Book Title: Samvedanni Sargam
Author(s): Kalyanvijay Gani
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ • જન્મ-મુત્યુની પાર - સુઈગાન વિદ્વાન શિષ્ય હતો. દેશનું ભ્રમણ કરી ગુરુ જિમ્યો પાસે તે આવ્યો. ગુરુ પૂછે છે : “ધર્મનો સાર શું પામ્યો તું ?” સુઈગાન : “જો પર્વત ૫૨ વાદળ ન હોય તો ચન્દ્રપ્રકાશ તળાવનાં મોજાંને પ્રકાશિત કરે.’ ઈશારો દોષરહિત, નિષ્કલંક આત્મતત્ત્વ પર હતો... ગુરુ કહે છે : “તું આ રીતે ધર્મનો સાર પામ્યો ? તું આ રીતે જન્મમૃત્યુની પાર કેમ જઇશ ?'' સુઈગાન ઝૂક્યો. તેની આંખમાં આંસુ હતા. તેણે પૂછ્યું : “આપ જ કહો શું સાર ?' ગુરુ : જો પર્વત પર વાદળ ન હોય તો ચન્દ્રપ્રકાશ તળાવના મોજાંને પ્રકાશિત કરે. ગુરુએ સુઈગાન બોલ્યો ત્યારે જોયેલું કે તેની પ્રસ્તુતિ કાવ્યાત્મક હતી. પણ અનુભૂતિ ક્યાં હતી ? ગુરુ તમારા શબ્દ પર નહિ, તમારા ચહેરા ૫૨, તમારી આંખોમાં ઝાંકે છે. • તુર્યા તે જ અનુભવ છે ગુરુ અનુભૂતિ દ્વારા, ચોક્કસ રીતે ભીતરની કઈ સ્થિતિ તરફ અંગુલિનિર્દેશ કરે છે ? એની મઝાની વાત જ્ઞાનસાર કહે છે : તુર્યા ચોથી દશા તે જ અનુભવ. (7 સુષુત્તરમોદાર્ નાપિ = સ્વાપનારી, ૫નાશિપવિત્રાન્તસ્તુયૅવાનુમવો વશા.- જ્ઞાનસાર, અનુભવાષ્ટક ૭) કહેવાતી જાગૃતિ અને સ્વપ્રાવસ્થા એ બેઉમાં કલ્પનાના વિકલ્પોના ઘોડાપૂર ચાલતા હોય છે. નિદ્રામાં જડતા હોય છે. ત્રણની પેલે પાર છે ઉજાગર દશા. નિર્વિકલ્પ દશાની પૃષ્ઠભૂ પરની જાગૃતિ. હોશ.. – સો ચાખે સમતા સુધા...' ગુર્જિએફે એકવાર ત્રીસ સાધકોના એક વૃન્દ પર સાધનાનો પ્રયોગ કરેલો. એક જ મોટા ખંડમાં ત્રીસ સાધકો... બીજા સાથે બોલવાનું તો 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 324