Book Title: Triji Jain Shwetambar Conferenceno Report
Author(s): Maganlal Chunilal Vaidya
Publisher: Reception Committee

View full book text
Previous | Next

Page 218
________________ (૧૨) ના જેવા અન્ય જોખમદાર રાજકર્તાઓએ એવો બોધ લેવાનો છે કે આ જમાને સર્વ ધર્મ તરફ સમાનતાની નજરથી જોવાનું શીખવે છે. તેવી જ રીતે આ દેશની જુદી જુદી પ્રજા ઓએ પણ ધમધપણું તજી દઈને ભાઈચારાની લાગણીથી વર્તી દેશનું એક્ય કરવાના કામમાં ઉદાર થઈ ઐક્ય વધારવું જોઈએ, કે જે વગર આજે આપણે હાલની સ્થિતિએ આવી ચઢયા છીએ. આ મેળાવડાના છેલ્લા દિવસે યુવરાજ ફતેસિંહરાવે કરેલું ભાષણ સારા વિચારોથી ભરપુર છે. એ જુવાન રાજ્ય કુમારશ્રીએ કેળવણીને પ્રથમ હાથ ધરી, વ્યવહારિક જ્ઞાન આપનારી કેળવણીને વિષે દીલગીરી જણાવી, લોકે એ ખામી જોઈ શક્યા તે માટે આશા બતાવી હતી. બાળલગ્ન, કુરીવાજો નાત જાતનો પ્રતિબંધ, સ્ત્રીઓને છુટ, ઐક્યતા ધર્મનું છુટાપણું, ગુજરાતીઓ અને ગાયકવાડના વંશનો સંબંધ વિગેરે વિષયો ઉપર પ્રસંગોપાત બોલી પોતે પણ ગુજરાતી હોવાની હિમાયત કરી હતી. આ કોનફરન્સનો મેળા વડો ભવિષ્યમાં ઘણાં વર્ષો સુધી યાદ રહેશે, કેમકે આ બન્ને અપક્ષપાત પિતાપુત્રને વખત પહેલાં ગાયકવાડી રાજ્ય મરાઠા અને દક્ષણીઓ માટે હતું. પણ તે સ્થિતિ હવે બદલાઈ ગઈ છે ને એ રાજ્ય કુટુંબ ગુજરાતીનું પણ ગુજરાતી છે એવી આપવામાં આવેલી ખાત્રી માટે આપણે યુવરાજ ફત્તેસિંહરાવનો ઉપકાર માનવો યોગ્ય છે. જૈન કોનફરસનો આ મેળાવડો આ વખતે કાંઈક વાસ્તવિક રીતે કરીને બરખાસ્ત થયો છે તેથી તેને ફતેહમંદ ઉતરેલો કહેવાને કાંઈ હરકત નથી. અને તે માટે તે કોમના આગેવાનો તથા ના મહારા જાને ધન્યવાદ ઘટે છે. જૈન બંધુઓનું અન્ય કોમે અનુકરણ કરશે તેજ આવા મંડળ ભરવાના હેતુઓ બર આવશે ધી કરોનેશન એડવરટાઈઝર. અમદાવાદ તા. ૧ લી ડીસેમ્બર સને ૧૯૦૪, વડોદરા ખાતે મળેલી જન કેનિફરસ. - વડોદરા ખાતે આખા હિંદુસ્થાનના જૈન ભાઈઓની મળેલી કોનફરન્સ ગયા માસની તા. ૨૭ મીએ મળી છેવટના દીવસે પુરી થઈ છે. આ કેનફરન્સ ફત્તેહમદ ઉતારવા માટે જૈન ભાઈઓને ધન્યવાદ ઘટે છે તેની સાથે ભરેલા લાક્ષણિક પ્રદર્શનની શરૂઆત કરી એ કોનફરન્સે પોતાની કોમની જ નહીં પણ એક રીતે દેશની પણ સેવા બજાવી છે. આ કોનફરન્સના પ્રમુખ અજીમગંજવાળા પ્રખ્યાત રાય બુદ્ધસિંહજી બહાદુરને કેનફરન્સ તરફથી જે અસાધારણ આવકાર આપવામાં આવ્યો હતો તે કોનફરન્સ તરફની જેની ભાઈએની ઉલટજ બતાવે છે, અને તેમની એ ઉલટને ઉત્તેજન મળે તેવી દરેક મદદ મહારાજા ગાયકવાડ તરફથી આપવામાં આવેલી હતી. જેનો દાખલો અમારા અન્ય દેશી રાજ્યકર્તાઓ લેશે એવી આશા રખાય છે. લાક્ષણીક પ્રદર્શન યુવરાજ શ્રી ફત્તેહસિંહરાવે ઉઘાડતાં દેશની ઉધોગ હુન્નરની સ્થિતિ તથા તેને મદદ કરનાર આવાં પ્રદર્શનની આવશ્યકતા બતાવી હતી તેની પણ અમારા દેશી રાજ્યકર્તાઓ નોંધ લેશે તે તેઓ દેશના એ કામમાં ધણું કરી શકશે. એ કોનફરન્સમાં મહારાજા ગાયકવાડે પધારી કોનફરન્સના કામને આપેલું વજન તથા ઉત્તેજન ખાસ અન્ય રાજ્ય કર્તાઓએ અનુકરણ કરવા જેવું છે. મહારાજા ગાયકવાડ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266