Book Title: Tathagatni Vishishtatano Marm
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 10
________________ દર્શન અને ચિંતન જીવનમાં ઉતારીશ. કલામે મને એ ભાગ લેખે આચિન્યાયતન નામની સમાધિ શીખવી. મેં એ સિદ્ધ તે કરી, પણ છેવટે તેમાંય અને સમાધાન ન મળ્યું. કાલામે મને ઊંચું પદ આપવાની અને પિતાના જ પંથમાં રહેવાની લાલચ આપી, પણ હે અગ્નિવેમ્સન, હું તે મારી આગળની શોધ માટે ચાલી નીકળે. “હે અગ્નિવેમ્સન, બીજા એક ઉદ્દક રામપુત્રનામને યોગીને ભેટે . તેની પાસેથી હું નેવસંજ્ઞાનાસાયતન નામની સમાધિ શીખે. તેણે પણ મને પિતાના પંથમાં રાખવા અને ઊંચું પદ આપવા લલચાવ્યો, પણ મારા આંતરિક અસમાધાને મને ત્યાંથી છૂટો કર્યો. મારું અસમાધાન એ હતું કે ધ્યાન એ એકાગ્રતા માટે ઉપયોગી છે, પણ નારં બન્ને સંયોજાય–અર્થાત આ ધર્મ સાર્વત્રિક જ્ઞાન અને સાર્વત્રિક સુખ નથી. પછી હું એવા માર્ગની શેધ માટે આગળ ચાલ્યો. હે અગ્નિવેમ્સન, એમ ફરતાં ફરતાં રાજગૃહમાં આવ્યું. ત્યાં કેટલાય શ્રમણપ હતા, જેઓ જાતજાતની ઉગ્ર તપસ્યા કરતા. હું પણ રાજગૃહથી આગળ વધી ઉવેલા (હાલનું બુદ્ધગયા)માં આવ્યું, અને અનેક પ્રકારની કઠોર તપસ્યા કરવા લાગ્યું. મેં ખેરાકની માત્રા તદ્દન ઓછી કરી નાખી અને તદ્દન નીરસ અનાજ લેવા લાગ્યો. સાથે જ મેં શ્વાસોશ્વાસ શેકી સ્થિર આસને બેસી રહેવાને પણ સખત પ્રયત્ન કર્યો. પરd, હે અગ્નિવેલ્સન, તે ઉગ્ર તપ અને હઠયોગની પ્ર ક્યા આચરતાં મને એવો વિચાર આવ્યો કે હું જે અત્યંત દુઃખકારી વેદના હાલ અનુભવી રહ્યો છું તેવી ભાગ્યે જ બીજાએ અનુભવી હશે. છતાં આ દુષ્કર કર્મથી લોકોત્તર ધર્મને માર્ગ લાધે એવું મને લાગતું નથી. તે હવે બીજો કયો માર્ગ છે, એની ઊંડી વિમાસણમાં હું પડ્યો. તેવામાં, હે અગિસ્સન, મને નાની ઉંમરના અનુભવનું સ્મરણ થઈ આવ્યું. ' સ્મરણ એ હતું કે હું ક્યારેક નાની ઉંમરે પિતાજી સાથે ઘરના ખેતરમાં જાબુડાના ઝાડ નીચે છાયામાં બેસી સહજભાવે ચિંતન કરતે, અને શાતા અનુભવ. હે અગ્નિવેમ્સન, મને એમ લાગ્યું કે એ મધ્યમમાગી રસ્તે તે સાચે ન હોય? તે એ માર્ગે જતાં હું શા માટે ડરું? એવા વિચારથી મેં ઉપવાસ આદિ દેહદમન છોડી, દેહપષણ પૂરતું અન્ન લેવું શરૂ કર્યું. આ શરૂઆત જોતાં જ મારા નજીકના સાથીઓ અને પરિચારકે, હું સાધનાભ્રષ્ટ થયો છું એમ સમજી, મને છોડી ગયા. હું એકલે પડ્યો, પણ મારે આગળની શેધને સંકલ્પ તો ચાલુ જ રહ્યો. યોગ્ય ને મિત ભોજનથી મારામાં શક્તિ આવી અને હું શાંતિ અનુભવવા લાગ્યું.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14