Book Title: Shrutsagar Ank 2013 07 030
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી કલાસસાગરસૂરિજ્ઞાનમંદિર, કોબા સંક્ષિપ્ત કાર્ય અહેવાલ જૂન-૧૩ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી જૂન-૧૩માં થયેલાં મુખ્ય-મુખ્ય કાર્યોની નોંધ નીચે પ્રમાણે છે. ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત કેટલૉગ નં. ૧૬ માટે કુલ ૩૨૭ પ્રતો સાથે ૧૩૨૩ કૃતિલિંક થઇ અને આ માસાંત સુધીમાં કેટલૉગ નં. ૧ માટે ૩પ૧૦ લિકનું કાર્ય પૂર્ણ થયું. ૨. હસ્તપ્રતોના ૯૯૦૭૦ પૃષ્ઠો પ્રીન્ટેડ પુસ્તકોના ૧૦૩૯૮ મળી કુલ ૭૬૪૬૮નું સ્કેનીંગ કાર્ય કરવામાં આવ્યું. ૩. સાગર સમુદાય ગ્રંથ તથા વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ કુલ પ૩૭ પાનાઓની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૪. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૨૪૪ પ્રકાશનો, ૧૧૮૦ પુસ્તકો, ૭૮૭ કૃતિઓ તથા પ્રકાશનો સાથે ૧૧૨૦ કૃતિલિંક કરવામાં આવી. આ સિવાય ડેટા શુદ્ધિકરણ કાર્ય હેઠળ જુદી-જુદી માહિતીઓ સુધારવામાં આવી. ૫. મેગેઝીન વિભાગમાં ૮૧ મેગેઝીનોના અંકોની એન્ટ્રી તથા ૭ર પેટાંકો સાથે ફક કૃતિઓ લિંક કરવામાં આવી. ૩. ૪ વાચકોને ૯ ગ્રંથોના ૨૨૯૨ પૃષ્ઠોની ઝેરોક્ષ નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી, તેમજ વાચકોને કુલ ૯૩૨ પુસ્તકો ઇશ્ય થયાં તથા ૪૭૮ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. ૭. રૂ. ૩૧૭૩પની કિંમતના પુસ્તકો વિવિધ પુસ્તક વિક્રેતાઓ તરફથી ખરીદવામાં આવ્યાં. તેમજ ભેટકર્તાઓ તરફથી ૧૧૧૦ પુસ્તકો ભેટ સ્વરૂપ પ્રાપ્ત થયા. ૮. રાણકપુર તીર્થ (રાજસ્થાન)ને ૨૩૨ હિન્દી પુસ્તકો ભેટ સ્વરૂપ મોકલવામાં આવ્યાં. ૯. વાચકસેવા અંતર્ગત પ. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો, સ્કૉલરો, સંસ્થાઓ વિગેરેને ઉપલબ્ધ માહિતીના આધારે જુદી-જુદી ક્વેરીઓ તૈયાર કરી આપવામાં આવી, જેમાંથી તેઓ દ્વારા જરૂરી પુસ્તકો તથા હસ્તપ્રતોના ડેટાનો તેઓના કાર્યમાં ઉપયોગ કરવામાં આવ્યો. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36