________________
1 પ્રજાનું ઋણ – પ્રજાને ભયમાંથી બચાવવી એ દરેક નવજુવાનની ફરજ છે. મારે પ્રજાની રક્ષા , શહેરની રક્ષા, દેશની રક્ષા કરતાં શીખવું એ બધાય સ્વતંત્રતાના પ્રથમ પાઠો છે. અને એ આપણે શીખી લેવા જોઈએ. આ શહેર યુદ્ધથી તો આવું છે એ સમજાય છે. પણ લૂંટફાટ, ચોરી વગેરે સામે પણ પ્રજાને જો બચાવવી હોય તો આપણે જાગ્રત રહેવું જોઈએ. બૉમ્બમારાથી હોનારતો થાય છે તે આપણા શહેરથી દૂર છે, પણ કદાચ એ આવી પડે તો નાસવાની પણ તાલીમ અને રીત શીખવી જોઈએ.
જે માણસે પ્રજાના રક્ષણની પ્રતિજ્ઞા લીધી છે તેનાથી શહેરમાં બીજા માણસો પડ્યા હોય ત્યાં સુધી ભગાય નહીં. અને તમે બધાય ભાગવાના નથી એવી હું આશા રાખું છું. કોમ કોમના ભેદભાવ ભૂલી તમે જે કામ ઉપાડ્યું છે એ શોભે તેવું કરજો.
- ૫૪ |
તે પોલીસ ] પોલીસ એ પ્રજાના રક્ષણ માટે હોવી જોઈએ. [ પણ હાલની પોલીસથી પ્રજાનું કેટલું રક્ષણ થાય છે, તે આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતનાં ઘણાં ગામોમાંથી લૂંટ થયાની અને ધાડ પાડ્યાની બૂમાં આવે છે. પોલીસ તેમનું રક્ષણ કરી શકતી નથી એમાં પોલીસનો દોષ છે, એમ કહી શકાય તેમ નથી. પોલીસના સિપાઈઓ મોટે ભાગે અભણ વર્ગમાંથી મળી શકે છે. એમને આજે જે પગાર મળે છે તેમાં પ્રામાણિકપણે એ પોતાનો નિર્વાહ કરી શકે જ નહીં, એટલે એ પ્રજાનું રક્ષણ કરવાને બદલે ચોરી લૂંટમાં ભાગીદાર થાય અગર બીજી રીતે પ્રજા ઉપર જુલમ કરી પોતાનો નિર્વાહ કરે, એ સ્વાભાવિક છે.
પોલીસમાં સારા માણસો આવતા નથી. એ ગુજરાતની મોટામાં મોટી એબ છે. સારા માણસો પોલીસમાં ભરતી નહીં થાય તો અંધાધૂંધી થવાની છે.
_ પપ -