Book Title: Sanskrit Bhashanu Vyakaran
Author(s): Jethalal Govardhan Shah
Publisher: Gujarat Oriental Book Depot

View full book text
Previous | Next

Page 480
________________ ૪૬૯ કહે છે, એટલે રાજાના પાછા ફરવાની ક્રિયા બહુ જ નજીકના સમયની છે, માટે બીજો ભવિષ્યકાળ વાપર્યો છે. સામાન્ય ભવિષ્યકાળના અર્થમાં પણ બીજો ભવિષ્યકાળ વપરાય છે. જેમકે યુવરાગ વિંન નિત તારાન ચન્નેध्यसि । कानि द्वीपान्तराणि नात्मीकृतानि यान्यानोकरिष्यसि । નિ રત્નાનિ નો નિતાનિ ચાન્યુવાલ્વિસ (કા. હે યુવરાજ, રાજા તારાપીડે શું કર્યું નથી, કે જે તું છતીશ. કયા અન્ય ટાપુઓ તેમણે પોતાના કર્યા નથી, કે જે તે પોતાના કરીશ. ક્યાં રત્નો મેળવ્યાં નથી, કે જે તે મેળવીશ તેમજ નીચેના વાકયમાં “અનિશ્ચિતતાને અર્થ જણાવે છે. अशून्यतीरां मुनिसंनिवेशैस्तमोऽपहन्त्री तमसां वगाह्य । सत्सैकतोत्सङ्ग पलिक्रियाभिः संपत्स्यते ते मनसः प्रसादः ॥ (મુનિનાં ટોળાંઓને લીધે જેના કિનારા અન્ય છે, અને જે અંધકારને નાશ કરનારી છે, એવી તમસા નદીમાં નાહીને તેના રેતીના તટની બલિક્રિયાથી તમારા મનને પ્રસન્નતા મળશે. ) અહીં ક્યારે પ્રસન્નતા થશે તેને સમય નિશ્ચિત નથી; પણ સીતા કલ્પે છે કે જ્યારે રામ તમસા નદીમાં નહાશે, ત્યારે તેમને પ્રસન્નતા થશે. અહીં જણાવેલી ભવિષ્યકાળની ક્રિયા અનિશ્ચિત સમયની છે. પ્રથમ ભવિષ્યકાળને સ્તન ભવિષ્યકાળ કહ્યો છે, એટલે તે આવતી કાલની ભવિષ્ય ક્રિયા જણાવે છે, અર્થાત તેમાં જણાવેલી ક્રિયા આજે બનવાની નથી, પણ આજના દિવસ પછી બનવાની છે, એટલે તે દૂરના ભવિષ્યકાળ માટે વપરાય છે. (મુ. ૫. ) પંરોમિર્વમેવ તત્ર તા: પાંચ, છ દિવસમાં અમે ત્યાં જઈશુંઆ વાક્યમાં નજીકની એટલે આજની ભાવી ક્રિયા નથી.

Loading...

Page Navigation
1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492