Book Title: Prabuddha Jivan 2009 06
Author(s): Dhanvant Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 19
________________ જૂન, ૨૦૦૯ પ્રબુદ્ધ જીવન ઉત્સાહવર્ધક લાગ્યો. ભૂંગળ વાગે અને આખું વાતાવરણ ચેતનવંતુ નાક, કાન કપાયાનો અભિનય થયો. ભીખાને ભારે મજા આવી. બની જતું. કંઈ મહત્ત્વનું બને એટલે ભૂંગળવાળા ભારે જોરથી ભૂંગળ રામવિરહનો ખેલ શરૂ થયો, ત્યારે રામ અત્યંત વિલાપ વૃક્ષ અને વગાડે અને ભીખાના આનંદમાં અનેરો વધારો થતો. એમાં વળી છોડને સીતાના વિરહની આંસુ સારીને વાત કરતા હતા. તબલચી, પખવાજ અને મંજીરાનો સાથ રહેતો. ઘૂઘરાના અવાજે રામલીલાનો રંગ હવે ખરેખરો જામવા લાગ્યો. રામ અને ભીખાનું મન મોહી લીધું. પગે ઘૂઘરા બાંધીને નૃત્ય કરનાર જરા રાવણના યુદ્ધનો ખેલ શરૂ થયો. દશ માથાવાળા રાવણને મારવા ઠેકો મારતો અને પછી તો ઘૂઘરાના અવાજે નર્તન રૂમઝૂમભર્યું કેટલાય મેદાને પડ્યા. જેમની આરતી ઊતરતી, જેમની પૂજા થતી અને ઘમઘમાટવાળું બની જતું. બાળક ભીખાની નજર રામલીલાના અને વારંવાર જેમના નામનો જયજયકાર થતો એવા ભગવાન રામ, હનુમાનના પગ પર એવી તો સ્થિર થઈ ગઈ કે એ રાહ જુએ કે એમના ભાઈ લક્ષ્મણ અને એમનો સેવક હનુમાન-એ બધા રાવણ ક્યારે એ પગથી જોશભેર ઠેકો લગાવે અને ઘૂઘરાનો અવાજ રણકે. સાથે લડતા હતા. રાવણને રણમાં રોળવા મથી રહ્યા હતા, પરંતુ ભીખાએ જોયું કે આસપાસ નાના-મોટા સહુ કોઈ રામલીલાનો એ કાંઈ ગાંજ્યો જાય તેવો નહોતો. આનંદ માણતા હતા. કોઈ પોતાને રામ જેવા માનીને રામ આવતા ભીખાને થયું કે રાવણ ખરેખર ભડનો દીકરો છે. આટલા બધા જ હાથ ઊંચા કરીને મોટી બૂમ પાડતા. કોઈ વળી સીતા જેવી પત્ની, મહેનત કરે છે, છતાં કોઈ એનો વાળ વાંકો કરી શકતું નથી. એ લક્ષ્મણ જેવા ભાઈ કે હનુમાન જેવો સેવક હોય તેમ ઈચ્છતા હતા. એક હોંકારો કરે અને બિચારા વાનર પૂંછડી દબાવીને ભાગે. એક પોતે એના જેવા થાય એવા આદર્શો અજાણપણે પણ સહુ કોઈના ખોંખારો ખાય અને ટોળે વળેલાં રીંછડાં ભાગી જાય! કોઈ રાક્ષસ હૃદયમાં ઉતરતા હતા. ખેલની વચ્ચે વચ્ચે ફૂદડી જોવા મળતી અને કહેતા કે એના પેટમાં અમૃતકુંપો છે. એ કેમ મરે? એના લોહીનું એમાં પણ કૂદતી વખતે ખૂબ નાચ થતો અને એક નહીં પણ ઘણી ટીપું પડે તો એકમાંથી એક હજાર રાવણ પ્રગટ. ફૂદડીઓ ફરવામાં આવતી. ભીખો મનમાં વિચારે કે ફૂદડી ફરવી આ બધું જાણીને ભીખાના મનમાં રાવણ પ્રત્યે અહોભાવ તો મનેય ગમે છે, પણ આની ફૂદડીની ઝડપ જુદી છે અને એનો જાગ્યો. મનોમન વિચારે કે “રંગ છે રાવણ તારી જનેતાને. એક થનગનાટ પણ જુદો છે. રામલીલાના ખેલ વખતે વચ્ચે વચ્ચે તરફ એકલો તું અને બીજી તરફ આટલા બધા! છતાં તું ગાંજ્યો ચા-પાણી થઈ જતા. એમાં મધ્યાંતર ન હોય પણ કલાકારને જાય તેમ નથી.” ભીખો રાવણનો પક્ષકાર બની ગયો. સંગીતથી આરામ મળી રહેતો. એવામાં વચ્ચે વચ્ચે ભવાઈના નાના રામની સેના પર રાવણ આઘાત કરે ત્યારે ગામલોકો સ્તબ્ધ વેશ પણ ભજવાઈ જતા. ક્યારેક ભૂંગળના સૂર વહેતા તો ક્યારેક બનીને જોતા; પણ ભીખાના મનમાં ભારે ઉત્સાહ જાગતો. એને કોઈ સંવાદ વખતે આરામ લઈ લેતા.* તો રાવણ એટલો બધો ગમી ગયો કે ન પૂછો વાત. શું એનું વચ્ચે રંગલો આવીને ભીખાને રડખડાટ હસાવી ગયો. ભૂંગળ પરાક્રમ? એકલો સહુને ભારે પડે છે! આ લડાઈમાં લક્ષ્મણ તીરથી વગાડીને ભવાઈની સૂચના કરવામાં આવી. દરેક વેશનો આરંભ મૂછિત થઈ જાય છે અને જમીન પર ચત્તોપાટ પડે છે. ભીખો વિચારે થાય ત્યારે આવણું** ગવાતું અને પછી મુખ્ય પાત્ર ગીત અને નૃત્ય છે કે આ બિચારા લક્ષ્મણે મેઘનાદ અને રાવણ સામે થવા જેવું સાથે પ્રવેશતું. સીતાવિવાહનો પ્રસંગ આવ્યો. લગ્નપ્રસંગે રામ નહોતું. આવા બળિયા સામે બાથ ભીડવાની જરૂર નહોતી. પાસે અનેક યાચકો આવવા લાગ્યા. ભવાયાઓ કાંસકીવાળો બાવો, છોકરાથી છાશ પીવાતી હશે? ફાતડો, સરાણિયો જેવા જુદા જુદા વેશ લઈને માગવા આવે. રામ યુદ્ધના મેદાનમાં લક્ષ્મણ ચત્તોપાટ પડતાં ચારેબાજુ હાહાકાર એ સહુને દાન આપે અને પછી રામવિવાહ થાય. ત્યારબાદ સીતાજીને મચી ગયો. વાનરો હુપાહૂપ કરવા લાગ્યા અને રીંછ છીંકાછીંક કરવા લગ્નમંડપમાં લાવવામાં આવ્યા. આ સમયે વિવાહના ગીતને “કટ’ લાગ્યાં. જમીન પર પડેલા લક્ષ્મણ પાસે બેસીને રામે તો હૈયાફાટ કરીને બોલી બોલવાની શરૂ થઈ. એક આનાથી ચાલીસ રૂપિયા વિલાપ આદર્યો. સુધી બોલી બોલાતી હતી. એક વ્યક્તિ બોલે એના કરતા બીજી લીલી રે હજો લીંબડી, શીતળ એની છાંય; વ્યક્તિ વધુ મોટી બોલી બોલીને માન મેળવતો હતો. ભીખાએ બોલકણા તે હજો બાંધવા, તોય પોતાની બાંય.' ઉપાશ્રયમાં આવી બોલી બોલાતી સાંભળી હતી, પણ અહીં બોલાતી રામને અતિ આજંદભેર વિલાપ કરતા જોઈને ભીખાને થયું, બોલી જેવા હોંકારા, પડકારા ને ઉશ્કેરાટ એણે જોયા નહોતા. આ આમને તે કોણ ભગવાન કહે ? જો ને! ભાઈ મરવા પડ્યો છે, પછી રામ વનવાસની વાત થઈ અને સીતાહરણનો ખેલ શરૂ થતો. ત્યારે એની પાસે રડવા બેઠા છે. અકળાઈને ભીખો બોલી ઊઠ્યો, વચ્ચે રાવણની બહેન શૂર્પણખા આવી અને લક્ષ્મણને હાથે તેના “અરે, ભાઈને ઘાયલ કરનારો સામે ઊભો ઊભો મૂછો મરડે છે * ભવાઈમાં આજના નાટકની જેમ મધ્યાંતર નહોતો. અને આ શું રડવા બેઠો છે?” ** ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત ‘એ ભીખા, એમ ન બોલીએ; પાપ લાગે.” ગિરજાએ ટકોર કરી.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28