Book Title: Samadhi Shatkam Ane Atmashakt Prakash
Author(s): Buddhisagar
Publisher: Buddhisagar

View full book text
Previous | Next

Page 308
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯) સમાન છે. ઘડીમાં પાતાળમાં તે ઘડીમાં આકાશમાં એમ તેની ચંચળસ્થિતિ છે, અગ્નિ કરતાં વાયુની તીવ્ર ગતિ છે અને વાયુ કરતાં વિજળીની અતિ વેગવાળી ગતિ છે, અને વીજળી કરતાં પણ મનની ઘણીજ વેગવાળી ગતિ છે, ત્યારે એવા મનને શીરીતે વશ કરવું. શીરીતે કરવાથી પિતાના વશમાં રહે તે તેને ઉપાય કહે છે કે તીવ્રવેરાગ્ય તથા અભ્યાસથી મન વશ થાય છે, ત્યારે હવે પ્રશ્ન થાય છે કે તીવ્ર વૈરાગ્યની શી રીતે પ્રાપ્તિ થાય ? ઉત્તરમાં સમજવાનું કે સ ગુરૂ સંગતિ અને સશાસ્ત્રોનું પુનઃ પુનઃ વાચન કરવાથી વિરાગ્ય પ્રગટે છે. અને સંસારના અસાર પદાર્થોને અનુભવ થતાં વરાગ્ય પ્રગટે છે વળી વૈરાગ્યના ત્રણ પ્રકાર છે. દુઃખ ગર્ભિત વૈરાગ્ય મોહગર્ભિત વૈરાગ્ય અને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય. પ્રથમ દુઃખગર્ભિત વૈરાગ્યનું સ્વરૂપ કહે છે. સંસારમાં જીવોને અનેક પ્રકારનાં દુઃખ ભેગવવાં પડે છે, તથા પિતાને એટલે જે મનન કરે તેને પણ લાગે કે મને જે જે દુઃખ પડે છે, તે પૂર્વકર્મના ઉદયથી છે માટે ધર્મ છે તેજ સાર છે, ધર્મ કરવાથી દુઃખ નાશ પામે છે, એ જે દુઃખથી ઉત્પન્ન થએલો સામાન્ય વૈિરાગ્ય તેને દુઃખગર્ભિત વૈરાગ્ય કહે છે. તેમ વળી સંસારમાં અનેક પ્રકારના મેહના પદાર્થોને સંગ પણ દુઃખનું કારણ અનુભવ કરતાં માલુમ પડે કે આ સંસાર અસાર છે, વૈરાગ્ય મારૂ કોઈ નથી, એ જે વિરાગ્યમાં મોહની હયાતી છે, સમ્યક જ્ઞાન થયું નથી, તથા તે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342