Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala
View full book text
________________
અન્યમાં પણ દયાદિક ગુણો, જેહ જિન વચન અનુસાર રે; સર્વતે ચિત્ત અનુમોદિયે, સમક્તિ બીજ નિરધાર રે.. ચેતન. ૨૦
પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવ રાગ રે; ઉચિત સ્થિતિ જેહ સેવે સદા, તેહ અનુમોદવા લાગશે... ચેતન. ૨૧
થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે; દોષ લવ પણ નિજ દેખતાં, નિર્ગુણ નિજાતમા જાણ રે... ચેતન. ૨૨
ઉચિત વ્યવહાર અવલંબને, ઈમ કરી સ્થિર પરિણામ રે; ભાવિયે શુદ્ધ નય ભાવના, પાપનાશય તણું ઠામ રે. ચેતન. ૨૩
દેહ મન વચન પુદ્ગલ થકી, કર્મથી ભિન્ન તુજ રૂપ રે; અક્ષય અકલંક છે જીવનું, જ્ઞાન આનંદ સ્વરૂપ રે.
ચેતન. ૨૪
કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલધિ વેલ રે; રૂપ પ્રગટે સહજ આપણું, દેખતા દ્રષ્ટિ સ્થિર મેલ રે... ચેતન. ૨૫
ધારતા ધર્મની ધારણા, મારતા મોહ વડ ચોર રે; જ્ઞાન રૂચિ વેલ વિસ્તારતા. વારતા કર્મનું જોર રે...
ચેતન. ૨૬
રાગ વિષ દોષ ઉતારતા, ઝારતાં દ્વેષ રસ શેષ રે; પૂર્વ મુનિ વચન સંભારતાં; વારતાં કર્મ નિઃશેષ રે...
ચેતન. ૨૭
દેખીએ માર્ગ શિવ નગરનો જે ઉદાસીન પરિણામ રે; તેહ અણછોડતાં ચાલીએ, પામીએ જિમ પરમ ધામ રે.... ચેતન. ૨૮
શ્રી નયવિજય ગુરુશિષ્યની, શિખડી અમૃતવેલ રે; એહ જે ચતુર નાર આદરે, તે લહે સુજસ રંગ રેલ રે... ચેતન. ૨૯

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80