Book Title: Uccha Shikshanni Bodh Bhashano Prashna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 7
________________ ઉચ્ચ શિક્ષણની બેધભાષાને પ્રશ્ન [ ૯૬૫ ...જે ભાષાને પ્રશ્ન હિંદની એકતાને વંસ કરે છે એમાં ભાષાને દેષ નહિ હોય, પણ હિંદમાં જે કેટલાક રાજકારણ મરચા રચાયા કરે છે તેની કેટલીક વિચારસરણીઓને દેષ હશે. મને પાકી ખાતરી છે કે ભાષાઓ જાતે થઈને કદી વિનાશનું સાધન બનતી નથી કે વિભેદ તરફ દેરી જતી નથી.... ભાષાઓના પ્રશ્નની પાછળ રહેલા રાજકારણને આપણે વેગળું મૂકીએ તે આખરે તે તાત્ત્વિક પ્રશ્ન આ જ રહે છે કે આપણામાં એક સમાન જીવનદષ્ટિ કે નીતિનાં સમાન ધોરણે છે કે કેમ ? જો એમાં મોટા ભેદ હોય તે એ ભેદ ભાષાઓમાં પણ ઊતરી આવે અને અનેક દુષ્પરિણામે સરજે ...જે આપણુમાં સવર્તનનાં સમાન ધોરણે હોય તો આપણે ખુશીથી એકઠા રહી શકીએ.” હમણાં જ થોડા વખત ઉપર શાંતિનિકેતનમાં ભાષણ કરતાં પં. રાહુલ સાંકૃત્યાયન, જેમને દેશવિદેશને અને ખાસ કરીને રશિયન વિદ્યાસંસ્થાઓને પ્રત્યક્ષ અને બહોળો અનુભવ છે, તેમણે આ જ પ્રશ્ન સંબંધી પિતાના જે વિચારે વ્યકત કર્યા હતા તે પણ નોંધવા જેવા છે: પશ્ચિમમાં આબેનિયા જેવા નાના દેશે અને એશિયામાં તિબેટ જે દેશ જે શિક્ષણની તમામ કક્ષાઓમાં સ્વભાષામાં જ શિક્ષણ આપે છે તે હિંદના પ્રાન્ત શા માટે તેમ ન કરી શકે તે હું સમજી શકતો નથી. ” ' (પંડિતજીના રાષ્ટ્રભાષા સંબંધી વિચારે નેંધવા અને કદાચ પ્રસ્તુત ન ગણાય, પણ એ જ ભાષણમાં એમણે એ પણ કહ્યું હતું કે હિંદીએ જ્યારે તમામ પ્રાન્તભાવાઓની સમૃદ્ધિ આત્મસાત કરી લીધી હશે અને એ પિતે વિપુલ શબ્દભંડારવાળી સમર્થ ભાષા બની હશે ત્યારે જ તે રાષ્ટ્રભાષા તરીકે કામ આવી શકશે.) છેલ્લે આ યુનિવર્સિટીને સમાવર્તન સમારંભ પ્રસંગે શ્રી. અરવિંદે મેકલેલા સંદેશામાંથી નીચેની મનનીય કંડિકા પ્રસ્તુત લાગવાથી ઊતારું છું: એકસપાટે બધું એકસરખું કરી મૂકવામાં જ કેટલાકને સાચા સંઘનાં, એક અને અખંડ રાષ્ટનાં. દર્શન થાય છે. એને સિદ્ધ કરવા એક જ રાષ્ટ્રીય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12