________________
૧૫૮
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાના
શાસ્ત્રના ટુંકા ન હોય અને તે વિચારે વિના જીવવું. સમાજ માટે અશક્ય દેખાતું હોય તે હવે શું કરવું? શું એ વિચારાને જૂના શાસ્ત્રની ઘરડી ગાયના સ્તનમાંથી જેમ તેમ દોહવાં ? કે એ વિચારાનું નવું શાસ્ત્ર રચી જૈનશાસ્ત્રમાં વિકાસ કરવા ? કે એ વિચારાને સ્વીકારવા કરતાં જૈનસમાજની હસ્તી મટવાને કીંમતી ગણવું ?
૩. મેાક્ષને પથે પડેલી ગુરુસંસ્થા ખરી રીતે ગુરુ એટલે માદક થવાને બદલે જો અનુગામીઓને ગુરુ એટલે ખાજા રૂપ જ થતી હાય અને ગુરુસસ્થારૂપ સુભ્રમચક્રવર્તીની પાલખી સાથે તેને ઉપાડનાર શ્રાવકરૂપ દેવે! પણ ડૂબવાની દશામાં આવ્યા હાય તે શું એ દેવાએ પાલખી ફેંકી ખસી જવું ? કે પાલખી સાથે ડૂબી જવું ? કે પાલખી અને પેાતાને તારે એવા કાઈ માર્ગ શોધવા થેાલવું ? જો એવા મા ન જ મુઝે તે શું કરવું? અને સૂઝે તે તે મા જૂના જૈનશાસ્ત્રમાં છે કે નહિ અગરતા આજસુધીમાં કાએ અવલખેલા છે કે નહિ, એ જેવું?
.
૪. ધંધા પરત્વે પ્રશ્ન એ છે કે કયા કયા ધંધા ગુણજૈનત્વ સાથે બંધ એસે અને કયા કયા ધંધા જૈનત્વના ધાતક અને ? શું ખેતીવાડી, બુદ્ઘારી, સુતારી, અને ચામડાને લગતાં કામા, દાણાદુણીના વ્યાપાર, વહાણવટું, સિપાહિગીરી, સાંચાકામ વગેરે જૈનત્વના બાધક છે? અને ઝવેરાત, કપડાં, લાલી, સટ્ટો, મીલમાલેક, વ્યાજવટાવ વગેરે ધંધાઓ જૈનત્વના આધક નથી અગર ઓછા બાધક છે?
ઉપર આપેલા ચાર પ્રશ્નો તે અનેક એવા પ્રશ્નોમાંની વાનગી માત્ર છે. એટલે આ પ્રશ્નોનેા ઉત્તર જે અહીં વિચારવામાં આવે છે તે જો તર્ક અને વિચારશુદ્ધ હોય તે ખીજા પ્રશ્નોને પણ સહેલાઇથી લાગુ થઇ શકશે. આવા પ્રશ્નો ઉભા થાય છે તે કાંઈ આજે જ થાય છે એમ કાઈ ન ધારે. ઓછા વધતા પ્રમાણમાં અને એક અથવા ખીજી રીતે આવા પ્રશ્નો ઉભા થએલા આપણે જૈનશાસ્ત્રના ઋતિહાસમાંથી અવશ્ય મેળવી શકીએ છીએ. જ્યાં સુધી હું સમજું છું ત્યાં સુધી આવા પ્રશ્નો ઉત્પન્ન થવાનું અને તેનું સમાધાન ન મળવાનું મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org