા ]papીરી... થયો હતો. એ યુવાનને પ્રતિબોધ કરવા માટે એણે ઘણો પ્રયત્ન 1 અબજો રૂપિયાની હરાજી બોલાવા છતાં ય હાથમાં ન કર્યો. પણ સફળતા ન મળી. છેવટે એ દેવે તે યુવાનને એક આવે એવો અણમોલ હીરો... એને માણસ છોડી દે ? એ પણ દેવીનું રૂપ દેખાડ્યું. એક કાંકરા માટે? આવી ચેષ્ટાનું રહસ્ય એ જ છે કે હીરાને | એને જોતાની સાથે તે યુવાન મંત્રમુગ્ધ બની ગયો. એ કાંકરો સમજી બેઠો છે અને કાંકરાને હીરો સમજી બેઠો છે. એની સાડા ત્રણ કરોડ રોમ રાજીમાંથી એક ઝણઝણાટી પસાર ચરમ પંક્તિનું હાર્દ છે મોહ્યો શબ્દ. ઉપરોક્ત વિશિષ્ટ ચેષ્ટાનું થઇ ગઈ. અનિમેષ નજરે એ જોતો રહ્યો. બે-ચાર ક્ષણોમાં | કારણ છે ‘મોહ’. ઈબ્દોપદેશમાં કહ્યું છે - દેવી તો અદૃશ્ય થઇ ગઈ. પણ હવે એ યુવાનના મનમાં એનું मोहेन संवृतं ज्ञानं स्वभावं लभते न हि। જ રૂપ રમ્યા કરે છે. પેલી પ્રિય સ્ત્રીની સામે ય નજર ફરકતી જ્ઞાન મોહથી આવૃત બને, એટલે એના સ્વભાવને નથી. દેવે તેને કારણ પૂછ્યું, તો કહે ‘હવે એ વાંદરીની સામે ગુમાવી દે. યથાર્થ જ્ઞતિક્રિયા કરવાનું એનું સામર્થ્ય જતું રહે. કોણ જુએ?' જે જે નથી, તેમાં તેની ભ્રાંતિ કરાવે છે મોહ. આત્માનુભૂતિના સ્ત્રી ગમે તેટલી સુંદર લાગતી હોય, દેવીની તુલનામાં અણમોલ હીરાની અવગણના કરાવે છે મોહ. માયા-મમતાના તો તે બિસ્કુલ વાંદરી જેવી છે. ક્યાં સુરભિ દિવ્ય શરીર અને કાંકરામાં હીરાનું દર્શન કરાવે છે મોહ. Prly Fers Page #26 -------------------------------------------------------------------------- ________________ એક વાર સમ્યજ્ઞાન પ્રગટે એટલે હીરાની ઓળખાણ થાય. આત્માનુભૂતિ જ આનંદઘન છે, સુખનો એક માત્ર સ્ત્રોત છે, એવી હાર્દિક સંવેદના થાય, અને એની સાથે જ એ સિવાયની સર્વ દુન્યવી વિષયો પ્રત્યેની ઉપાદેયબુદ્ધિનો વિચ્છેદ થઈ જાય. સમસ્ત પરદ્રવ્યો પ્રત્યે સહજ નિર્વેદનો ઉદય થાય. લોકભાષામાં કહીએ તો આત્મા સિવાયની બીજી બધી જ વસ્તુઓ પરથી મન તદ્દન ઉતરી જાય. આ એવી અવસ્થા છે, જેમાં કાંકરાનો ત્યાગ અને હીરાનું ઉપાદાન સહજ બને છે. જો આ અવસ્થા ન આવે, તો એનો અર્થ એ જ છે કે હજી સુધી સમ્યક્ જ્ઞાનનું પ્રાકટ્ય જ નથી થયું. | અવંતિસકમાલનો વૈભવી મહેલ હતો. અપ્સરા જેવી બત્રીશ પત્નીઓ હતી. સુખ-સમૃદ્ધિની છોળો ઉછળતી હતી. પણ જે ક્ષણે એણે નલિની ગુલ્મ દેવવિમાનનું વર્ણન સાંભળ્યું, અને જાતિસ્મરણજ્ઞાન દ્વારા એને પ્રત્યક્ષ જોયું, તે ક્ષણથી તેને અહીંનો વૈભવી મહેલ ઝૂંપડાથી ય કંગાળ લાગ્યો. અહીંની સુંદરીઓ ભૂંડણ કરતા ય ભૂંડી લાગી અને અહીંની કહેવાતી સુખ-સમૃદ્ધિને લાત મારીને છોડી દેતા એક પળનો ય વિલંબ ન થયો. જીવ અધમ કક્ષાના આભાસિક સુખને ત્યાં સુધી જ ઝંખે છે, કે જ્યાં સુધી એને શ્રેષ્ઠ કક્ષાના સુખનો પરિચય ન થાય. ઉપરોક્ત દૃષ્ટાન્તો પણ માત્ર ‘તુલના’ સમજવા માટે છે. બાકી તો દિવ્ય રૂપમાં ય વાસ્તવિક સૌન્દર્ય નથી અને નલિની ગુલ્મ વિમાનમાં ય સાચું સુખ નથી. અનુપમ સૌન્દર્ય તો છે આત્મસ્વરૂપમાં... અદ્દભુત આનંદ તો છે આત્માનુભૂતિમાં. જો આ સૌન્દર્યનું શાશ્વત સાન્નિધ્ય મળતું હોય... આ આનંદની અવિરત અનુભૂતિ મળતી હોય, તો અધમ કક્ષાના ભ્રામિક | સૌન્દર્ય અને આભાસિક આનંદનો ત્યાગ સહજ ન બની જાય? બસ, મોહને છોડી દઈએ... સમ્યજ્ઞાનની પરિણતિને કેળવીએ... બહુ જ ટૂંક સમયમાં એ અવસ્થા આવીને ઊભી રહેશે, કે જેમાં આત્મદ્રવ્યની રમણતા પરાકાષ્ઠાએ પહોંચી હશે, અને પરદ્રવ્યના અસ્તિત્વની પણ અવગણના સહજ બની હશે. આ જ અવસ્થાના પ્રભાવે શ્રીસ્થૂલભદ્રસ્વામી રૂપકોશાના તમામ પ્રયત્નોને નિષ્ફળ બનાવી શક્યા હતા. આ જ પરિણતિના પ્રભાવે ગજસુકુમાલ મુનિ, અંધક મુનિ જેવા મહર્ષિઓ મરણાત ઉપસર્ગમાં ય પૂર્ણ સમતાનું સાતત્ય રાખી શક્યા હતાં. આત્મદ્રવ્ય અને પરદ્રવ્યના પારમાર્થિક પરિચયથી વિવેકજ્ઞાન પ્રગટે છે. વિવેકજ્ઞાનથી અવશ્ય સમતાનો ઉદ્દભવ થાય છે. અને સમતા એ સિદ્ધિનો સરળ માર્ગ છે. અધ્યાત્મોપનિષદ્દમાં કહ્યું છે - ઇવાં વિવેવાડવુરિતાં શ્રિતા ચાં, નિવામાપુર્માતામૂિTT: 1. સૈવન્મા: સમતા મુનીના--પચરંતુ તચા નિરિણત: પ્રપન્વ:// વિવેકબીજમાંથી ફૂટેલો અંકુર એનું જ નામ સમતા. ભરત ચક્રવર્તી વગેરે રાજાઓ પણ ‘સમતા’નું આલંબન લઇને નિર્વાણ પદ પામ્યા. ‘સમતા’ એ જ મુનિઓનો સરળ માર્ગ છે, બાકી બધો તો તેનો જ વિસ્તાર છે. આ રીતે સ્વ અને પરનો પારમાર્થિક પરિચય અધ્યાત્મયાત્રાનું પ્રથમ પગલું બની રહે છે. પ્રભુની કૃપાથી... સદગુરુના સાન્નિધ્યથી આ પરિચયની પરિણતિ પ્રાપ્ત થાય, એ ક્ષણ ખરેખર ધન્ય હોય છે. વાસ્તવમાં તો ત્યારે જ એમ સમજવું જોઈએ કે... મેરી સન ઘરીરી... જિનાજ્ઞાવિરુદ્ધ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ્. For later Page #27 -------------------------------------------------------------------------- ________________ Just look a dream of 342 of your death. For Prato & Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સફળતાનું રહસ્ય, સુખનું રહસ્ય અને સિદ્ધિનું રહસ્ય... એ પ્રગટી રહ્યું છે, આપણે પામી જઈએ. 31EB 22 MULTY GRAPHICS 23/17/ [