Book Title: Triji Jain Shwetambar Conferenceno Report
Author(s): Maganlal Chunilal Vaidya
Publisher: Reception Committee
View full book text
________________
ગુજરાતમાં હીલચાલ કરવા લાગ્યા છે. આવા પ્રકારના યત્ન કરવાની શરૂઆત આજથી, ૧૨ વર્ષ ઉપર ગુજરાતના પાટનગર તરીકે પ્રખ્યાત થયેલા આ અમદાવાદ શહેરમાં પ્રાંતિક કોન્ફરન્સનો રાજદ્વારી મેળાવડે. ભલઈને થઈ હતી. તે વખતથી ગુજરાત કાંઈ વિશેષ નામના કરશે એવી આશા રાખવામાં આવી હતી અને તે પ્રમાણે લગભગ આઠ નવ વર્ષ એમને એમ વહી ગયાં હતાં એટલામાં આ દિન પત્રે જન્મ લઈ ગુજરાતમાં કોંગ્રેસ ભરવાનો એક ઘણે દુર્ઘટ સવાલ હાથ ધર્યો હતો. તે માટે શરૂઆતમાં તો કઈ કઈ બાજુ તરફથી આ બાલ પત્રની મજાક કરવાનું નિંદાપાત્ર કર્મ કરવામાં આવ્યું હતું પરંતુ અમારે સવાલ સાર્વજનિક હિતનો હોવાથી સમg જનોએ અમારા લેખને લક્ષપૂર્વક વાંચવા માંડ્યા. અને અમારા પત્રમિત્રોએ અમારા કાર્યને પુષ્ટી આપી તથા પરિણામે નેશનલ કોંગ્રેસને મહાન રાજકિય મેળાવડો આ શહેરમાં ભરાઈ તેણે વિજય ઘેષ કરી મૂકે હતો; નવા જમાનામાં ગુજરાતની ખ્યાતિ કરાવનારૂં બીજું કાર્ય સનાતન ધર્મના સંરક્ષણાર્થે કોંગ્રેસની અગાઉ ભરાયેલું પરિષદ ગણીએ તે તેવું ત્રીજું કાર્ય કાંગ્રેસ હતું. તે પછી ચેાથું કાર્ય ગયા અકબર માસમાં આ શહેરમાં મુસલમાન ભાઈઓની મળેલી કેનફરન્સના મંડપમાં કોન્ફરન્સનું કાર્ય પરિપૂર્ણ થયા પછી તૃત જેવી રાજકારી મંડળીની જે સ્થાપના થઈ હતી તે થઇ ના હોત તો કોન્ફરન્સો વિજય રંગ કાંઈ ઓર જ જામત પરંતુ મુસલમાન કોમનો મોટો ભાગ અભણ હોવાથી બેડી બુદ્ધિવાળો છે તેથી તેને સમથનો વિચાર થયો નહીં અને લગ્ન પ્રસંગે રાજીપો ગાય ! તેથી થેકડી થવામાં બાકી રહી નહીં. મુસલમાન કોમમાં કેળવણીનો પ્રસાર થવાની જરૂર કેટલી બધી છે તેનો એ દિલગીરી ભરેલો બનાવ બહુ મઝેનો નમુનો છે તેથી તે કોમની કેળવણી કોન્ફરન્સ બીજી કોઈ હલચાલ હાલ કરવી પડતી મૂકી કેળવણીના પ્રસાર વિષે સૌથી પ્રથમ લક્ષ આપવાની જરૂર છે. સન ૧૮૮૨ થી માંડી સન ૧૯૦૪ સુધીનાં ૧૨ વર્ષની અંદર ગુજરાતમાં આ પ્રમાણે જે જાણવા લાયક ચાર જાહેર મેળાવડા થયા તે તમામ ફક્ત અમદાવાદ શહેરમાં જ થયા હતા. અમદાવાદ શહેર ગુજરાતની રાજધાની હોવાથી સૌથી પ્રથમ પગલું તેણે ભરવું જોઈએ અને પોતાની તે ફરજ તેણે બજાવી તે સંતોષકારક છે. પરંતુ તેથી કાંઈ એમ નથી ઠરતું કે ગુજરાતમાંનાં અન્ય શહેરે એ સુસ્તામાં જ પડી રહેવું. આવાજ કારણને લીધે આ ઇલાકાની પ્રાંતિક કોન્ફરન્સ એક બે વર્ષથી સુરત શહેરમાં ભરવાની ભલામણે થાય છે પરંતુ ગરીબ સુરત–આગ મરકી અને રેલથી પાયમાલ થઈ ગયેલું સુરત ફાંકડું અને રંગીલું સુરત-ઈચ્છા છતાં દેવકાપના સને લીધે ડોક ઉંચી કરી શકતું નથી. સુરતની એ પી સ્થિતિ હોવાથી તેને બાજુ ઉપર મૂકીએ તે આપણી નજર ભરૂચ કે વડેદરા તરફ જાય છે. ભરૂચ-ભ્રગુપુરની અસલની જાહેઝલાલી હવે નાશ પામી છે અને તેની પ્રતિદિન ભાગતી થઈ છે. અને શ્રીમંત સરકાર ગાયકવાડની રાજધાની વડોદરા સુધારા વધારામાં આગળ વધતું જાય છે તેથી ભરૂચના કરતાં વડોદરા તરફથી કાંઈ થવાની આશા પ્રથમ રાખી શકાય તે આશા ગુર્જર ભૂમિના ધન્ય ભાગ્ય અને ઈશ્વર પ્રતાપે આ વર્ષે પાર પાડી છે જૈન કોન્ફરન્સના ત્રીજા વાર્ષિક મહોત્સવને લીધે વડોદરા શહેર કેટલાક દિવસથી હળીમળી રહ્યું હતું અને તેણે ગયા અઠવાડીઆમાં પૂર્ણ ગર્જના કરી છે. તે વિષેના ખાસ હેવાલને ટુંક સાર આજના અંકમાં અન્ય સ્થળે આપેલ હેવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266