Book Title: Tathagatni Vishishtatano Marm
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 9
________________ તથાગતની વિશિષ્ટતાને મર્મ [ ૬૬૫ શકાય એવી બાબતે ઉપર જ ભાર, એ બે તએ બૌદ્ધ ધર્મની આકર્ષકતામાં વધારેમાં વધારે ભાગ ભજવ્યો છે, અને એની અસરને પડો ઉત્તરકાલીન વૈદિક, જૈન આદિ પરંપરાના સાહિત્ય પણ ઝીલ્યો છે. એક વાર વૈદિક અને પૌરાણિકે જે બુદ્ધને અવગણવામાં કૃતાર્થતા માનતા તે જ વૈદિક અને પૌરાણિકોએ બુદ્ધને વિષ્ણુના એક અવતાર લેખે સ્થાન આપી બુદ્ધના મોટા ભારતીય અનુયાયીવર્ગને પોતપોતાની પરંપરામાં સમાવી લીધો છે, એ શું સૂચવે છે? એક જ વાત અને તે એ કે તથાગતની વિશેષતા ઉપેક્ષા ન કરી શકાય એવી મહતી છે. બુદ્ધની જે જે વિશેષતા પર ઉપર સામાન્ય સૂચન કરવામાં આવ્યું છે તે તે વિશેષતા સ્પષ્ટપણે દર્શાવતા પાલિપિટકમાંના થોડાક ભાગો નીચે સારરૂપે ટૂંકમાં આપું છું, જેથી વાચકોને લેખમાં કરેલી સામાન્ય સૂચનાની દઢ પ્રતીતિ થાય, અને તેઓ પોતે જ તે વિશે સ્વતંત્ર અભિપ્રાય બાંધી શકે. એક પ્રસંગે ભિક્ષુઓને ઉદ્દેશી બુદ્ધ પિતાના ગૃહત્યાગની વાત કરતાં કહે છે કે, ભિક્ષુઓ ! હું પોતે બધિજ્ઞાન પ્રાપ્ત કર્યા પહેલાં જ્યારે ઘરમાં હતા ત્યારે મને એક વાર વિચાર આવ્યો કે હું પોતે જ જ, વ્યાધિ અને શેક સ્વભાવવાળી પરિસ્થિતિમાં બદ્ધ છું, અને છતાંય એવી જ પરિસ્થિતિ. વાળા કુટુંબીજનો અને બીજા પદાર્થોની પાછળ પડ્યો છું, તે યોગ્ય નથી; તેથી હવે પછી હું અજર, અમર, પરમપદની શોધ કરું તે એગ્ય છે. આવા વિચારમાં કેટલેક સમય વી. હું ભરજુવાનીમાં આવ્યું. મારા માતા-પિતા આદિ વડીલે મને મારી શોધ માટે ઘર છોડી જવાની કોઈ પણ રીતે અનુમતિ આપતા નહિ. છતાં મેં એક વાર એ બધાને રડતાં મૂક્યાં અને ઘર છોડી, પ્રજિત થઈ ચાલી નીકળ્યો.” બીજે પ્રસંગે એક અગિસ્સન નામે ઓળખાતા સુચ્ચક નામના નિન્ય પંડિતને ઉદ્દેશી પ્રવજ્યા પછીની પિતાની સ્થિતિ વર્ણવતાં તેઓ કહે છે કે, “હે અગ્નિવેમ્સન, પ્રવજ્યા લીધા પછી શાંતિમાર્ગની શોધ પ્રારંભી. હું પહેલાં એક આળાર કાલામ નામના યેગીને મળ્યો. મેં તેના ધમપંથમાં દાખલ થવાની ઈચ્છા દર્શાવી, અને તેણે મને સ્વીકાર્યો. હું તેની પાસે રહી, તેના બીજા શિષ્યની પેકે, તેનું કેટલુંક તત્ત્વજ્ઞાન શીખે. તેના બીજા શિષ્યની પેઠે હું પણ એ પોપટિયા વાદવિવાદના જ્ઞાનમાં પ્રવેણુ થશે, પણ મને એ છેવટે ન સચ્યું. એક વાર કાલામને પૂછયું કે તમે તત્ત્વજ્ઞાન મેળવ્યું છે તે માત્ર શ્રદ્ધાથી તો મેળવ્યું નહિ હોય ! એના સાક્ષાતકારને તમે જે માર્ગ આચર્યો હોય તે જ મને કહે. હું પણ માત્ર શ્રદ્ધા પર ન ચાલતાં તે માર્ગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14