Book Title: Vihar Varnan 1 2 3 Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 3
________________ ૨૪૦ ] જ્ઞાનાંજલિ બદલે આરામ મળ્યેા. આગળ ચાલતાં અમે કોઈ ને પૂછીએ કે · શિવગંજ અાસુ કતરો વે? ’ ત્યારે એ લાકે કેટલીક વાર સુધી અમારી સામે જ જોઈ રહે. જ્યારે એ ત્રણ વાર પૂછીએ ત્યારે ખેલે કે થારે સવગજ જાણે! વે?' અમે સમજી ગયા કે અમે શિવગંજ જેવુ અશુદ્ધ (?) નામ ઉચ્ચારીએ તે આ લેકે શી રીતે સમજી શકે? છેવટે અમે કહ્યુ` કે ‘હાં, સવગજ જાણા વે.' ત્યારે કહે કે ‘તીન કેહુ વે.' અમે આગળ રસ્તા કાપવા માંડયો અને મનમાં ને મનમાં વિચાર થયા કે મેગાસ્થિનિસ જેવા વિદ્વાન રાજદૂત ચદ્રગુપ્ત'ને બદલે ‘સેન્ડ્રોકાર્સ ' ઇત્યાદિ લખે અને અત્યારની વિજ્ઞ બ્રિટિશ પ્રજા ‘ગગાજી' આદિ શબ્દોને બગાડી · ગેરેંઝ' (Ganges) આદિ લે -લખે તે। ગામડાની અભણ પ્રજા, ગામનાં નામેા બગાડે એમાં શી નવાઈ ? અસ્તુ અમે કેટલુંય ચાલીએ અને રસ્તે મળનારને પૂછીએ પણ શિવગ ંજ ત્રણ કાસનું એ કાસ ન થાય. આખરે ત્રણ ત્રણ માઈલના એક કેસને લેખે, ત્રણ કાસ ભૂમિ વટાવી પારના દેઢ વાગે અમે સવગજસવજગ ઉર્ફે શિવગંજના પાદરનાં દર્શન કર્યાં અને ગામમાં પહેોંચ્યા. ત્યાંથી ખાવાદી સાત માઈલ જ દૂર હતું એટલે બીજે દિવસે ત્યાં ઘણા આરામથી પહેાંચ્યા. ખીવાણુદી ગામમાં પ્રતિષ્ઠામહેાત્સવ હોવાને કારણે ખૂબ માનવમેદની જામી હતી. મારવાડમાં એવે નિયમ છે કે પ્રતિષ્ઠામહોત્સવ વખતે આજુબાજુના ગામના લોકોને નાતરવા જોઇએ. આજુબાજુના લોકો કોઈ કારણસર ન આવતા હોય તે। પ્રતિષ્ઠા કરનારે પાઘડી ઉતારીને પણ સૌને મનાવવા પડે છે અને લેાકેા પણ પ્રતિષ્ઠા કરાવનારના ગૌરવ ખાતર માર્ગ કાઢી મનાઈ જાય છે અને પ્રતિષ્ઠામહાત્સવમાં ભળી શેશભામાં વધારા કરે છે. ભારતીય આર્ય પ્રજાના સમર્થ શાસ્તાઓએ આ પ્રજાના જીવનની પવિત્રતાના સુકાતા પ્રવાહને સજ્જન રાખવા માટે જે બુદ્ધિમત્તાભર્યા રીતરિવાજો ચાલુ કર્યા હતા તે બધાયના મૌલિક ઉદ્દેશો જેમ પ્રજાએ ભૂંસી નાખ્યા છે, તેમ આવા મહેાત્સવપ્રસંગે પરસ્પરથી વિખૂટી પડી ગયેલી આંતર તથા બાહ્ય એકતા તેમ જ મીઠાશ સાધવા માટે જે નમ્રતા વગેરે પ્રગટ કરાતાં તેમ જ મિષ્ટ ભોજન જમાતાં તે આજે માત્ર બાહ્ય અને તે પણ ક્ષણિક મિત્રતા અને મીઠાશના રૂપમાં પરિણમી ગયાં છે. અહીયાં સ્ત્રીએનાં ટોળાં ગાતાં ગાતાં દોડાદોડી કરતાં હેાય છે, પણ તે શું ગાય છે. એ જરાય સમજાય નહિ; તેમ જ કુદરતી સ્ત્રીજનસુલભ !'ઠમાધુર્યાં પણ તેમનામાં હોતું નથી. માત્ર બધી ભેગી થઈ તે હાહા કરતી હાય એમ લાગે છે. આ કાંઈ જૈન સ્ત્રીઓ માટે જ નથી, પણ અન્ય કામની સ્ત્રીએ ગાતી હોય તેમના પણ એ જ હાલ છે. સ્ત્રીએ દેડાદોડ કરતી હોય ત્યારે સામે આવનારની દરકાર તેમને હાતી નથી. જે સામે આવનાર પેાતાને સંભાળે નહિ તેા ઉભયપક્ષ જરૂર પરસ્પરમાં અથડાઈ પડે. ઘણી વાર એવા બનાવેા બની જાય છે કે સામે આવતાં ગાય, ભેંસ કે ઘેાડામેની પણ તેમને પરવા હેાતી નથી. જ્યારે સામેા માણસ બૂમ પાડે ત્યારે મુશ્કેલીથી દૂર હઠે. આવા બનાવેા બનવામાં તેમને છૂટ અને તે સાથે તેમની શૂન્યતા એ જ કારણભૂત છે. અહીંની પ્રજાનાં ખાન-પાન, પહેરવેશ, ભાષા, ક આદિ જે જુએ તે બધું જાડુ જ જાડુ છે. વિધાતાએ આ દેશમાં એકલા પાણીને જ કેમ પાતળું રહેવા દીધુ' હશે ? એ સમજાતું નથી ! અહીંના ગાઉ બહુ મેટા. કેટલીક વાર ત્રણ માઈલના એક ગાઉ થઈ જાય છે; પણ મેટે ભાગે અઢી માઈલના ગાઉ તેા હાય જ. ગાઉ ’ તે ‘ કાસ ' કહે છે. અહીના લોકો સામાન્ય રીતે ‘ સ ’ તે ચ' ખેલે છે અને ‘ચ' ને ‘ સ ’ તરીકે ઉચ્ચારે છે. તથા ૨' અક્ષરને મૂન્ય હાવા છતાં કુડચ અક્ષરની જેમ ખેલે છે. એટલે એ ઉચ્ચારમાં ‘ગ ’ અક્ષરના ભાસ થાય છે. અસ્તુ. આ તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18