Book Title: Sadguru Satpurush Sant Gyani Purushonu Mahatmya
Author(s): Rasikbhai T Shah
Publisher: Raj Saubhag Satsang Mandal Sayla
View full book text
________________
૮૨
શ્રી સદ્ગુરુ, સપુરુષ, સંત-જ્ઞાની પુરુષોનું માહાત્મ અનેક પ્રકાર છે પણ તેને વર્ગીકૃત કરી, ગૃહિત મિથ્યાત્વ અને અગૃહિત મિથ્યાત્વ એવા ભેદ પાડેલા છે. અગૃહિત મિથ્યાત્વ એ જીવ અનાદિકાળથી પોતાની સાથે લેતો જ આવ્યો છે. આને આધારે બીજા પરભાવોમાં મારાપણું કરવા રૂપ ગૃહિત મિથ્યાત્વ જયાં જન્મ ધારણ કરે છે ત્યાંથી ગ્રહણ કરે છે (વધારે માટે તત્ત્વાર્થ સૂત્રમાં જોવું) (૧૫) “અજ્ઞાન દશામાં આત્મા પરને જુએ છે અગર જાણે છે ત્યારે પરમય થઈ જાય છે. તે વિભાવ પરિણતિ છે, તેથી ક્ષણે ક્ષણે કર્મ બાંધે છે.”
જયાં સુધી જીવમાં મિથ્યાત્વ દશા-દર્શનમોહની દશા રહેલી છે, ત્યાં સુધી અજ્ઞાનદશા પ્રવર્તી રહી છે તેમ કહેવાય છે. અજ્ઞાનદશા હોવાથી જીવ જે પોતાનું છે તેને જોતો નથી, પણ જે પરનું છે, પર છે, તેના તરફ જ દૃષ્ટિ રહ્યા કરે છે અને તે પરને જ પોતાનું સ્વરૂપ માનીને તેની બધી પ્રવૃત્તિ તે પ્રમાણે થયા કરે છે. જયાં સુધી જીવમાં પરમય થઈ જવાની મતિ-બુદ્ધિ રહેલી છે, ત્યાં સુધી તે વિભાવ પરિણતિમાં જ રહેલો છે. વિભાવ પરિણતિના જોરને કારણે જીવ ગમતા પ્રસંગો કે ગમતી વસ્તુમાં અથવા દૈહિક શાતામાં રાગ કરે છે. તથા અણગમતા પ્રસંગો કે અણગમતી વસ્તુમાં કે દૈહિક અશાતામાં દ્વેષ ભાવ કરે છે. દેહની શાતા મેળવવા માટે ગમે તે કરવા તે તૈયાર થઈ જતો હોય છે, તેને કારણે તેના પરિણામો આર્ત કે રૌદ્રધ્યાનરૂપ પણ થતા જોવામાં આવે છે. આ બધા ભાવો વિભાવભાવો-પરભાવો--આત્માને નુકસાનકર્તા ભાવો છે. જેથી જીવ ક્ષણે ક્ષણે નવા કર્મ બાંધ્યા કરે છે.
આ પરિસ્થિતિમાંથી છૂટવા માટે પ્રથમ જ્ઞાની પુરુષનું સાનિધ્ય સ્વીકારવું જરૂરી છે. અને પછી તેમની આજ્ઞા પ્રમાણે વર્તવાથી જીવ વિભાવ પરિણામોથી, પરભાવોથી, પરપદાર્થ મને સુખના કારણ છે તેવા ભાવોથી પર થઈ શકે છે અને પોતાનું જે મૂળ આત્મસ્વરૂપ-જે પરમાત્મસ્વરૂપ છે તે તરફ દૃષ્ટિ જાય છે અને તેમ થતાં તે સ્વરૂપને પ્રગટાવવાનો પુરુષાર્થ કરીને સ્વભાવ પ્રગટ કરે છે. જેથી નવા કર્મને આવતા હવે સહેલાઈથી રોકી શકે છે અને અંશે અંશે શુદ્ધતા મેળવતો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org