Book Title: Prit Kiye Dukh Hoy
Author(s): Bhadraguptasuri
Publisher: Mahavir Jain Aradhana Kendra Koba

View full book text
Previous | Next

Page 299
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીત કિયે દુઃખ હોય ૨૮૯ સાદ સંભળાય છે... હું નહીં રહી શકું સંસારમાં.. મને અંતરના આશીર્વાદ આપ પિતાજી... રાજા-રાણીએ સુરસુંદરીને અને અમરકુમારને ખૂબ સમજાવવા પ્રયત્ન કર્યો, પરંતુ તીવ્ર વૈરાગી બનેલા એ દંપતીએ રાજા-રાણીને એવા જ્ઞાનગર્ભિત પ્રત્યુત્તરો આપ્યા કે તેઓએ અનુમતિ આપી દીધી. રતિસુંદરીએ ગુણમંજરીને પોતાના ઉસંગમાં લઈ ખૂબ આશ્વાસન આપ્યું... અને કહ્યું: “બેટી, આ પુત્રનો રાજ્યાભિષેક કરીને પછી તારી સાથે અમે પણ ચારિત્ર અંગીકાર કરીશું!” ધનવતીએ કહ્યું: “અમે બંનેએ પણ એ જ સંકલ્પ કર્યો છે!” પરિવારમાં આનંદ છવાઈ ગયો. નગરમાં દીક્ષા મહોત્સવનાં મંડાણ કરવાની મહારાજાએ આજ્ઞા આપી. ત્યાં નગરરક્ષકો દોડતા હવેલીમાં આવ્યા. મહારાજાને પ્રણામ કરીને કહ્યું: “મહારાજા, નગરની બહાર મેદાનમાં એક હજાર વિદ્યાધરોનાં વિમાન ઊતર્યા છે. અમે તપાસ કરી તો જાણવા મળ્યું કે સુરસંગીતનગરના વિદ્યાધરરાજા રત્નજી પોતે સપરિવાર પધાર્યા છે...” સુરસુંદરી આનંદથી ઊછળી પડી. “પિતાજી, મારા ધર્મબંધુ આવ્યા છે.. શીઘ તેઓને લેવા માટે જઈએ...' નાથ, વિલંબ ન કરો... રથ જોડાવો...' મંજરી.. માતાજી... સહુ ચાલો... મારો એ ધર્મબંધુ આવ્યો ખરો. સાથે મારી ચાર ભાભીઓ પણ હશે.. મારી પ્રતીક્ષા કરતી હશે.” એક ક્ષણનોય વિલંબ કર્યા વિના સહ રથોમાં ગોઠવાઈ ગયાં... અને અલ્પ સમયમાં જ નગરની બહાર પહોંચી ગયાં. દૂરથી રત્નજટી અને ચાર રાણીઓને જોઈ સુરસુંદરી રથમાંથી નીચે ઊતરી પડી. એની પાછળ સહુ રથમાંથી નીચે ઊતરી ગયાં. રત્નજી ચારેય રાણીઓ સાથે ત્વરાથી સામે આવ્યો. સુરસુંદરીના મુખમાંથી અહોભાવ સાથે... “ભાઈ'. નો પોકાર નીકળી ગયો. સામેથી “બહેન”. ની બૂમ પાડતો રત્નજી દોડી આવ્યો. ભાઈ-બહેનના એ મિલને સહુની આંખો ભીની ભીની કરી નાંખી. સુરસુંદરી ચારેય ભાભીઓને ભેટી પડી. એક પછી એક ભાભીએ સુરસુંદરીના માથે હેત વરસાવ્યું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306 307