Book Title: Triji Jain Shwetambar Conferenceno Report
Author(s): Maganlal Chunilal Vaidya
Publisher: Reception Committee

View full book text
Previous | Next

Page 196
________________ હોજરી અને ના મહારાજા સયાજીરાવ જેવા નિપુણ રાજ્યકર્તનું પધારવું તથા તે નામદાર જેવા એક કાબેલ નૃપતિનું જૈન ધર્મની પ્રાચીનતા અને શ્રેષ્ટતાને લગતું અભિપ્રાયરૂપ સર્ટીફીકેટ કયા જૈન બંધુને ગર્વીષ્ટ નહીં કરે ? હમણાં સુધી એમજ અંધારામાં કુટાતુ હતું કે જૈન ધર્મ બદ્ધ ધર્મની શાખા છે, અને તે હમણાજ નીકળે છે. પરંતુ ના.. મહારાજા જેવા એક સ્કોલર ગણાતા રાજપતિએ જૈન ધર્મને બૈદ્ધ કરતાં જુનો જણાવી જૈન ધર્મના અભ્યાસિ વિદ્વાનોના મતને પુષ્ટી આપી છે, તેમજ “અહિંસા પરમો ધર્મ આ મહા સુત્ર જે ધર્મનો દ્રઢ સિદ્ધાંત છે તે ધર્મ અનાદિ અને અનુપમ હોઈ હજારો કાળચકની ઉથલપાથલો થયા છતાં જૈન શાસન હજુ તેમનું તેમ પોતાની સ્થીતિમાં કાયમ રહ્યું છે તે તેનો વિજયજ સૂચવે છે. રાજમહેલમાં જ દુનીયાને છેડે માનનારા નહીં પણ યુરોપ અમેરિકા જેવા દેશમાં ભ્રમણ કરી અંગ્રેજી સાહિત્યના મેદાનમાં ખેલનારા એક વિધાન મહિપાલનો આ મત જૈનોને વધુ મગરૂર બનાવવાને વાસ્તે બસ છે. મહારાજા તથા યુવરાજે કોનફરન્સમાં ભાગ લેઈ જૈન શાસન તરફ પોતાની લાગણી બતાવી છે તે દરેક રાજ્યકર્તાએ અનુકરણ કરવા જેવી છે. આ કોન્ફરન્સમાં કેળવણુ અને કોન્ફરન્સના બંધારણના બે મહત્વના સવાલો ઉપર એવું અજવાળું પાડવામાં આવ્યું છે કે તેની નકલ અન્ય કોનફરન્સોને કરવાનો વખત મળશે જ. કેળવણી વિષય એવીતો અચ્છી ઢબમાં વિચારશીલ શૈલીમાં ચર્ચાયો છે કે જે સવાલ આજે ઘણી કોમોનું લક્ષ ખેંચી રહ્યા છે તે સવાલનું વાસ્તવિક નિરાકરણ આ કોન્ફરન્સ કર્યું છે, અને જે ખામી બીજાઓને જણાઈ છે તે ખામી પુરી પાડવાના રસ્તા લેવાનું કોનફરસે મેટા રૂપમાં સ્વીકાર્યું છે. ઉંચી કેળવણી લઈ નોકરીની લાલચમાં ફસાતા ગ્રેજયુએટોને ગુલામીમાં ન બંધાવા અવાજ ઉઠાવી કોમના ગ્રેજ્યુએટોને ચેતવણી આપી છે ને એવા ગ્રેજ્યુએટ માટે વ્યાપાર ને પરદેશ જઈ ધર્મની પ્રવૃત્તિ કરવાને બંધ આપ્યો છે. પરદેશ ગમનને જે સવાલ ઘણાં વર્ષોથી હિંદુ સંસાર સુધારા સમાજે ઉઠાવ્યો છે ને જેનું મનમાનતું છેવટ લાવી શકાયું નથી તે સવાલ આ કોન્ફરન્સમાં એવી તો ઢબમાં ચર્ચા છે કે જેનોને પરદેશ ગમનનો પ્રતિબંધ મુળમાં નડતો નહોતે પણ થોડાઓના મનમાં જે વસવસો ઉત્પન્ન થતો હતો તેનું નિરાકરણ થઈ ગયું છે. સંસાર સુધારા સમાજે બીજા જે સવાલો હાથ ધર્યા છે તે પૈકીના બાળલગ્ન, કન્યાવિય, રડવા કુટવાને રીવાજ, લગ્ન તથા મરણ પછવાડે ખર્ચ કરવાનો રીવાજ વગેરેનો અટકાવ કરવાના ઠરાવ પસાર થયા છે; એટલું જ નહી પણ તેનો અમલ કેટલેક ઠેકાણે થઈ પણ ચુક્યા છે. જૈન કોમ સામાન્ય રીતે સુખી છે પરંતુ જે જૈનબંધુઓ નિરાધાર હોઈ કેળવણી મેળવી શકે નહીં તેઓને મદદ આપવાની જના કરવાનો ઠરાવ પણ કરવામાં આવ્યો છે. કેળવણીના વિષયમાં શિક્ષકો તથા વાંચનમાળાની મોટામાં મોટી મુશ્કેલીનો પણ આ કોન્ફરંસે ફડો કરી નાખ્યો છે, એ બેશક ઘણું ખુશી થવા જેવું છે. જૈન સાહિત્ય કે જે સાહિત્ય આ દેશની પુર્વ સ્થીતિ પર સારૂ અજવાળું નાખે છે તેનો પ્રચાર કરવા અને પ્રાચીન જૈન પુસ્તકોના ભંડાર ઉઘાડી તેનો લાભ લેવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે ને તેમાં વધુ મદદ કરવાનું ઠરાવ પસાર થયો છે એ એકલા જેનોએજ નહી પણ આ દેશની તમામ કેમે ખુશી થવાનું છે કારણ કે જૈન સાહિત્યમાં અનેક અમુલ્ય રત્નો છુપાયાં છે તે કાંઈ નવું કહેવાનું નથી. બીજા ઠરાવો જીર્ણોદ્ધાર, દ્ધાર, અને સીલા લેખોને ઉદ્ધાર કરવાને લગતા થયા છે. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266