________________
H
all
Thali aa daal dham na mah
હે નાથ ! નેત્રો મીંચીને ચલચિત્તની સ્થિરતા કરી. એકાંતમાં બેસી કરીને ધ્યાનમુદ્રાને ધરી; મુજ સર્વકર્મવિનાશકારણ ચિંતવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર, માહરે ચિત્તે રમે.
E
2006
X
H
ઉત્કૃષ્ટ ભક્તિથી પ્રભો મેં અન્ય દેવોને સ્તવ્યા, પણ કોઈ રીતે મુક્તિ સુખને આપનારા નવ થયા; અમૃત ભરેલા કુંભથી છોને સદાયે સીચિયે, આંબા તણાં મીઠા ફુલો પણ લીંબડા ક્યાંથી દિયે ?
ભવજલધિમાંથી હે પ્રભો ! કરુણા કરીને તારજો, ને નિર્ગુણીને શિવનગરના શુભસદનમાં ધારજો; આ ગુણી આ નિર્ગુણી એમ ભેદ મોટા નવ કરે, શશી સૂર્ય મેઘ પરે દયાલુ સર્વનાં દુઃખો હરે.
(શાર્દૂલવિક્રીડિત છંદ)
પામ્યો છું બહુપુણ્યથી પ્રભુ ! તને ત્રૈલોક્યના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના નેતા મળ્યા છે મને; એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું જેની કરું માગણી, માગું આદરવૃદ્ધિ તોય તુજમાં એ હાર્દની લાગણી.
...૩૦
...૩૧
...૩૨
...૩૩
જાણી આર્હત ગુર્જરેશ્વર તણી વાણી મનોહારિણી, શ્રદ્ધાસાગર વૃદ્ધિચંદ્ર સરખી સંતાપસંહારિણી; તેનો આ અનુવાદ મેં સ્વપરના કલ્યાણ માટે કર્યો, શ્રી મન્નેમિસૂરીશ સેવનબળે જે ભક્તિભાવે ભર્યો. (ગુજરાતી અનુવાદન-શ્રી અમૃતવિજયજી ગણી)
...૩૪
E
R
P
ચ
સ
m
EU
EN
ધાણધણ ધાર્ય પૂર્ણ ૬૫ 2 am as a ma da !
2020 2020 20