________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
SHRUTSAGAR
December-2016 દઢતા લેખાય છે તેમ સુવિહિત ગ્રંથો એ ધર્મરૂપી રાજ્યનું એક મુખ્યમાં મુખ્ય અંગ છે. તે અંગનો પ્રબળતાથી અન્ય તીર્થિઓના મનમાં જિનધર્મને વિશે હંમેશા ઉત્તમ વિચારો અને સાધર્મિક ભાઈઓને શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મ ઉપર નિરંતર શ્રદ્ધા રહે અને કુદેવ, કુગુરૂ અને કુધર્મના આગ્રહથી તેઓ દૂર રહે એ કારણ માટે તે અંગને મજબૂત રાખવું એ ખરેખર મહા આવશ્યકતાનું કામ છે.'
આવાં જ્ઞાનપિપાસુ, ઉમદા વિચારવાળા શા ભીમશી માણેક એ સમ્યનાં રૂઢીચુસ્ત સમાજ અને સાધુસમાજ સામે કેવા ક્રાંતિકારી વિચારોથી ઝઝુમ્યા એ આપણે જોઈ શકીએ છીએ. સંવત્ ૧૯૪૭ જેઠ વદ ૪ ને ગુરૂવારના એમનું અવસાન થયું. સંવત્ ૧૯૩૨ ના પ્રથમ ગ્રંથ પ્રકાશિત કરી મૃત્યુ પર્યંતના ૧૫ વર્ષના ગાળામાં ૩૦૦ થી વધારે ગ્રંથોનું પ્રકાશન કરી જિનશાસનને ચરણે ધર્યા.
સંદર્ભ
1) જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ-મોહનચંદ દલીચંદ દેસાઈ 2) આપણા પ્રતાપી પૂર્વજો (લેખમાળા)લેખ-શ્રાવક ભીમશી માણેક
સંકલન-રમેશ મુલજી લોડાયા
धूपं दहति पापानि दीपं दारिद्र्यनाशनम्। पूजायाविपुलं राज्यं नैवेद्यं मोक्षदायकम् ॥
(વૈત્નાસીરસૂરિજ્ઞાનવિર પ્રત - ૧૦૧૬ર) पूजा में प्रज्वलित किया जानेवाला धूप पाप को जलाता है, दीप दरिद्रता को नाश करता है, नैवेद्य मोक्ष को देनेवाला है तथा पूजा से विपुल राज्य की प्राप्ति होती है.
For Private and Personal Use Only