________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
९२
श्री सिद्धचक्र महापूजन विधि ઇચ્છાવાળા ન હોય અથવા અરિહંત દેવને મન રૂપી મંદિરમાં પધરાવી તેના ઉપર કળશ ચડાવવાની ઇચ્છાવાળા ન હોય? તેવા શોભે છે.
જેમ પ્રભુના જન્મ સમયે પ્રભુ જન્મથી આનંદિત થયેલા દેવતાઓ જ્યારે નાટક કરી રહ્યા હતા, ત્યારે શ્રી મેરૂગિરિના પવિત્ર શિખર ઉપર ઇન્દ્ર મહારાજાઓએ જય જય શબ્દ કરવા પૂર્વક ગીત વાજીંત્રના નાદ પૂર્વક અનેક પવિત્ર તીર્થ જલોથી ભરેલા રજત-મણિ અને સુવર્ણના કલશો વડે પ્રભુનો અભિષેક કર્યો હતો. તે પ્રમાણે કલ્યાણ કારિણી ભક્તિવાળા ભવ્યાત્માઓ અહીં વિધિપૂર્વક તે પ્રભુનો અભિષેક કરે છે.
પાપ દૂર કરનાર અને ત્રણે વિશ્વમાં પવિત્ર, શુદ્ર એવા ઉપદ્રવોનો નાશ કરવાની પ્રાર્થના કરનાર ભવ્યાત્માઓ દ્વારા ધ્યાન કરવા યોગ્ય પરમાત્માના સ્નાત્ર વિધાન સમયે શ્રી અરિહંત પરમાત્માના શાસનની પુષ્ટિ-રક્ષા કરવામાં નિપુણ એવા દેવતાઓ ધર્મ ક્રિયા કરવામાં તત્પર એવા શ્રી સંઘમાં, સજ્જનોમાં,મનુષ્યોમાં અને દેશમાં હંમેશાં શાન્તિ કરનારા થાવ.
ત્યાર પછી દૂધ, દહીં, ઘી, શેરડીનો રસ, સુગંધિ જળ અને તીર્થ જળ વડે શ્રી સિદ્ધચક્ર યંત્રનો અભિષેક કરવામાં આવે છે. અને પછી યંત્રની અષ્ટપ્રકારી પૂજા કરવામાં આવે છે. તે તે પૂજાના પરિણામે ભવ્યાત્માઓ તે તે ફળને પ્રાપ્ત કરે છે.
શ્રી સિદ્ધચક્ર ભગવંતની હંમેશા ભાવપૂર્વક જલ પૂજા કરવાથી ભવ્યાત્મા નિર્મળતાને પ્રાપ્ત કરે છે. પૂષ્પપૂજાથી સુભગતા-સૌભાગ્યને મેળવે છે. કેસર ચંદન વિગેરે સુગંધી દ્રવ્યો દ્વારા પૂજા કરવાથી સ્વામિપણું મેળવે છે. માંગલિક એવા અક્ષતોથી ભગવાનને પૂજી બાહ્ય અભ્યતર બન્ને પ્રકારની લક્ષ્મી મેળવે છે. નૈવેદ પૂજાથી ભોજ્ય મેળવે છે.દીપક પૂજાથી તેજ પ્રાપ્ત કરે છે. ધૂપ પૂજાથી કર્મોનું ઉચ્ચાટન કરી જગતમાં વ્યાપ્ત એવી કીર્તિની સુવાસને મેળવે છે. અને ફળ પૂજાથી કલ્યાણ મંગળના વિધાન ભૂત નિશ્ચલ એવા મોક્ષ રૂપ ફળને મેળવે છે.
For Private And Personal Use Only