________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૩) પ્રમાણ પણ પરોક્ષ પણે આત્માની અસ્તિતા સ્વીકારવામાં તથા જાણવામાં કારણે ભૂત થયું, તેમ સૂત્ર સિદ્ધાંતમાં પણ આત્માનું વર્ણન કર્યું છે. આત્મા અરૂપી છે, જ્ઞાની છે, અનંત ગુણ ધારક છે. એમ પક્ષપણે આત્માની અસ્તિતાની સિદ્ધિ કરાવી આપનાર, તથા તેનું જ્ઞાન કરાવનાર મને આગમ પ્રમાણ કારણી ભૂત થયું. તેમ વળી જેમ આકાશ નિરાકાર છે, તેમ આતમા પણ નિરાકાર છે. જેમ આકાશ નિર્લેપી છે, તેમ આત્મા પણ નિર્લેપી વસ્તુતઃ તેની સત્તાથી જોતાં છે, એમ ઉપમાન પ્રમાણથી પણ પક્ષપણે આત્માનું જાણું પણું થયું, તેમ શ્રદ્ધા પણ થઈ એમ સાધક અવસ્થામાં વર્તતા જીવને મતિજ્ઞાન અને મૃત જ્ઞાનાલંબીપણે પૂર્વે કહ્યાં એવાં પ્રમાણ પણ પરોક્ષ પણે આત્માને જણાવે છે, તથા તેની શ્રદ્ધા કરાવે છે. પ્રત્યક્ષ પ્રમાણુ તે હાલના વખતમાં નથી. કેવળ જ્ઞાન તથા કેવળ દર્શન પ્રત્યક્ષ પ્રમાણ જાણવા. અવધિ અને મન પર્ય વિજ્ઞાન દેશપ્રત્યક્ષ છે. હાલ અનુમાન આ. ગમ ઉપમાનએ ત્રણ પ્રમાણ આ ક્ષેત્રમાં વર્તતા જીવને પ્રવર્તે છે. આત્માનું સ્વરૂપ સાક્ષાત્ જાણવામાં કેવળ જ્ઞાન રૂપ પ્રત્યક્ષ પ્રમાણતો નથી. બાકીના ત્રણ પ્રમાણ મતિજ્ઞાન અને મૃત જ્ઞાનાલંબીપણે વર્તે છે. અને મતિ અને શ્રુત જ્ઞાન તે પક્ષ પ્રમાણ છે. માટે તેનાથી આ
For Private And Personal Use Only