Book Title: Sthaviravali ane Teni Aaspas Author(s): Gunsundarvijay Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 9
________________ સ્થવિરાવલી સંપાદક-સંકલનકારીયા नमोऽस्तु तस्मै जिनशासनाय । ઈતિહાસ એટલે ભૂતકાળનું વૃત્તાંત; થઈ ગયેલી ઘટનાઓ અને તેની સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓનું પ્રામાણિક વર્ણન...અતિ પ્રાચીન અને સ્વતંત્ર શ્રી જૈન શાસનના ઇતિહાસ સંબંધી અનેકાનેક ગ્રન્થો પૈકીનો એક ગ્રન્થ છે – વિરાવલી... સ્થવિર એટલે પર્યાયથી-શાનથી-ઉમ્મરથી વૃદ્ધ એ ત્રણ અલગ અલગ રીતે કે સંયુક્ત રીતે જૈન સાધુ અને આવલી એટલે એ સાધુના ચરિત્ર જણાવતો ગ્રન્થ. જેનોના ચોવીશમાં તીર્થકર-વીતરાગ-સર્વજ્ઞ શ્રી મહાવીર દેવની પરંપરામાં થયેલા આવા સ્થવિરો માટેના ઐતિહાસિક બે પુસ્તકો વધુ પ્રસિદ્ધ છે. એક છે દેવર્કિંગણિનિર્મિત્તા સ્થવિરાવલી અને બીજી છે હિમવદાચાર્યનિર્મિત્તા સ્થવિરાવલી... અમારા સમુદાયના શાસનાનુરાગી, શાસ્ત્રપ્રેમી પૂ. આચાર્યદેવશ્રી વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તરફથી આ બીજા નંબરની ૧૦ પાનાની સ્થવિરાવલી એમણે પાલી (રાજસ્થાન) થી તા.૧૭/૭/૬રના પત્ર સાથે મોકલેલ મને મળી...સાથે જ સૂચના હતી, “આનું સંશોધન-સંપાદનભાવાનુવાદ કરજે ઈત્યાદિ” મારા માટે આ કામ અઘરૂ હતું પણ પૂજ્ય વડીલોની કૃપાવર્ષા-આશીર્વાદ - “પૂછું છુરોતિ વાવાર્ત, પડખું રડયા રિમ્' એ શ્રદ્ધા વિશ્વાસથી મેં કામ હાથમાં લીધું અને ઘણા ઘણા મહિનાઓ બાદ એ પૂર્ણ થયું. આ સંકલન સંપાદનમાં - ૧. જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ ૧ -- લેખક ત્રિપુટી મહારાજ (બીજી આવૃત્તિ વિ.સં. ૨૦૧૬) ૨. જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ (સચિત્ર) લેખક શ્રી મોહનલાલ દલીચંદ | દેસાઈ (પુનઃ પ્રકાશન વિ.સં. ૨૦૬૨) ૩. (લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અમદાવાદના જિતેન્દ્ર બી. શાહ તરફથી સાભાર પ્રાપ્ત થયેલી પ્રાચીન જૈન લેખ સંગ્રહ પ્રથમ ભાગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 232