Book Title: Samraicchakaha Part-1 Author(s): Haribhadrasuri, Publisher: Mangal Parekhno Khancho Jain Sangh - Shahpur - Ahmedabad View full book textPage 9
________________ ૮ | મહિનાના ઉપવાસ કરે છે, તાપસ પાછા જવાની જાણ થતાં પશ્ચાત્તાપ કરતે રાજા પુનઃ તપવનમાં જઈ ક્ષમા માગે છે અને પુનઃ બીજા પારણા પ્રસંગે પધારવા વિનંતિ કરે છે. એમ ત્રણ ત્રણ વાર વિનંતિ કરવા છતાં અને પારણા માટે રાજભવનમાં જવા છતાં ભવિતવ્યતાદિ કારણે વિન ઉપસ્થિત થતાં તાપસ પારણા વિના જ પાછા ફરે છે. રાજાને પારણું નહિ થવાથી ઉત્તરોત્તર દુઃખ વધતું જાય છે, તીવ્ર ભાવથી ક્ષમા માગે છે, પણ તપથી હારેલો ક્રોધવશ પડેલે તાપસ ગુર્નાદિ તાપસેએ સમજાવવા છતાં અને રાજાએ પગમાં પડીને ક્ષમા માગવા છતાં શાંત થવાને બદલે અધિક ઉગ્ર બની રાજને વૈરી બની જાય છે, ત્યાં સુધી કે વૈરને તીવ્ર અનુબંધ કરી પ્રત્યેક ભવમાં ગુણસેનના જીવને મરણાન્ત કષ્ટો આપી તેને મારી નાખવાનું મહાપાપ કરે છે. પરિણામે એક વખતે ઉગ્ર તપસ્વી તરીકે રાજાદિથી પણ પૂજાયેલે તે આત્મા ભવભવ તિરસ્કૃત બનીને નરકાદિનાં કારમાં કોને ભેગવે છે. એમ આત્મામાં પડેલે અહંકાર, તેમાંથી પ્રગટેલે ક્રોધ અને તેના યોગે કરે વૈરાનુબંધ આત્માની કેવી આકરી દુર્દશા કી કરે છે, તેનું ૨૫ણ ચિન જણાવ્યું છે. વિશેષતા એ છે કે પ્રત્યેક મનુષ્યભવમાં અગ્નિશમને જીવ ગુણસેનની સાથે પરજન તરીકે નહિ પણ પ્રાયઃ સ્વજનરૂપે મળે છે. (1) ગુણસેન–અગ્નિશમાં, એક રાજા, બીજ પુરોહિત પુત્ર પછી તાપસ. (૨) સિંહ અને આનંદ (પિતા-પુત્ર રૂપ), (૩) શિખી અને જલિની (પુત્ર--માતારૂપે ), (૪) ધન અને ધનશ્રી (પતિ-પત્નીરૂપે), (૫) જય અને વિજય (બે સગા ભાઈ રૂપે) Jain Education a tional For Private & Personal use only linelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 614