Book Title: Triji Jain Shwetambar Conferenceno Report
Author(s): Maganlal Chunilal Vaidya
Publisher: Reception Committee

View full book text
Previous | Next

Page 206
________________ ( ૪ ) કોન્ફરન્સનું કામ ચાલ્યું છે, અને પુરતી ફતેહ સાથે તેને અંત આવ્યો છે. ઘણું ઘણું ધનવાન જૈનોએ આ મંડળમાં ઠેકઠેકાણેથી હાજર થઈ ભાગ લીધે છે, અને જાહેર થયા મુજબ મુંબઈ, સુરત, ભરૂચ, અમદાવાદ, વઢવાણ, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ, મોરબી, પાહલનપુર, રાધનપુર, કરાંચી, લાહોર. મુરશીદાબાદ, કલકત્તા, મધરાજ, બરમા વગેરે ઘણાંએક શેહરો ખાતેથી આવીને જૈન પ્રતિનિધિઓ વડોદરા ખાતેનાં આ ત્રીજા જૈન મંડળમાં શામેલ રહ્યા હતા, અને પ્રમુખ રાય બુધસિંગજી બહાદુર અને બીજા ધનાઢય ગૃહસ્થોનાં ભાષણો અને બોધ વચન પછી ધર્મની અને વ્યવહારૂ કેળવણું સ્ત્રી કેળવણી, જૈન સાહિત્યના ઉદ્ધાર, જૈન પાઠમાળા, પુરાણાં પુસ્તકને ફરીથી પ્રગટ કરવા, પુરાણાં મંદિરોને જાળવવા, લેખો વગેરેની શોધ ખેળ ચલાવવા, સંસારી કચાલ સજાવવા, વગેરેના ઠરાવો કરી ઉઠયા હતા. આ ભવ્ય મેળાવડા વેળા મહારાજા સર સયાજીરાવે અને તેમના યુવરાજ ફતેહસિંગર ભાષણ કરી જૈન સંગને ઉપકારી બનાવ્યો, હતો. ગાયકવાડે પોતાના ભાષણમાં જૈન ધર્મની સ્તુતિ કરતાં તેને બુદ્ધ ધર્મ કરતાં બે સદી એટલે પુરાણો જણાવ્યું છે, પણ સાથે એક હર્ષ પેદા કરનારી વાત કહી છે તેથી એકલા જૈનોજ નહિ પણ પારસી જેવી કોમ કે જેમાં ન્યાતજાતનો તફાવત નથી તે પણ ખુશી થયા વિના રેહશે નહિ. ગાયકવાડ મુજબ જૈન ધર્મની બે મુખ્ય ખુબી છે, જેમાંની પેહલી જીવદયાની બે મૂખ્ય ખુબી છે, જેમાંની પેહલી જીવદયાની અને બીજી એ કોમમાં ન્યાતજાતને ફર્ક નથી તે છે. જૈન ધર્મ મુજબ ન્યાતજાતનું જુદાપણું વાજબી નથી. કદાચ આ બીજી ખુબીની વાત ઘણાએક જેનોને અચરત કરશે. પણ સર સયાજીરાવે તેમને આગ્રહ કીધો છે કે આ વાત એમનાં પોતાના પુરાણાં પુસ્તકોમાં છે, માટે તેઓમાં શેધ ચલાવીને તેઓએ પિતાની ખાત્રી કરી લેવી. શોધકબુદ્ધિના જૈનોને આ ભણેલા રાજવંશી તરફનું નોતરૂં છે. અને જે નામદાર ગાયકવાડે જાહેર કરેલી આ વાત સાચીજ હોય તો જૈનની ફર્જ છે કે ચોથી જૈન મંડળ વેળા એક ખાસ ઠરાવ પસાર કરીને તેઓએ ન્યાતજાતનું જુદાપણું કાકડીજ નાખવું. EVIL CUSTOMS AMONG THE JAINS. મહારાજા ગાયકવાડની એક શીખામણ સોનાનાં મૂળની ગણી શકાશે. સર સયાજીરાવે ભેગા મળેળા હજારો જૈનોને ધીલી લાગે એવી વાતો કરતાં કહેવાની હિમત કીધી છે, અને તે વાજબીજ છે, કે તેઓ દોલતમંદ કેમ છે તો ભલે છે, પણ એ કામે પિતાના દ્રવ્યનો સદ ઉપયોગ કરવો જોઈએ. જનકનાં ભલાને માટે તેમજ પોતાની કોમના સંસારી સુધારા વધારાને માટે એ દેલતને ખર્ચ કરવો જોઈએ. અમો ફરીથી કહીશું કે આ લાખ રૂપિયાની શિખામણ છે. ત્રણ ચાર દિવસના વાર્ષિક મેળાવડા પછી ઘરે જઈ બેસવામાં લાભ કશો નથી. હિંદી કોંગ્રેસના પિતા મી. એ. ઓ. હ્યુમ કેંગ્રેસના આવા ત્રણ દિવસના મેળાવડાથી રાજી થતો નથી. જૈન કોન્ફરન્સની વડોદરા ખાતેની આવકાર આપનારી કમિટીના પ્રમુખ મી ફતભાઈ અમીચંદના સંખને પણ એજ મતલબના અમે વાંચ્યા છે. ઠરાવ કરવા માટે ભેગા થવું એ તો સૌ ઠીક જ છે; સુધારા વધારા વગેરે માટે લાંબાં લાંબાં ભાષણો કરવા ઉભા થવું એ બી બહુ ગળ્યું કામ છે; પણ બોલેલાં વચનો અને કરેલા ઠરાવોને ગ્ય રસ્તો આપવો, તે ઠરાવો અને તે વચન પ્રમાણે વર્તન કરવું, એ મુશ્કેલ કામ છે. એ કામ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266