Book Title: Shrimad Devchandji Krut Chovisi
Author(s): Premal Kapadia
Publisher: Harshadrai Heritage

View full book text
Previous | Next

Page 18
________________ વિશિષ્ટ રીતે વર્ણન કરવાપૂર્વક શ્રી જિનેશ્વર ભગવંતોની ભાવભરી સ્તુતિ કરી છે અને ‘ચેત્યસ્તવમાં સ્થાપનાદિન (જિનપ્રતિમા)નાં વંદન, પૂજન, સત્કાર અને સન્માન માટે કાયોત્સર્ગ કરવાનું વિધાન કર્યું છે. તદુપરાંત ‘શ્રુતસવ’માં જિનાગમ-જિનવચનની સ્તુતિ કરવામાં આવી છે અને ‘સિદ્ધસ્તવ'માં સિદ્ધ ભગવંતો વગેરેની સ્તુતિ કરેલી છે. આ બધાં સૂત્રો પ્રતિક્રમણ, દેવવંદન, ચૈત્યવંદન આદિ ક્રિયાઓમાં અહર્નિશ ઉપયોગી થાય છે. - ચૌદપૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી પણ પાર્શ્વનાથ પ્રભુને સ્તુતિ કરતાં કહે છે કે, હે મહાન યશસ્વી શ્રી પાર્શ્વનાથ પ્રભુ ! આ રીતે મેં ભક્તિ ભરપૂર હૃદયે આપની સ્તુતિ કરી છે તો હે દેવાધિદેવ ! તેના ફળરૂપે મને ભવોભવ બોધિરત્ન આપજો.' ' | ‘કલ્યાણમંદિર' સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી મહારાજ પ્રભુના નામનો મહિમા બતાવતાં કહે છે કે, “અચિંત્ય મહિમાવંત હે ભગવાન ! આપની સ્તુતિ તો શું, આપના નામના સ્મરણમાત્રથી પણ ભીષણ ભવ-ભ્રમણથી જગતના જીવોનું સંરક્ષણ થાય છે.'' આ રીતે અનેક સાધક મહર્ષિઓએ પરમાત્મ-પ્રીતિ અને પરમાત્મ-ભક્તિનો અપૂર્વ મહિમા ગાયો છે અને આત્મલક્ષી સર્વ સાધનાઓની સફળતામાં પરમાત્માભક્તિને અને તેમની કૃપાને જ આગળ કરી છે. | સામાન્ય લોકોને પણ પ્રેરક બની રહે તે માટે ગુજરાતી, હિન્દી વગેરે ચાલુ લોકભાષામાં પણ જિનભક્તિના અચિંત્ય મહિમાને વર્ણવતી થોકબંધ કૃતિઓ જ્ઞાની મહર્ષિઓએ રચી છે. તેમાં યોગીરાજ શ્રી આનંદઘનજી, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, શ્રીમદ્ દેવચન્દ્રજી, પંડિત શ્રી જ્ઞાનવિમલસૂરિજી આદિ મહાત્માઓની કૃતિઓ વિપુલ સંખ્યામાં ઉપલબ્ધ છે, જેનું ગાન-પાન કરીને ભાવુક આત્માઓ આ પરમાત્મપ્રીતિ અને પરમાત્મ-ભક્તિના રસમાં તરબોળ બની વર્તમાનમાં પણ અલૌકિક આનંદ અનુભવે છે. યોગદષ્ટિએ પ્રસ્તુતિનું મહત્ત્વ... પ્રભુની સ્તુતિ, ગુણસ્તવના, પ્રાર્થના પણ અધ્યાત્મ-યોગ છે. પ્રભુસ્મરણ, તત્ત્વચિંતન, આત્મનિરીક્ષણ આદિ શાસ્ત્રવિહિત જે ધર્મ-અનુષ્ઠાનો આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રગટાવવાના હેતુથી કરવામાં આવે છે તે ધર્મ-અનુષ્ઠાનો અધ્યાત્મયોગ છે અને તે સર્વ પ્રકારના યોગોમાં વ્યાપક છે. | ‘દેવવંદન' અને (ષડું આવશ્યકરૂપ) ‘પ્રતિક્રમણ'માં અન્તર્ગત “ચતુર્વિશતિ સ્તવ’ એ જિનસ્તુતિરૂપ છે અને ‘વંદન ક’ એ ગુરુસ્તુતિરૂપ છે. મંત્રજાપને પણ દેવતાસ્તવનો જ એક પ્રકાર કહ્યો છે તેથી તે પણ ‘અધ્યાત્મયોગ' છે. તેનો નિત્ય નિયમિત વારંવાર અભ્યાસ કરવો એ ‘ભાવનાયોગ' છે. તેના ફળરૂપે અશુભ ભાવોની નિવૃત્તિ અને શુભ ભાવોની અભિવૃદ્ધિ થતાં ધ્યાનયોગનું સામર્થ્ય પ્રગટે છે. ધ્યાનયોગના સતત અભ્યાસથી સર્વ પ્રસંગોમાં સમતા-સમભાવ પ્રાપ્ત થાય છે અને તેના પ્રભાવે અનુક્રમે ક્લિષ્ટ અને અક્લિષ્ટ સર્વ વૃત્તિઓનો ઉચ્છેદ થાય છે. ‘યોગવિંશિકા'માં બતાવેલા સ્થાનાદિ પાંચ યોગો પણ ચૈત્યવંદન વગેરે ક્રિયાઓમાં અન્તભૂત થઈ જાય છે, તે આ પ્રમાણે : (૧) સ્થાનયોગ : ચૈત્યવંદનાદિ ક્રિયાઓ યોગમુદ્રા, જિનમુદ્રા કે મુક્તા શુક્તિમુદ્રા (આસનવિશેષ)પૂર્વક કરવાની હોય છે, એ ‘સ્થાનયોગ’ છે. (૨) વર્ણયોગ : ચૈત્યવંદનાદિ ક્રિયામાં બોલાતાં સૂત્રો-સ્તોત્રો કે સ્તુતિઓના પવિત્ર શબ્દો (સંપદાઓ વગેરે) સ્પષ્ટ અને શુદ્ધોચ્ચારપૂર્વક બોલવાના હોય છે, એ ‘વયોગ' છે. (૩) અર્થયોગ : બોલાતાં સૂત્ર કે સ્તોત્રનો મનોમન અર્થનિશ્ચય કરવો અથવા પદ, વાક્ય, મહાવાક્ય, એપર્યાર્થ અને તાત્પર્યાર્થ વડે ચૈત્યવંદનાદિનું પરિશુદ્ધ જ્ઞાન થવું, એ ‘અર્થયોગ” છે. Jain Education International For Personal t rivate Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 ... 510