Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
૬ ૨
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાભ્ય કરીને પત્રની શરૂઆત કરી છે. સાચી મુમુક્ષુતા બે રીતે પ્રગટ થાય છે તે વાત જણાવી છે. તે મુમુક્ષતા ઉત્પન્ન થઈ હોય તો મહાત્મા પુરુષના યોગથી આત્મનિષ્ઠપણું પ્રગટાવી શકાય છે. આ પ્રમાણે આરાધના કરવાથી જીવાત્મા અપ્રમત્ત યોગને પ્રાપ્ત કરી શકે છે. આ જ મુખ્ય મોક્ષમાર્ગનો ક્રમ છે. (૧૦૮) ક્ષણમોહ પર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે. (પ.-૮૮૮/પા.-૬૩૮) - જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન અધવચ્ચે ત્યાગી દેવામાં આવે તો સાધક પોતાના લક્ષ સુધી પહોંચી શકતો નથી. (૧૦૯) મહાત્મા મુનિવરોના ચરણની, સંગની ઉપાસના અને સશાસ્ત્રનું અધ્યયન મુમુક્ષુઓને આત્મબળની વર્ધમાનતાના ઉપાય છે. (પ.-૯૦૫/ પા.૬૪૩) આ પ્રકારે મહાત્માઓના ચરણની, તેમના સંગની ઉપાસના કરવામાં આવે અને સશાસ્ત્રનું અધ્યયને તેમની આજ્ઞા સાથે કરવામાં આવે તો મુમુક્ષુ પોતાનું આત્મબળ વર્ધમાન કરી શકે છે. (૧૧૦) સપુરુષની વાણી સર્વ નયાત્મક વર્તે છે. (૫.-૯૧૮/પા.-૬૪૭).
પ્રમત્ત પ્રમત્ત એવા વર્તમાન જીવો છે, અને પરમ પુરુષોએ અપ્રમત્તમાં સહજ આત્મશુદ્ધિ કહી છે, માટે તે વિરોધ શાંત થવા પરમ પુરુષનો સમાગમ, ચરણનો યોગ જ પરમ હિતકારી છે. (પ.-૯૧૯/પા.-૬૪૮). જ્ઞાનીના માર્ગનું, જ્ઞાનક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે. (પ.-૯૩૭/પા.-૬૫૩) (૧૧૧) પરમ નિવૃત્તિ નિરંતર સેવવી એ જ જ્ઞાનની પ્રધાન આજ્ઞા છે. (૫.૯૪૩/પા.-૬૫૪)
સામાન્યપણે જીવ કોઈને કોઈ કાર્યમાં લપેટાયેલો જ રહેતો હોય છે, પોતાના વિષે વિચાર કરવાનો અવકાશ જ ન રહે તેવા પ્રકારની બાહ્ય પ્રવૃત્તિઓ કરતો જ રહેતો હોય છે. જયારે જ્ઞાની પુરુષો કહે છે કે નિરંતર નિવૃત્તિભાવને સેવવાની દષ્ટિ રાખી નિવૃત્તિનો સમય મેળવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org