Page #1
--------------------------------------------------------------------------
________________
આનંદઘનતી આત્માનુભૂતિ
૧
Page #2
--------------------------------------------------------------------------
________________
www.lainelibrary.org
Page #3
--------------------------------------------------------------------------
________________
णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષસૂરિસગુરુભ્યો નમઃ
શ્રી ભુવનભાનુસૂરિ જન્મશતાબ્દીએ નવલું નજરાણું - ૭૭ અલગારી અવધૂત શ્રી આનંદઘનજી મહારાજ પ્રણીત પદ પર પરિશીલન
આનંદઘoળી આમાનુભૂતિ
(પ્રથમ પદ)
An exlcusive
Cxperience
IT પરિશીલનકાર | પ્રાચીન શ્રતોદ્ધારક પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય
પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્વિજય કલ્યાણબોધિસૂરીશ્વરજી મહારાજા
કે પ્રકાશક : શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ ,
Page #4
--------------------------------------------------------------------------
________________
પુસ્તકનું નામ ઃ આનંદઘનની આત્માનુભૂતિ
મૂળ કૃતિ
વિષય
વિશેષતા
: અલગારી અવધૂત પ. પૂ. આનંદઘનજી મહારાજ પ્રણીત પ્રથમ આધ્યાત્મિક પદ
spot on
: આત્મજાગૃતિ
: આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ માટે, આત્માનુભૂતિની દિશામાં પ્રગતિ કરવા માટે, સુખ-શાંતિ-સમાધિની પરિણતિ માટે એક પરિશીલનીય પ્રબંધ
વિ. સં. ૨૦૬૭ • પ્રતિઃ ૨૦૦૦ • મૂલ્ય ઃ ૧૦૦/
પ્રાપ્તિ સ્થાન :
1) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા .. દુ.નં.6, બદ્રિકેશ્વર સોસાયટી, મરીન ડ્રાઈવ ઈ રોડ, મુંબઈ-400 002. ફોન ઃ 22818390, Email : devanshjariwala@gmail.com
2) શ્રી અક્ષયભાઈ શાહ .. 506, પદ્મ એપાર્ટ, જૈન મંદિર કે સામને, સર્વોદયનગર, મુલુંડ (પ.). મો. : 9594555505, Email : jinshasan108@gmail.com
૩) શ્રી બાબુભાઈ સરેમલજી બેડાવાળા .. સિદ્ધાચલ બંગ્લોઝ, સેન્ટ એન હાઈસ્કૂલ પાસે, હીરા જૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-5. મો. 9426585904, Email : ahoshrut.bs@gmail.com
4) શ્રી મેહુલ જે. વારૈયા .. 401, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, હનુમાન ચાર રસ્તા, સ્ટેટ બેંક ની ઉપર, ગોપીપુરા, સુરત-395 001. મો. : 9374717779, Email : mehuljvaraiya@gmail.com
5) શ્રી દિનેશભાઈ જૈન .. રૂમ નં.૮, પહેલે માળે, ૯, મલ્હાર રાવ વાડી, દાદીશેઠ અગિયારી લેન, કાલબાદેવી રોડ, મુંબઈ-400 002. મો.ઃ 7738500031
6) પરેશભાઈ શાહ .. 202, શિવકૃપા, લક્ષ્મીનારાયણ મંદિરની સામે, મથુરાદાસ રોડ, કાંદિવલી (૫.), મુંબઈ – 400 062. મો. 9820017030
7) મલ્ટી ગ્રાફિક્સ .. 18, Khotachi Wadi, Vardhaman Bldg. 3rd Floor, V. P. Road, Prathana Samaj, Mumbai - 4. Ph.: 23873222 / 23884222. E-mail : support@multygraphics.com
Design & Printed by : MULTY GRAPHICS... www.multygraphics.com
(c) Copyright held by Publisher & Author under Indian copyright act, 1957. http://copyright.govt.in/documents/copyright rules 1957.pdf
Page #5
--------------------------------------------------------------------------
________________
जिन मन्दिर-जल मन्दिर-जीव मन्दिर का पुण्य प्रयाग अर्थात् पावापुरी तीर्थ-जीवमैत्रीधाम
SPONSOR (YED HEXƏll) વિશ્વવિખ્યાત શ્રી પાવાપુરી તીર્થ-જીવમૈત્રી ધામ નિર્માતા
sil . u. riad Rur...
.
.
K. P. SANGHVI GROUP
Entitled Entities K. P. Sanghvi & Sons
Sumatinath Enterprises K. P. Sanghvi International Limited
KP Jewels Private Limited Seratreak Investment Private Limited K. P. Sanghvi Capital Services Private Limited K. P. Sanghvi Infrastructure Private Limited
KP Fabrics Fine Fabrics King Empex
Education intorno
Page #6
--------------------------------------------------------------------------
________________
આમંત્રણ..... આનંદયાત્રાનું.. જીવન્મુક્તિના આનંદથી મુક્તિના પરમાનંદ સુધીની
એક આનંદયાત્રા.. અનાસક્તભાવના આવિર્ભાવથી અનાકાર પદના પ્રાકટ્ય સુધીની
એક અધ્યાત્મયાત્રા.. પૂર્ણત્વની પ્રતીતિથી સંપૂર્ણત્વની પરિણતિ સુધીની
એક અનુભૂતિયાત્રા.. એટલે જ આનંદઘનની આત્માનુભૂતિ પદ-પરિશીલન શૃંખલા.
આ શૃંખલા વિભાવોની શૃંખલાને તોડીને
| સ્વભાવસુખની પ્રાપ્તિ કરાવે, આનંદઘનની અનેક જ્યોતિઓ પ્રગટાવે, સ્વરૂપરમણતાની સમાધિને શાશ્વત બનાવે,
એ જ શુભાભિલાષા સહ. - આ. કલ્યાણબોધિસૂરિના ધર્મલાભા
જયા સોવે 36 વા3 રે, क्या सोवे उठ जाग बाउ रे,
अंजलि जल ज्युं आयु घटत है હેત પદોરિયા ઘરિય ઘ3 રે...
क्या सोवे उठ जाग बाउ रे...१ इंद चंद नागिंद मुनि चले कोण राजापति साह राउरे,
भमत भमत भवजलधि पाय के भगवंत भजन बिन भाव नाउ रे...२
જયા સોવે 38 નામ વા3 રે... कहा विलंब करे अब बाउ रे, तरी भवजलनिधि पार पाउ रे,
आनंदघन चेतनमय मूरति, शुद्ध निरंजन देव ध्याउ रे...३ જયા સોવે ૩૦ નીગ વા3 રે...
Page #7
--------------------------------------------------------------------------
________________
Awake Aware
waking up is wealth
Away
क्या सोवे उठ जाग बाउ रे. क्या सोवे उठ जाग बाउ रे, अंजलि जल ज्युं आयु घटत है देत पहोरिया घरिय घाउ रे....
क्या सोवे उठ जाग बाउ रे... १
barbrg
Page #8
--------------------------------------------------------------------------
________________
Oh ! Still are you sleeping???
Sleeping is Suicide...
મૂર્ખ ! તું શું સૂઈ રહ્યો છે? ઉઠ, જાગૃત થા. હાથની અંજલિમાં જેમ પાણી ઘટતું જાય, તેમ આયુષ્ય ઘટે છે. પહેરગીર ઘડિયાળને ઘા મારે છે. ////
you (બાઉ = મૂર્ખ/પાગલ, દેત = મારે છે, પોરિયા = પહેરેગીર, ઘરિય = ઘડિયાળને, ઘાઉ = ઘા, પ્રહાર.)
‘મૂર્ખ ! તું સૂવે છે શું ? ઉઠ... જાગ... જરા આ મધરાતનો સમય હતો. એકા એકસુસવાટા કરતો પવન
પરિસ્થિતિ તો જો...' ફૂંકાયો. વૃક્ષોની ડાળીઓમાં ઘર્ષણ થયું. તણખા ઝર્યા. આગ એ હતો એનો મિત્ર. આગળની ઘટના કહેવાની કોઇ ફાટી નીકળી. જોત જોતામાં આખું વૃક્ષ બળવા લાગ્યું... બીજું જરૂર નથી. અલગારી અવધૂત આનંદઘન એક કલ્યાણમિત્રની વૃક્ષ.. ત્રીજુ વૃક્ષ... બરાબર એની પાસે જ એક કુટિર હતી. ‘’એ આપણને આ જ વાત કહે છે. આગ અને પવન બેનો જબરો યોગ થયો હતો. કુટિર પણ ઝપટમાં આવી ગઇ. ખૂબ ઝડપથી આગ પ્રસરવા લાગી. એ
क्या सोवे उठ जाग बाउ रे.. કુટિરની અંદર વચો વચ એક યુવાન સૂતો હતો. એને તો આ અનાદિ કાળથી આત્મા મોહનિદ્રામાં ઘસઘસાટ સૂઈ આગની કાંઈ જાણ જ ન હતી. આગની જ્વાળાઓ ઉંચે ઉંચે રહ્યો છે. રાગ-દ્વેષની ડાળીઓમાં ઘર્ષણ થયું છે. સંક્લિષ્ટ જઇ રહી હતી. ધુમાડાના ગોટે ગોટા પ્રસરી રહ્યા હતા. અધ્યવસાયોના તણખા ઝર્યા છે. તેમાંથી કર્મોનો દાવાનળ
અંધારી રાત... વાળાઓના લબકારા... ધુમાડાઓથી ફાટી નીકળ્યો છે. મિથ્યાત્વનો પવન આ આગને વધુ ને વધુ સર્જાયેલી વધુ ભયાનકતા... આ બધાની વચ્ચે પેલો યુવાન
પ્રસરાવી રહ્યો છે. આત્માની કુટિર ભડકે બળી રહી છે. આવા ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. એકાએક કોઇએ છલાંગ લગાવીને સમયે જે સૂઈ રહે, તેના પર દુર્જનો હસે... સજ્જનો રડે... એની કુટિરમાં પ્રવેશ કર્યો. ‘એ મૂર્ખ !' તેની આ ગર્જનાથી ને કલ્યાણમિત્ર હોય એ સિંહગર્જના કરીને એને જાગૃત કરે. યુવાન સફાળો જાગી ગયો એટલું જ નહીં. તેના સાડા ત્રણ કદાચ પ્રશ્ન થાય કે એક યોગીશ્વર જેવા શિષ્ટ પુરુષ કરોડ રોમ રણઝણી ઉઠ્યા. હજી એ કાંઇ સમજ્યો ન હતો, !' એવું સંબોધન કરે એ ઉચિત છે? આના જવાબમાં ત્યાં તો પેલા આગંતુકે એને હલબલાવી નાખ્યો...
એક પ્રસંગ જોઇએ.
Page #9
--------------------------------------------------------------------------
________________
ત્રણ પ્રોફેસરો હતાં. તેમની પત્નીઓ પરસ્પર સખી ભડકે બળતી કુટિરમાં ઘસઘસાટ સૂઈ જવું, એ આત્મવિસ્કૃતિનું હતી. એક વાર તે ત્રણે ભેગી થઇ. એક કહે, “મારા પતિ બહુ રૂપક છે. વૈરાગ્યશતક ગ્રંથમાં કહ્યું છે - 1 ભૂલકણા. એક વાર તો કોલેજથી પાછા જ ન આવ્યા. હું બે નિત્તાવિરામે રિબાવયનિ, શેઠે નિત્તે વિમર્દ સુચના કલાક સુધી ફોન કરી કરીને થાકી. પછી માંડ માંડ પાછળના ૩ૉંતમપ્પાળમુવિયામિ, ગં ઘમ્મરદિયો ત્રિદા મામા! ટાવરમાંથી મળી આવ્યા. એ પોતાનું ઘર જ ભૂલી ગયા હતા,
| રાત્રિના વિરામ સમયે હું ચિંતન કરું છું, કે ભડકે બળતા ને જ્યાં-ત્યાં ભટકતા હતાં.”
ઘરમાં હું કેમ સૂતો છું. મારો આત્મા દાઝી રહ્યો છે, તો એની | બીજી કહે, “આ તો કાંઇ નથી. મારા પતિ તો એક હું ઉપેક્ષા કેમ કરું છું? હું ધર્મ વિના દિવસો પસાર કરું છું, એ વાર ઓવરકોટ ભૂલી ગયા હતાં. હું કોટ લઇને તેમની પાછળ જ તો મારા આત્મદહનની ઉપેક્ષા છે. પાછળ ગઇ. રસ્તામાં તેમને ઊભા રાખીને કોટ ધર્યો, તો કહે
-
|
વિસ્મૃતિ કહો.. અજ્ઞાન કહો.. મોહ કહો.. કે ઉપેક્ષા - તમે કોણ છો? બોલો, સગી પત્નીને પણ ભૂલી જાય, એના કહો.. એ જ પ્રસ્તુતમાં સુષુપ્તિ.. નિદ્રા દ્વારા સૂચિત કર્યું છે. જે માટે શું કહેવું?”
બાહ્યભાવોમાં જાગૃત છે, તે આત્મસાધનાના વિષયમાં | ત્રીજી કહે, “મારા પતિની વાત સાંભળશોને, તો એમ ઘસઘસાટ ઊંઘી ગયો છે. અને જે આત્મસાધનાના લાગશે કે તમારા પતિ તો કાંઇ ભૂલકણા નથી. મારા પતિ વિષયમાં જાગૃત છે, તે બાધભાવોમાં તદ્દન 8. લાકડીના ટેકે ચાલે છે. રોજ ઘરે આવીને લાકડીને ખૂણામાં સુષમ બની જાય છે. ઊભી મૂકી દે, અને પોતે સોફા પર બેસી જાય. એક દિવસ
जागर्ति व्यवहारेऽस्मिन् सुषुप्तश्चात्मगोचरे। લાકડીને સોફા પર મુકી દીધી અને પોતે ખૂણામાં ઊભા રહી
आत्मनिजागृतश्चयोव्यवहारेस्वपित्यसौ।। ગયા. હું તો હેબતાઈ જ ગઈ. મેં માંડ માંડ સમજાવ્યા કે તમે
ઘરના વ્યવહારો, પડોશના લાકડી નથી, તમે પ્રોફેસર છો. ત્યારે ઠેકાણું પડ્યું.'
વ્યવહારો, ધંધાના વ્યવહારો, સમાજના પહેલા પ્રોફેસરને ઘરની વિસ્મૃતિ થઇ. બીજાને
વ્યવહારો, સગાં-સંબંધીના વ્યવહારો... પત્નીની વિસ્મૃતિ થઇ. તો ત્રીજાને પોતાની જાતની વિસ્મૃતિ
' અરે... લક્ષ્યશૂન્ય કે અશુભલક્ષ્યથી થતાં થઈ. ઘર વગેરેની વિસ્મૃતિમાં અધ્યાત્મયાત્રા હજી કદાચ
ધર્મવ્યવહારો પણ આત્માના વિષયમાં સુષુપ્તિ સંભવિત છે. પણ આત્માની વિસ્મૃતિમાં તો સંસારયાત્રા –
છે. સાધક આત્મા ઉપરોક્ત સર્વ વ્યવહારોથી ભવભ્રમણ સિવાય બીજું કાંઇ જ સંભવિત નથી. આ છે
મુક્ત હોય છે. કારણ કે એ હંમેશા આત્માના અવધૂત આનંદઘનનો અંગુલિનિર્દેશ...
વિષયમાં જાગૃત છે. જિનાજ્ઞાશુદ્ધ નિશ્ચયआत्मविस्मृतिर्मूर्खता
વ્યવહારના સંતુલનથી સમૃદ્ધ છે. એની ક્રિયા આત્માની વિસ્મૃતિ જેવી બીજી કોઇ મૂર્ખતા નથી. શુદ્ધ લક્ષ્યથી ચેતનવંતી બની છે. એનું જ્ઞાન
Page #10
--------------------------------------------------------------------------
________________
યથાશક્તિ ક્રિયા કરવાથી પાવન બન્યું છે.
અર્થ અને કામમાં જે એકાગ્ર બની જાય છે, તેને આસપાસનો આ છે જિનકથિત સ્યાદ્વાદ સિદ્ધાંતનું અજોડ ઉદાહરણ...
ક્યાં કાંઈ ખ્યાલ રહે છે? અરે, કોઇ એની સામે આવીને ઊભુ બાહ્ય ભાવોમાં પૂર્ણ નિદ્રા અને આત્મસ્વભાવમાં પૂર્ણ જાગૃતિ. રહી જાય, એને બોલાવે, એની ખુલ્લી આંખો સામે હાથ ભગવદ્ગીતામાં યોગીની બે વિશિષ્ટતા બતાવી છે -
હેલાવે, તો ય એ વ્યક્તિને ખ્યાલ આવતો નથી. या निशा सर्वभूतानां, तस्यां जागर्ति संयमी।
આ જ છે અધ્યાત્મનું રહસ્ય... એકાગ્રતા નથી यस्यां जाग्रति भूतानि, सा निशा पश्यतो मुनेः।।
આવતી, એવી ફરિયાદ કરવાની જરૂર નથી. એકાગ્રતા કેમ
આવે, એ શીખવાની જરૂર નથી. એકાગ્રતા કે જાગૃતિમાં તો સર્વ જીવોની જે રાત છે, તેમાં સંયમી જાગે છે, અને
બધા જીવો કુશળ છે, આવશ્યકતા છે, તેનો વિષય બદલવાની. જેમાં સર્વ જીવો જાગે છે, તે જાગૃત મુનિની રાત હોય છે.
રોજ સવાર પડે, ને ઘર ઘરમાં ‘ઉઠ... જાગ...' જેવા શબ્દોના રાજગૃહીનો વિરાટ રાજમાર્ગ હતો. નગરના મધ્ય ઘોષ થતા હશે. અવધૂત આનંદઘનનું તાત્પર્ય એ જાગૃતિમાં ભાગમાંથી પસાર થઈને છેક બહાર ઉદ્યાન સુધી જાય. ઉદ્યાનમાં નથી. વાસ્તવમાં તો એ જાગૃતિ જ નથી. જેની હાજરીમાં એ માર્ગની નજીક જ એક શ્રમણ કાયોત્સર્ગ કરી રહ્યા હતાં. ‘આત્મદહન'ની ભયાનક ઘટના ઘટી શકે, એને જાગૃતિ કઈ સુદીર્ઘ સમય પછી તેમણે કાયોત્સર્ગ પાર્યો. કો’કે તેમને પૂછ્યું રીતે કહી શકાય? એ તો ઘોર નિદ્રા જ છે... જાગૃતિ એ જ કે, “હમણા થોડી વાર પહેલા અહીંથી કોઇ પસાર થયું?” સાધકનો પર્યાય છે. આચારાંગ સૂત્ર કહે છે – શ્રમણે કહ્યું, “મને ખબર નથી.”
सुत्ता अमुणी सया मुणी सुत्ता वि जागरा हुंति। આ જવાબ સાંભળીને પેલો ચોંકી ગયો. વાસ્તવમાં એ
જેઓ સૂતા છે, તેઓ મુનિ નથી. મુનિઓ તો નિદ્રાપૃચ્છક નહીં પણ પરીક્ષક હતો. થોડી જ વાર પહેલા ત્યાંથી
અવસ્થામાં પણ જાગૃત હોય છે. ચક્રવર્તીનું સમગ્ર સૈન્ય પસાર થયું હતું... ૮૪ લાખ હાથી, ૮૪
એક આચાર્ય ભગવંતના ઇર્ષાળુઓએ અડધી રાતે લાખ ઘોડા, ત્રણ કરોડ સૈનિક, ૮૪ લાખ રથ... આ અધધધ
ગુંડાઓ મોકલ્યા. યેન કેન પ્રકારે પૂજ્યશ્રીને ‘પતાવી દેવાનો’ ચતુરંગી સેના, ઢોલ-નગારા-શરણાઇઓ અને નોબતોના
તેમને આદેશ હતો. ચાર ગુંડાઓ... હાથમાં છરાઓ છે... ગગનભેદી નાદો... આ બધું મુનિની સમક્ષ જ પસાર થયું.
છુપાઇને અવસર જોઇ રહ્યા છે. મધરાતનો સમય છે. આચાર્ય મુનિના નેત્રો પણ ખુલ્લા હતા... આમ છતાં પણ મુનિને તેનો
ભગવંત નિદ્રાધીન છે. ગુંડાઓ એકી ટશે જોઈ રહ્યા છે. ત્યાં કોઇ અણસાર પણ ન આવ્યો...
તો આચાર્ય ભગવંતે હાથમાં રજોહરણ લીધું. બાજુની જગાનું કારણ આ જ... બાહ્યભાવોમાં સંપૂર્ણ સુષુપ્તિ અને પ્રમાર્જન કર્યું. અને પડખું ફેરવી લીધું. ગુંડાઓ તો અવાચક થઇ આત્મભાવમાં સંપૂર્ણ જાગૃતિ. મુનિના નયનો નાસિકાના ગયા. જોગાનુજોગ પૂજ્યશ્રીના સંથારામાં બે-ત્રણ વાંદા ફરી અગ્રભાગે સ્થિર હતાં, તો તેમનું ચિત્ત તત્ત્વચિંતનમાં સ્થિર હતું. રહ્યા હતા. પ્રમાર્જન દ્વારા તેમની રક્ષા થઈ ગઈ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આ બધું જોઈને ગુંડાઓનું હૃદય પીગળી ગયું. નિદ્રાની અવસ્થામાં પણ આવી જાગૃતિ! જીવદયાની આવી અદ્ભુત પરિણતિ! આવો અજોડ અપ્રમત્તભાવ! આવી બેનમુન ગુણસમૃદ્ધિ!... આંખોમાંથી અશ્રુધારા ચાલી... એ હતાં ગુણી પ્રત્યેના પ્રમોદભાવના અશ્રુઓ અને પાપના પશ્ચાત્તાપના અશ્રુઓ. અશ્રુધારા અને ભાવધારા વહેતી રહી. હાથમાંથી છરા પડી ગયાં. આચાર્ય ભગવંતની નિદ્રા તૂટી ગઈ. પૂજ્યશ્રી બેઠા થઈ ગયાં. પેલા તેમના ચરણોમાં ઝુકી ગયાં. બધી વાત કરી. આચાર્ય ભગવંતે સાંત્વન આપ્યું. ઉપદેશ આપ્યો. એ ગુંડાઓ સંત બની ગયાં. આત્મસાધનાના માર્ગે વળી ગયાં.
આ છે મુનિની જાગૃતિ. જે નિદ્રાવસ્થામાં પણ અખંડિત રહે છે. જાગૃત અવસ્થામાં સતત સમ્યક્ ક્રિયાનું સેવન કરવામાં આવે, જીવદયાની પરમ પરિણતિનો પ્રાયોગિક અમલ કરવામાં આવે, ઈર્યાસમિતિ, ભાષાસમિતિ આદિ જિનકથિત આચારોનું પાલન, પૂજવું - પ્રમાર્જવું વગેરેમાં સતત કાળજી હોય... આ યોગાનુષ્ઠાનો જનક બને છે અપ્રમત્તભાવના. આ સમ્યક્ ક્રિયાઓ કારણ બને છે આત્મજાગૃતિનું. આ અંતર્ભાવની જાગૃતિ હેતુ બને છે બહિર્ભાવમાં સુષુપ્તિની. મહોપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે પરમજ્યોતિ પંચવિંશતિકામાં આત્મસાધકોની આ અદ્ભુત અવસ્થાનું વર્ણન કરતા કહ્યું છે -
जाग्रत्यात्मनि ते नित्यं, बहिर्भावेषु शेरते। હવાસતે પદ્રવ્ય, નીયન્તે વસ્તુળમૃત્તે।।૧૬।।
તેઓ આત્મા પ્રત્યે હંમેશા જાગૃત રહે છે. બાહ્યભાવોમાં સૂઇ જાય છે. પરદ્રવ્ય પ્રત્યે મધ્યસ્થ રહે છે અને આત્મગુણ-અમૃતમાં લયલીન બની જાય છે.
આત્મજાગૃતિ વિના આત્મહિત શક્ય જ નથી.
માટે જ દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે – િમે ૩ જ઼િ Awaking[NSIDE
च मे किच्चसेसं...
મેં કઈ સાધના કરી અને મારે કઈ સાધના કરવાની બાકી છે? કઇ સાધના મારા માટે શક્ય હોવા છતાં પણ હું કરતો નથી?... આનું નામ આત્મજાગૃતિ. આ જાગૃતિ પરાકાષ્ઠાએ પહોંચે, ત્યારે એ કક્ષા આવે, કે જ્યાં બહિર્ભાવોમાં પૂર્ણપણે સુષુપ્તિ આત્મસાત્ થાય. કોણ આવ્યું - કોણ ગયું, ક્યાં શું ચાલે છે... ઇત્યાદિનું કોઈ ધ્યાન ન હોય. એટલું જ નહીં, સ્વશરીરનો પણ અનુભવ ન થાય. ઇષ્ટોપદેશ નામના ગ્રંથમાં કહ્યું છે –
किमिदं कीदृशं कस्य, कस्मात् क्वेत्यविशेषयन्। સ્વવેદમપિ નાવૈતિ, યોની યોગપરાયળ:।।૪૨।।
આ (શરીર) શું? કેવું? કોનું? ક્યાંથી? ક્યાં? આવી કોઈ વિચારધારા યોગીને સ્પર્શતી નથી. યોગપરાયણતા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે ત્યારે યોગી પોતાના શરીરને પણ જાણતો નથી. આત્મપ્રવૃત્તિની જાગૃતિમાં એકાકાર બનેલા શ્રમણને બહિર્ભાવોનું સંવેદન ન થાય, તેમાં કોઇ આશ્ચર્ય નથી.
શંકા ઃશ્રમણને ભિક્ષાચર્યા વગેરે જે ઓછા-વત્તા વ્યવહારો કરવા પડે, ત્યારે તો બહિર્ભાવોમાં પ્રવેશ કરવો જ પડશે ને?
PURE & SIMPLY
Page #12
--------------------------------------------------------------------------
________________
વર્ષો સોવે ૩૪ નાયT : - આ શબ્દોનું તાત્પર્ય માત્ર સુત્તા મુળી સયા આત્મજાગૃતિ તરફ જ છે. નાગ્રત્યાત્મિનિ તે નિત્યમ્ | મુળી સુત્તા વિ નાIRા હૃતિ પ્રત્યેક સાધકે સતત આત્મનિરીક્ષણ કરવું જોઇએ, કે મારી
જેઓ સૂતા છે, ક્યાં ક્યાં સ્કૂલના થાય છે? હું ક્યારે ક્યારે એકાદ અક્ષર તેઓ મુળ નથી. પણ વધુ બોલ્યો? મેં ક્યારે નિરર્થક સ્પંદન-હાથ-પગ | મુનિઓ તો હલાવવાની ચેષ્ટા કરી? મેં ક્યારે આજુ બાજુની પ્રવૃત્તિ નિદ્રા-અવસ્થામાં
જોવા માથુ ઉંચુ કર્યું? મેં ક્યારે મારી અધ્યાત્મસાધનાથી પણ જાગૃત હોય છે.
આડા ફંટાતા સાહિત્યમાં દૃષ્ટિપાત કર્યો? મેં ક્યારે
બાહ્યભાવપોષક વાતચીતો પ્રત્યે કાન સરવા કર્યા? સમાધાન :- ના, જિનાજ્ઞાનુસારી પ્રત્યેક ' આવા આત્મનિરીક્ષણથી બાહ્યપ્રવૃત્તિનો ત્યાગ થતો પ્રવૃત્તિ એ આત્મજાગૃતિની જ સાધક છે. તેમાં પ્રવૃત્ત થયેલ રહે, અને આત્મજાગૃતિનો સતત વિકાસ થતો જાય. આત્મા બહિર્ભાવમાં વર્તે છે, એવું ન કહી શકાય. જે અપ્રમત્ત
શંકા :- તમે પહેલા કહ્યું કે બાહ્ય વ્યવહાર છે, અવસરોચિત અનુષ્ઠાનને નિષ્ઠાપૂર્વક સાધે છે, તેની સર્વ
આત્મજાગૃતિમાં બાધક નથી. તો હવે આત્મનિરીક્ષણ કરવા પ્રવૃત્તિ આત્મજાગૃતિની પૂરક બને છે. બાહ્ય વ્યવહાર તેની
દ્વારા બાહ્ય વ્યવહારનો ત્યાગ કરવા કેમ કહો છો? આત્મજાગૃતિમાં બાધક બની શકતો નથી. માટે જ ઇષ્ટોપદેશ
સમાધાન :- બાહ્ય વ્યવહાર જો નિરર્થક ચેષ્ટારૂપ ગ્રંથમાં કહ્યું છે -
હોય, તો એ આત્મજાગૃતિનો બાધક બનવાથી હેય જ છે. અને ब्रुवन्नपि हि न ब्रूते, गच्छन्नपि न गच्छति।
જો એ જિનાજ્ઞાનુસારી યોગરૂપ હોય તો એ આત્મજાગૃતિરૂપ જ स्थिरीकृतात्मतत्त्वस्तु, पश्यन्नपि न पश्यति।।४१।।
હોવાથી ઉપાદેય જ છે. આ બંને વસ્તુ અહીં સ્પષ્ટ કરી જ છે. જેણે આત્મતત્ત્વને સ્થિર કર્યું છે, તે બોલવા છતાં પણ માટે કોઈ વિરોધ નથી. બોલતો નથી. ચાલતો હોવા છતાં પણ ચાલતો નથી, અને
| શંકા :- અંતર્ભાવ અને બહિર્ભાવ આ બંને માનસિક જોતો હોવા છતાં પણ જોતો નથી.
સ્તરની વસ્તુઓ છે. તેને વચન અને કાયાની પ્રવૃત્તિઓ સાથે શું બહુ સ્પષ્ટ વાત છે. બોલવાના નિમિત્તે જે બાહ્યભાવની લાગે-વળગે? કે તમે આત્મનિરીક્ષણમાં તેના પર ભાર આપો પરિણતિ સંભવિત હતી, તેને આત્મજાગૃતિની પરિણતિ છો? અટકાવી દે છે. ત્યારે એ સાધક બોલે કે મૌન રહે એ બંને તુલ્ય સમાધાન :- ભાવને વાચિક-કાયિક પ્રવૃત્તિ સાથે ગાઢ બની જાય છે.
સંબંધ છે. જો તીવ્ર અંતર્મુખ સાધક પણ નિરર્થક વાતચીત
Page #13
--------------------------------------------------------------------------
________________
આદિમાં પડશે, તો તેની અંતર્મુખતાનું આયુષ્ય ત્યાં જ સમાપ્ત થઇ જશે. બેઠા-બેઠા પગ હલાવવાની પ્રવૃત્તિ પણ અંતર્મુખતા અને આત્મજાગૃતિની બાધક છે. કારણકે તે નિરર્થક છે, સાવદ્ય છે અને પ્રમાદ છે.
સમાધિ તંત્રમાં પણ કહ્યું છે કે
-
जनेभ्यः वाक् ततस्स्पन्दो मनसश्चित्रविभ्रमाः । भवन्ति चातः सम्पर्क, जनैर्योगी ततस्त्यजेत्।।
લોકસંપર્કથી વચનપ્રવૃત્તિ થાય છે, તેનાથી સ્પંદ થાય છે, તેનાથી મનમાં જાત જાતના વિભ્રમ ઉત્પન્ન થાય છે. મનની સ્થિરતા ડહોળાઇ જાય છે. માટે લોકસંપર્કનો ત્યાગ કરવો જોઈએ.
આ અને અન્ય કારણોથી ત્રણ ગુપ્તિનું પ્રતિપાદન કરાયું છે. ઉપદેશમાલામાં કહ્યું છે
हत्थे पाए न निक्खिवे कायं चालिज्ज तं पि कज्जेणं । कुम्मो व सया अंगे अंगोवंगाई गोविज्जा ।। ४८४ ।। विकहं विणोयभासं अंतरभासं अवक्कभासं च। जं जस्स अणिट्ठमपुच्छिओ य भासं न भासिज्जा । ।४८५।।
હાથ-પગોની નિરર્થક ચેષ્ટા ન કરવી. કાયાની પ્રવૃત્તિ પણ આવશ્યક કાર્ય માટે જ કરવી. અને કાચબાની જેમ પોતાના શરીરમાં અંગોપાંગોને સંવૃત કરીને રાખવા. વિકથા-હાસ્યકથા ન કરવી. કોઇ બોલતું હોય તો તેમાં વચ્ચે ન બોલવું, ન બોલવા યોગ્ય ન બોલવું, જે જેને અનિષ્ટ હોય, તેવું ન બોલવું અને પોતાને પૂછ્યું ન હોય ત્યારે ન બોલવું.
કારણ કે આવા પ્રકારના સંવરથી મનોગુપ્તિ, અંતર્મુખતા અને આત્મજાગૃતિ સુરક્ષિત રહી શકે છે. તેથી આત્મજાગૃતિ
માટે આ જરૂરી છે. ટૂંકમાં પરભાવો પ્રત્યેની તદ્દન સુષુપ્તિ એ જ આત્મજાગૃતિની પરિપૂર્ણતા છે.
મહાભારતનો પ્રસંગ છે. દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યાનું શિક્ષણ આપી રહ્યા છે. સામે રહેલા વૃક્ષની ડાળી પર એક પક્ષીની પ્રતિકૃતિ (મોડલ) રાખેલી છે. દ્રોણાચાર્યે પહેલા દુર્યોધનને ઊભો કર્યો. પક્ષીની આંખનું નિશાન લેવા કહ્યું અને પૂછ્યું કે, “તને શું દેખાય છે?’’ દુર્યોધન કહે, “મને ઝાડ, ડાળી, પાંદડા, પક્ષી અને તેની આંખ દેખાય છે.’’ દ્રોણાચાર્યે તેને પાછો બેસાડી દીધો. હવે દુઃશાસનનો વારો આવ્યો. તેને પણ એ જ પ્રશ્ન કરાયો. દુઃશાસને વિચાર્યુ કે મોટા ભાઇને ઘણું ઓછું દેખાતું હતું, માટે તે નાપાસ થયા. એટલે એણે પોતાની દૃષ્ટિને વધુ પહોળી કરી... “મને તો પંખી, ડાળી, પાંદડા, ઝાડ, આકાશ, વાદળા, સૂરજ
આ બધું દેખાય છે. ગુરુજી! હું બાણ છોડું.” “ના, તારે બાણ છોડવાની જરૂર જ નથી.'' એમ કહીને દ્રોણાચાર્યે તેને ય બેસાડી દીધો.
ભીમને ઊભો કર્યો. નિશાન તાકવા કહ્યું. પ્રશ્ન કર્યો. ભીમને લાગ જ જોઇતો હતો,
....Vigilant forever......
.Muni.
કે કઈ રીતે દુર્યોધન-દુઃશાસનને પાછા પાડી દેવાય, એ કહે, “ગુરુજી ! મને તો પક્ષી, ડાળીઓ, પાંદડાઓ, વૃક્ષ, આકાશ,
Page #14
--------------------------------------------------------------------------
________________
વાદળા, સૂરજ, સુધી લક્ષ્યવેધ થઇ શકે તેમ નથી. પ્રસ્તુતમાં આ જ ‘થિયરી' ને આકાશમાં ઉડતા અપનાવવાની છે. જ્યાં સુધી પરભાવો પ્રત્યે આંતરદૃષ્ટિ વિક્ષિપ્ત પંખીઓ દેખાય છે, ત્યાં સુધી આત્મજાગૃતિનું લક્ષ્ય સિદ્ધ થઈ શકે તેમ નથી.
છે. તમે ય દ્રોણાચાર્યની વિચારધારા આપણે સમજી શકીએ દેખાઓ છો. છીએ... ‘‘ભલા માણસ ! તને વૃક્ષ ને આકાશ ને વાદળા
અને આ જોવાનું શું કામ છે? અમને બધાને જોઇને તને શું ફાયદો છે? મારા ભાઇઓ
ત્યાં જ જો ને? કે, જ્યાં તારે લક્ષ્યવેધ કરવાનો છે.” પણ દેખાય છે. કેમ
અવધૂત આનંદઘન પણ કાંઇક આવી જ હદયઉર્મિઓથી લાગે છે ગુરૂદેવ ?” દ્રોણાચાર્ય કહે,
કહી રહ્યા છે - થઇ રહ્યું, બેસી જા ભાઈ ! બેસી જા.” વીલે મોઢે ભીમ પણ બેસી ગયો.
क्याँ सोवे उठ जाग बाउ रे... - હવે અર્જુનને ઇશારો થયો. નિશાન તાકીને અર્જુન રાહ
રે મૂર્ખ ! પરભાવો પ્રત્યેની પ્રવૃત્તિથી આવી ઘોર જોઈ રહ્યો છે આદેશની. ‘ગુરુદેવ ! બાણ છોડું.’’ ‘વત્સ !
નિદ્રામાં કેમ સૂતો છે? પરદ્રવ્યની પરિણતિનું તારે શું કામ છે? પહેલા કહે કે તને શું દેખાય છે.” ‘‘ગુરુદેવ ! મને તો માત્ર
ઉઠ, જાગ... માત્ર ને માત્ર આત્મપરિણતિમાં લીન થઇ જા. પક્ષી જ દેખાય છે, બીજું કાંઈ જ દેખાતું નથી.”
આત્મા સિવાયની બધી વસ્તુઓ પરથી તારું ધ્યાન ઉઠાવી લે. ' આ સાંભળીને દ્રોણાચાર્યની આંખોમાં ચમક આવી
આ સિવાય તારો લક્ષ્યવેધ તદ્દન અસંભવિત છે. એના વિના ગઈ. ““વત્સ! હજી બરાબર નિશાન તાક. બોલ, હવે શું દેખાય
તારા સાધ્યની સિદ્ધિ અત્યંત અશક્ય છે. છે?” ‘ગુરુદેવ ! હવે તો માત્ર પક્ષીનું માથું જ દેખાય છે.”
| ‘ઉઠ’ શબ્દ દ્વારા આનંદઘનજી મહારાજ ઉદાસીનતાને દ્રોણાચાર્યના ચહેરા પર લાલી આવી ગઈ. “વત્સ! હજી આત્મસાત્ કરવાની પ્રેરણા કરે છે. આત્મા સિવાયની બધી બરાબર નિશાન લેવા પ્રયત્ન કર, બોલ, હવે?’’ “બસ, ગુરુદેવ! વસ્તુ પરદ્રવ્ય છે. તે સર્વમાં મધ્યસ્થ ચિત્તવૃત્તિ, તેનું નામ હવે તો એ પક્ષીની આંખ સિવાય બીજું કશું જ દેખાતું નથી.'' ઉદાસીનતા. ‘ઉદાસ’ શબ્દ વર્તમાનમાં ‘ગમગીન’ અર્થમાં
દ્રોણાચાર્યે પૂર્ણ પ્રસન્નતા સાથે કહ્યું, ‘શાબાશ વત્સ! પ્રવૃત્ત થયો છે. એ અર્થ પ્રસ્તુતમાં લેવાનો નથી. ઉદાસમાં બે શાબાશ, હવે બાણ છોડ.” બીજી જ ક્ષણે બાણ છૂટી ગયું અંશ છે – અને લક્ષ્યવેધ થઇ ગયો.
(૧) ઉત્ = ઉંચે (૨) આસ = બેસવું - દ્રોણાચાર્યની પદ્ધતિ બિસ્કૂલ ‘પરફેક્ટ’ હતી. જ્યાં રાગ-દ્વેષની નીચ ભૂમિકાથી મુક્ત બનીને ઉચ્ચ સુધી લક્ષ્ય સિવાયની વસ્તુઓ પ્રત્યે પણ દૃષ્ટિ વિક્ષિપ્ત છે, ત્યાં ભૂમિકાએ બેસવું, એનું નામ ઉદાસીનતા. નીચેથી ઉપર ઉઠવાની
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રવૃત્તિ, એનું નામ ઉદાસીનતા. વ્યવહાર માત્રનો ત્યાગ એ
સામાન્યથી તો કોઈ ન સ્વીકારે એવી વાત હતી. પણ ઉદાસીનતા નથી. કારણ કે આહાર ગ્રહણ આદિ પ્રવૃત્તિમાં | પેલાને એટલી ઊંઘ આવતી હતી, કે તેણે ટી.સી.ની વાત માની વ્યવહાર તો થવાનો જ છે. પણ પરવસ્તુમાં રાગ-દ્વેષના લીધી. ઘસઘસાટ સૂઇ ગયો. પરિહારપૂર્વક મધ્યસ્થપણે રહેવું, તેનું નામ છે ઉદાસીનતા. - સવાર પડી, જુએ છે તો એ જ ટ્રેનમાં એ જ ડબાના એ આ ઉદાસીનભાવ આવે તો આત્મિકગુણોની અનુભૂતિ થાય. જ બર્થ પર પોતે પડ્યો છે. બારીની બહાર જુએ છે તો કાળુપુર આ અનુભૂતિ જ એક અમૃતકુંડ સમાન છે, જેમાં જીવન્મુક્ત સ્ટેશન. એક ઝાટકા સાથે સફાળો બેઠો થઇ ગયો. અઢી વાગે યોગીઓ લયલીન બની જાય છે.
સુરતનું સ્ટેશન જતું રહ્યું. પોતે ઊંઘમાં જ અમદાવાદ આવી જ્યાં સોવે ૩૦ નામ વા3 રે...
ગયો. અરે, પેલો ટી.સી. ?... આનંદઘનજીના આ શબ્દોમાં વેદના છે. શા માટે તારી
| આ બાજુ ફરીને જુએ છે, તો તે જ ટી.સી. ઊભો જાતને આત્મજાગૃતિના અમૃતકુંડથી વંચિત કરે છે? શા માટે છે. એ પ્રવાસી તો તેમના પર તૂટી જ પડ્યો. ‘આ તમે શું પરપ્રવૃત્તિની આ ઘોર નિદ્રાને ખંખેરી નાખતો નથી? જાગૃતિના કર્યું? મને વચન આપીને ફરી ગયા, તમારા ભરોસે હું સૂઈ આ સુવર્ણકાળને સુષુપ્તિના સર્વનાશમાં શા માટે ફેરવી નાખે છે? ગયો, મારા કેટલા કામ...” ઉપાલંભો... કટુ શબ્દો... ટી. મધરાતનો સમય હતો ટ્રેન પૂરપાટ દોડી રહી હતી. ટી.
આ સી. એકીટશે જોયા કરે છે, ને આશ્ચર્યથી સાંભળ્યા કરે છે. સી.એ પસાર થતા થતા જોયું કે એક પ્રવાસી ખૂબ પ્રયત્નપૂર્વક
હવે પેલો થાક્યો, પૂછ્યું, “તમે કાંઇ જવાબ ઝોકાઓને અટકાવી રહ્યો હતો. વારંવાર ટટ્ટાર બેસીને જાગ્રત તો આપો, આ રીતે શું જોયા કરો છો?'' ટી. રહેવાનો પ્રયાસ કરતો હતો. એની આંખોમાં છલોછલ ઊંઘ સી.એ કહ્યું, ‘હું એ વિચાર કરું છું, કે તમે મને હીં ભરેલી હતી એ સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. ટી.સી.ને દયા આવી આટલી ગાળો આપો છો, તો હું જેને સુરત (7) ગઇ. કહ્યું, ‘તમારું રિઝર્વેશન છે. આ બર્થ ખાલી છે, તો સ્ટેશનના બાંકડે મુકી આવ્યો, એ કેટલી ગાળો સૂઇ જાઓ ને?'' પેલો કહે, ‘‘સૂવાનું તો ઘણું મન છે. પણ
આપતો હશે?'' સૂતા પછી મને કોઈ ઢંઢોળે તો ય હું જાગતો નથી. મારું સ્ટેશન રે, ખુદ ટી.સી. પણ અડધી ઉંઘમાં હોય, ૨.૩૦ વાગે આવે છે. એ ચૂકી જવાય તો?'' ટી.સી. સજ્જન પછી તો આવા છબરડા જ થાય ને. બાહ્ય દૃષ્ટિએ હતો. એ કહે, ‘તમે ચિંતા ન કરો, હું તમને ઉઠાડીશ.” કદાચ હસવાની વાત લાગે, પણ વાસ્તવિક રીતે પ્રવાસી કહે, “કોઇ શક્યતા જ નથી કે હું જાણું.” ટી.સી. ને વિચાર કરીએ, તો ખ્યાલ આવે, કે આપણી ઊંઘથી વધુ પોરસ ચડી ગયું, એ કહે, “જુઓ, તમે સૂઈ જાઓ. તમે જ આપણે આપણું સ્ટેશન ચૂકી ગયા છીએ. નહીં ઉઠો તો હું તમને તમારા થેલા સાથે સ્ટેશનના બાકડા પર આપણી સુષુપ્તિથી જ આપણે આત્મલક્ય ગુમાવ્યું મુકાવી દઇશ, બસ?”
છે. આપણી સુસ્તીએ જ અનાદિ કાળથી આપણી
in Education Intern al
For P
S F
arbe Only
Page #16
--------------------------------------------------------------------------
________________
પાસે ઘણા છબરડા કરાવ્યા છે. Fર્યા સોવે 36 ગામ વા3 રે...
બસ, હવે બહુ થયું, હજી ય શું સૂઇ રહ્યો છે, હવે તો નિદ્રાને ખંખેરી નાખ, ઉઠ ઊભો થઈ જા. પરપ્રવૃત્તિથી તદ્દન નિવૃત્ત બની જા. આત્મજાગૃતિને આત્મસાત્ કરી લે. પરમજ્યોતિ ગ્રંથમાં મહોપાધ્યાયજીએ કહ્યું છે -
परकीयप्रवृत्तौ ये, मूकान्धबधिरोपमाः। स्वगुणाजनसज्जाश्च, तैः परं ज्योतिराप्यते।।१८।।
જેઓ પરપ્રવૃત્તિ પ્રત્યે મૂંગા, આંધળા અને બહેરા જેવા છે, સ્વગુણાર્જનમાં સજ્જ છે, તેઓ પરમજ્યોતિને પામે છે. શુદ્ધ અને સિદ્ધ અવસ્થાને પામવા માટે જ તો આ અધ્યાત્મયાત્રા છે. જે અવસ્થામાં આંખ નથી, મુખ નથી કે કાન પણ નથી.
જ્યાં છે માત્ર આત્મગુણોની અનુભૂતિ. એ અવસ્થાને પ્રાપ્ત કરવા માટે આટલું મૂલ્ય તો ચૂકવવું જ પડે ને? મૂલ્ય શબ્દ પણ બાળજીવોની સમજ માટે છે. બાકી તો પરપ્રવૃત્તિથી પૂર્ણ નિવૃત્તિ લઈએ, આત્મજાગૃતિમાં મગ્ન બનીએ, એટલે અંતરમાં આનંદનો મહાસાગર હિલોળે ચડે. સમતાસુખની સરવાણીઓ ફૂટી નીકળે. અધ્યાત્મોપનિષમાં કહ્યું છે -
મારHપ્રવૃત્તાવતિનાIQ:, પરપ્રવૃત્તો પથરાથમૂવ8:I સવાવિવાનન્દ્રપલોપયોળી, નોકોત્તપંચમુપૈતિયોનtin૪-૨ાા
જે આત્મપ્રવૃત્તિમાં અતિ જાગૃત છે, પરપ્રવૃત્તિમાં બહેરા, આંધળા અને મૂંગા જેવો છે, એ યોગી સદા ય જ્ઞાન અને આનંદમય પદમાં પ્રતિષ્ઠિત રહે છે. એ યોગી લોકોત્તર સમતાનો સ્વામી બને છે. - જ્યાં પરપ્રવૃત્તિ છે, ત્યાં વિભાવદશા છે, ત્યાં સુષુપ્તિ છે. જ્યાં આત્મપ્રવૃત્તિ છે, ત્યાં સ્વભાવદશા છે, ત્યાં જાગૃતિ છે. સુષુપ્તિમાં લુંટાવાનું છે, જાગૃતિમાં કમાવાનું છે. નિદ્રા બધું જ લૂંટી લે છે. માણસ ગમે તેટલો હોંશિયાર હોય, શિક્ષિત હોય, બળવાન હોય, કળાવાન હોય... પણ એ નિદ્રાધીન થાય એટલે એના બધા ગુણો પર પડદો પડી જાય. એની બધી હોંશિયારી અને શિક્ષણ વ્યર્થ થઇ જાય. મૂર્ખ અને વિદ્વાન બંને નિદ્રા-અવસ્થામાં તો સમાન જ થઇ જાય ને? ગમે તેવો દુબળો માણસ પણ સૂતેલા પહેલવાનને તમાચો મારી શકે ને?
| મોહનિદ્રાની પણ આ જ કથા છે. આત્માનું અનંત જ્ઞાનદર્શન-ચારિત્ર આ નિદ્રાથી ઝુંટવાઇ જાય છે. આત્માની અનંત શક્તિ આ નિદ્રાથી આવૃત થઈ જાય છે. અનંત સમૃદ્ધિમાન આત્મા પણ આ નિદ્રાથી ભિખારી બની જાય છે. મોહનિદ્રાની અવસ્થા એટલે જાણે સૂતેલો સિંહ. ઉંદરો ને સસલા જેવા પણ એના પર ઉછળ કૂદ કરી જાય. જો સિંહ જાગે તો કોઇની મજાલ છે, કે એની સામે ઊભો પણ રહી શકે?
અનેક વિભાવો આત્મસ્વરૂપને ડહોળી જાય છે. અનેક દોષો આત્માની કાળી કદર્થના કરે છે. અનેક કર્મોએ પોતાની જાળમાં આત્માને જકડી લીધો છે. આનું કારણ એ નથી કે આત્મા અસમર્થ છે, આનું કારણ એ જ છે, કે આત્મા નિદ્રાધીન છે. મોહનિદ્રાને કારણે એની સર્વશક્તિ કુંઠિત બની ચૂકી છે. હજી પણ એના પર યાતનાઓ ને કદર્થનાની ઝડીઓ વરસે છે,
Page #17
--------------------------------------------------------------------------
________________
દુઃખના ડુંગરો તૂટી પડે છે, અનુભૂતિનું અસીમ આકાશ એની પાસેથી ઝૂંટવાઇ ગયું છે, એની અનંત આત્મસમૃદ્ધિ પચાવી પડાઇ છે, અને એ તો હજી ય ઘસઘસાટ સૂતો જ રહ્યો છે. આવી તદ્દન વિચિત્ર પરિસ્થિતિ જોઇને અવધૂત આનંદઘનનો અંતર્નાદ ઉદ્ગાર રૂપે પ્રગટ થાય છે - क्याँ सोवे उठ जाग बाउ रे... | તું એક વાર જાગી જા, બસ, તું જાગે, એટલે બીજું કાંઇ જ કરવાનું રહેતું નથી. તારી જાગૃતિને જોતાની સાથે બધા જ દોષો નાશીપાસ થઈ જશે. બધા જ કર્મો થથરી જશે, અને બધાં જ દુઃખો આપો આપ દૂર થઇ જશે.
| જાગ ભાઇ જાગ. તું જલ્દીથી જાગ. કારણ કે જે કાળમાં તારી જાગૃતિની શક્યતા છે, એ કાળ ઝડપથી વીતી રહ્યો છે. પ્રત્યેક ક્ષણે એ કાળની અંતિમ ક્ષણ તારી વધુ ને વધુ નિકટ આવી રહી છે. સમયનો આટલો ગાળો પસાર થઇ જાય પછી તો તારી જાગૃતિની કોઇ આશા પણ રાખી શકાય તેમ નથી. આનંદઘનજી આ જ વાત કહે છે... બંન િનન ન્યૂ માથું ઘડત હૈ...
હાથના ખોબામાં પાણી ભર્યું હોય, તે કેટલો સમય ટકે? સતત ટપક... ટપક... થયા કરે, ટૂંક સમયમાં જ ખોબો ખાલી થઇ જાય. જે રીતે ખોબામાં રહેલું પાણી ઘટતું જાય છે, એ જ રીતે સતત આયુષ્ય ઘટતું જાય છે. | એક કતલખાનુ છે. પશુઓને લાઇનમાં ઊભા રાખ્યા છે. સૌથી આગળ ઊભેલા પશુઓ પર છરો ફરતો જાય છે. તરફડી તરફડીને એ પશુ મરી જાય છે. તરત જ બીજા પશુનો વારો આવે છે. તેની સાથે જ પાછળ ઊભેલા પચાશ પશુઓ
એક-એક નંબર આગળ આવી જાય છે. પચાસમાં નંબરે જે પશુ હતું, તેનો નંબર ઓગણપચાસમો થઇ ગયો.
છરો ફરવાનું પણ ચાલુ છે અને પશુઓને આગળ આગળ ધકેલવાનું પણ ચાલુ છે. અડતાલીશ... સુડતાલીશ... છેતાલીશ.. માત્ર નંબર આગળ આવે છે, એવું નથી. મૃત્યુ પણ વધુ ને વધુ નજીક આવતું જાય છે. અધ્યાત્મકલ્પદ્રુમ ગ્રંથમાં આ જ ઉપમા દ્વારા માર્મિક વાત કહી છે – વચ્ચચ વીરચ યથા પશો, સ+પ્રાણાગ્નિ પ વધા શનૈ: શનરતિ કૃતિ: સનીષ, તથાડરિવતરતિ વત: પ્રમાઃ ? | પશુને કે ચોરને જ્યારે વધસ્થાને લઈ જવામાં આવે, ત્યારે ધીમે ધીમે જેમ તેનું મૃત્યુ વધુ ને વધુ નજીક આવતું જાય છે. તેમ બધાનું મૃત્યુ પણ વધુ ને વધુ નજીક આવતું જાય છે, આ સ્થિતિમાં પ્રમાદ શી રીતે કરી શકાય?
જેમ પશુનું ‘કાઉન્ટ ડાઉન’ ચાલું છે.. પચ્ચીશ.. ચોવીશ.. ત્રેવીશ.. બાવીશ.. એ છરાની વધુ ને વધુ નજીક જતો જાય છે. મૃત્યુ એની વધુ ને વધુ નિકટ આવતું જાય છે, એ જ રીતે બધાનું પણ “કાઉન્ટ ડાઉન’ ચાલું છે. પ્રત્યેક ક્ષણે બધાનું મૃત્યુ વધુ ને વધુ નજીક આવતું જાય છે. ‘ડેડ લાઇન’ તો નિયત જ છે. પાંચમની છઠ થવાની નથી. વર્ષો, મહિનાઓ, દિવસો ને ક્ષણો જેમ જેમ વીતતી જાય છે, તેમ તેમ આયુષ્ય ઘટતું જાય છે.
ઉત્તરાયયન સૂત્રમાં સત્તર પ્રકારના મરણનું વર્ણન કર્યું છે. જેમાંથી એક મરણ છે – આવીચિ મરણ. વર્તમાન સમયે આયુષ્ય કર્મના જે પરમાણુઓ ઉદય પામ્યા, અને તે કર્મનો ક્ષય થયો, તેની અપેક્ષાએ વર્તમાન સમયે પણ મૃત્યુ થયું છે. આ રીતે પ્રત્યેક ક્ષણે મરણ ચાલુ ને ચાલુ છે. હા, જ્યારે
Page #18
--------------------------------------------------------------------------
________________
આયુષ્ય કર્મ પૂર્ણપણે ક્ષય પામશે, ત્યારે જ આ શરીર છૂટશે. પણ આયુષ્ય કર્મના ક્ષયરૂપ મરણ તો પ્રત્યેક ક્ષણે ચાલુ છે.
કતલખાનાની લાઇનમાં ઉભેલા પશુને કોઇ લીલુંછમ ઘાસ નીરે કે ઠંડુ પાણી ધરે, તો એ એમાં માથુ નાખે ખરું? અરે, એની સામે પણ જુએ ખરું? એને તો સતત પોતાનું મૃત્યુ દેખાતું હોય, હમણા છરો ફર્યો નથી, પોતાના ધડ-માથા જુદા થયા નથી, અને તરફડી તરફડીને પોતે મર્યો નથી. ભલે ને ચાર દિવસનું ભૂખ્યું હોય, અને ત્રણ દિવસનું તરસ્યુ હોય, એ પશુ એ ઘાસ-પાણી સામે નજર પણ નહી કરે.
જાગૃત આત્માની પણ આ જ દશા છે, એની દૃષ્ટિ સમક્ષ એનું મૃત્યુ છે. મૃત્યુ ચોક્કસ થવાનું છે, એ પણ એને ખબર છે, અને પ્રત્યેક ક્ષણે મૃત્યુ વધુ ને વધુ નજીક આવતું જાય છે, એની પણ એને પૂર્ણ સભાનતા છે. આ સ્થિતિમાં એને વિષયો શી રીતે લલચાવે, આ પરિસ્થિતિમાં એને કંચન-કામિનીની તલપ શી રીતે લાગે? અને જો તલપ લાગતી હોય, તો સમજવું પડે કે એને મૃત્યુ પ્રત્યે સભાનતા જ નથી. વૈરાગ્યશતકમાં કહ્યું છે
L
अज्जं कल्लं परं परारिं, पुरिसा चिंतंति अत्थसंपत्तिं । अंजलिगयं व तोयं, गलंतं आउं न पिच्छंति ॥२॥
સંપત્તિ આજે મળશે, કાલે મળશે, પરમદિવસે મળશે... આવા ચિંતનોમાં પુરુષો ગરકાવ થઇ જાય છે. ધનની પ્રાપ્તિ માટે નિત નવા મનોરથો કર્યા કરે છે. પણ હાથના ખોબામાં જેમ પાણી ઘટતું જાય, તેમ આયુષ્ય ઘટતું જાય છે, એ જોતા નથી.
શંકા :- આયુષ્ય ઘટતું જાય છે એ વાત સાચી. પણ આત્મસાધના કરવાનો એક તબક્કો હોય છે – એક પિરિયડ હોય છે. જેને હજી કેરિયર બનાવવાનું છે, એ શી રીતે સાધનામાં જોડાઈ જાય? જે હજી મોટી ડિગ્રી લઇને મોટી પોસ્ટ
પર બેઠો છે, એ શી રીતે સાધનામાં જોડાઈ જાય? જેણે હજી બધું ઠરીઠામ નથી કર્યું, એના માટે અધ્યાત્મજગતમાં પ્રવેશ કરવા માટે એ યોગ્ય સમય જ ન કહેવાય. એ બધું તો જીવનના છેલ્લા તબક્કામાં જ શક્ય બને.
ન
સમાધાન :- આ બધી વાતો એટલા માટે અસત્ય છે, કે જીવનનો છેલ્લો તબક્કો કયો છે, એ જ મોટું રહસ્ય છે. આ વર્ષ આપણા જીવનનું છેલ્લું વર્ષ ન હોઇ શકે? આ મહિનો આપણા જીવનનો અંતિમ મહિનો ન હોઈ શકે? અરે, આ દિવસ પહેલા પૂરો થશે કે આ ભવ પહેલા પૂરો થશે, એ કોણ જાણે છે?
ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાન. તેમની અદ્ભુત દેશનાએ એક રાજકુમારને વૈરાગ્યથી વાસિત કર્યો. તેણે પોતાના માતા-પિતા પાસે મહાભિનિષ્ક્રમણ માટે રજા માંગી. આટલી નાની ઉંમર.. કોમળ કાયા.. સંયમના કષ્ટો.. પુત્ર પરનું મમત્વ.. આ બધાનો વિચાર કરતાં માતા-પિતા ઢીલા પડતા હતાં. પણ તો ય પુત્રના દૃઢ વૈરાગ્ય અને અડગ નિશ્ચયને જોઇને તેમણે અનુમતિ આપી. પણ આઠ દિવસના મહોત્સવ પછી દીક્ષા આપવા માટે તેઓની ભાવના હતી. રાજકુમારને તો આજે ને આજે દીક્ષા લેવી હતી. છેવટે બધા પ્રભુ પાસે ગયા. પ્રભુએ કહ્યું, “વિલંબ ન કરો, ભલે તેની ભાવનાનુસાર આજેઅત્યારે દીક્ષા થાય.''
દીક્ષાવિધિનો મંગળ-પ્રારંભ થયો. પ્રભુએ પોતાના હાથે રાજકુમારને રજોહરણ અર્પણ કર્યું. ચારિત્રપ્રાપ્તિના હર્ષોલ્લાસ સાથે એ રાજકુમાર નાચવા લાગ્યો. પ્રભુને પ્રદક્ષિણા દેવા લાગ્યો. અસંખ્ય આંખો એને એકીટસે જોઇ રહી હતી. એના સૌભાગ્યની ઇર્ષ્યા કરી રહી હતી. રાજકુમારનો આનંદ આસમાને પહોંચ્યો હતો. પ્રત્યેક ક્ષણે અનંત-અનંત કર્મોની એ નિર્જરા કરી રહ્યો હતો.
Page #19
--------------------------------------------------------------------------
________________
પણ આ શું? એકાએક એ પડી ગયો. તેના સ્વજનો તેને વીંટળાઇ વળ્યા. જોયું તો તેનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. સ્વજનો આક્રંદ કરવા લાગ્યા. ત્યાં તો ત્યાં એક તેજસ્વી દેવ પ્રકટ થયો. તેણે આશ્વાસન આપ્યું કે “હું આ જ રાજકુમારનો જીવ છું. ચારિત્રપ્રાપ્તિના શુભ અયવસાયમાં મરીને સદ્ગતિ પામ્યો છું. માટે શોક ન કરો.”
પ્રભુએ પણ કહ્યું કે, “રાજકુમારનું આયુષ્ય આ જ રાગ-દ્વપકડી લીચ ભૂમિકાથીભુતા-Gહી સમયે પૂરું થવાનું હતું, એ નક્કી હતું. માટે જ મેં તમને વિલંબ ઉચ્ચ ભૂમિકાએ બેસવું, એનું નામ ઉદાસીનતા. ન કરવા જણાવ્યું હતું.'
A journey from Bottom to top જો વિલંબ કર્યો હોત તો? મારી તમને આગ્રહભરી
today I feel loved. redag
, og den enero de jogay. વિનંતિ છે કે આત્મહિતના કાર્યમાં કદી પણ વિલંબ નહી કરતાં. ઉદાસીનભાવ આવે તો આત્મિગુણોની અનુભૂતિ થાય. કારણ કે આયુષ્યનો કોઈ ભરોસો નથી. કઇ ક્ષણે ધરતીકંપ થશે? કઈ ક્ષણે અકસ્માત થશે? કઈ ક્ષણે એટેક આવશે? કઈ ક્ષણે મકાન તૂટી પડશે? કઈ ક્ષણે શ્વાસ રૂંધાઇ જશે? કઈ ક્ષણે
यदहरेव विरजेत् तदहरेव प्रव्रजेत्। આયુષ્યની દોરી તૂટી જશે? એ કોને ખબર છે?
જે દિવસે વૈરાગ્ય થાય, એ જ દિવસે પ્રવજ્યાનો ૧૨૦ કિ.મી./કલાકની ઝડપે જતી ગાડી પર ૨૦૦
સ્વીકાર કરવો જોઈએ. વૈરાગ્યશતકમાં કહ્યું છે - વર્ષ જુનું ઝાડ તૂટી પડે, છાપરું ફાડીને તેનું થડ ડ્રાઇવરના માથે અફળાય, ખોપરી ફાટી જાય અને ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઇ
जंकल्ले कायव्वं, तं अज्जं चिय करेह तुरमाणा। જાય, એ દાખલો તાજો છે.
बहुविग्यो हु मुहत्तो, माऽवरण्डं पडिक्खेह।। | ધરતીકંપમાં તૂટી પડેલા મકાનના કાટમાળમાંથી બાણું
- જે કાલે કરવાનું છે, તેને આજે જ કરો અને જલ્દી વર્ષના માજી જીવતા બહાર આવે અને આઠ વર્ષના પૌત્રનો કરો. એક મુહૂર્તમાં પણ અનેક વિદનો આવી શકે છે. છુંદો થઇ ગયો હોય, એવા બનાવ અજાણ્યા નથી.
માટે બપોરની પણ પ્રતીક્ષા ન કરો. એંશી વર્ષના દાદાને ‘માથાનો દુઃખાવો’ શું હોય?
Delay is dangerous એ ખબર ન હોય, અને છ મહિનાના બાબાનું ‘બાયપાસ’નું - પાપના કામમાં વિલંબ કરે, તેનું સારું ફળ મળવાની ઓપરેશન કરવામાં આવે, એવા કિસ્સા હવે આશ્ચર્યભૂત નથી | શક્યતા છે, પણ ધર્મના કામમાં વિલંબ કરવો, એ તો ભયાનક રહ્યા. માટે જ ઉપનિષદોમાં કહ્યું છે -
છે. એમાં મોટું જોખમ રહેલું છે.
Fr
Frontal de Cine
Page #20
--------------------------------------------------------------------------
________________
अंजलि जल ज्युं आयु घटत है...
આ સ્વાધ્યાય પરથી આપણા મનમાં એક દૃશ્યને જડબેસલાક બેસાડી દઇએ. હાથની અંજલિમાંથી પાણી ટપકી રહ્યું છે. ડગલે ને પગલે આપણા હૃદયપટ (હાર્ટ-સ્ક્રીન) પર આ દૃશ્યને જોઈએ. તેની સાથે જ પ્રતિક્ષણ ઘટતા આયુષ્યની તુલના કરીએ... તો અવધૂત આનંદઘનનો પ્રયાસ આપણા માટે જરૂર સફળ થશે.
શંકા :- ભલે પ્રત્યેક ક્ષણે આયુષ્ય ખૂટી રહ્યું હોય, પણ જેને એનું ભાન નથી, એ તરફ કોઇ લક્ષ્ય નથી, અંતર્ચક્ષુથી અંજલિ-જળ જોવાનો પ્રયાસ પણ નથી, એમને એવી આત્મજાગૃતિ શી રીતે આવી શકે?
સમાધાન :- આનંદઘનજી મહારાજ પોતે જ આ વાતનો જવાબ આપી રહ્યા છે
-
देत पहोरिया घरि घाउ रे...
પૂર્વકાળમાં એવી ઘડિયાળો હતી, કે જેમાં માનવ દ્વારા ડંકા વગાડવામાં આવતાં. લોકો ભલે પોતાના કાર્યમાં મશગૂલ હોય, પણ જેવા ઘડિયાળમાં ડંકા વાગે એટલે એમને ખ્યાલ આવી જાય કે એક કલાક પૂરો થઈ ગયો. આના પરથી પણ પોતાના આત્માને ચેતવણી આપવી જોઇએ, કે તારા જીવનનો એક કલાક ઘટી ગયો, હવે તો જાગૃત થા.
આજે માણસે ઘડિયાળને પણ શોખ અને વૈભવનું સાધન બનાવ્યું છે. જાતજાતના મોડલ, અને ભાતભાતની ડંકાની પદ્ધતિઓ તથા સંગીત-ધ્વનિઓ આવી ગયા છે. રે... જે વાસ્તવમાં વિરાગનું સાધન છે, તેને રાગનું સાધન બનાવી દેવામાં આવ્યું છે.
જ્યાં પપ્રવૃત્તિ છે, ત્યાં વિભાવદશા છે,
જ્યાં આત્મપ્રવૃત્તિ છે, ત્યાં સ્વભાવદશા છે,
It's already late Please awake...
આધ્યાત્મિક અને વિરાગપૂર્ણ દષ્ટિએ વિચાર કરીએ તો સમય એ સતત મૃત્યુની અગમચેતી આપી રહ્યું છે, આપણે માત્ર ભાષાપ્રયોગ પર પણ વિચાર કરીએ, તો ય આ વાત સમજાય એવી છે. ૧૦ વાગ્યા... ૧૧ વાગ્યા... ૧૨ વાગ્યા.... આમાં શું વાગે છે? ને કોને વાગે છે? એ કદી વિચાર કર્યો? એક હજાર હથોડા વાગે, અને મજબૂત પણ દીવાલ તૂટી પડે છે. આપણા આયુષ્યની દીવાલને આ ‘વાગ્યા’નો માર વાગી રહ્યો છે. એ દીવાલ સતત જર્જરિત થઇ રહી છે. એના પર સતત સમય - હથોડા પડી રહ્યા છે. ચોક્કસ ગણિત કરી શકીએ તો નિયત નંબરના હથોડે આ આયુષ્ય-દીવાલ તૂટી જ પડવાની. આમાં ફેરફાર એટલો થઇ શકે કે અન્ય પરિબળો પણ એને જમીનદોસ્ત કરવા માટે કામે લાગી જાય, તો આ દીવાલ વહેલી પડે એવી શક્યતા પૂરે પૂરી છે. પણ આ દીવાલને પડતા એક ક્ષણનો પણ વિલંબ થાય, એ બિલ્કુલ અશક્ય છે. વેત પહોરિયાં ઘરિય ઘાડે રે...
આનંદઘનજી મહારાજ ગર્ભિત રીતે એવો સંકેત કરવા માંગે છે, કે આ પ્રતિઘાત ઘડિયાળ પર નથી. આ પ્રતિઘાત તો
Page #21
--------------------------------------------------------------------------
________________
તારા આયુષ્ય પર છે. મનુષ્ય તરીકેના તારા અસ્તિત્વ પર છે. આ તો તારી જીવન-દોરી પરના ઘસરકા છે. એ તૂટે એની પહેલા તું તારું આત્મહિત સાધી લે.
વૈરાગ્યશતકમાં આ જ ઉપદેશ પ્રાકૃતિક - ઘડિયાળના રૂપકથી આપ્યો છે –
दिवसनिसा घडीमालं, आउसलिलं जीयाण घित्तूणं । चंदाइच्चबइल्ला, कालऽरहट्टं भमाडंति ।।
પ્રાચીન કાળમાં કૂવા પાસે અરઘટ્ટ યંત્ર રાખવામાં આવતા. આજે પણ ગામડાઓમાં ક્યાંક ક્યાંક એવા યંત્રો જોવા મળે છે. તેમાં ચગદોળના આકારમાં ઘડીઓ ગોઠવેલી હોય, એ યંત્ર સાથે બે બળદો જોડેલા હોય. તેઓ એક બાજુ ગોળ-ગોળ ફરે, એટલે બીજી બાજુ નાની નાની ઘડીઓ (માટલીઓ)માં પાણી ભરાતું જાય, અને કૂવામાંથી પાણી બહાર આવતું જાય.
અહીં આ જ વસ્તુની તુલના કરી છે - દિવસો અને રાતો એ ઘડીઓ છે. આયુષ્ય એ પાણી છે. સૂર્ય અને ચંદ્ર એ બે બળદો છે. તેઓ બંને કાળ-અરઘટ્ટને ફેરવી રહ્યા છે. જેમ જેમ તેઓ ફરતા જાય, તેમ તેમ દિવસો અને રાતો પસાર થતા જાય. અને તેમ તેમ આયુષ્ય ખૂટતું જાય. अंजलि जल ज्युं आयु घटत है....
પશ્ચિમી અભિનેત્રી મેરેલિન મનરો... ચાર ડોક્ટરોને નિયુક્ત કર્યા હતા રોજ પોતાને તપાસવા. કદી નખમાં ય રોગ ન આવે એ માટે સ્તો. એક દિવસ ચહેરા પર કરચલી દેખાઈ. એ દિવસ એના માટે નરક બની ગયો. ચારે ડોક્ટરોને ધધડાવી નાખ્યા. બિચારા શું બોલે? આખો દિવસ મેરેલિનને પોતાના ઘડપણની કલ્પના સતાવતી રહી. એ કરચલી એને મૃત્યુની દૂતી લાગી. એ જ મથામણમાં રાતે એણે આપઘાત કરી લીધો.
હેર-ડાઈ, હેર-વીક, મેક-અપ, લઘુવયસ્ક ઉચિત પહેરવેશથી માંડીને પ્લાસ્ટિક સર્જરી કરાવવા સુધીના પ્રયાસોનું લક્ષ્ય શું છે? એ પ્રયાસો કરનારની વિચારધારા શું હશે? વાસ્તવિકતાનો ઇન્કાર જ ને? કે બીજું કાંઇ? રે, આ તો વાસ્તવિકતાને છુપાડવા જેવું છે. હાથમાંથી સરકી ગયેલા યૌવનની પાછળ નિષ્ફળ દોટ મુકવા જેવું છે. ભલા માણસ! આ ભવમાં તો એ તને કદી ય પાછું મળવાનું નથી. એને પકડવાની દોટમાં જે તારા હાથમાં છે, એને ય તું કેમ ગુમાવે છે? अंजलि जल ज्युं आयु घटत है...
ટપક... ટપક... ટપક ચાલુ ને ચાલુ છે. તું આકાશપાતાળ એક કરે, તો ય એ બંધ થવાનું નથી. તારા પ્રયત્નની દિશા બદલી નાખ, ટપક... ટપક થતાં પ્રત્યેક બિંદુનો ઉત્કૃષ્ટ સદુપયોગ કર... કાળ પરનો વિજય એ તારું ભવિષ્ય બની જશે. તું અક્ષયસ્થિતિના સામ્રાજ્યનો સમ્રાટ બની જઇશ. આ દિશાનો તારો પ્રયત્ન એ જ આત્મજાગૃતિ. જ્યા સોવે ૩૪ નાન વાઝ રે...
તારી નિદ્રા જ તારું સર્વસ્વ લૂંટીને લૂચ્યુ હસી રહી છે. તને સાવ જ અંધારામાં રાખીને તને બરબાદ કરી રહી છે. હજી ય શું સૂતો છે? ઉઠ.. જાગ.. રે મૂર્ખ ! તારી આ નિદ્રાને ખંખેરી
નાખ...
બહુ નાનકડી પંક્તિમાં જાગૃતિ અને સુષુપ્તિના અદ્ભુત સમીકરણોને આનંદઘનજી મહારાજે બહુ સીફતથી સમાવી લીધા. સતત ઘટી રહેલા આયુષ્યનો જાણે જીવંત પ્રસારણરૂપે ઉપન્યાસ કર્યો. હવે એ અવધૂત એક અનોખા અભિગમ સાથે આ જ અધ્યાત્મયાત્રામાં આપણને સહયાત્રી બનાવી રહ્યા છે.
For Priate & Personal Use Only
www.jainelibrary.ding
Page #22
--------------------------------------------------------------------------
________________
FALLING DROP BY DROP WITHOUT ANY BREAK
CAUTION DEATH IS COMING...
જે કાળમાં તારી જાગૃતિની શક્યતા છે, એ કાળ મઠપથી વીતી રહ્યો છે. પ્રત્યેક ક્ષણે એ કાળતી અંતિમ ક્ષણ તારી વઘુ ને વઘુ નિક્ટ આવી રહી છે.
इंद चंद नागिंद मुनि चले कोण राजापति साह राउ रे,
भमत भमत भवजलधि पाय के भगवंत भजन बिन भाव नाउ रे... २
क्या सोवे उठ जाग बाउ रे...
Page #23
--------------------------------------------------------------------------
________________
ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર અને મુનિઓ પણ ચાલ્યા ગયા, તો પછી ચક્રવર્તી, શહેનશાહ ને રાણા તો કોણ છે? પ્રભુભક્તિરૂપ ભાવનૌકાવિના સૌ ભવસાગર પામીને ભમ્યા જ કરે છે. રા
(રાજાપતિ ચક્રવર્તી, સાહ
શેહનશાહ, રાઉ = રાણા, પાય કે = પામીને, ભાવ નાઉ = ભાવનૌકા) આઠ વર્ષનો બાળક પપ્પાનો હાથ પકડીને રસ્તા પર ચાલી રહ્યો હતો. સામેથી સ્મશાનયાત્રા આવી. પપ્પાએ સાઇડ બદલી. બાળક પણ સાથે ને સાથે ધકેલાયો, પણ એની નજર સ્મશાનયાત્રા સાથે બંધાયેલી જ હતી. પપ્પાના પગલા ઉતાવળા થયા. ડાઘુઓ પણ પસાર થઈ ગયાં. બાળકની જિજ્ઞાસા હવે પ્રગટ થઇ.
=
પપ્પા ! આ શું હતું ?
કાંઇ નહીં ?
કહો ને પપ્પા ! શું હતું ?
સ્મશાનયાત્રા...
=
એટલે?
એ માણસ મરી ગયો, એટલે એના શરીરને બાળી નાખવા લઇ જાય છે.
તો પપ્પા ! એણે શું કર્યું કે એ મરી ગયો? કાંઇ નહીં, બધાને એક વાર મરવું તો પડે જ. એમ? પપ્પા ! તમારે પણ?
ધાડ દઈને પપ્પાએ એક લાફો ઠોકીને કહ્યું, “ચાલ છાનો માનો. તું બહુ બોલ બોલ કર્યા કરે છે.’’
હવે જ્યાં સુધી મમ્મી ન । મળે, ત્યાં સુધી રડવાનો અર્થ ન હતો. બિચારો બાળક રડમસ ચહેરે ચૂપચાપ ચાલવા લાગ્યો. બાળકની જિજ્ઞાસાને આપણે જેટલી સરળતાથી સમજી શકીએ છીએ, એટલી જ સરળતાથી પપ્પાના ક્રોધનું કારણ પણ સમજી શકીએ છીએ. કદાચ મોટા ભાગના મનુષ્યો સ્પષ્ટ સમજ સાથેની ગંભીર ગેરસમજનો ભોગ બન્યા છે. સ્પષ્ટ સમજ એ છે કે ‘બધાએ મરવાનું છે.’ ગંભીર ગેરસમજ એ છે કે ‘મારે કદી મરવાનું નથી.’
આનંદઘનજી મહારાજનો ઇશારો આ ગંભીર ગેરસમજ પર છે. ઈન્દ્રોના પણ આયુષ્ય ખૂટે છે. ચંદ્રના દેવેન્દ્રનું પણ ચ્યવન થાય છે. નાગેન્દ્રોને પણ એક ક્ષણે પોતાનું ખોળિયું છોડવું પડે છે, અરે, મુનિવરો પણ કાળધર્મ પામ્યા વિના રહેતા નથી. તો બીજાની તો શું વાત કરવી? એ પછી ચાહે ચક્રવર્તી હોય, સમ્રાટ હોય કે રાણા હોય, શ્રીમંત હોય કે સત્તાધીશ હોય, એને ગયા વિના છૂટકો નથી.
શાંતસુધારસ ગ્રંથમાં અશરણ ભાવનાનું નિરૂપણ કરતાં
કહ્યું છે
ये षट्खण्डमहीमहीनतरसा निर्जित्य बभ्राजिरे, ये च स्वर्गभुजो भुजोर्जितमदा मेदुर्मुदा मेदुराः । तेऽपि क्रूरकृतान्तवक्त्ररदनै-निर्दल्यमाना हठा- दत्राणाः શરખાય હા દ્દશવિશઃ પ્રેક્ષન્ત વીનાનનાઃ।।૨-૧૧
જેમનું સામર્થ્ય પ્રચંડ હતું. જેમણે છ ખંડની ધરતીને જીતી લીધી. જેઓ સ્વર્ગ-સામ્રાજ્યના માલિક હતા, તેઓ પણ ક્રૂર યમરાજના દાંતોથી વિવશપણે ચવાય છે... ત્યારે છેલ્લા શ્વાસ લેતા લેતા તેઓ દશે દિશામાં નજર કરે છે, કે કોણ અમને બચાવે? પણ તેમનું સર્વસ્વ ભેગું થઇને પણ
www.jainelibrary.ord
Page #24
--------------------------------------------------------------------------
________________
Cemetery The Last point of Journey... ગંભીર ગે૨સમજ એ છે કે ‘મારે કદી મ૨વાનું નથી.'
તેમને બચાવી શકે તેમ નથી. એ જોઇને તેઓ ય નિરાશ થઈ જાય છે. | ‘આ મારું પરમેનન્ટ એડ્રેસ’... કાર્ડ આપીને આવા શબ્દો બોલતી વ્યક્તિ એટલો વિચાર કેમ નથી કરતી? કે જો હું પોતે ય ‘ટેમ્પરરી’ છું, તો મારું એડ્રેસ પરમેનન્ટ શી રીતે | હોઈ શકે? | ઇરાનનો એક બાદશાહ, મહેલની અગાશીમાં બેગમ સાથે બેઠો હતો. અચાનક બેગમને કાંઇક યાદ આવ્યું, દાસીને આદેશ કર્યો, ‘‘નીચે નાગો, વદી વનTI (ચાલણી) હૈ, ઉસ મૃત્યુને દૂર કરવાનો એક માત્ર ઉપાય છે સર્વકર્મક્ષય. વે નીવે રેTI (રીંગણ) હૈ, વહ માગો'', દાસી ગઈ. થોડી અને સર્વકર્મક્ષયનો એક માત્ર ઉપાય છે જિનાજ્ઞાપરિપાલન. વારમાં ખાલી હાથે પાછી આવી. પ્રશ્નાર્થભરી નજરે બેગમ જિનાજ્ઞાપરિપાલન એ જ ભગવાનની શ્રેષ્ઠ ભક્તિ છે. એના એને જોઈ રહી. દાસીએ કહ્યું, ‘વતUT હૈ, રેT નદી'' | વિના ભવભ્રમણનો અંત ન આવે.
આ સાંભળીને બાદશાહ અને બેગમ બંને વિચારમગ્ન भमत भमत भवजलधि पाय के, भगवंत भजन बिन भाव नाउ रे... થઇ ગયા... ઘHT હૈ = આપણે એક દિવસ ચાલ્યા જવાનું ભગવદ્ભક્તિ એ જ ભવસાગરમાં ભાવનૈયા છે, એ જ છે... રેTI નદી = અહીં કાયમ રહેવાનું નથી... વિચારધારા
સંસારથી મુક્ત થવાનો ઉપાય છે. પંચાલકસૂત્રની ટીકામાં ભક્તિની આગળ વધી... પ્રતિક્ષણ નજીક આવતું મૃત્યુ દેખાયું. મન ભૂમિકા કેવી લોકોત્તર હોય, તેનું માર્મિક વર્ણન કર્યુ છે – વૈરાગ્યથી આપ્તાવિત બન્યું અને બંનેએ આત્મસાધનાનો પંથ
का भक्तिस्तस्य येनाऽऽत्मा, सर्वथा न नियुज्यते?। પકડી લીધો.
अभक्तेः फलमेवाऽऽहु - रंशेनाप्यनियोजनम्।। મરણ શી રીતે અટકી શકે એના પર અનાદિકાળથી જાત જાતના સંશોધનો થતા રહ્યા છે. ‘રસેશ્વર દર્શન’ આનું અનોખું
જે પોતાની જાતનું સંપૂર્ણ સમર્પણ નથી કરતો, તેની ઉદાહરણ છે. આ દર્શનની માન્યતા મુજબ વિશિષ્ટ પદ્ધતિથી શું ભક્તિ છે. એક અંશનું પણ સમર્પણ બાકી રાખવું. એ પારો ખાવાથી જીવન્મુક્તિ મળે છે. એ માણસ કદી મૃત્યુ પામતો
અભક્તિનું જ સૂચક છે.. નથી. પણ આવો માણસ હજી સુધી આપણા જોવામાં આવ્યો ઉત્કૃષ્ટ ભગવદ્ભક્તિ છે ભગવાનની આજ્ઞાનું સંપૂર્ણ નથી. હા, એવા પ્રયોગથી અકાળે મરણ પામ્યા હોય, એવા પણે પાલન. પાંચ મહાવ્રતો, રાત્રિભોજન વિરમણવ્રત, અષ્ટ દાખલા બન્યા હશે. આધુનિક વિજ્ઞાન પણ મરણને અટકાવવાના પ્રવચનમાતા, બાહ્ય-આત્યંતર તપ, પાંચ પ્રહર સ્વાધ્યાય, ઉપાયો શોધી રહ્યું છે. વિજ્ઞાને એવી દવા શોધી કાઢી છે, એવી રાગ-દ્વેષનો ત્યાગ... આ બધું ભગવાનની આજ્ઞાનું પાલન છે. વાતો પણ ઉડતી હોય છે. પણ એ બધુ વજૂદ વગરનું છે. વીતરાગસ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહ્યું છે –
Page #25
--------------------------------------------------------------------------
________________
You have to go One day
आज्ञाऽऽराद्धा विराद्धा च शिवाय च भवाय च।।
જિનાજ્ઞાની આરાધનાથી મોક્ષ મળે છે અને જિનાજ્ઞાની વિરાધનાથી સંસારભ્રમણ થાય છે.
જિનાજ્ઞાનું સંપૂર્ણપાલન શક્ય ન જ હોય, તો જેટલા અંશે શક્ય બને એટલા અંશે તેનું પાલન કરવું જોઈએ, અને તેની સાથે અષ્ટપ્રકારી પૂજા આદિ દ્વારા પણ પ્રભુભક્તિ કરવી જોઇએ.
ભયાનક દરિયો હોય, ઉંચા ઉંચા મોજા ઉછળતા હોય, મોટા મોટા માછલાઓ અથડાતા હોય, ખતરનાક મગરમચ્છો જીવતા ચાવી જવાની પેરવીમાં હોય, ડુબી જવાની તૈયારીમાં હોય, એવી સ્થિતિમાં માણસને કોઇ વહાણ મળી જાય તો એ કેવી રીતે એનું આલંબન લે? એનો આશરો લેવાની એને કેવી તમન્ના હોય? એનામાં ચડી જવાનો એનો કેવો પ્રયત્ન હોય?
એવા દરિયા કરતાં ય અનંતગણો ભયાનક છે સંસારસાગર. જન્મ-જરા-મરણ-રોગ-શોક આદિ અસંખ્ય દુઃખોથી ભરેલો છે આ ભવસાગર. નરક-તિર્યંચગતિની કાળી યાતનાઓથી ભરેલો છે આ ભવસાગર. આ ભવસાગરમાં વહાણ જેવી છે ભગવદ્ભક્તિ. આ વહાણનો આશરો લેવાનું જેને મન થતું નથી, એને હજી સુધી ભવસાગરની ભયાનકતા સમજાઈ જ નથી.
જ્યાં સુધી ‘ભય’ નહીં જાગે, ત્યાં સુધી ન તો શરણની તમન્ના જાગશે, કે ન તો આજ્ઞાપાલનનું સામર્થ્ય પ્રગટશે. મમ્મીની પચ્ચીશ બૂમો રમતા બાળકને ઘરમાં બોલાવી શકતી નથી, પણ અઘોરી બાવાના દર્શનમાત્રથી એ બાળક દોડતો આવીને મમ્મીને બાઝી પડે છે.'
न शरणं भयाद् विना। ભય વિના શરણ સંભવિત નથી.
ભવભાવના, ઉપમિતિ ભવપ્રપંચ કથા, વૈરાગ્યકલ્પલતા જેવા ગ્રંથોથી સંસારનું સ્વરૂપ સમજવું જોઇએ. ચાર ગતિઓ, કાયસ્થિતિ, ભવસ્થિતિ, પુગલપરાવર્ત... એક વાર આ પદાર્થોનું પરિશીલન થાય એટલે સમગ્ર સંસાર જાણે પ્રત્યક્ષ દેખાય. સાડા ત્રણ કરોડ રુંવાડામાંથી કંપારી પસાર થઇ જાય. અને શરણની ઝંખનાનો ઉદ્દભવ થયા વિના ન રહે. | ચિંટુ ને પિંટુ. બંને ભાઇઓને ફરવા - જવાનું મન થયું. ઘરની બાજુમાં જ મોટું જંગલ હતું. દાદાજીને ખૂબ આગ્રહ કર્યો... “અમારી સાથે ચાલો ને ચાલો.'' દાદાજી કહે, ‘‘પણ તમે મારી સામે તો જુઓ... ૩૦ વર્ષથી મને લકવો છે. ૮૦ વર્ષની ઉંમર છે. વ્હીલચેર વગર હું ઘરમાં ય હરી ફરી શકતો નથી, તો પછી...” ચિંટુ-પિંટુ બરાબર જીદે ચડ્યા હતા... “અમે તમને વ્હીલચેરમાં લઇ જઇશું...” | દાદાજીને આવવું જ પડ્યું. ઝાડીઓમાંથી નાનકડી કેડી પસાર થતી હતી. આગળ પિંટુ ચાલતો
Page #26
--------------------------------------------------------------------------
________________
III
)
,
હતો અને પાછળ ચિંટુ દાદાજીની વ્હીલચેર આપણો જીવ અનાદિકાળથી ભટકી રહ્યો છે. ચલાવતો હતો, ત્યાં તો અચાનક ઝાડીમાંથી રીંછ આ ભવભ્રમણથી છૂટવા માટે શરણ લઇએ બહાર આવ્યો. એને જોતાની સાથે બધાના મોતિયા ભગવદ્ભક્તિનું. મરી ગયા. ચિંટુ ને પિંટુ બંને ઉંધુ ઘાલીને ભાગ્યા.
भमत भमत भवजलधि पाय के, બધી શક્તિ લગાડીને દોડ્યા... મમ્મી... મમ્મી
ભાવંત મગન વિન માવ નાવ રે... બૂમો પાડતા ઘરના કંપાઉંડમાં આવ્યા. મેઇન ગેટ
આત્મજાગૃતિનું આ પણ એક સ્વરૂપ બંધ કરી દીધો. મમ્મી... મમ્મી કરતાં દોડ્યા.
છે... ભગવદ્ભક્તિ... જિનચરણશરણ... ત્યાં તો મમ્મી ઘરમાંથી બહાર આવી... ‘ચૂપ
જિનાજ્ઞાપરિપાલન. માટે જ આનંદઘનજી રહો... ચૂપ રહો...'' “મમ્મી! મમ્મી!'' હાંફતા
મહારાજ ફરી ઉપનય કરે છે – હાંફતા બંને ટાબરિયા બોલ્યા “દાદાજીને રીંછ ખાઇ ગયું.” મમ્મી કહે, “ચૂપ રહો, દાદાજી તો વનયા સોવે 36 ગામ વા3 રે.... તમારી પહેલા દોડતા દોડતા આવી ગયા છે.”
ભયના નિમિત્તો તને ઘેરી વળ્યા છે, | ૮૦ વર્ષની ઉંમર... ૩૦ વર્ષથી શરણ્ય વ્યક્તિનું સાન્નિધ્ય તને સાંપડ્યું છે. એનું લકવો... ઘરમાં પણ વ્હીલચેરની આવશ્યકતા... શરણ લેવા માત્રથી તારા સર્વ દુઃખોનો અને આ સ્થિતિમાં દાદાજી પોતાના પૌત્રોને ય પાછળ દોષોનો અંત આવી જવાનો છે. આ સ્થિતિમાં તું પાડી દે, એવી ગજબનાક દોટ લગાવી શક્યા. સૂતો રહે... આ સોનેરી અવસર હાથમાંથી સરકી કારણ હતું માત્ર ભય. જ્યારે સંસારનો ભય લાગી જાય એ કેમ પાલવે? જાય, ત્યારે અંતરમાંથી આ ઉદગારો પ્રગટ થાય -
જયા સોવે 36 ગામ વી3 રે... अन्यथा शरणं नास्ति, त्वमेव शरणं मम।
જાગ ભાઈ જાગ... આ અવસર જાગૃતિનો तस्मात् कारुण्यभावेन, रक्ष रक्ष जिनेश्वर !||
છે, સૂવામાં તો અનાદિકાળમાં કાંઈ જ બાકી પ્રભુ! તારા સિવાય કોઈ મારું શરણ નથી. રાખ્યું નથી. તું જ મારું શરણ છે. માટે કૃપા કર. મારું રક્ષણ
- પદ હવે પરાકાષ્ઠાએ પહોંચે છે. કર. મારું રક્ષણ કર.
આતમરામ હજી જાણે કાંઈ ગડમથલમાં છે, એક બાજુ નરક-નિગોદ વગેરેરૂપ ત્યારે અવધૂત આનંદઘન એવા હૃદયોદ્ગારોની ભયાનક દ્રવ્ય સંસાર, તો બીજી બાજુ ક્રોધ-માન- અભિવ્યક્તિ કરે છે, કે જેનું શ્રવણ કર્યા પછી માયા-લોભરૂપ ભાવસંસાર. આ બે સંસારમાં આતમરામને અન્ય કોઈ વિકલ્પ જ ન રહે...,
\i]IN
Page #27
--------------------------------------------------------------------------
________________
कहा विलंब करे अब बाउ रे, तरी भवजलनिधि पार पाउ रे,
आनंदघन चेतनमय मूरति, शुद्ध निरंजन देव ध्याउ रे...३.. क्या सोवे उठ जाग बाउ रे...
Page #28
--------------------------------------------------------------------------
________________
મૂર્ખ ! હવે વિલંબ શું કરે છે? ભવસાગરને તરી ઓ મૂર્ખ ! એ સામગ્રીને સફળ કરવામાં તું વિલંબ કરે જઈને તેનો પાર પામ. આનંદઘન ચૈતન્યમય મર્તિ છે. છે ને? એ ય મોટી મૂર્ખામી છે. એ નિરંજન શુદ્ધ દેવ છે. એમનું ધ્યાન કર. //પા.
હીરો ઘોઘે જઈ આવ્યો, ને ડેલે હાથ દઈ આવ્યો.
એના જેવો આ ઘાટ છે. ૨૮૫ રન થઇ ગયા હોય. (પાઉ રે = પામ, ધ્યાઉ રે = દયાન કર)
માત્ર એક વિનિંગ શોટની આવશ્યકતા હોય અને એમાં જે પાછો એક યુવાન. ગરીબીનો પાર નહીં. ઉંમર વધતી જાય પડે, એના માટે શું કહેવું? સી.એ. ની બધી પરીક્ષાઓમાં પાસ છે. પણ કોઈ એને છોકરી આપતું નથી. બિચારાએ ચાર ગણી થયા પછી અંતિમ પરીક્ષા આપવા જે જાય જ નહીં, એના માટે મહેનત કરવા માંડી. માંડ માંડ થોડા પૈસા ભેગા થયા. લગ્ન શું કહેવું? કરોડોનો માલ મોકલ્યા પછી જેને બીલ મોકલવાની નક્કી થયા. એણે બધા પૈસા લગ્નમાં લગાડી દીધા. મોટે ઉપાડે કોઈ જ ઉતાવળ ન હોય, એના માટે શું કહેવું? અમેરિકાના જાન લઇને પરણવા ગયો. પણ મુહૂર્તના સમયે જ એને ગાઢ ઉંઘ વીઝા, પાસપોર્ટ, ટિકીટ વગેરે માટે આકાશ-પાતાળ એક કર્યા આવવા લાગી. ક્યાંક જઈને ઘસઘસાટ સૂઈ ગયો. જાનૈયાઓ બાદ, પ્લેન ઉપડવાના સમયે ય ઘરે આરામ ફરમાવતો રહે, શોધી શોધીને થાક્યા. કન્યા પક્ષવાળા ય લગ્ન પહેલા જ એના માટે શું કહેવું? છૂટાછેડા લઇને જતા રહ્યા. બિચારો વરરાજા ઠેક સવારે ઉઠ્યો
कहा विलंब करे अब बाउ रे... ને પોક મુકીને રડ્યો. શ્રીપાળ રાસમાં આ જ વાત કરી છે - જાન લઇ બહુ જુક્તિ શું, જેમ કોઈ પરણવા જાય રે,
- અનંત કાળે આ સામગ્રી મળી છે, અનંત પુણ્ય આ
સામગ્રી મળી છે. અનંત મૂલ્યવાન આ સામગ્રી મળી છે. હવે લગનવેળા ગઈ ઊંઘમાં, પછે ઘણુ પસ્તાય રે...
એને સફળ કરવામાં વિલંબ શી રીતે કરાય? ઉત્તરાધ્યયન આ વરરાજા એટલે બીજું કોઇ નહીં, પણ આપણો
સૂત્રમાં પ્રભુ વીરના શબ્દો છે - આત્મા. ટીપે ટીપે સરોવર ભરાય, એમ અનંતકાળથી
तिण्णो हु सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ? અકામનિર્જરા કરતા કરતા જે જે પુણ્ય ભેગું થયું, તેનાથી પંચેન્દ્રિયપણુ, મનુષ્યભવ, આર્યદેશ, સંપૂર્ણ શરીર વગેરે
- જ્યારે તું મહાસાગરને તરી જ ગયો છે, તો પછી મહામૂલ્યવાન સામગ્રી મળી. હવે મોહનિદ્રાને કારણે એ બધી
કિનારાની સાવ નજીક આવીને અટકી કેમ ગયો છે? એક સામગ્રીને નિષ્ફળ કરી દેવી, એ સામગ્રીને મેળવવા માટે દરિયા
છેલ્લી છલાંગ લગાવી દે, સંસારનો પાર પામી જા. જેટલા દુઃખો સહન કર્યા, એને વ્યર્થ બનાવી દેવા. એ કેટલી તરી મવનભનિઘ પાર પાડે રે... મૂર્ખતા !
એક હતા સરદારજી. પોતાના ખાસ મિત્ર સાથે વાતે વિનંવ ફરે શ્રવ વી3 રે... વળગ્યા હતા. મિત્રે એમને પ્રશ્ન કર્યો, “તને બહુ ગરમી લાગે,
Page #29
--------------------------------------------------------------------------
________________
તો તું શું કરે?’’ સરદારજીએ તરત જ જવાબ આપ્યો, ‘“એ. સી. પાસે બેસી જાઉં.’’ “એ.સી. પાસે બહુ વાર બેઠા પછી પણ ખૂબ ગરમી લાગે તો?’’ ‘‘તો હું એ. સી. ચાલુ કરી દઉં.’’
ભલા માણસ ! એ. સી. ચાલુ કરવાથી જ જો તકલીફો દૂર થઈ જતી હોય, તો પછી એ.સી. ચાલુ કરવામાં વિલંબ કરવાનું શું કારણ? અનાદિકાળથી આપણા આત્માને દુઃખી દુઃખી કરી નાખનાર છે કર્યો. આજે એ સામર્થ્ય મળ્યું છે કે આપણે દર્શન-જ્ઞાન-ચારિત્રની સાધના દ્વારા એ કર્મોનો કચ્ચરઘાણ કરી શકીએ, આપણા આત્માને સર્વ દુઃખોથી મુક્ત કરી શકીએ, તો પછી એ સામર્થ્યનો સદુપયોગ કરવામાં વિલંબ શા માટે?
ન્હા વિલંબ રે અવ વડે રે...
=
આ અણમોલ અવસર પામ્યા પછી પળનો પણ વિલંબ કરવા જેવો નથી. મહોપાધ્યાયજીએ શ્રી વિમલનાથ ભગવાનના સ્તવનમાં કહ્યું છે - અવસર પામી આળસ કરશે એ મૂરખમાં પહેલોજી, ભૂખ્યાને જેમ ઘેબર દેતા હાથ ના માંડે ઘેલો જી.
કકડીને ભૂખ લાગી છે, ઘેબરના ભાવતા ભોજન મળ્યા છે, ને તો ય એ ઘેબરને મોઢામાં મુકવા જેટલો પણ પ્રયત્ન કરવો નથી. એની ભૂખ ક્યારે દૂર થાય? જો આપણી જાતને આપણે બુદ્ધિશાળી માનતા હોઇએ, તો આ અવસરની પ્રાપ્તિને સફળ કરવી જોઇએ.
આચારાંગ સૂત્રમાં કહ્યું છે -
વળું નાળારૂ પંડિત - અવસરને જાણે તે ખરો વિદ્વાન્.
શત્રુઓ તરફથી મિસાઈલ છૂટી ગઈ હોય, ત્યારે માત્ર ત્રણ સેકન્ડના સમયમાં બધી ગણતરી કરીને તેની સામે મિસાઈલ છોડી દેવી પડે છે. બે એટેક આવી ગયા હોય, કાર્ડિયોગ્રામ ભયજનક પરિણામ બતાવતો હોય, ત્યારે તાત્કાલિક યોગ્ય સારવાર આપવી જરૂરી બને છે. બજારમાં સફળ વેપારી થવા માટે યોગ્ય સમયે તાત્કાલિક ઉચિત નિર્ણય લેવો આવશ્યક હોય છે.
એ તક... એ અવસર છૂટી જાય, એટલે બધી હોંશિયારી પાણીમાં મળી જાય, બધી વિદ્વત્તા ધૂળ ભેગી થઈ જાય. ચતુરાઇ તો એ અવસરે બતાવવાની હતી. આપણા માટે આ અવસર છે સામર્થ્યના સદુપયોગનો. આપણા માટે આ તક છે દર્શનજ્ઞાન-ચારિત્રની આરાધનાની. ચાલો, જિનાજ્ઞાના પાલન માટે કટિબદ્ધ બની જઈએ. એ માટે પહેલા આપણું ધ્યાન બધેથી ઉઠાવીને જિનેશ્વર ભગવંતમાં કેન્દ્રિત કરી દઇએ. આનંદઘનજી મહારાજ પણ આ જ વાત કરી રહ્યા છે
1
आनंदघन चेतनमय मूरति, शुद्ध निरंजन देव ध्याउ रे.... પ્રભુનું ધ્યાન તો જ થઈ શકે, કે જો પ્રભુના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય. માટે પ્રભુના સ્વરૂપનું પહેલું લક્ષણ અહીં કહ્યું છે આનંદઘન. ઘન એટલે નક્કર (સોલિડ). પ્રત્યેક આત્મપ્રદેશ પર એટલો આનંદ ભરેલો છે કે જેનું વર્ણન ન થઇ શકે. મહાવીરસ્વામી ભગવાનના ૨૭ ભવના સ્તવનમાં કહ્યું છે -
-
Page #30
--------------------------------------------------------------------------
________________
તુમ સુખ એક પ્રદેશનું નવિ માવે લોકાકાશ... સંપૂર્ણપણે તો માત્ર વીતરાગ જ જાણી શકે.
પ્રભુ ! તમારા આત્માના એક પ્રદેશના સુખને પણ જો ' હા, ઉપમા દ્વારા આપણે પણ જાણી શકીએ. કોઈની મોટું કરવામાં આવે, તો એ સુખ સમગ્ર લોકના આકાશમાં પણ સર્વ ઇષ્ટ વિષયોની પ્રાપ્તિ થઇ જાય, સર્વ મનોકામનાઓ પૂર્ણ સમાઈ ન શકે.... કેવો નક્કર હશે એ આનંદ. આનું જ નામ થઇ જાય, સર્વ રોગો દૂર થઈ જાય, ત્યારે તેને જેવું સુખ થાય આનંદઘન. શ્રુતિમાં પણ કહ્યું છે.
એના કરતાં અનંતગુણ હોય છે શુદ્ધ આત્માનું સુખ... આનું જ નિત્યં વિજ્ઞાનમાનન્દ બ્રહા...
નામ આનંદઘન. આત્મા નિત્ય જ્ઞાન-આનંદસ્વરૂપ છે.
રશિયન ફિલોસોફર ગોર્ક. અમેરિકાના પ્રવાસે ગયો.
આખું અમેરિકા ફર્યો. છેલ્લે જવાના દિવસે એને રિપોર્ટરો ઘેરી કાગડા કાળા છે, તો હજારો ટન ચૂનો પણ એમને ધોળા
વળ્યા. અમેરિકાના એકથી એક ચડિયાતા સ્થાનો, મનોરંજનના કરી શકે તેમ નથી. બહારથી સુખ મેળવવાની ચેષ્ટા કાગડાને
સ્થળો જોયા પછી ગોર્કી તેના માટે ઉંચો અભિપ્રાય આપે, સફેદો લગાડવા જેવી છે.
અમેરિકાનું ગૌરવ વધે એવા સમાચારો હેડલાઈનમાં છાપી સુખ તો આત્માનું સ્વરૂપ છે. સુખ તો આત્માની શકાય, એવો રિપોર્ટરોનો આશય હતો. ‘અમેરિકા માટે તમારો સ્વભાવ છે. આનંદ તો આત્માનું અવિભાજ્ય લક્ષણ છે. અભિપ્રાય?’ આ પ્રશ્ન સાંભળીને ગોર્ક ગળગળા થઈ ગયા. પાણી વિનાનો દરિયો જો સંભવે, તો જ આનંદ વિનાનો કોઈ હજી કાઈ સમજે એ પહેલા તો ગોકની આંખોમાંથી આત્મા સંભવે. પણ એ આનંદ કયો? વિષયસંયોગજન્ય
રીતસરના આંસુ સરી પડ્યા. નહીં, શાતાવેદનીય કર્મના ઉદયજન્ય નહીં. પણ
| બે ક્ષણ તો બધા સ્તબ્ધ થઇ ગયા. પછી ધીમે રહીને શુદ્ધ આત્મસ્વભાવના પ્રાગટ્યથી પ્રાપ્ત થયેલ આનંદ.
કો’કે કારણ પૂછ્યું, જરા સ્વસ્થ થઈને ગોર્કીએ કહ્યું, “જે
દેશની પ્રજાને સુખ માટે આટલા બધા સાધનોની જરૂર પડતી વીતરાગતાનું એ સુખસંવેદન અવર્ણનીય હોય છે.
હશે, એ દેશની પ્રજા વાસ્તવમાં કેટલી દુઃખી હશે? એ વિચારે ઈન્દ્રિયપરાજય શતકમાં કહ્યું છે –
હું દ્રવિત થઈ ગયો .” जं लहइ वीयराओ सुक्खं तं मुणइ सुच्चिय न हु अन्नो।
બગલમાં રહેલી ઘોડીઓ વિકલાંગતાની જ જાહેરાત કરે नहु गत्तासुअरओ जाणइ सुरलोइयं सुक्खं।।
છે, ચહેરા પર મેક-અપના લપેડા કદરૂપતાની જાહેરાત કરે છે. વીતરાગ પરમાત્મા જે સુખની અનુભૂતિ કરે છે, એ એમ સુખના સાધનો પાછળની દોટ એ જાતના દુ:ખીપણાની સુખને તે જ જાણી શકે છે, બીજા નહીં. ગટરનું ડુક્કર જેમ જાહેરાત કરે છે. દેવલોકના સુખને ન જાણી શકે, તેમ વીતરાગના સુખને ઔપાધિક સુખની તૃષ્ણાએ આત્માને એનું સ્વાભાવિક જાણવું, એ આપણા ગજા બહારની વાત છે. વીતરાગના સુખને સુખ ભૂલાવી દીધું છે. પરમાત્માનું ધ્યાન એ બીજા શબ્દોમાં
Page #31
--------------------------------------------------------------------------
________________
કહીએ તો આપણા શુદ્ધ આત્માની સ્મૃતિ છે. આપણે છીએ પરમાત્મા શુદ્ધ છે. આનંદઘન. દૂધને જો સફેદીની જરૂર પડે, તો આપણને ચૈતન્ય અશુદ્ધ થાય છે રાગ-દ્વેષ-મોહ દ્વારા થતી બાહ્ય સુખસંયોગની જરૂર પડે. આનંદની સ્વયંભૂ સરવાણીઓ મલિનતાથી, રાગ-દ્વેષ-મોહનો આત્મામાં સંપર્ક થવો એનું ફૂટી નીકળે છે આત્માનુભૂતિમાં. હૃદયપ્રદીપ પત્રિશિકામાં નામ અંજન. પરમાત્મામાં આ અંજન હોતું નથી. કહ્યું છે –
निर्गतमञ्जनं यस्मात् सः - निरञ्जनः। न देवराजस्य न चक्रवर्तिण-स्तन्नो सुखं रागयुतस्य मन्ये।
( જેમનામાંથી આ અંજન જતું રહ્યું છે, એમનું નામ યદ્ વીતરા+ચ મુને સદ્દાડડભ-નિષ્ઠ વિરે સ્થિરતાં પ્રયાતિiા નિરંજન. હજારો લોકો પોતાને વંદન કરતા હોય, પોતાની સ્તુતિ | દેવેન્દ્ર હોય કે ચક્રવર્તી હોય, દુનિયાના કોઇ રાગીને કરતા હોય, તો ય પરમાત્માને કોઈ રાગ ન થાય અને હજારો એવું સુખ નથી મળતું, કે જે સુખ વીતરાગમુનિને મળે છે. જે આત્મનિષ્ઠ છે, આત્માનુભૂતિમાં નિમગ્ન છે, શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે રત્નત્રયીની આરાધનામાં પરાયણ છે, તેના ચિત્તમાં આવું સુખ પ્રતિષ્ઠિત થયા વિના
રહેતું નથી.
CAIdiem
પરમાત્માનું બીજું લક્ષણ છે ચૈતન્યમય મૂર્તિ. चेतयति वस्तुस्वरूपं यथावस्थितमिति चेतनः।
જે વસ્તુસ્વરૂપનું યથાર્થ સંવેદન કરે તેનું નામ ચેતન. ચેતનપણું એટલે ચૈતન્ય. આત્મા ચૈતન્યમય મૂર્તિ છે. ઘડો માટીમય હોય, એનો અર્થ છે, એ માટીમાંથી બનેલો હોય. ઘડો અને માટી અલગ વસ્તુ ન હોય. એ રીતે આત્મા ચૈતન્યમય છે. ચૈતન્ય એ એનું સ્વરૂપ છે, એનું લક્ષણ છે. અસાધારણ ધર્મ હોય એ લક્ષણ કહેવાય. જીવ સિવાય બીજે ક્યાંય ન હોય. એને જીવનું લક્ષણ કહેવાય. ચૈતન્ય એ જીવનું લક્ષણ છે. આ લક્ષણ ક્યાંય અજીવમાં જોવા ન મળે.
પણ આ ચૈતન્ય બધા જીવોમાં સમાન રીતે પ્રગટ થયું હોતું નથી. મોટા ભાગના જીવોમાં એ અશુદ્ધરૂપે હોય છે. આ ચૈતન્ય શુદ્ધરૂપે પ્રગટ થયું હોય છે પરમાત્મામાં. માટે
નાસ્તિકો પોતાને ગાળો આપતા હોય, તો ય પરમાત્માને જરા પણ દ્વેષ ન થાય. કેવળજ્ઞાનનો પ્રકાશ સદા માટે રાયમાન છે, માટે પરમાત્માને મોહનો કોઈ અવકાશ નથી. - આવા નિરંજન ‘દેવ’ એટલે જ પરમાત્મા. ‘દેવ’નો અર્થ પણ સમજવા જેવો છે.
दिव्यति क्रीडतीति देवः જે રમણ કરે છે એ દેવ. પ્રસ્તુતમાં જે આત્મરમણતામાં નિરંતર નિમગ્ન છે. શુદ્ધ આત્માની અનુભૂતિમાં પરાયણ છે. 0િ
al Educational
Page #32
--------------------------------------------------------------------------
________________
- નિરંજન પરમાત્માની પ્રાપ્તિ શી રીતે થાય? સાક્ષાત તીર્થકરનો યોગ મળે, એ પણ દ્રવ્યપ્રાપ્તિ છે. તદ્રુપ બની જવું એ ભાવપ્રાપ્તિ છે. દૂધમાં બદામ પડે એ બદામની દ્રવ્યપ્રાપ્તિ છે. પણ ઘાસ વગેરે દ્રવ્ય પાચનક્રિયા દ્વારા દૂધરૂપ બની જાય, તે ભાવપ્રાપ્તિ છે. તે પર્યાયરૂપે પરિણમવું એનું નામ ભાવપ્રાપ્તિ.
| નિરંજન પરમાત્માની ભાવ-પ્રાપ્તિ કરવી હોય તો CEWHERE are you finding it? It's inside you !!!
અંજનથી મુક્ત થવા માટે પ્રયત્ન કરવો પડે. રાગ-દ્વેષ-મોહ You yourself are pleasure
જેમ જેમ ઘટતા જાય, તેમ તેમ પરમાત્માપદ વધુ ને વધુ નજીક એમનું નામ દેવ. આવા દેવનું ધ્યાન કરવું જોઈએ.
આવતું જાય. જેટલા જેટલા અંશે રાગ-દ્વેષ-મોહ ઘટતા જાય,
તેટલા તેટલા અંશે પરમાત્માની ભાવપ્રાપ્તિ થાય. દ્રવ્યપ્રાપ્તિ आनंदघन चेतनमय मूरति, शुद्ध निरंजन देव ध्याउ रे...
પણ ઉપાદેય છે, તેનો પણ ઘણો મહિમા છે. પણ તેનું કારણ | બહુ માર્મિક વાત અહીં એ સમજવાની છે કે પરમાત્માનું. એ જ કે એ ભાવપ્રાપ્તિનું કારણ બને છે. જો દ્રવ્યપ્રાપ્તિ એ ધ્યાન એટલે બંધ બારણે એકાંતમાં પલાઠી લગાવીને પરમાત્માનું ભાવપ્રાપ્તિનું કારણ ન બને, તો એ વ્યર્થ છે. આ ભાવપ્રાપ્તિની ચિંતન કરવું, એ જ ધ્યાન છે એવું નથી. પરમાત્માના જે ગુણોનું દિશામાં પ્રામાણિક પ્રયત્ન એટલે જ નિરંજન દેવનું ધ્યાન. અહીં વર્ણન કર્યું છે, તે ગુણોનો અભ્યાસ અને તેની પરિણતિ
શુદ્ધ નિરંજન ફેવ ધ્યા રે.... એ પણ આપેક્ષિક રીતે પરમાત્માનું ધ્યાન છે. એક ન્યાય છે -
નિરંજનત્વના ધ્યાનનો પ્રામાણિક પ્રયત્ન કોને गुणगुणिनोऽभेदः
કહેવાય? ધારો કે પરમાત્માનું ધ્યાન કરવા કોઈ સાધક બેઠો ગુણ અને ગુણવાન એ બે વચ્ચે ભેદ હોતો નથી. માટે છે, એ સમયે કોઇ કોલાહલ કરે, અને સાધકને ગુસ્સો આવે. જે આનંદ છે એ જ પરમાત્મા છે. જે શુદ્ધ ચૈતન્ય છે, એ જ અડધો કલાકનું ધ્યાન કરવું છે, વચ્ચે ઊભા થવું નથી, બોલવું પરમાત્મા છે, જે નિરંજનત્વ છે, જે દેવત્વ છે, એ જ પરમાત્મા નથી. માટે મુદ્રા તો ધ્યાનની જ છે, પણ મનમાં સમસમી ગયો
પરિણતિ, આ ગુણો સાથેનું તાદાભ્ય, છે. જાતજાતના વિચાર-વિકલ્પો ઝપાટાબંધ પસાર થઈ રહ્યા એ પણ પરમાત્માનું ધ્યાન છે. આ ધ્યાન પરાકાષ્ઠાએ પહોંચે છે. આમાં જાતનો રાગ છે. કોલાહલ કરનાર પ્રત્યે દ્વેષ છે. અને ત્યારે પરમાત્માની સમાપત્તિ થાય છે. આત્મા સ્વયં પરમાત્મા નિરંજનના ધ્યાનને બદલે હું અંજનના દુર્યાનમાં ચડી ગયો છું બની જાય છે. આનંદઘનજી મહારાજે એક અન્ય પદમાં આ જ - આ વાસ્તવિકતાનું અજ્ઞાન = મોહ છે. ધ્યાનની અભિલાષા વ્યક્ત કરી છે -
ભલા માણસ ! આવું કોઇ નિમિત્ત આવે, છતાં ય તું નિરંનન યR નો વૈસે મિલેંડો...
નિરંજનત્વની પરિણતિને અવિચ્છિન્ન રાખવામાં સફળ બને, એ
Page #33
--------------------------------------------------------------------------
________________
Just go inside...
Ocean of Ecstasy
is Waiting for you
જ તો નિરંજનનું પારમાર્થિક ધ્યાન છે. ઉકળાટ તે પોતે કર્યો. ધ્યાનને દુર્ધ્યાન તે સ્વયં બનાવ્યું. અને ઉપરથી પેલો મને ધ્યાન કરવા દેતો નથી, એવો આક્ષેપ કરવો, એ કેટલું વ્યાજબી !
શંકા ઃ- જો પેલાએ અવાજ ન કર્યો હોત, તો સ્વસ્થ ચિત્તે ધ્યાન થવાનું હતું. તો પેલાના કારણે જ ધ્યાન તૂટ્યું એમ કહેવાય ને?
સમાધાન ઃ- સ્થૂલદષ્ટિએ કહી શકાય. બાકી સૂક્ષ્મદૃષ્ટિએ તો ધ્યાન થયું જ ન હતું, તો તૂટવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે? જ્યાં સુધી લબ્ધિરૂપે પણ રાગ-દ્વેષ-મોહના વિશિષ્ટ સંસ્કારો પડ્યા છે. ત્યાં સુધી શુદ્ધ ધ્યાન સંભવિત નથી. અધ્યાત્મમાર્ગને સંપૂર્ણ પણે સમર્પિત બને છે શ્રમણ. તેણે પોતાના જીવનના પ્રત્યેક દિવસને પ્રભુના ચરણે ધરી દીધો છે. જાણે શ્રમણે પ્રભુને પોતાના ૨૪ કલાક (આઠ પહોર) ધરી દીધા. અને કહ્યું કે પ્રભુ ! આપ કહો એમ હું આ સમયનો વિનિયોગ કરું. પ્રભુએ આજ્ઞા કરી કે આમાંથી ૧૫ કલાક (પાંચ પહોર) સ્વાધ્યાય ખાતે આપી દે.
ખૂબ ગંભીર રીતે વિચારણીય છે પરમાત્માની આ આજ્ઞા. આહાર, નિદ્રા, સંયમચર્યા જેવા અનિવાર્ય કાર્યોને બાદ કરીને બાકીનો બધો જ સમય સ્વાધ્યાયને આપી દેવો, એવો પરમાત્માનો સ્પષ્ટ આશય જણાય છે. મોક્ષ કેવળજ્ઞાન પછી જ મળશે અને કેવળજ્ઞાન
.
ક્ષપકશ્રેણિ વિના શક્ય નથી. ક્ષપકશ્રેણિ પર આરોહણ શક્ય બને છે, માત્ર શુક્લધ્યાનથી. આ બધું જાણતા હોવા છતાં પ્રભુએ સ્વાધ્યાયને પ્રાધાન્ય આપ્યું છે.
એનું રહસ્ય આ જ છે કે શુક્લધ્યાન પણ શક્ય બને છે સ્વાધ્યાયથી. પ્રતિદિન પાંચ પ્રહરના સ્વાધ્યાયથી રાગ-દ્વેષ-મોહના સંસ્કારો ઘસાતા જાય. આત્મદ્રવ્ય વિશુદ્ધતર બનતું જાય, પછી આત્મામાં ધ્યાનની યોગ્યતા પ્રગટ થાય છે. આ યોગ્યતાના પરિપાકથી તે દશા આત્મસાત્ થાય છે, કે જેમાં ધ્યાન અનાયાસસિદ્ધ બને છે. વિના પ્રયત્ને સહજ બને છે. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ ધ્યાનના આ રહસ્યને પ્રગટ કર્યું છે યોગદષ્ટિસમુચ્ચયમાં –
ध्यानं च निर्मले बोधे, सदैव हि महात्मनाम्। क्षीणप्रायमलं हेम, सदा कल्याणमेव हि।।
નિર્મળ બોધ હાજર હોય, ત્યારે મહાત્માઓને સર્વ કાળે ધ્યાન હોય છે. જે સુવર્ણમાંથી મળનો ક્ષય થઇ ગયો છે, તેને ‘કલ્યાણ’ કહેવાય છે. એક વાર ‘કલ્યાણ’ બન્યા પછી એને ફરી ફરી કોઈ પ્રક્રિયા કરવાની રહેતી નથી. એ હંમેશ માટે ‘કલ્યાણ’ જ રહે છે.
રાગ-દ્વેષ-મોહના સંસ્કારોના હ્રાસનો પ્રયત્ન એ એક રીતે ધ્યાન પણ છે. અને બીજી રીતે શુદ્ધ ધ્યાનની ભૂમિકા પણ છે. રાગાદિના સંસ્કારોનો હ્રાસ થાય છે વિશિષ્ટ સ્વાધ્યાયથી.
Page #34
--------------------------------------------------------------------------
________________
શંકા :- તો પછી આનંદઘનજી મહારાજે દયાનની પ્રેરણા કેમ કરી? સ્વાધ્યાયની પ્રેરણા કેમ ન કરી?
સમાધાન :- પિતા પુત્રને પૂજા કરવાની પ્રેરણા કરે. તે પ્રેરણામાં સ્નાન, શુદ્ધવસ્ત્રપરિધાન, જિનાલયગમન વગેરે પ્રેરણાઓ પણ આવી જ ગઈ છે, કારણ કે સ્નાન વગેરે વિના પૂજા શક્ય નથી. એ જ રીતે યાનની પ્રેરણામાં પણ સ્વાધ્યાયાદિ ઉચિત યોગોની પ્રેરણા આવી જ ગઈ છે, કારણ કે તેમના વિના ધ્યાન પણ સંભવિત નથી.
તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે –
शुक्ले चाद्ये पूर्वविदः। શુક્લધ્યાનના પ્રારંભના બે ચરણ પૂર્વધર મહર્ષિને સંભવે છે. (બાકીના બે ચરણ કેવળજ્ઞાનીને સંભવે છે.)
જેમ ઉત્કૃષ્ટ ધ્યાન માટે ઉત્કૃષ્ટ શ્રુતજ્ઞાન આવશ્યક હોય છે, તેમ મધ્યમાદિ દયાન માટે પણ તથાવિધ જ્ઞાન આવશ્યક
છે. અને જ્ઞાનની પ્રાપ્તિ માટે ગુરુવિનય આદિ ઉચિત યોગ પૂર્વક સ્વાધ્યાય કરવો, એ અનિવાર્ય છે.
ક્રમ એ સર્વત્ર આવશ્યક વસ્તુ છે. ખેતી હોય, મકાન બાંધકામ હોય કે રસોઇ હોય, ક્રમનું ઉલ્લંઘન કરે એને કદી સાધ્યસિદ્ધિ ન મળે, ઉલ્ટ ન થવાનું થઈ જાય. માટે અધ્યાત્મમાર્ગમાં પણ ક્રમનું ઉપાદાન કરવું જોઈએ. યથાશક્તિ સદાચારસેવન, ગુરુવિનય, સ્વાધ્યાય આ બધા ક્રમના આદર વિના સીધે સીધું નિરાલંબન ધ્યાન કરવા પ્રયત્ન કરવો, એ પાયો ખોદ્યા વિના ‘સોમો માળ ચણવા જેવું છે. અર્થાત્ એ શક્ય નથી. શક્ય બનતું લાગે તો એને મિથ્યા આત્મસંતોષ સમજવો પડે. અને એ અવસ્થામાં આત્માની ગતિ અધ્યાત્મથી કોઇ જુદી જ દિશામાં થઈ રહી છે, એમ સમજવું પડે.
आनंदघन चेतनमय मूरति, शुद्ध निरंजन देव ध्याउ रे... | સારભૂત આનંદ, શુદ્ધ ચૈતન્ય મૂર્તિત્વ, નિરંજનત્વ અને દેવત્વ (આત્મરમણતા)... આ ગુણોને આત્મસાત્ કરવાનો પ્રામાણિક પ્રયાસ, એટલે જ આત્મજાગૃતિ. આ ગુણોની ઉપેક્ષા એટલે જ મોહનિદ્રા.
જયા સોવે 36 ગામ વા3 રે... આત્મન્ ! હજી શું સૂતો છે? ઉઠ, જાગ,
પ્રભુત્વની ભાવપ્રાપ્તિનો આ અવસર છે. પરમાત્મપદની પરિણતિની આ અણમોલ તક છે. ઘોર નિદ્રાધીનતા દ્વારા એ તકને નિષ્ફળ કેમ બનાવે છે?
ના આત્મન્ ! ના, આવી મૂર્ખતા ના કરીશ. क्या सोवे उठ जाग बाउ रे...
નિત્યે વિજ્ઞાનમાનન્દુ ઘર્મ...
આત્મા નિત્ય જ્ઞાન-આનંદસ્વરૂપ છે...
Page #35
--------------------------------------------------------------------------
________________
Self-forgetting is
આત્માહતી વિસ્મૃતિ જેવી બીજી કોઇ મૂર્ખતા નથી.
www.jainellbrary.org
Page #36
--------------------------------------------------------------------------
________________ આધ્યાત્મિક આનંદની પ્રાપ્તિ માટે, આત્માનુભૂતિની દિશામાં પ્રગતિ કરવા માટે, સુખ-શાંતિ-સમાધિની પરિણતિ માટે, એક પરિશીલનીય પ્રબંધ MULTY GRAPHICS naz TEવ71821 જાન in Education intonational Pleasonal Use Only W ebanon