Book Title: Pruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Author(s): Ratnaprabhvijay
Publisher: Vardhaman Jain Shwetambar Murtipujak Sangh

View full book text
Previous | Next

Page 3
________________ આ ગ્રંથ મૂળ સંસ્કૃત ગદ્ય ભાષામાં લખાયેલ છે તેના રચયિતા પંડિત પ્રવર પૂજ્યશ્રી રૂપવિજ્યજીએ ૧૧ સર્ગમાં આલેખન કર્યું છે. પંડિત પ્રવરશ્રી કઈ સદીમાં થયા તે હકીકત ઉપલબ્ધ થઈ નથી. ગ્રંથને ગુજરાતી અનુવાદ બાળબેધ લિપિમાં પંડિતશ્રી લમ્બિવિજયજીએ કરેલ છે, અને બાળબેધ લિપિમાં આ ગ્રંથ સંવત ૧૯૪૮ સાલમાં છપાયેલ છે. ત્યારપછી આવૃત્તિ છપાયાની માહિતી મળતી નથી, એટલે ૮૬ વરસ પહેલાં આ ગ્રંથ છપાયે છે એમ કહી શકાય. પ્રસ્તુત ગ્રથના ચરિત્ર નાયકોના ભવની શરૂઆત શંખરાજા અને કલાવતી રાણીના ભવથી થાય છે. આ બંને ચરિત્ર નાયકે એકવીસમા ભવે કેવળજ્ઞાન પામી ક્ષે જાય છે. એકવીસ ભવ કયા કયા પર્યાયમાં થયા તે હકીકત જાણવી ઉપગી હોવાથી તેનું પૃથકરણ કરવું ઉપયોગી છે. એકવીસભવમાં ૧૧ ભવ મનુષ્ય પર્યાયના છે અને દસ ભવ દેવપર્યાયના છે. મનુષ્યના ૧૧ ભવમાં તેમને પરસ્પર સબંધ નીચે મુજબ છે. પતિ પત્નિ તરીકે મિત્રરૂપે ભાઈઓ રૂપે પિતાપુત્ર રૂપે છ ભાવ બે ભવ બે ભવ. એક ભવ દેવ પર્યાયમાં માત્ર એકજ ભવ દેવ-દેવી તરીકે અને બાકીના બે મિત્ર સંબંધના છે. ગ્રથ પુરેપુરે વાંચવાથી ઘણું ઘણું જાણવાનું મળી શકે. પ્રસ્તાવનામાં બધી હકીકત સમાવી શકાય નહીં. છતા સારભૂત તારવણી નીચેના મુદ્દાઓમાં સમાવી લેવામાં આવે છે. (૧) સબંધે ગમે તેટલા ભવ સુધી ચાલુ રહે છતાં એક વાર પતિ-પત્નિ તરીકે સબંધ બંધાયે હોય તો તે સબ ધ તેજ પ્રકારે કાયમ રહે એવો એકાન્ત કેઈ નિયમ નથી. એકભવમાં પતિ-પત્નિ તરીકે હોય તે બીજા કેઈ ભવમાં પુત્ર અને માતારૂપે હોય અગર પિતા-પુત્રરૂપે કે મિત્રભાવે હોય. જે પ્રકારના પરસ્પરના ઋણાનુબંધ હોય તે મુજબ સંબંધ બંધાય છે. કઈ કઈવાર દુશમન તરીકેના સબંધ હોય છે. શંખ રાજા અને કલાવતી રાણીના મનુષ્યપર્યાયના જે ૧૧ ભ થાય છે, તે ભામાં મોટા ભાગે સંયમ માર્ગ અને બારવ્રત જેમ શ્રીપાલ રાજા અને મયણે સુંદરી સમક્તિ પામ્યા બાદ નવમા ભવે મોક્ષમાં જશે, નવ ભવમાં નરક કે તિર્યંચે જવાના નથી અને મનુષ્ય અને દેવકના ઉત્તરોત્તર વધુ સુખને પામવાના છે. તેમ પ્રસ્તુત ચરિત્રનાયક શ્રી પુચિન્દ્ર ગુણસાગર–સમક્તિ પામ્યા ત્યારથી ૨૧ ભવ સુધી નરક કે તિર્યંચમાં ગયા નથી અને પણ મનુષ્ય–દેવલેકમાં ઉત્તરોત્તર વધુને વધુ સુખ સામગ્રી પામી ૨૧ માં ભવમાં મોક્ષે ગયા છે રાજેશ્વરી એ નરકેશ્વરી હોઈ શકે છે પણ પ્રસ્તુત ચરિત્ર નાયકે ખરેખર અપવાદરૂપ કહેવાય ? (૪) પ્રાચીન સમયમાં માનવજીવનની ચાર અવરથાઓમાં વહેંચણી થતી છેલ્લી અવરથા વાનપ્રસ્થાનની ગણતી વાનપ્રસ્થ અવસ્થાએ પહોંચતા જીવ પિતાને કુટુંબીક ભાર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 301