Book Title: Vishvama Dikshanu Sthan
Author(s): Sukhlal Sanghavi, Bechardas Doshi
Publisher: Z_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf

View full book text
Previous | Next

Page 8
________________ ૮૬ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાને સ્ત્રીને ભૂતકાળના દીક્ષાપરત્વે અધિકાર હૈાવા ન હેાવાના, અમુ ચિહ્ન રાખવા ન રાખવાના જૂના ઝઘડાએ નીરસ લાગે છે ખરો પશુ એમની પરાપૂર્વથી ઝઘડા માટે ટેવાયેલી સ્થૂળ વૃત્તિ પા નવા ઝઘડા માગી જ લે છે. તેથી જ તેા આ ઉંમર પરત્વેને અ સંમતિ પરત્વેને મઝેદાર ઝઘડે ઉભેા થયેા છે અને તે વિકસે ન જાય છે. માત્ર છાપાંઓમાં આ ઝધડે! મર્યાદિત ન રહેતાં રાજદરબારે સુદ્ધાં પહોંચ્યા છે. જૂના વખતમાં રાજદરબાર માત્ર બન્ને પક્ષાને ચર્ચા કરવાનું સ્થાન હતું. અને હારજિતના નિકાલ વાદીની કુશળતા ઉપરથી આવી જતા; પણ આજના રાજદરબાર જુદો છે. એમાં તમે ચડા એટલે બન્ને પક્ષકારાની બુદ્ધિની વાત જ નથી રહેતી. પક્ષની સત્યતા અથવા પક્ષકાર વાદીની બુદ્ધિમત્તા પૈસાની કાથળી આડે દબાઈ જાય છે. એટલે જે નાણાં વધારે ખર્ચે તે જિત ખરીદી શકે. રાજતંત્રના આ વ્યક્તિસ્વત ંત્રતાવિષયક ગુણ ભલે બુદ્ધિમાના અને રાજ્યકર્તાઓ માટે લાભદાયક હા, પણ જૈનસમાજ જેવા મુહુ અને ગુલામ સમાજ માટે તેા એ ગુણુ નાશકારક જ નીવડતા જાય છે. ' અત્યારે એ પક્ષા છે. બન્ને દીક્ષામાં તે માને જ છે. દીક્ષાનું સ્વરૂપ અને દીક્ષાના નિયમે વિષે અંતેમાં કાઈ ખાસ મતભેદ નથી. બંનેને મતભેદ દીક્ષાની શરૂઆત પરત્વે છે. એક કહે છે કે ભલેને આઠ કે નવ વર્ષનું બાળક હેાય તે પણ જૈનદીક્ષા, જીવનપર્યંતની લઈ શકે, અને એવાં ખળકા ઉમેદવાર મળી આવે તે ગમે તે રીતે તેઓને દીક્ષા આપવી એ યાગ્ય છે. તેમજ તે કહે છે કે સેાળ કે અઢાર વર્ષ પહેાંચેલા તરુણુ કાર્યની પરવાનગી લીધા સિવાય, માબાપ કે પતિપત્નીને પૂછ્યા સિવાય, તેમની હા સિવાય પણ દીક્ષા લઈ શકે અને તેવા તરુણા મળી આવે તે દીક્ષા આપવી જ જોઈએ. ઘણીવાર તેા આ પક્ષ ખાળ ઉમેદવારે। ન હોય તે તેવા ઉમેદવારોને કૃત્રિમ રીતે ઉભા કરી તેમને શિરે ધ મુકુટ પહેરાવવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19