Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 280
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીત કિયે દુઃખ હોય ૨૭૦ મન પર સુરસુંદરીની વાતો સચોટ અસર કરી રહી હતી. ચારિત્રધર્મ. સંયમધર્મની ઊંડી ઊંડી ચાહ પ્રગટી રહી હતી. સુરસુંદરીએ કહ્યું: “નાથ, સદ્ગુરુનો યોગ પ્રાપ્ત થાય... અને સંયમધર્મ સ્વીકારવાની ઇચ્છા તીવ્ર થઈ જાય... તો શું આપ મને અનુમતિ આપશો?' ખૂબ મૃદુ... કોમળ. અને પ્રેમપૂર્ણ શબ્દોમાં સુરસુંદરીએ પૂછ્યું. એટલે શું તું એકલી ચારિત્રમાર્ગે જઈશ?' “આપને તો રાજ્યની જવાબદારી વહન કરવાની રહેશે ને?' ના, તું જો સંસારનો ત્યાગ કરી જાય તો હું સંસારમાં રહી જ ન શકે. તારા વિનાનો આ સંસાર મારા માટે શૂન્ય છે.” ‘ગુણમંજરી એ હું જ છું નાથ...” ના, ગુણમંજરી એ ગુણમંજરી છે, તું એ તું છે...' ગુણમંજરીનો આપના પ્રત્યે અગાધ પ્રેમ છે.. આપના ચરણે એ સંપૂર્ણ સમર્પિત મહાસતી છે...” સત્ય છે તારી વાત, પરંતુ મારા હૃદયની સ્થિતિ જુદી છે... હું એના વિના જીવી શકું, એમ મને લાગે છે; તારા વિના ન જીવી શકું-એમ મને લાગે છે. એટલે, ચારિત્રધર્મને જો અંગીકાર કરવો હશે તો આપણે બંને સાથે જ અંગીકાર કરીશું.' મારા-આપના વિના ગુણમંજરીનું શું થાય? એનો વિચાર આપણે કરવો જોઈએ ને?' “એવો અવસર આવશે ત્યારે વિચાર કરવાનો છે ને!' “આપની વાત યથાર્થ છે, પરંતુ એવો અવસર નિકટના ભવિષ્યમાં જ આવી શકે, એમ મારું હૃદય બોલે છે...' તો ગુણમંજરીને બોલાવી લઈશું... એને વાત કરીશું. પરંતુ હમણાં તું માતા-પિતાને આવી કોઈ વાત ન કરીશ.' આપની આજ્ઞા શિરોધાર્ય છે!” સુરસુંદરીએ મસ્તકે અંજલિ જોડી, મસ્તક નમાવીને અમરકુમારની વાતનો સ્વીકાર કર્યો. રાત્રિનો પ્રથમ પ્રહર પૂર્ણ થયો હતો. અમરકુમાર શ્રેષ્ઠી ધનાવહને મળવા એમના ખંડમાં ગયો. સુરસુંદરીની સ્મૃતિમાં રત્નજી અને એની ચાર પત્નીઓ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307