Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
1 વર્ષ ઃ ૬૯
અંક : ૬
મુંબઈ, જૂન ૨૦૦૯
પાના ઃ ૨૮ કીમત રૂપિયા દસ
જિન-વચન
પાંચ મહાવ્રતો अहिंसं सच्चं च अतेणयं च
तत्तो य बंभं अपरिग्गहं च । पडिवज्जिया पंच महव्वयाई चरेज्ज धम्मं जिणदेसियं विदू ।।
–૩ત્તરાધ્યયન-૨૧-૨૨ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અને અપરિગ્રહ–આ પાંચ મહાવ્રતોને અંગીકાર કરીને વિદ્વાન મુનિએ જિનેશ્વરોએ ઉપદેશેલા ધર્મનું આચરણ કરવું.
अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह-इन पांच महाव्रतों को अपना कर विद्वान मुनि जिनेश्वर कथित धर्म का સાવર રે..
A learned monk having adopted the five great vows of non-violence, truthfulness, non-stealing, celibacy and nonpossessivenss should practise the religion preached by the Jineshwara.
(ડૉ. રમણલાલ ચી. શાહ ગ્રંથિત વિન-વૈવનમાંથી)
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૦૯ ડાયનિસિયસે તેમના પર પત્ર લખીને,
કોનાથી ચેતવું જોઈએ? આગમન
જણાવ્યું કે, ‘તમારી વાત સમજવામાં મેં એક વાર ચીનના એક વિચારક ચીજુ ને
ભારે ભૂલ કરી છે. માટે મને માફ કરજો કોઈએ પૂછ્યું: “આપણે કેવા માણસથી તલ્લીનતા
અને મારા માટે તમારા મનમાં કશું ઓછું ચેતતા રહેવું જોઈએ ?'
આવ્યું હોય તો એ કાઢી નાખજો તથા મારા ચેન ચીજુ કહે: ‘બીજા માણસનું કંઈક અસલના વખતમાં યુરોપમાં આવેલા માટે સારા વિચારો સેવજો.'
સારું સાંભળે ત્યારે હંમેશાં જે શંકાશીલ રહે ગ્રીસ દેશમાં પ્લેટો નામના એક મહાન
મહાન ફિલસૂફ પ્લેટોએ એના જવાબમાં છે, પરંતુ બીજાનું કંઈક ખરાબ સાંભળવા ફિલસુફ થઈ ગયા.
લખ્યું: ‘જીવનમા સત્યની શોધમાં હું એટલો મળે ત્યારે એને તરત જ માની લેવા તૈયાર એક વાર સાઈક્યુ સના રાજા
તો રચ્યોપચ્યો રહું છું કે તમારા વિશે કોઈ થઈ જાય, એવા માણસથી સર્વદા ચેતતા ડાયનિસિયસે પ્લેટોને પોતાને ત્યાં
પણ રીતનો વિચાર કરવામાં વખત રહેજો.' બોલાવ્યો. ત્યાં જઈને પ્લેટોએ રાજાને એક બગાડવાનો મને અવકાશ જ મળતો નથી.”
* * * શાણો માણસ રાજ શી રીતે ચલાવી શકે એ બધું સમજાવ્યું.
| સર્જન-સૂચિ ક્રમ
પૃષ્ઠ ક્રમાંક પ્લેટોના આવા ક્રાંતિકારી વિચારો
(૧) ડૉ. રણજિત પટેલ (અનામી) : એક પ્રાજ્ઞ વિદ્યાપુરુષ | ડૉ. ધનવંત શાહ સાંભળીને ડાયોનિસિયસ ચમક્યો. તેને
(૨) શ્રીમત્ શંકરાચાર્ય-વિરચિત “મણિરત્નમાલા’માં સ્ત્રી ડૉ. રણજિત પટેલ (અનામી) થયું, આવા માણસને જીવતો રાખવો એ ૩) કોંગ્રેસ જીતી, હવે શું?
શ્રી કાકુલાલ છ. મહેતા ખતરનાક વસ્તુ છે. તેથી તેણે પ્લેટોને દેહાંત ||(૪) ચાદરનો ચમત્કાર
શ્રી હરજીવન થાનકી દંડની સજા ફરમાવી.
(૫) ઝળહળતી જ્યોતથી મનાવ્યો મૃત્યુ મહોત્સવ શ્રી હર્ષદ દોશી પરંતુ પ્લેટોના કેટલાક મિત્રોએ રાજાને (૬) શ્રી મુંબઈ જૈન યુવક સંઘ : ફંડ રેઈઝીંગ અભિયાનમાં સમજાવ્યો. એટલે રાજાએ પ્લેટોને ગુલામ
| પ્રાપ્ત થયેલ અનુદાનની યાદી
(૭) જયભિખ્ખું જીવનધારા-૭ તરીકે વેચી દેવાનો હુકમ કર્યો.
ડૉ. કુમારપાળ દેસાઈ (૮) શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૮
પ. પૂ. આચાર્ય શ્રી વાત્સલ્યદીપ ૨૧ પરંતુ સદ્ભાગ્યે પ્લેટોને ખરીદનાર (૯) જ્ઞાન અને ક્રિયાનો સમન્વય
શ્રી સુમનભાઈ એમ. શાહ માલિક દયાળુ હતો. તેણે પ્લેટોને છોડી ||(૧૦) જૈન પારિભાષિક શબ્દકોશ
ડૉ. જીતેન્દ્ર બી. શાહ મૂક્યા અને એથેન્સ જવાની રજા આપી. |(૧૧) સર્જન સ્વાગત
ડૉ. કલા શાહ પ્લેટો એથેન્સ પહોંચ્યા. એટલે (૧૧) પંથે પંથે પાથેય..
ચીમનલાલ ગલીયા
કર્તા
પ્રબુદ્ધ જીવન : ગ્રાહક યોજના • ૧ વર્ષનું લવાજમ રૂા. ૧૨૫/-(U.S. $ 15) • ૩ વર્ષનું લવાજમ રૂા. ૩૫૦/-(U.S. $ 40) • ૫ વર્ષનું લવાજમ રૂા. ૫૫૦/-(U.S. $ 65) • ૧૦ વર્ષનું લવાજમ રૂ. ૧૦૦૦/-(U.S. $120) • કન્યા કરિયાવર આજીવન લવાજમ રૂ. ૨૦૦૦/-(U.S. $ 150)
ક્યારેય પણ જાxખ ન લેવાની પ્રતિજ્ઞા સાથે ૧૯૨૯થી શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું આ મુખ પત્ર “પ્રબુદ્ધ જીવન પ્રત્યેક મહિનાની ૧૬મી તારીખે અવિરતપણે પ્રગટ થાય છે અને ગુજરાતી પ્રજાને પ્રેરણાત્મક ચિંતન પીરસતું રહે છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પેટ્રનો, આજીવન સભ્યો અને ગુજરાતના સંતો તેમ જ વૈચારિક મહાનુભાવોને “પ્રબુદ્ધ જીવન' વિના મૂલ્ય પ્રત્યેક મહિને અર્પણ કરાય છે. આર્થિક રીતે નુકસાનીમાં પ્રગટ થતા આ ‘પ્રબુદ્ધ જીવન’ને સદ્ધર કરવા ‘પ્રબુદ્ધ જીવન નિધિ'ની સ્થાપના કરેલ છે જેમાં દાનવીર યથાશક્તિ પોતાના દાનનો પ્રવાહ મોકલી રહ્યા છે. • વિચારદાનના આ યજ્ઞમાં આપને પણ આપના તરફથી ધનદાન મોકલવા વિનંતી છે. • ‘પ્રબુદ્ધ જીવન નિધિ’ અને ‘કન્યા કરિયાવર આજીવન લવાજમ’ આપનારને આવકવેરાની 80 G કલમ અન્વયે કરમુક્તનું પ્રમાણપત્ર આપવામાં
આવશે. • ચેક “શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નામે મોકલશો. કોઈ પણ માસથી ગ્રાહક બની શકાય છે. • શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, ૩૩ મહમદી મિનાર, ૧૪મી ખેતવાડી, એ.બી.સી. ટ્રાન્સપોર્ટની બાજુમાં, મુંબઈ-૪૦૦૦૦૪. ટેલિફોનઃ ૨૩૮૨૦૨૯૬ • Website : www.mumbai_jainyuvaksangh.com
a મેનેજર • email : shrimjys@gmail.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Regd. With Registrar of Newspaper for India No.RNI 6067/57
વર્ષ : (૫૦) + ૧૯૭ અંક : ૬
જૂન, ૨૦૦૯ ૭ વિક્રમ સંવત ૨૦૬૫ વીર સંવત ૨૫૩૫ ૭ જેઠ વદિ – તિથિ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર ૦
પ્રભુદ્ધ જીવ
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭ ૭ વાર્ષિક લવાજમ રૂા.૧૨૫/- ૭ છૂટક નકલ રૂા. ૧૦/માનદ્ તંત્રી : ધનવંત તિ. શાહ
બિછડે સભી બારી બારી
ડૉ. રણજિત પટેલ (અનામી) : એક પ્રાજ્ઞ વિધાપુરુષ
પૂ. સાહેબે ‘પ્રબુદ્ધ જીવન'ની જવાબદારી મને સોંપી અને સૌ પ્રથમ પ્રોત્સાહનનો પત્ર મને પૂ. અનામી સાહેબનો આવ્યો, પછી તો એ પ્રોત્સાહનની ધારા સતત વહેતી રહી જ, તે એઓશ્રીના અંતિમ શ્વાસ સુધી. ‘પ્રબુદ્ધ જીવને' જે કાંઈ પ્રગતિ કરી એ શ્રેયના એઓશ્રી પૂરા અધિકારી છે.
૨૦૦૬માં પૂ. સાહેબના ગ્રંથોનું સંપાદન કાર્ય ગતિમાં હતું ત્યારે એ વિશે પ્રા. જશવંત શેખડીવાળાને ત્યાં પેટલાદ મારે જવાનું થયું. શેખડીવાળા સાહેબ પણ અનામી સાહેબના પરમ મિત્ર, અનામી સાહેબ માટે એમને ઊંડો આ અંકના સૌજન્યદાતા આદર, એ વખતે પેટલાદ જતાં વીણાબહેન સુરેશભાઈ ચોકસી પહેલાં હું વડોદરા અનામી સ્મૃતિ : સ્વ. સરસ્વતીબહેન સારાભાઈ ચોકસી
સાહેબના દર્શને ગયો.
પૂ. અનામી સાહેબ સાથેનું મારું એ પ્રથમ મિલન. પિતાથી વિશેષ વહાલ કર્યા જ કરે. પ્રોત્સાહન અને વ્હાલનો જાણે ‘નાયગ્રા' વહેતો હોય એવું સતત અનુભવાય. આપણો હાથ જોરથી પકડે, ઊંડા વ્હાલથી એવો દબાવે કે વાત્સલ્યની વિજળી વહેતી લાગે. જમવા તો બેસાડે જ, ભલે તમે જમીને આવ્યા હો. એઓશ્રીની સેવામાં રત પુત્રી રંજનબેનને એક પછી એક વસ્તુ લાવવા હુકમ કરે, અને ભલે તમને કેટલો બધો ડાયાબિટીસ હોય, પણ એમની સુખડી તો ખાવાની જ. સુખડીમાંથી તમે છૂટી ન શકો. સાહિત્ય અને સાહિત્યકારોની વાતો કરતા જ રહે, અને ખડખડાટ એવા હસે કે જાણે દેવલોકના કોઈ દેવનું નર્તન! વિદાય થઈએ ત્યારે ઝાંપા સુધી મૂકવા આવે અને ‘હવે ક્યારે આવશો ?' એવા ભાવ એ વાત્સલ્ય નીતરતી આંખોમાં દેખાય. આ પ્રસંગો મારા જીવનમાં ઉત્તમ શિલ્પની જેમ અંકિત થઈ ગયા છે.
એપ્રિલમાં અમારા પૂજ્ય દોશી કાકા ગયા એ શ્રદ્ધાંજલિના શબ્દોની મે મહિનાની શાહી હજુ તો સૂકાઈ નથી ત્યાં મે ૨૫મીના વિદ્યાપુરુષ અને ‘પ્રબુદ્ધ જીવન'ના ‘સ્ટાર’ લેખક ડૉ. અનામી સાહેબની વિદાય વિશે આ જૂનમાં શ્રદ્ધાંજલિ શબ્દો લખતા હું અપાર વેદના અનુભવું છું.
માતા પિતાની વિદાયથી આપણે છત્રહિન થઈ જઈએ, રાતોરાત આપણે ‘નાના’ લાડકાથી ‘મોટા’ થઈ જઈએ, પણ જ્યારે કોઈ વિદ્યાગુરુની વિદાય થાય ત્યારે તો જાણે આપણા ઉપરથી આકાશ જતું રહ્યું હોય એવી દિગ્મૂઢ અવસ્થામાં આપણે ઊભા રહી જઈએ.
‘પ્રબુદ્ધ જીવન’ના વાંચન દ્વારા વર્ષોથી પૂ. અનામી સાહેબનો મને શબ્દ પરિચય હતો. વિદ્યાજગતમાંથી એમના વિશે ઘણી ઘણી વાતો સાંભળીને દિન-પ્રતિદિન એમના વિશેનો અહોભાવ વધતો ગયો હતો. અમારા સાહેબ પૂ. રમણભાઈના એઓ ખાસ સ્નેહી-મિત્ર, એઓ વડોદરા જાય ત્યારે અનામી સાહેબને અચૂક મળે જ મળે, ૨૦૦૫માં સાહેબે પોતાનું છેલ્લુ પુસ્તક જેમાં વિદ્વાન સાહિત્યકારો, ચિંતકો, સમાજસેવકો અને સાધકોના જીવનચરિત્રો છે એ ‘વંદનીય હૃદયસ્પર્શ' અનામી સાહેબને અર્પણ કર્યું હતું. આ નિકટ હૃદય સંબંધને કારણે પૂ. સાહેબ અનામી સાહેબની ઘણી ઘણી વાતો મને કહે. એટલે પૂ. અનામી સાહેબને મળવા હું ખૂબ જ ઉત્સુક હતો. પણ સમયનો મેળ ખાતો ન હતો. પ્રસંગનો જન્મ કાળ પાકે ત્યારે જ થતો હોય છે. આપણો અધિકાર તો માત્ર ઈચ્છાઓ કરવાનો.
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૦૯ અમારી વચ્ચે પત્ર વ્યવહાર તો નિયમિત થતો. એમના ઉષ્મા હાઈસ્કૂલમાં મેટ્રિક પાસ થયા, મેટ્રિક પછી આજીવિકા માટે કલકત્તા અને પ્રોત્સાહન ભર્યા પત્રો પામવા એ પણ એક લ્હાવો હતો. દોઢ બે વર્ષ થોડું કામ કર્યું. ૧૯૩૮માં અમદાવાદની ગુજરાત મારી પાસે એમના લગભગ ૫૦ થી પણ વધુ અપ્રગટ લેખો કૉલેજમાં ભણવાનું શરૂ કર્યું, અને ૧૯૪૪માં એમ.એ. બી.ટી. પ્રકાશન માટે પડ્યાં છે, કારણ કે દર મહિને એકાદ-બે નવા લેખો અને “મલયચંદ્ર કૃત સિંહાસન બત્રીશી', ઉપર ૧૯૫૬માં પીએચ.ડી. લખીને મને મોકલે જ. ‘પ્રબુદ્ધ જીવન” સિવાય એઓ ભાગ્યે જ સુધી અભ્યાસ કરી ડૉ. રણજિત પટેલ બન્યા. કોઈ સામયિકને લેખો મોકલે. ત્રણેક મહિના પહેલાં કોણ જાણે ૧૯૫૦ માં નડિયાદ આર્ટ્સ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. મને શું સૂઝયું કે એમના લગભગ ૨૮ લેખોની હસ્ત પ્રતો મેં અમારા પછી તો અધ્યાપન ક્ષેત્રને જ જીવન સમર્પિત કર્યું, અને એ જવાહરભાઈ પાસે કૉપ્યુટરમાં ઓપરેટ કરાવીને તપાસવા વિભાગમાં ઉત્તરોત્તર પ્રગતિ કરી, છેલ્લે વડોદરાની શ્રી મહારાજા મોકલી, જેથી કરીને મારી પાસે તેયાર મેટ૨ પડ્યું રહે. અનામી સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં ગુજરાતી વિભાગના વડા પ્રોફેસરના સાહેબે દશેક દિવસોમાં એ લેખો તપાસીને મને પરત કર્યા. દરજ્જા સુધી પહોંચી ત્યાં ૧૯ વર્ષ સુધી સેવા આપી. ૧૯૭૭માં તપાસેલું મેટર હું જોવા બેઠો તો જણાયું કે એમાંની ઘણી મુદ્રણ નિવૃત્ત થયા. ભૂલો સુધાર્યા વગરની હતી. મને તરત જ અંતરમાં સંદેહ થયો કે પૂ. અનામી સાહેબની વિદ્યા પ્રીતિ કરતાં વિદ્યાર્થી પ્રીતિ વિષેશ જરૂર આ ૯૩ વર્ષના ઋષિ પુરૂષને હવે શરીર સાથ આપતું નહિ હતી એવા આ ગુરુજન પોતાના વિદ્યાર્થીઓની બધી રીતે કાળજી હોય. તરત જ મેં ફોન કર્યો, અને મારો સંદેહ સાચો પડ્યો. એઓ રાખે, આર્થિક તકલીફ હોય તો એ માટે પણ પૂરતી સહાય કરે, હૉસ્પિટલમાંથી પાછા આવ્યા હતા, પણ અસ્વસ્થ હતા. મેં કહ્યું, ઉપરાંત પોતાના વિદ્યાર્થીને કારકિર્દી માટે પણ પૂરતું માર્ગદર્શન મારે ૩૧ મે અને ૧ જૂનના સામાજિક પ્રસંગે વડોદરા આવવાનું આપે, તેમજ એમના માટે જીવનસાથી પણ શોધી આપે. પૂ. અનામી છે, એટલે આપના દર્શને આવીશ. ગણતરીઓ કરવામાં માનવી સાહેબના એક તેજસ્વી વિદ્યાર્થિની ભારતી ભટ્ટ પોતાના લેખમાં કેટલી બધી ભૂલો કરી બેસે છે, અને આવી સ્વ-અર્થી ગણતરીઓને અનામી સાહેબને મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકે સંબોધીને લખે છે. કારણે અને બધું ભેગું કરવાની વાંછામાં અદૃશ્ય એવું કેટલું બધું “મારા પિતાશ્રીના મૃત્યુના સમાચાર મેં આપ્યા, અને વળતા પત્રમાં એ ગુમાવી બેસે છે એનું ભાન ત્યારે એને નથી થતું અને કુદરતના તેમણે લખ્યું “હવે તે સ્થાન હું લઉં છું.” સંકેતોને એ સમજી શકતો નથી. આ સત્યનો અત્યારે મને અહેસાસ પિતા બની જાય એવા આ ગુરુ જેને જેને પ્રાપ્ત થયા એ સર્વ થાય છે. મારે એ વખતે જ વડોદરા દોડી જવું જોઈતું હતું, મારા સંભાળી છે. એમના એક વિદ્યાર્થી ડૉ. ગોવિંદ સી. કાછિયાએ પિતાની આવી અવસ્થા હોત તો હું દોડી ન જાત? એક સાંજે અનામી સાહેબના જીવન અને સર્જન વિશે (‘અનામી વ્યક્તિ અને અચાનક મારા પરમ સ્નેહી અને પ્રબુદ્ધ જીવન'ના લેખક વાડમય') પીએચ.ડી.ની થિસિસનો દળદાર ગ્રંથ લખ્યો છે. અનામી શ્રી જિતેન્દ્રભાઈ શાહે મને ફોન ઉપર સમાચાર આપ્યા કે પૂ. અનામી સાહેબ કદાચ એક જ એવા જ સાહિત્યકાર હશે કે જેમની હયાતિમાં સાહેબનો આત્મા ૨૫ મી મેના જ આ ધરતી ઉપરથી વિદાય થયો. જેમના ઉપર પીએચ.ડી. નો ગ્રંથ લખાયો હોય. અનામી સાહેબના એવા સમાચાર મળ્યા ત્યારે મારી જાતને મેં ક્ષમા ન અપાય એવી ઘણાં વિદ્યાર્થીઓ ગુજરાત અને ગુજરાત બહાર ભારતમાં આજે ગુનેહગાર ગણી. ‘એક પંથ ને દો કાજ' કરવા જવામાં હું ક્યાંયનો ઉચ્ચ કક્ષાએ બિરાજ્યા છે. સાહિત્ય અને અધ્યાપન ક્ષેત્રની ભાગ્યે ન રહ્યો! કેવા પૂનિત દર્શનથી હું વંચિત રહ્યો? મારા હાથમાંની જ કોઈ એવી વ્યક્તિ હશે જે એમની સુવાસને મહાણવા સદ્ભાગી ટિકિટો ફાડી નાંખવાનું મન થયું.
બન્યું ન હોય. | ‘અનામી' તો એમનું સાહિત્ય નામ, તખલ્લુસ હતું. બાળપણનું ગુજરાતી સાહિત્યના ગદ્ય-પદ્ય ક્ષેત્રે અનામી સાહેબનું સર્જન નામ રણછોડ હતું, પણ કોઈ તત્ત્વજ્ઞ વિદ્યાપુરુષે બાળપણમાં જ વિપૂલ. કવિતા એમનો પ્રાણ. ઉપરાંત વાર્તા, નાટક, વિવેચનો એમને જોઈને એમના પિતાને કહ્યું કે આ બાળક જીવનના કોઈ અને લલિત નિબંધોની સંખ્યા પણ મોટી. “કાવ્ય સંહિતા', ‘રટણા', પણ “રણ”ને ‘છોડે” એવો નથી, અને “રણજિતી'ને જ આગળ વધે ‘અનામી ભક્તિ સુધા', ‘આપણી વાત', ‘શિવમ્', ટાગોરનું “જીવન એવો છે, એટલે “રણજિત' નામ પાડો, એટલે શાળા રજિસ્ટરમાં કવન' વગેરે લગભગ ૨૫ થી વધુ પુસ્તકો અને ૨૦૦ થી વધુ નામ નોંધાયું રણજિત.
અભ્યાસ લેખોનું સર્જન. અનામી સાહેબ પિંગળ શાસ્ત્રના અદ્ભુત આ પૂ. રણજિત પટેલના પિતાશ્રી મોહનલાલ પટેલ ગાંધીનગર જ્ઞાતા હતા અને છંદ પ્રેમી હતા. એમના કાવ્યોમાં આત્મભાવ, પાસેના ડભોડા ગામના, વ્યવસાય ખેતીનો, આપણા રણજિત- અનંત સાથેનું એકત્વ, ભાવની અલૌકિક અનુભૂતિ અને મન ભાઈનો જન્મ ૨૬ જૂન, ૧૯૧૬. ચાર સંતાનોમાંના રણજિતભાઈ પ્રદેશની અનંત ચેતનાની અભિવ્યક્તિ છે. એમાંની ઘણી કૃતિઓને એક. પ્રાથમિક શિક્ષણ આ ડભોડા ગામમાં જ, પછી કડી ગામે એવોર્ડ પ્રાપ્ત થયા છે. એવા એમના આ સત્ત્વશીલ અને માતબર આગળ અભ્યાસ કરવા ગયા, ચરોતરની વિખ્યાત ડી. એન. સર્જનોથી ગુજરાતી સાહિત્ય સૃષ્ટિ ધન્ય બની છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૫.
આ સત્ત્વશીલ સર્જક, વિદ્યા પ્રચારક અને સમાજ સેવક અનામી શિસ્તના આગ્રહી, જીવનમાં નિયમિત, અને વિદ્યા પ્રાપ્તિ માટે એવા સાહેબને સાહિત્ય જગત અને એમના સમાજે ઊંડા આદરથી ચાહ્યા અંતિલા કે સમયસર થિસિસ પૂરી કરવામાં એટલાં બધાં ઉજાગરા છે અને “સંસ્કાર એવોર્ડ', “કમળાશંકર પંડ્યા સાહિત્યકાર એવોર્ડ', કર્યા, ખાવા-પીવામાં અનિયમિત રહ્યાં છે પરિણામે એસીડીટી અને સુવર્ણ ચંદ્રકો વગેરેથી વિભૂષિત કર્યા છે. એક સન્માન સમારંભમાં અલ્સરનો ભોગ બન્યા, જે રોગે એમને જીવનના અંતિમ શ્વાસ એઓશ્રીએ કહ્યું હતું, “આ દુનિયા અને દુનિયાના માણસો મને સુધી સતાવ્યા. એટલા બધા સારા લાગે છે કે હજુ મને આ ઉંમરે મરવાનું મન થતું ઉર્દૂ સાહિત્યના બાદશાહ નટવર ભટ્ટ મારા જૂના મુરબ્બી મિત્ર. નથી.’ સારા માણસોને બધા સારા જ લાગે. જગતને ચાહનાર આ મુંબઈ છોડી નટવરભાઈ વડોદરા સ્થાયી થયા, અને વડોદરે અનામી બંદાને લાખો સલામ કરવાનું મન થાય છે.
સાહેબને ત્યાં એમની મહેફિલ જામે, આ બધી વાતો નટવરભાઈ સ્વાતંત્ર સેનાની, સંપૂર્ણ ગાંધીવાદી અને ખાદીધારી આ મને ફોનમાં કહે. અનામી સાહેબના દેહવિલય બાદ એમના ઉદ્ગારો શિવભક્ત અનામી સાહેબ કુટુંબ વત્સલ પણ ઘેઘૂર વડલા જેવા. હતાઃ પત્ની લક્ષ્મીબહેન અનામી સાહેબ જેટલા ડીગ્રીધારી નહિ, છતાં અજબ તેરી અનામી સૂરત, એમનું સમજભર્યું દામ્પત્ય જીવન કવિ ન્હાનાલાલ અને માણેકબા નઝર સે ગિર ગયે સબ ખૂબસૂરત. જેવું મધુર પ્રસન્ન હતું. લક્ષ્મીબહેન પોતાની છેલ્લી અવસ્થામાં અનેક જિસ હસ્તિ કી “અનામી સે મુલાકાત હુઈ હૈ, બિમારીથી ઘેરાઈ ગયેલા ત્યારે અનામી સાહેબે પ્રેમળ પત્નીની એક વહ ઇન્સાન મહોબ્બત કે પયગંબર સે મિલા હૈ. પિતા-મિત્રની જેમ સેવા કરી હતી. મોટા માણસના જીવનની આ આવા અનામી સાહેબના પરિચયમાં જે વ્યક્તિ એક વખત આવે, મહાન ઘટના. ૨૦૦૨માં લક્ષ્મીબહેન આ જગતમાંથી વિદાય થયા એ એમનો થઈ જાય. એ “માણસને ઝંખતો માણસ હતા'. સંપર્કમાં પછી અનામી સાહેબે પોતાના જીવનને પહેલાંની જેમ જ પ્રવૃત્તિથી આવેલી વ્યક્તિ સાથે પોતાના હૂંફાળા પત્રો વરસાવીને સંબંધની ધમધમતું રાખ્યું અને કુટુંબીજનો પણ એવા સંસ્કારી કે પુત્ર નાડી ધબકતી રાખે. “પ્રબુદ્ધ જીવન'ના એમના લેખો દ્વારા એમની રસિકભાઈ અને પુત્રવધૂ ઇન્દુબહેનની પાસે ગ્રીન કાર્ડ હતું, એમના સાથે ઘણાંના નવા નવા પરિચય થાય, એમાંના એક મારા મુરબ્બી પુત્રો અમેરિકા સ્થાયી થયા હતા છતાં એ દંપતી અમેરિકા ન ગયું મિત્ર સમાજ સેવક અને સાચા શ્રાવક સી. કે. મહેતા વડોદરા જાય અને પિતા અનામી સાહેબની સેવામાં તત્પર રહ્યાં, એટલું જ નહિ ત્યારે અનામી સાહેબને મળે જ, અને એ બધી વાતો મહેતા સાહેબ સાસરવાસી પુત્રી રંજનબહેન તો છેલ્લા અઢી ત્રણ વર્ષથી મને ફોન ઉપર ઉષ્મા અને હોંશથી કરે. એવી જ રીતે બેંક ઑફ સાસરિયાથી દૂર પિયરમાં પોતાના પિતાની સેવામાં ખડે પગે રહ્યા, બરોડાના પૂર્વ ચેરમેન મારા વિદ્વાન મિત્ર ડૉ. એ. સી. શાહ જેમની તે છેક અનામી સાહેબના અંતિમ શ્વાસ સુધી. અનામી સાહેબનો આત્મકથાના પુસ્તકનું અનામી સાહેબે વડોદરામાં વિમોચન કર્યું ૯૧મા વર્ષમાં પ્રવેશ થવાનો હતો ત્યારે અમેરિકા સ્થિત પૌત્ર હતું, એઓ અને એમના ધર્મપત્ની કોકિલાબહેન પણ અહોભાવથી મલયે દાદાના ૯૧ વર્ષ પ્રવેશ વખતે અમેરિકામાં બેઠા બેઠા અહીં અનામી સાહેબની વાતો મને કરે – આવા ભર્યા ભર્યા હતા અનામી એક Surprise સંમેલનનું આયોજન કરી દાદાને અચંબામાં નાખી સાહેબ. દીધાં હતા. બે પુત્રો, એક પુત્રી અને પોત્રો, દોહિત્રોનો આજે નટવરભાઈની જેમ જ વડોદરાના બીજા મારા મિત્ર જિતેન્દ્રભાઈ લગભગ ૨૫ વ્યક્તિઓનો હિલ્લોળતો અનામી સાહેબનો પરિવાર એ. શાહ જેમણે ડો. એ. સી. શાહની અંગ્રેજી આત્મકથા Brick by અનામી સાહેબના સંસ્કાર સિંચનની બાંગ પોકારે છે. સમાજ અને Brickનો ગુજરાતી ભાવાનુવાદ કર્યો હતો અને ‘પ્રબુદ્ધ જીવનમાં જીવન બન્ને ક્ષેત્રે સફળ એવી વ્યક્તિ ભાગ્યે જ જોવા મળે. કુટુંબને છપાયેલો – એનું નિમિત્ત પણ અનામી સાહેબ. આ જિતેન્દ્રભાઈ પ્રેમની સંપત્તિ વારસામાં આપી જનાર અનામી સાહેબ આવા સાથે મારે અનામી સાહેબ વિશે ઘણી વાતો થાય. જિતેન્દ્રભાઈએ અનામી, નામી હતા.
વડોદરાથી બેંગલોર સ્થળાંતર કર્યું ત્યારે એમના ઉપર અનામી એઓ કહેતા, “માતા-પિતા અને ગુરુની સેવા કરો તો બીજી સાહેબે લખેલા બે પત્રોના અંશો અહીં પ્રગટ કરું છું. કોઈ જાત્રા કરવાની જરૂર નથી.' એમની કવિતામાં એક જગ્યાએ એમણે ગાયું છેઃ
વડોદરા-૭, તા. ૯-૮-'૦૭ મને હવે ક્યાંય કશાનો રંજ નથી,
પ્રિય ભાઈ, કોણ આવ્યું ને કોણ ગયું, વળી.
..ગાંધીજીએ અને જૈનોએ એને અપરિગ્રહ કહ્યો, અત્યારે એને કોણ રહ્યું ને કોણ વણ રહ્યું,
'Small is beautiful' કહે છે. ઝાઝે ગુમડે ઝાઝી વેદના. હા, હવા, સ્વપ્નેય એનો અફસોસ નથી.
પાણી, અન્ન, વસ્ત્ર, આરોગ્ય અને શિક્ષણ વિના ન ચાલે; આટલું અનામી સાહેબ સ્પષ્ટ વક્તા, આખાબોલા પટેલ ભાયડા, મળે પછી ઝાઝાના ઓરતા કે ધખારા એ દુઃખી થવાનાં રાજમાર્ગ.
Page #6
--------------------------------------------------------------------------
________________
૬
તૃષ્ણા તરૂણી કદાપિ વૃદ્ધ થતી નથી. ઓછામાં ઓછી વસ્તુઓથી જે ચલાવી શકે તેને બાદશાહી. પછી તે ચીમન બાદશાહ હોય કે સમ્રાટ અશોક હોય ! મને ૯૨મું ચાલે છે. પુરાણું અલ્સર તો છે...હવે જઠરાગ્નિ સાવ મંદ પડી ગયો છે. ખવાય એકદમ અલ્પ; એ પણ પચે નહીં એટલે અશક્તિ આવે. આ બધી નિયતિની નોટીસો છે જે અમુક અવસ્થાએ દરેકને મળવાની. એમાં અપવાદ કે પ્રૉક્સીનો અવકાશ નથી.
અનામીના જય શિવ.
(૨)
પ્રબુદ્ધ જીવન
પ્રિય ભાઈ જિતેન્દ્ર તથા અ. સૌ. ચિ. નીલા
તમારું તા. ૨૬-હનું અંતર્દેશીય તા. ૧-૧૦ના રોજ મળી ગયું. છે. સારા સામયિક માટે લેખ લખવાનો તમારો સંકલ્પ શ્રેષ્ઠ છે. હંમેશાં કંઈક ને કંઈક વાંચવું-લખવું-Creative રહેવું. કલાપીએ ગાયું 'જીવીશ તો કેવળ પુસ્તકોથી.’ હરીન્દ્ર દવે કહેતાઃ 'લખાય છે એટલે જીવાય છે.'
'દિ' અંજળ ખૂટવાનો આવ્યા,
દિ' અહીંથી ઊઠવાના આવ્યા
સંબંધે જે સીવ્યો મુજને
તે ટાંકા તૂટવાના આવ્યા.
તા. ૨-૧૦-’૦૮
બુદ્ધિવૈભવ વધે એટલી વધારો - બીજો વૈભવ ભલે સ્થિર રહે ! તમારે ત્યાં બેંગલોરમાં નામી ઘણાં છે, અનામાં નથી તો અમારે અહીં‘ઇન્દ્રો’ની કંઈ કમી નથી – કેવળ એક જિતેન્દ્રની જ ખોટ વરતાય છે! એક એક દિવસ જાય છે તેમ તેમ લાગે છે
દિન પ્રતિદિન હેડીના ભેરુઓ પ્રેમગાંઠ તોડીને હાલ્યા જાય છે. બૈરુ વિના કોની સાથે રમવાનું ?’
જીવન સંકેલાઈ જશે એની આગાહી આ ઋષિ પુરુષને થઈ ગઈ હતી એની પ્રતીતિ એમના જ શબ્દોમાં આપણે અનુભવી. સૌના સાહિત્ય ભેરુ ‘અનામી' હવે રમવા ક્યાં ગયા ?
ખરેખર એ તો મુક્ત થયા. પણ વડોદરામાંથી એક વડલો જ મૂળ સાથે ઉખડી ગયો. હવે વડોદરા અને અન્ય પ્રાંતના સાહિત્યકારો, મિત્રો, સ્વજનો અને સંબંધીઓ કઈ ડાળે બેસશે ? કઈ હૂંફાળી વડવાઈને વિંટળાશે ?
જેમણે શિક્ષકત્વને શોભાવ્યું છે, જે કર્મને જ જીવનનો મર્મ સમજ્યા હતા એ અજાતશત્રુ, સર્વમિત્ર, ‘પાટીદાર શિરોમણિ' (આ શિરપાવ એમના પાટીદાર મહા અધિવેશને આપ્યો હતો. ગુજરાતના આકાશવાણી કેન્દ્રો ઉપરથી સતત સાંઠ વર્ષ સુધી જેમની સાહિત્યવાણી ગુંજતી રહી - (અનામી સાહેબના પરિવારને વિનંતિ છે કે સાહેબની પ્રથમ પુણ્યતિથિએ એ આપણને સાહેબના સ્વરની
જૂન, ૨૦૦૯
સી.ડી. અને સાહેબના પર્યાનો સંપાદિત સંપૂટ આપે) એવા સૌરભના સાગરસમા, સત્યમ્ શિવમ્, સુન્દરમુના આરાધક આ ખરા માણસ પૂ. અનામી સાહેબ દેહથી બિછડી ગયા!!
મારી ફાઈલમાં એમના પચાસ લેખો ધબકે છે, જે પચાસ મહિના સુધી તો 'પ્રબુદ્ધ જીવન'ના વાચકોના હૈયે ચંપાશે જ – ગયા તો ય અનામી આપણી વચ્ચે જ રહેશે, આપણું કેટલું મોટું સદ્ભાગ્ય! એવા અનામી તખલ્લુસ ધર્યું. ‘અનામી' અ - નામી તમે, ‘અનામી' નામે નામી ખરા તમે,
દુન્યવી દુઃખોની બાંધી નનામી,
ચિર નિદ્રામાં અહીં પોઢ્યો અનામી.
અનામી સાહેબ તમને અલવિદા કેમ કહેવાય? તમે ક્યાં
બિછડ્યા છો? અમારામાં ધબકી રહ્યા છો, ધબકતા રહેવાના જ.
નટવરભાઈ! હવે એક શે'ર સંભળાવો, અનામી સાહેબ ભોખા મોઢે, ખડખડાટ હસતા, ૯૩ની કરચલીઓને તંગ કરતા તમને 'વાહ' કહેશે, એ ધ્વનિમાં આપણી 'આહ' તો ક્યાંય ઓગળી જશે. -ધનવંત શાહ
માળામાં ૧૦૮ મણકા જ કેમ ? : જૈત ધર્મ પ્રમાણે મૂળ લેખકઃ કટારિયા અશોકકુમાર જૈન અનુવાદક : પુષ્પા પરીખ
૧. અરિહંતના ૧૨ ગુણ, સિદ્ધ ભગવાનના ૮ ગુણ, આચાર્ય ભગવંતના ૩૬ ગુજા, ઉપાધ્યાય ભગવંતના ૨૫ ગુણે તથા સાધુ ભગવંતના ૨૭ ગુણ હોય છે. આ હિસાબે ૧૨+૮+ ૩૬+૨૫+૨૭= એકંદરે૧૦૮ ગુણ પરમેષ્ઠીના હોવાના કારણે માળામાં ૧૦૮ મણકાની માન્યતા છે.
૨. જ્યોતિષશાસ્ત્રના હિસાબે ૨૭ નક્ષત્રો છે અને પ્રત્યેક નક્ષત્રમાં ચાર વિભાગ છે જેનો ૨૭ સાથે ગુણાકાર કરવાથી ૧૦૮ વિભાગ થાય છે.
૩. આ નક્ષત્રોના આધારે જ બાર રાશિઓનો ઉદ્ભવ થયો છે. દરેક રાશિમાં ૯ અશો સમાયેલ છે જેના થકી આપણને નામાક્ષરનું જ્ઞાન થાય છે, તથા ગ્રહદશાનું પણ અધ્યયન કરવામાં આવે છે. આ હિસાબે બાર રાશિઓના પણ ૧૦૮ અસરો થાય છે.
૪. સમસ્ત દૃષ્ટિએ ઓમને બીજ મંત્ર ગણવામાં આવ્યો છે. આ ઓમનું નિર્માદા અ+અ+આ+ઉ+મ આ પાંચ અક્ષરોની સંધેિથી થયું છે. આ ઓમના પણ ૧૦૮ ગુણ ગણાય છે.
૫. તીર્થંક૨ અવતાર તથા પૈગમ્બરના પણ આ જગતમાં ૧૦૮ના નામ સ્મરણ રૂપ જાપ જપવામાં આવે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
શ્રીમત્ શંકરાચાર્ય-વિરચિત ‘મણિરત્નમાલા'માં સ્ત્રી
ડૉ. રણજિત પટેલ (અનામી)
પ્રબુદ્ધ જીવન
સ્ત્રીની પ્રશંસા-પ્રશસ્તિ ક૨વામાં ને નિંદા-બદબોઈ કરવામાં ધર્મશાસ્ત્રો ને સાહિત્યના કોઈપણ પ્રકારે બાકી રાખતી નથી. ‘નારી રત્નની ખારા' ને ‘નારી નરકની ખાણા’...તરીકે ગવાઈ-નિંદાઈ છે. વર્ષો પહેલાં મેં 'પંચતંત્ર'માં નારી સંબંધે એક લેખ 'પ્રબુદ્ધ જીવન'માં લખેલાં, હમાં શ્રીમદ્ શંકરાચાર્ય-વિરચિત 'મણિરત્નમાલા' વાંચતાં પુનઃ 'પંચતંત્ર'ની નારી યાદ આવી ગઈ.
પ્રશ્નોત્તરી રૂપે લખાયેલી ‘મણિરત્નમાલા ખંડ ૧૦માં અર્ધો ડઝનવાર નારી-નિંદા જોવા મળે છે..ને તેય શંકરાચાર્યને મુખેથી જેમને સાંસારિક બાબતોનો કશો જ અનુભવ નથી ને જેમનો જન્મ એક સાધ્વીન્નારીની કુખેથી થયો છે! મંડનમિશ્ર ને શંકરાચાર્યના વાદ-વિવાદની કથા તો આપણે જાણીએ છીએ ! ભલે એમને સાંસારિક–જીવનનો અનુભવ ન હોય પણ સમાજ-દર્શન ઉઘાડી આંખે ને જાગ્રત મનથી કર્યું હોય એટલે અને અધ્યાત્મયાત્રામાં અનેકોને નારી અવરોધરપ બનેલી દીઠી હોય તેથી અથવા પરંપરાથી પ્રાપ્ત થયેલી એક પ્રકારની રૂઢ પરિપાટીથી પણ આવો અભિપ્રાય દૃઢ થયો હોય
‘નારી નરકની ખાણ’ના સંદર્ભમાં આ પ્રશ્ન જુઓઃ
‘દ્વા૨ે કિમેકં નકસ્યું ?...નરકનું દ્વાર કયું ? તો ઉત્તર છેઃ ‘નારી’સર્વ કોઈને માટે અશક્ય છે.
(દ્વાર કિમેક નરકસ્ય! 'નારી'...મૂળ પંક્તિ).
સમાજમાં ‘મદિરાપાન’ નિંદનીય છે ભગવાન કૃષ્ણનો યદુવંશ મદિરાપાને મસ્ત-છાકો બનવામાં નાશ પામ્યો. માનિનીને મદિરાપાન સાથે સરખાવતો પ્રશ્ન છેઃ-સમ્મોહ થત્યેવ સુરેવ કા
ઉત્તર છે 'સ્ત્રી'.
અધમ યોનિ. ‘પિશાચિણી' શબ્દ ભÁનાજનક છે. જ્ઞાની કરતાં વિજ્ઞાની વિશેષ ને એથીય વિશેષ પ્ર-જ્ઞાની. તો પ્રશ્ન છે: જ્ઞાનીમાં પણ મહાન જ્ઞાની કોણ ? વિજ્ઞામહાવિજ્ઞનમો સ્તિ કો વા? તો ઉત્તર છેઃ 'નાર્યા પિશાચ્યા ન વંચિતોયઃ”...મતલબ કે જે નારીરૂપી પિશાચિનીથીષ ન વંચિતો....એટલે કે ઠગાર્તા નથી તે, એ જ પંદરમા શ્લોકમાં બીજો પ્રશ્ન છેઃ 'આ સંસારમાં પ્રાણીઓ માટે મોટામાં મોટી સાંકળ – બેડી કઇ?’ કા શૃંખલા પ્રાણ ભૂતાં ? તો એકાક્ષરી જવાબ છે, 'નારી'... નારી જ સંસારનું બંધન છે.
ખરેખર! નારી રહસ્યમયી છે. એને અત્યાર સુધી કોણ સમજી કે પામી શક્યું છે? ખૂદ નારી જ નારીહૃદયને પામી શકી હશે ? આઈ ડાઉંટ! અને આપણે પણ કહી શકીએ: Who knows his own?' એવું ક્યાંક વાંચ્યું છે. કોઈકે મહાત્મા ટૉલ્સટૉયને પ્રશ્ન પૂછ્યો-નારી અંગે સ્તો? એમનો જવાબ હતોઃ 'હું કાંફિનમાં પુરાઈશ ત્યારે જવાબ આપીશ.' મણિરત્નમાલાનો પ્રશ્ન છે: “જ્ઞાનું ન શક્યું ચ કિમતિ સર્વે.” મતલબ કે સો કોઈથી જાણી શકવું અશક્ય અને અસંભવિત છે તે શું ? તો જવાબ છેઃ “યોજિન્મો' ને વિશેષમાં 'રિત તદીયમ્' મતલબ કે સ્ત્રીનું મન અને તેનું ચરિત્ર જાણવું
આપણામાં કહેવત છેઃ ‘જર, જમીન ને જોવું, એ ત્રણ કજિયાનાં છોરું'...એ ત્રણનો લાધવથી બેમાં સમાસ કરવો હોય તો કહી શકાયઃ ‘કંચન અને કામિની.’ ‘મણિરત્નમાલા’માં પ્રશ્ન છેઃ ‘મિત્ર હેયં ?..મતલબ કે આ દુનિયામાં તજવા યોગ્ય શું છે? તો ઉત્તર કે છેઃ ‘કનકં ચ કાન્તા’...સુવર્ણ અને સ્ત્રી. કવિવર ન્હાનાલાલના ગીતની એક પંક્તિ છે...અર્થાન્તરન્યાસી સત્ય સમોવડઃ ‘કામ જીત્યો તેણે સંસાર જીત્યો.' કામદેવના બારોથી પણ જે વીંધાતો નથી તેના શોર્યની પ્રશંસા સર્વત્ર થાય છે. આ રત્નમાલામાં શૌર્ય- સમેત અન્ય બે ગુણોની પપ્રશસ્તિ કરવામાં આવી છે. પ્રશ્ન છેઃ-પ્રાજ્ઞોય ધીરથ સમસ્તું કો વા?' મતલબ કે આ જગતમાં પ્રાસ એટલે બુદ્ધિમાન અને ધીર.....સમદર્શી કોણ ? તો જવાબ છેઃ‘પ્રાપ્તો ન મોહં લલનાકટાક્ષેઃ...મતલબ કે જે કોઈ સ્ત્રીઓના નેત્ર કટાક્ષથી મોહિત થતો નથી તે પ્રાશ-ધીર છે.
પિશાચ એટલે અવગતિયો જીવ, પ્રેત...ભૂતપ્રેત જેવી એક હીન,
આ વિશ્વને ટકાવનારું કોઈ તત્ત્વ હોય તો તે વિશ્વાસ છે. વિશ્વાસઘાતીની ભર્જના કરતું નાટ્યસમ્રાટ શેક્સપિયરનું એક પાત્ર બોલે છેઃ 'યુ ટુ બ્રુટસ !' વિશ્વાસઘાત જેવું જધન્ય અન્ય કોઈ પાપ નથી. ભીરુ-ચંચલ પ્રકૃતિનું એ સંતાન છે. “ફ્રેઈલટી! ધાઈ નેઈમ ઈસ વુમન.' લગભગ આ જ ભાવની પ્રશ્નોત્તરી અહીં જોવા મળે છે. પ્રશ્ન છેઃ “વિશ્વાસપાત્ર ન મિસિસ ?” ઉત્તર છે, ‘નારી.’
વિશ્વનો પ્રત્યેક જીવ સુખ ઇચ્છે ને દુઃખથી દૂર રહેવા માગે છે. આપણને તો દુઃખનો વિચાર પણ દુઃખદ થઈ પડતો હોય છે. જ્યારે આ પ્રશ્નોતરીમાં તો સુખને ત્યજવાની વાત આવે છે. પ્રશ્ર છેઃ 'નાજ્ય આ સુખમ્ કિં?'...કોનું સુખ ત્યજવા યોગ્ય? ઉત્તર છે, ‘સ્ત્રિયમેવ’...એટલું જ નહીં પણ સમ્યગ્ મતલબ કે સર્વ પ્રકારનું... સર્વ પ્રકારથી.
રાણી પિંગલાને, ભર્તૃહરિને પણ-રાજવી કવિને સંસારની ભેખડે એવો ભીડાવી-ભટકાવી દીધો કે દ્વિધાવૃત્તિથી ગાવું પડ્યું:
‘ન જાને સંસાર કિમ વિષમયં ? કિમૃતમય ?
'આ સંસાર વિષમય છે કે અમૃત-ભય ?ન-જાને, હું જાણતો નથી. આવડો મોટો અનુભવાર્થી આવું વિધાન કરે તો પછી આપણું તો શું ગજું ? ‘મણિરત્નમાલા'નો પ્રશ્ન છેઃ
કિન્તદ્વિષં ભાતિ સુધોપમં ?...મતલબ કે એવું કયું વિષ છે જે
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૦૯
અમૃત સમાન જણાય છે? જવાબ છે: “સ્ત્રી'...મતલબ કે સ્ત્રી મહિલાઓ સ્મૃતિકાર હોત તો તેમણે પુરુષજાત માટે શું લખ્યું અમૃતમય-વિષ છે. ઉપરથી અમૃત, અંદરતી વિષ. આમ, “નારી હોત? સાહિત્ય વિશ્વમાં પુરુષષિણી નારીઓ નથી એવું પણ એમણે તું નારાયણી !' એ જ નારી નરકની ખાણ' થઈ ગઈ.
નરાધમ પુરુષો માટે આટલી બધી ભર્સના ને અંતિમ કોટિનું લખ્યું અધ્યાત્મની યાત્રામાં, નારી-ભીત-સાધકોને નારી સંબંધે જે નથી. વિશ્વામિત્રનું પતન થાય છે એમની કામુકતાને પાપે. સ્નાન કહેવું હોય તે કહે પણ કવિવર રવિન્દ્રનાથને મતે તો “માણસોની કરતી મહિલાઓ વ્યાસથી લજ્જિત થાય છે જ્યારે શુકદેવની સૃષ્ટિમાં નારી પુરાતન છે. નર સમાજમાં નારીને આદ્યશક્તિ કહી ઉપસ્થિતિની નોંધ પણ લેતી નથી. મારી ઉપર બળાત્કાર કરનાર શકાય. એ તે શક્તિ છે જે જીવલોકમાં પ્રાણને વહન કરે છે, પ્રાણનું કિન્નરો કે કિશોરો નથી હોતા..નરકના કીડા પુરુષો હોય છે. પુરુષો પોષણ કરે છે...માનવના સંસારને રચવાનું અને તેને બાંધી પર બળાત્કાર કરનાર નારીઓ કેટલી? અધ્યાત્મની રાખવાનું આદિય બંધન આ જ છે. બધા સમાજના, બધી સભ્યતાના યાત્રા-સાધનામાં નિજી અલ્પતા-અધૂરપોને કારણે માયાની મૂળ પાયા રૂપ જે સંસાર તે આ છે. સંસારનું આ મૂળ બંધન ન માયાને અતિક્રમવામાં નિષ્ફળ નિવડેલાઓ કેવળ સ્ત્રીને જ હોત તો માણસ આકાર પ્રકાર વગરની વરાળની પેઠે વીખરાઈ જાત; માયાવિની સમજી એની ભર્સના કરે છે બાકી અક્ષય રસનો જ્ઞાનિ સંહત થઈને ક્યાંય મિલનકેન્દ્ર સ્થાપી શકત નહિ. સમાજ બાંધવાનું કવિ અખો કહે છે તે પ્રમાણે તો:આ પહેલું કામ સ્ત્રીઓનું છે..અને જે ચિંતકો-સર્જકો એને “ઝીણી મળ્યા તે છાની છરી, મીઠી થઈને મારે ખરી, રહસ્યમયી કહે છે તેનો ખુલાસો કવિવર કરે છેઃ આદિ પ્રાણની વળગી પછી અળગી નવ થાય, જ્ઞાની–પંડિતને માંહ્યથી ખાય. સહજ પ્રવૃત્તિ નારીના સ્વભાવમાં રહેલી છે. એટલા માટે નારીના વળી જો કોઈને જ્ઞાન ઉપજે તો જ્ઞાની થઈને ભેળી ભજે, સ્વભાવને માણસે રહસ્યમય કહ્યો છે...ઘણીવાર અચાનક નારીના અખા જે હોય તજવા જોગ માયા તેનો જ કરાવે ભોગ! જીવનમાં આવેગનો જે ઉભરો જોવામાં આવે છે તે તર્કથી પર હાથે કંકણ ને અરીસામાં જોનારને, મુખડા કયા દેખો દર્યનમેં? છે-તે પ્રયોજન પ્રમાણે વિધિપૂર્વક ખોદેલા જળાશય જેવો નથી, સિવાય બીજું કહી પણ શું શકાય? તે ઝરણા જેવો છે જેનું કારણ તેના અહેતુક રહસ્યમાં રહેલું છે.” આ લેખ લખાતો હતો ને મુંબઈથી એક બહેન શ્રીમતી નારીને “અમૃત-મય વિષ' કહેનારાઓ એ નથી કર્યું હોતું મંજુલાબહેન મહેતા આવ્યાં. તેમણે આ લેખ વાંચ્યો. મેં એમનો અમૃત-પાન કે વિષપાન'. નારીને નારાયણી-રત્નની ખાણ પ્રતિભાવ જાણવા પૂછયું તો કહે: “મારે પુરુષો માટે કંઈ જ કહેવાનું કહેનારાઓએ એના સેવાનિપુણ માધુર્યના ઐશ્વર્યને પ્રમાણું હોય નથી...કહેવા જેવું તમે કહી જ દીધું છે. પણ મારે તો અદ્યતન નારી છે જ્યારે વિષપાન કરનારાઓએ કેવળ ચમારદૃષ્ટિએ એનો ઉપયોગ માટે કહેવાનું છે. વર્ષોથી હું અમેરિકા રહું છું. નારીનું આર્થિક કર્યો હોય છે. નારીને નારાયણી’ કે ‘નરકની ખાણ” કહેનારા સ્વાતંત્ર્ય સિદ્ધ થતાં ને પુરુષપ્રધાન સમાજનું આધિપત્ય ઘટતાં, લગભગ બધા જ સ્મૃતિકારો, સમાજશાસ્ત્રીઓ, કથાકારો કે લલિત- નારી પુરુષ–સમોવડ જ થઈ છે એમ નહીં પણ કેટલીક બાબતોમાં લલિતેતર સાહિત્યકારો પુરુષ જ છે. “ભદ્રંભદ્ર'ના લેખક શ્રી તો તે પુરુષથી આગળ નીકળી જવામાં “મને મહિલાજગતની રમણભાઈ નીલકંઠે, સમાજ સુધારાનું એક સુંદર નાટક લખ્યું છે. પ્રગતિ–ઉન્નતિ જણાતી નથી પણ આ આગળ નીકળી જવામાં મને રાઈનો પર્વત.’ તેમાં હળવાશથી તેમણે કહ્યું છે કે જો ઋતિકાર મહિલા જગતની પણ અધોગતિ જણાય છે. આપણી આર્યસંસ્કૃતિની કોઈ મહિલા હોત તો “સામ, દામ, ભેદ, દંડમાં એણે એક વધારાનો કેટલીક સુચ્છું વાર્તાને અભરાઇએ ચઢાવી, પશ્ચિમના બાબરા ભૂત મુદ્દો ઉમેર્યો હોતઃ “અશ્રુપાત'. “અશ્રુપાત પાંચમો લખાત. શાસ્ત્રમાં જેવા ભૌતિકવાદની વર્ય વાતોને રવાડે ચઢી છે. ભૌતિકવાદના નહીં.” રમણભાઈએ ભલે હાસ્યકારની અદાથી, હળવાશથી લખું નકલી પ્રકાશમાં એ અંજાઈ ગઈ છે. આપણી તંદુરસ્ત પરંપરાને બાકી પ્રબોધમૂર્તિ ગોવર્ધનરામે તો “સ્નેહમુદ્રામાં નારી-જાતિના સમજ્યા વિના કેવળ વર્તમાનમાં જ હાલતી ને રાચતી અદ્યતન શુભેચ્છક વકીલ તરીકે લખ્યું છે -
નારી આજે તો ભાવિનો વિચાર જ કરતી નથી. આ સ્થિતિ નરકની ‘નરજાત સુખી હશે અહીં કદી મહાલતી સ્વચ્છેદથી,
ખાણથી પણ બદતર હશે એવું મને લાગે છે. પણ નારીને રોયા વિના નહિ કર્મમાં, બીજું કંઈ” અને રાષ્ટ્રકવિ આજથી અર્ધી સદી પૂર્વે અમેરિકાની એમ.બી.એ.ની ઉપાધિ મૈથિલીશરણ ગુપ્તની પેલી પ્રસિદ્ધ પંક્તિઓ પણ યાદ આવે છે - મેળવનાર મારા પરમ મિત્ર શ્રી વિનુભાઈ પટેલે શ્રીમતી ‘અબલા જીવન હય તુમ્હારી યહી કરુણ કહાની,
મંજુલાબહેનના વિધાનને સમર્થન આપતાં, દિન-પ્રતિદિન સ્વકેન્દ્રી આંચલમેં હૈ દૂધ ઓર આંખોંમેં પાની.'
બનતા જતા ત્યાંના જીવનની અને અકરાંતિયા ભોગવાદની વાત મને એક વિચાર આવે છે. પુરુષોને બદલે જો મોટા ભાગની કરી. અઢાર અઢાર લાખ રૂપિયા આપીને અમેરિકા જનાર ત્રણ બહેનો
Page #9
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન (ચોપન લાખ રૂપિયા)ની તેમણે કરુણ કથની સુણાવી મને કહે કે બ્રહ્માંડમાં અંધકાર ને પ્રકાશ બંનેય છે ને બંનેય માટે છે તો એકનો તમો ગુજરાતમાંથી સીતા-સાવિત્રી જેવી નહીં તો ગાંધીજીનાં જ અંધકાર કેમ જોઈ શક્યા? પુરુષપ્રધાન સમાજમાં આવું બધું જ કસ્તુરબા, દરબાર ગોપાલદાસના ભક્તિબા, કવિવર ન્હાનાલાલના શક્ય છે.નારીને પણ પુરુષોના આથીય અધિક વિપરીત અનુભવ માણેકબા, શ્રીમતી પુષ્પાબહેન મહેતા જેવી એકસો બહેનોની યાદી થયા હશે પણ નારીએ પુરુષની આટલી નિંદા કરી જાણી નથી! આપો. એમનો કહેવાનો આશય એ હતો કે નારી નરકની ખાણ જીવનની કઈ અવસ્થાએ જગતને ને પુરુષને નારી વિના ચાલ્યું છે? નથી, બધી જ નારીઓ ખરાબ હોતી નથી પણ આજકાલ ભૌતિકવાદ અને નારીને જાણવાની વાત કરનાર પુરુષ પોતાની જાતને જાણી માઝા મૂકી છે ને અદ્યતન નારી તેમાં અંજાઈ જાય છે-અમેરિકાના શક્યો છે? કાગડા બધે જ કાળા કહેવાને બદલે ઋજુ ભાષામાં ડોલરિયા-સ્વર્ગમાં રહેલા નર્કને જોઈ શકતી નથી, બાકી નારી તો કહું તો કાળા ડિબાંગ આકાશમાં તારા બધા જ સરખા! ભર્તુહરિને આદ્યશક્તિ છે. ધારે તો એ વિનાશ સર્જે, ધારે તો સ્વર્ગ રચે. નારી રાણી પિંગલાએ ભેખડે ભરાવ્યો તો તોરલે જસલને સંસાર તરાવી એની નારાયણી શક્તિને સમજે એ એકવીસમી સદીનો મોટો પડકાર દીધો ને યશોધરાએ જગતને સિદ્ધાર્થ-બુદ્ધની ભેટ ધરી., નારી તો
માળાના દોર જેવી છે જે મોતી-મણકાને એક સેરમાં રાખી શકે દેવદાસીની પ્રથા ને દેહનો વેપાર કરવા માટે મજબૂર બનાવતી છે. રાજહંસની જેમ ક્ષીરનીરનો ભેદ પારખી ન શકનાર પુરુષો હોય ધાર્મિક-સામાજિક-આર્થિક પરિસ્થિતિ માટે નારી-જગત એમાં નારીનો શો દોષ? શ્રીમતી મંજુલાબહેનન મહેતા અને શ્રી જવાબદાર છે? પ્રબોધમૂર્તિ ગોવર્ધનરામે ‘સ્નેહમુદ્રા'માં લખ્યું: વિનુભાઈનો આક્રોશ અમુક અંશે સાચો છે પરંતુ તે તો બંને પક્ષ
‘નારીને રોયા વિના નહિ કર્મમાં બીજું કંઈ પણ.” “સાધનામાં માટે છે. આ સમયમાં બંધન કોઈને ગમતું નથી, બંધની જુદી જુદી સાહિર લુધિયાનવીએ સમગ્ર નારી-જગતનો પુણ્યપ્રકોપ ને આકરો વ્યાખ્યાઓ કરી, પોતાને અનુકૂળ કરી, સમાજના માળખાને આક્રોશ પુરુષપ્રધાન સમાજરચના પરત્વે આવા આગ-ઝરતા અસ્તવ્યસ્ત કરવાનો શિરસતો ચાલી રહ્યો છે ને આપણે લાચાર, શબ્દોમાં વ્યક્ત કર્યો છે:
મૂક પ્રેક્ષક બની રહ્યા છીએ; આમ છતાંયે “નારી રત્નની ખાણ' ને ઔરતને જનમ દિયા મર્દો કો,
નારી તું નારાયણી' કહેનારાઓ ઓછા આશ્વાસનરૂપ નથી જ. મર્દોને ઉસે બાજાર દિયા;
પૂ. બાપે કહ્યું છે. નારી ધારે તો જગતનો ઉદ્ધાર કરી શકે છે ને જબ જી ચાહા મસલા કૂચલા,
ધારે તો એનો સંહાર પણ કરી શકે છે. આપણે તો જગતના જબ જી ચાહા ધુત્કાર દિયા.'
માતા-પિતા એવાં પાર્વતી-પરમેશ્વરને વંદન કરીને પુરુષ-પ્રકૃતિ આ જ સાહિર લુધિયાનવીને પતિ તરીકે પામવામાં નિષ્ફળ બંનેયની ગરિમાને, એની યોગ્યતને સ્વીકારીએ. * * * નિવડેલાં વિદ્રોહી કવયિત્રી સ્વ-અમૃતા પ્રીતમ, મહાભારતના રસિકભાઈ રણજિતભાઈ પટેલ, C/12, નવદીપ એપાર્ટમેન્ટ, સારથિ બંગલોની કૌરવોનું દર્શન આજના માહોલમાં કરીને આક્રોશપૂર્વક પુકારી સામે, A-1, સ્કૂલ પાસે, મેમનગર, અમદાવાદ-૩૮૦૦૫૨. ઊઠે છેઃ
મોબાઈલ : ૯૮૯૮૧૬૯૦૬૯, આ જીન્દગીમાં પણ મેં એમને (કૌરવોને) ચોતરફ જોયા છે.
પૂજ્ય સાધુ-સાધ્વીજી યોગ્ય જાહેરાત નવી નવી ચોપાટ બિછાવતા; પણ મારું દર્દ એક સીમાને સ્પર્શી
' | પ. પૂ. આચાર્ય શ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજી દ્વારા લખાએલા અને શ્રી ગયું જ્યારે મેં જોયું કે સાહિત્યના નામે પણ તેઓ એક નવી ચાલ | |વિશ્વકલ્યાણ પ્રકાશન-મહેસાણા દ્વારા પૂર્વ પ્રકાશિત અને આચાર્યશ્રી ચાલવા લાગ્યા છે.’ દ્રૌપદીનું રૂપ લઈ અમૃતા સ્ત્રીઓને ઉદ્ધોધે કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા છે. ‘ઊઠ, જાગ, તું જ તો તારું સ્વમાન સાચવીશ. ન સમાજ, ન દ્વારા પુનઃ પ્રકાશિત શ્રી મહેસાણા ઉપનગર શ્વે. મૂ.પૂ. જૈન સંઘ-મહેસાણાના ધર્મ, ન પતિ, ન પિતા તારી આબરૂનું લિલામ થતું અટકાવશે, હું
સૌજન્યથી જ્ઞાનસાગર તથા સમરાદિત્ય મહાકથા ભાગ ૧ થી ૩ સર્વ મળીને જન્મ જન્મની દ્રોપદી, હું પાંચ તત્ત્વની કાયા, હું પાંચ તત્તવને પરણી
કુલ ચાર પુસ્તકો સાધુ-સાધ્વીજીને શ્રુત ભક્તિ સ્વરૂપે વિતરિત થનાર છે.
આપશ્રીને જે પુસ્તકોની આવશ્યકતા હોય તે માટે નીચેના સરનામે પત્ર છું.’ આવી ખુમારી નારી-નિંદાની કબર બની રહેશે.
આપના સંપૂર્ણ સરનામા સાથે લખી મંગાવવા વિનંતી. વડોદરાની અલકાપુરી સીનિયર સીટીજનશીપનાં પીઢ–પ્રોઢ
પુસ્તક મંગાવવાનું સરનામું: પ્રમુખ પ્રો. કોકિલાબહેન ચોકસીએ તો આ લેખ વાંચીને શંકાપ્રશ્ન
વ્યવસ્થાપકશ્રી કર્યો કે ખરેખર આ “મણિરત્નમાલા’ શંકરાચાર્ય-રચિત છે કે કોઈ આચાર્યશ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, અન્યની? મેં એમને ‘મણિરત્નમાલા'નો ૧૦મો ખંડ બતાવ્યો એટલે શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કહે: ‘આશ્ચર્ય તો એ વાતનું થાય છે કે શ્રીમદ્ શંકરાચાર્ય જેવા કોબા-ગાંધીનગર-૩૮૨૦૦૭, ગુજરાત. વિદ્વાન સંત, આચાર્યોના આચાર્ય સ્થિતપ્રજ્ઞ, કેમ ન રહી શક્યા? તા. ક. ગૃહસ્થો માટે ઉચિત મૂલ્યથી આ પુસ્તકો ઉપલબ્ધ છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૧on
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૦૯
કોંગ્રેસ જીતી, હવે શું?
કાકુલાલ છ. મહેતા.
૧૫મી લોકસભાની ચૂંટણીનું પરિણામ શું આવશે એ વિષે કુલ ૨૧૫ પક્ષોએ ભાગ લીધેલો તેની સામે આ વખતે સાત સકારણ ચિંતા સહુને હતી જેમાં સમાન્ય પ્રજાજન જ નહિ પરંતુ રાષ્ટ્રીય પક્ષો અને ચાલીશ સ્ટેટ પક્ષો ઉપરાંત ૯૮૦ માન્ય પણ મિડીયા ઉપરાંત બન્ને મુખ્ય રાષ્ટ્રીય પક્ષ અને બીજા બધા જ પક્ષોનો રજીસ્ટર્ડ નહિ એવા મળીને કુલ ૧૦૨૭ પક્ષોએ ભાગ લીધેલો સમાવેશ થાય છે. કિંતુ પરિણામ અણધાર્યું જ આવ્યું. કોંગ્રેસ સબળ જેને કારણે મતનું વિભાજન પ્રમાણ વધી જવાનો લાભ કોંગ્રેસને પક્ષ તરીકે ઊભરી આવ્યો. આ સફળતાનો યશ રાહુલને આપવામાં મળ્યો. આવે છે એમાં કેટલુંક તથ્ય જરૂર છે પણ બીજા કેટલાક વિપરીત આમ કોંગ્રેસ જીતી છે. પ્રજાના નકારાત્મક મતથી. ખરાબમાંથી કારણો પણ છે એને તપાસીએ.
જે પક્ષ ઓછો ખરાબ લાગ્યો તેને મત આપ્યો છે, આપવો પડ્યો • સપા અને રાજદએ કોંગ્રેસ જેવી રાષ્ટ્રીય સંસ્થાને યુપી અને છે બીજા સારા વિકલ્પના અભાવે અને વિશાળ પ્રમાણમાં બિહારમાં નગણ્ય જેવી પરિસ્થિતિમાં મૂકી દેવાની ગણત્રીએ સીટ મતવિભાજનને કારણે. આ દૃષ્ટિએ કોંગ્રેસની ઐતિહાસિક જીત વહેંચણીમાં જે શરમજનક ગણાય એવી મામુલી ઓફર કરવાની થઈ છે કે મતદાતાનો જબ્બર આદેશ મળ્યો છે એવો દાવો માન્ય મુર્નાઈ કરી તેના પરિણામે રાહુલને સ્વતંત્ર રીતે લડી લઈ થઈ શકે નહિ. કોંગ્રેસને ૩૮% જેટલી સીટ મળી છે. ચૂંટણી પૂર્વના કોંગ્રેસનું ગૌરવ જાળવી લેવાની તક ઊભી કરી આપી.પરિણામે યુપીએના જોડાણને પણ ૪૮% સીટ મળી છે. ઐતિહાસિક જીત કે મુસ્લિમ મતનું વિભાજન સપા, બસપા અને કોંગ્રેસ વચ્ચે થયું. મતદાતાના જબ્બર જનઆદેશની વાત એક ભ્રમ છે, એક કોંગ્રેસને અંદાજ ૧૦% મતનો લાભ થયો.
અતિશયોક્તિ અને મિડીઆ પ્રચારનો અતિરેક જ છે એમ માનવું • ચોથો મોરચો રચીને દગો રમીને સાથે હોવાનો દંભ પણ કર્યો. રહ્યું અને છતાં કોંગ્રેસ નાના નાના પક્ષના જબ્બર દબાણમાંથી દુશ્મનના દુશમન સાથે હાથ મિલાવીને ખેલ ખેલતા પણ ન બહાર આવી છે તે એક શુભ ચિહનો સ્વીકાર કરવો રહ્યો. પરંતુ આવડ્યું.
દબાણથી સ્વતંત્ર નથી જ. સાથી પક્ષોના જબ્બર દબાણનીચે જ • ત્રીજા મોરચાએ પરસ્પરના અવિશ્વાસ છતાં અને સફળતાની નહિ પણ બહારથી બીનશરતી ટેકો આપનાર પણ હકીકતમાં હાર્યા શક્યતા અને સુચારુ રાજ્ય સંચાલનની તૈયારી વિના, ખેલદિલી પછી ‘ભૂતની ચોટલી' પકડી રાખીને પોતપોતાનો સ્વાર્થ સાધી વગર હાથ મિલાવ્યા એટલું જ નહિ પણ પળેપળે દરેક પક્ષ જાહેરમાં મોકો મળે સોગઠી મારવાની રાહ જોતા રહેશે. કોંગ્રેસ પણ જાણે મંતવ્યો બદલતા રહ્યા.
છે એટલે સપા, રાજદ સાથે જૂના સાથી તરીકે કહીને મીઠો સંબંધ • ત્રીજા મોરચાનું નેતૃત્વ લેનાર માર્ક્સસ્ટોએ, પોતાનું સ્વતંત્ર જાળવી રાખે છે. સપા, રાજદ અને બસપનો બીનશરત ટેકો એમની સંખ્યાબળ કેટલું છે અને એમાં પણ અછત પડવાની ધારણા હોવા સામેના કોર્ટ કેસોમાં એમને રાહત આપશે. છતાં, નેતૃત્વ લેતા પહેલાં એ કેટલું અસ્વાભાવિક છે એનો પણ આ વખતની ચૂંટણીમાં ૫૪૩ સીટ માટે ૮૦૭૦ ઉમેદવાર ઊભા વિચાર ન કર્યો.
રહ્યા એટલે એક સીટ માટે સરેરાશ ૧૪.૮૬% ઉમેદવારે ભાગ • ત્રીજા મોરચાના મહારથીઓને જયારે પોતાનામાં કે અંદરોઅંદર લીધો. ૧૦૨૭ પક્ષોમાંથી આ વેળો ૩૮ પક્ષોના ૫૪૩ સભ્યો પણ વિશ્વાસ નહોતો ત્યારે પ્રજા એમના પર વિશ્વાસ કેમ મૂકે એ ચૂંટાયા છે જેમાં ઓછામાં ઓછો એક સભ્ય દરેક પક્ષમાંથી ચૂંટાયો પણ ન વિચાર્યું.
છે. બીજી રીતે વિચારીએ તો ૧૦૨૭ પક્ષોમાંથી ૯૮૯ પક્ષો ખાતું • રાષ્ટ્રીય પણ મધ્યમ કદથી પણ નાના કે રાજ્ય કક્ષાના પક્ષના ખોલાવવામાં નિષ્ફળ રહેલ છે. બધા જ નહિ તો પણ મોટા ભાગના નેતાઓ પણ પોતાની ક્ષમતાનો, અનુભવનો વિચાર કર્યા વિના ઉમેદવારોએ અનામત ગુમાવી છે. આ પણ એક આવકારદાયક પોતાની જાતને વડાપ્રધાન બનવા લાયક જાહેર કરવા લાગ્યા. પરિણામ છે. એથી આવતી ચૂંટણીમાં ઉમેદવારો ઓછા હશે અને ભૂલી ગયા કે “બડે બડાઈ નવ કરે, બડે ન બોલે બોલ, હીરા ખર્ચ અને કાર્યભાર ઓછો થશે એમ માની શકાય. પ્રશ્ન એ છે કે મુખસે ના કહે લાખ હમારો મોલ.”
આટલી બધી વ્યક્તિઓ ચૂંટણીમાં શા માટે ઝંપલાવે છે? એક કારણ • મુંબઈમાં શિવસેના અને મનસે વચ્ચે વહેંચાયેલા મતે કોંગ્રેસને એ જણાય છે કે બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષમાં લોકશાહી તંત્રનો અભાવ લાભ કરી આપ્યો.
છે. જે સત્તા ઉપર છે એમને સત્તા છોડવી નથી કારણ કે સત્તા એ • ૨૦૦૪ની ચૂંટણીમાં ૬ રાષ્ટ્રીય પક્ષો અને ૩૬ સ્ટેટ પક્ષો સહિત પૈસા બનાવવાનું સાધન છે. ૨૦૦૪માં ચૂંટાયેલા ઉમેદવારોએ
Page #11
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
૨૦૦૯ની લોકસભાની ઉમેદવારી કરતી વેળાએ જે મિલ્કતની જાહેરાત કરી છે તે બતાવે છે કે પાંચ વર્ષમાં એમની મિલ્કતમાં ૧૦૦% થી ૮૦૦ કે એથી પણ વધુ વધારો થયો છે. આમ જઈએ તો પક્ષોમાં લોકશાહી તંત્રના અભાવનું કારણ ઉમેદવારોની સત્તા જાળવી રાખવાની ભૂખ જણાય છે. એજ કારણે પક્ષમાં જેમને તક મળતી નથી કાં તો પોતાનો પક્ષ રચે છે કે પછી કોઈ પક્ષ સાથે છે જોડાઈને કે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે; પણ ધ્યેય સેવાનું નહિ બલ્કે પૈસા બનાવવાનું અને એમાંથી ઉપસ્થિત થતા બીજા લાો ઊઠાવવાનું જ રહે છે. બીજું વરવું કારણ એ કે ગમે તેવો મોટો કે હીન ગુનો કર્યો હોય તો પક્ષમાં જોડાવાથી તરત જ અને વર્ષો સુધી કદાચ કાયમ માટે રાહત મળી જાય છે. કોઈ આંચ આવતી નથી.
પ્રબુદ્ધ જીવન
એક વિશ્લેષણ એવું છે કે ૨૦૦૪ની સરખામણીમાં કૉંગ્રેસે આ વખતે અંદાજ ૨% જ વધારાના મત મેળવ્યા છે. બે મુખ્ય રાષ્ટ્રીય પક્ષો મળીને લગભગ ૪૮% મત મેળવે છે અને એમની વચ્ચેના વૈમનસ્યને લીધે કોઈ પક્ષને ૩૦-૩૫ થી વધારે મત મળતા નથી. મતાધિકારનો ઉપયોગ ૬૦% થી વધુ હોતો નથી એટલે ૩૫% જેટલા મન મેળવનાર પક્ષ પણ અંતે તો અંદાજ ૨૧% પ્રજાનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ભાગ્યમાં તમે માનો યા ન માનો, એમ નથી લાગતું કે ખુદ કોંગ્રેસને પણ અનઅપેક્ષિત એવું પરિણામ આવ્યું છે એ એક કુદરતની મહામૂલી ભેટ છે ? હું મહામૂલી ભેટ કહું છું કેમકે આ જે તક મળી છે એનો કેટલો સદુપયોગ કરીને એ જે
આગળ વધે છે એના ઉપર ભવિષ્યનો આધાર છે.
૧૭મી મેના પરિણામ આવ્યું અને ૧૮મે મેના રોજ સ્ટોક એક્સચેંજમાં ૨૧૧૧ પોઇંટો ઊછાળો આવ્યો અને ટ્રેડિંગ તે દિવસ પૂરતું બંધ કરવું પડ્યું. ઉદ્યોગપતિઓ અને સુખી સમાજે આ ઊછાળાને આવકાર્યો. પણ એવો વિશ્વાસ સામાન્ય વર્ગમાં અને વિશેષે ગરીબ વર્ગમાં જણાતો નથી. આ એક ગંભીર વિચારકાનો 'મુદ્દો છે. પ્રજાના મોટા ભાગની અપેક્ષા વિષે વિચારીએ.
ગરીબી : ઉદ્યોગોનો વિકાસ થયો છે. પ્રચૂર ધનસંપત્તિ પ્રદર્શિત થઈ રહી છે. ઉદ્યોગના વિકાસનો કોઈ વિરોધ નથી પરંતુ ધનવાન અને ગરીબ વચ્ચેની જે ખાઈ વધી રહી છે તેના ઉકેલનો કોઈ હોસ પ્રસ્તાવ નજરે ચડતો નથી. ઉદ્યોગના વિકાસમાં ગરીબી દૂર થશે એવો ખ્યાલ ખોટો છે. ૩૫ કરોડ જેટલી વસ્તી જ્યારે ભૂખમરા નીચે જીવતી હોય ત્યારે વિકાસના ફ્ળો ધીમે ધીમે ઝમીને વંચિત વર્ગ સુધી પહોંચશે એમ માનીને ચલાવી લઈ ન શકાય. આર્થિક રીતે સુખી છે તેને સરકારનો સહારો ન મળે તો પણ એમનો માર્ગ છે શોધી લેશે અને કદાચ નુકશાની પણ ભોગવવી પડે તો પણ એમની ટકી રહેવાની શક્તિ છે. ગરીબો માટે તો મૃત્યુનો જ સહારો છે.
૧૧
કલ્પના કરી કે ગરીબ અને અજ્ઞાન બધા જ ગ્રેજ્યુએટ થઈ ગયા છે. શું ઉદ્યોગો આ બધાને નોકરી આપી શકશે ? ઉદ્યોગનો પહેલો આશય તો એ હોય છે કે ઓછામાં ઓછા માણસોથી કામ ચલાવવું, કલ્પના છોડીએ, આવતા પાંચ વર્ષમાં કેટલા ગ્રેજ્યુએટ બહાર આવશે ? એમને બધાને શહે૨માં નોકરી મળશે ? આઉટ ઓફ બોક્સ યંગિની જરૂરત છે.
સંરક્ષા : ચારે તરફથી આતંકવાદ, નક્સલવાદ અને કાયદા કાનૂનના અભાવથી આપણને કોણ બચાવશે? આતંકવાદના બહારથી રચાતા કાવતરાનો તો અચિંત્તવો સામનો કરવો પડે પણ દેશમાંથી જ મળી રહેતા છૂપા સહારાને સિક્યુલારિઝમના ઠેકેદારો પહોંચી વળવાની હિંમત દાખવશે ખરા ? નક્સલવાદ એ આતંકવાદથી કાંઈક નિરાળો પ્રશ્ન છે. નક્સલવાદ ગરીબોને થતાં અન્યાય અને શોષણને કારણે ઊભો થયો છે અને એને એ દૃષ્ટિએ ન નિહાળતા કેવળ કાયદો અને ન્યાયનો પ્રશ્ન સમજી લેવાને કારણે એનો સતત ફેલાવો થઈ રહ્યો છે. સરકારની દૃષ્ટિ બદલાશે ?
શિક્ષણ : ઉચ્ચ શિક્ષણનું આર્થિક પાસું એટલું મોંઘું થઈ ગયું છે. કે પ્રજાના ભાગ્યે જ બે ટકા એનો લાભ ઊઠાવી શકે તેમ છે. સરકારી શાળાઓની વાત ન કરીએ એટલું જ બસ છે. સેવાભાવી સંસ્થાઓ શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રે સસ્તું અને ચારિત્ર ઘડતર કરે એવું શિક્ષણ આપે છે તેને સરકાર પ્રોત્સાહન આપે તો ઘણું સારું પરિણામ આવી શકે તેમ છે. સત્તાભૂખી સરકાર માની લીધેલા અધિકાર છોડવા તૈયાર થશે ?
સ્વાસ્થ્ય સેવા : શિક્ષણ બાબતની ઉપરની વાત સ્વાસ્થ્ય સેવાને પણ એટલી જ લાગુ પડે છે.
:
કાયદો અને ન્યાય ઃ ન્યાયની પદ્ધતિ એટલી વિલંબી અને ખર્ચાળ બની ગઈ છે કે સામાન્ય વ્યક્તિને એમાં વિશ્વાસ જ નથી રહ્યો. સંજોગોવશાત્ કોર્ટમાં જવું પડે છે તો મુંઝાઈને મરી જવા જેવી હાલત થાય છે. બ્રિટિશ સરકારે ઘડેલા કાયદા કાનૂન તો આપણા ઉપર રાજ કરવા માટે ઘડેલા. આઝાદીના છ દાયકા પછી પણ આપણે એજ કાયદાઓનું પાલન કરીએ છીએ અને એ રીતે આપણી માનસિક અને બૌધિક ગુલામીનું પ્રદર્શન કરી રહ્યા છીએ એમ નથી લાગતું ? સરકારે મા ચીફ જસ્ટિસ ઓરે ઇંડિયાના વડપણ હેઠળ એક કમિશન કાયદાઓની ફેરતપાસણી માટે નીમેલું. મોટા ખર્ચે અને લાંબા સમયગાળે તૈયાર કરેલો ચાર વોલ્યુમનો અંદાજે ચાર હજાર પાનાનો રીપોર્ટ આપેલો તે બીજા અનેક રીપોર્ટોની જેમ છાજલી ઉપર ધૂળ ખાય છે. આમાં જેટલા કાયદા સમયાંતરે નિરર્થક બની ગયા છે તેને દૂર કરવા ઉપરાંત જે સુધારા કરવાની જરૂરત છે તેના કારો સહિત શું ફેરફાર કરવા એ પણ સુચવેલું છે. પરિણામ શૂન્ય!!
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨
શું બદલાયું ? વિંટીમાંથી બુટી બની હેમનું હેમજ રહ્યું, કૉંગ્રેસ અને યુપીએ બન્ને માયનોરિટીમાં હતા, આજે પણ એમજ છે. વિરોધ પર્ણો સરકારની વિરોધમાં હતા, આજે પણ એમજ છે. દબાણ ત્યારે હતું આજે પણ છે અને રહેવાનું, રીત ભલે જૂદી હોય, આર્થિક કે દેશવિદેશ નીતિ જે હતી તેજ રહેવાની. ઘણું બદલાવા છતાં કાંઈ જ નથી બદલાયું.
પ્રબુદ્ધ જીવન જૂન, ૨૦૦૯ ક્રમાીના સાધનો બની ચૂક્યા છે. કહેવાતા વૈજ્ઞાનિક દેશોના આંધળા અનુકરણને આપણે પ્રગતિના સોપાન સમજી રહ્યા છીએ, બધા જ ક્ષેત્રોમાં જીવનનું કોઈ મહત્વજ નથી રહ્યું. પૈસો, પૈસો, પૈસો અને પૈસો એ રાજકારણ તરફથી આપણને ભેટ છે. મરો ત્યાં સુધી દોડી અને દોડતા જ રહો પૈસા પાછળ. કહેવાતા કાળા નાણાંના સર્જનનું શિક્ષણ પણ આપણને આમાંથી જ પ્રાપ્ત થાય છે. સિદ્ધાંત વિહોણું રાજકારણ એટલે ભ્રષ્ટાચાર.
છેલ્લે એટલું જ કહેવું છે કે આપણા જીવનને અને આપણા વારસદારોને સરળ અને સુખી બનાવવાનું આપણે જાતે જ કરવાનું જ છે. કોઈ સરકાર એ કરી આપવાની નથી. રાજકારણે આપણા જીવન ફરતે ભરડો લીધો છે એમાંથી જાતે જ મુક્ત થવા પ્રયત્ન પણ આપણે જ કરવાનો છે, સ્વતંત્રતા જાતે જ મેળવવાની છે. શોષા વગર કોઈ સત્તાધારી બન્યું નથી, બની શકે પણ નહિ *** (વાચકોના પ્રતિભાવ આવકાર્ય
૧૭૦૪, ગ્રીન રિડ્ઝ ટાવર-૨, ૧૨૦ લિંક રોડ, ચિકુવાડી, બોરીવલી (૫), મુંબઈ-૪૦૦ ૦૯૨. ફોન: (૦૨૨) ૨૮૯૮૮૮૭૮, ચમત્કાર
મિત્રો, જે બદલાણું છે તે આ છે. મહેનત વગર અઢળક લક્ષ્મી સામેથી દોડીને મળવા આવે એવો વ્યાપાર એજ રાજકારણ. ચારિત્ર ઘડતરનું સાધન હતું જે શિક્ષા તે બની ગયું ક્રમાીનું સાધન. કહેવત છે ‘ઉત્તમ ખેતી, મધ્યમ વ્યાપાર, કનિષ્ટ નોકરી' એ નોકરી સોનાની બેડી બનીને નવી પેઢીને ગુલામ બનાવી રહી છે. એક યંત્રના સંચા બનીને સવારથી સાંજ નહિ પણ રાત સુધી વિચારવિહોણું જીવન જીવવા લાચાર બનાવી રહી છે. જીવનની સાર્થકતા જેમાં સમાયેલી છે તે શિક્ષણની સાથે સ્વાસ્થ્ય જાળવવાની પ્રણાલી આજે રોગ અને હૉસ્પિટલ દ્વારા દવાઓના અનેક પ્રકારના એનેલાયસિસ અને ઓપરેશનો દ્વારા વર્ષો વર્ષે વધતી જતી ચાદરનો હરજીવન થાનકી
વણક૨ કબીરની આખી જિંદગી આ ચાદર વણવામાં જ પસાર થઈ ગઈ. તેમી હિંદુઓના તાશા અને મુસલમાનોના વાકાં વણીને એક સુંદર ચમત્કારિક ચાદર વણીને આપણને ભેટ આપી હતી.
તેને મેલી (Dirty) કોણે કરી? શા માટે કરી? એ વિષે વિચારવાનો સમય આવી પહોંચ્યો છે! આ રાજકારણ (Politics) કઈ બલાનું નામ છે ? કબીરજીની ચમત્કારિક ચાદરને મારા નમસ્કાર!
આપણાં ભક્ત કવિ, હરિ ઓમ શરણ ગાય છેઃ
ખેલી ચાદર ઓઢકે હૈસે, દ્વાર તુમ્હારે આ...! હે પરમેશ્વર! મૈ, મન હિ મન શરમા...!!
આ આપણી જીવન ચાદરને મેલી કરનારા પરિબળોને ઓળખવા-પારખવા રહ્યાં, કે જે આપણાને શરમાવી રહ્યાં છે.
તુંને મુઝકો જગમેં ભેજા, નિર્મળ દેહ લેકર આયા,
આકર કે સંસાર મેં મૈને, ઈસકો દાગ લગાયા.
જનમ જનમ કી મેલી ચાદર, કૈસે દાગ છુપાä..! ગાયક, મન્નાડે ગાય છેઃ
"લાજા મુખરી મેં ાગ, છૂપાએઁ ...
પર જાતું કે... લાગ જનરી મેં દઞ”
આ ડાઘમાં જ આપણાં સૌની કથા અને વ્યથા છુપાયેલી છે. કબીરજીએ, ‘જ્યોંકી ત્યોં ધર દીની ચદરિયાં'ની વાત કરી છે. જીવન દરમ્યાન કુદરતે આપણને સૌને ઓઢવા માટે જે ચાદર બક્ષી છે, તેમાં ડાઘ ના પડે તેની સાવચેતી આપણે રાખવાની છે ! રાખીએ છીએ ? ના. ગફલતમાં રહી જઈએ છીએ! જેનું પરિણામ સત્તા લાલસા, સંપત્તિનો પ્રભાવ અને
કીર્તિના કામણમાં અનુભવાઈ રહ્યું છે. ચાદર મેલી થતી રહી છે.
જીવનની બાજી જીતને બદલે હાર તરફ ધકેલાઈ રહી છે. છેવટની કડીમાં હિર આમ શરણ ગાય છેઃ
હે હરિહર! મેં હાર કે આયા...
અબ ક્યા હાર ચઢાશે...
મેલી ચાદર ઓઢકે છે, દ્વાર વધારે જી...
કબીરજીની આ ચમત્કારિક ચાદરને ડાઘ ના લાગે, તેનો ઉપાય પણ હાથવગો છે જ. જરૂર છે માત્ર તેને અજમાવવાની.
કબીરજી કહે છેઃ
કબીર, તેરી સાપડી, જલયિન કે યાસ,
આ કરે સો ભરેજા, તું કો ભરે છંદાસ !
આપણે સૌ ઉદાસ શા માટે થઈ ગયા ! આપણે આપણી તૂટીફૂટી ઝૂંપડીમાં સલામત કેમ ના રહી શક્યા ? આપણે સૌ દેખાદેખી, ઈર્ષા અને હરીફાઈમાં ફસાઈ ગયા! પરિણામે પેલી ચાદર મેલી થતી રહી, થતી ગઈ, તે એટલે સુધી કે આપણે સૌ કુદરતને ભૂલી ગયા. થાકીને હારી ગયા અને ‘હાર' ચઢાવવાની લાયકાત ગુમાવી બેઠાં.
કર્મો કોઈને છોડતાં નથી, ભલભલા ચમરબંધીને પણ નહીં! કર્મનાં ફળ ભોગવવાં જ પડે છે. યુવાની એક સંભાળવા જેવી શારીરિક અવસ્થા છે. ચારિત્ર્યની માવજત તે દરમ્યાન થતી રહેવી જોઈએ. Character પાસે Wealth કે Health ની કોઈ વિસાત નથી. બહેનોની ચૂંદડી અને ભાઈઓની ચાદર સલામત રહે એ જ અભ્યર્થના...! સીતારામ નગર, પોરબંદર.
Page #13
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૧૩
ઝળહળતી જીવનજ્યોતથી મનાવ્યો મૃત્યુમહોત્સવ
હર્ષદ દોશી મધ્યમ વર્ગના કુટુંબમાં ઉછરેલા રેન્ડી પાઉથ અમેરિકાની પ્રખ્યાત આ ચેતવણી સામે રેન્ડી પાઉશે અસાધારણ નિર્ભયતા અને કાર્નેગી મેલન યુનિવર્સિટી, પિટ્સબર્ગમાં કૉપ્યુટર સાયન્સના મક્કમતા બતાવ્યા. પોતાના સુખચેનની તેમને કોઈ ચિંતા હતી પ્રોફેસર હતા. વર્ચ્યુઅલ રિઆલિટી તેમનો ખાસ વિષય હતો. આ નહીં. કોઈ પણ રીતે બીજાને મદદરૂપ થવું તે તેનો જીવનમંત્ર હતો. નવી ટેકનોલોજી ઉપર તેમણે પાયાનું સંશોધન કર્યું હતું. જેના જતાં જતાં પણ સમાજને ઉપયોગી થવામાં તેમને ખરો સંતોષ પરિણામે વોલ્ટ ડિઝની જેવી અનેક કંપનીઓના રોમાંચક અને અને ખુશી થતા હતા. તેમણે બેધડક પોતાની જાતને પ્રયોગ માટે અદ્ભુત કાર્યક્રમો અસ્તિત્વમાં આવ્યા છે. પોતાની ઝળહળતી સોંપી દીધી. કારકિર્દીમાં તેમને ભવ્ય સફળતા અને પ્રખ્યાતિ સાથે આર્થિક લાભ કાર્નેગી મેલનમાં વિદાય લઈ રહેલા મહત્ત્વના પ્રોફેસર છેલ્લું પણ મળ્યા હતા.
પ્રવચન-Last Lecture-આપે તેવી પરંપરા છે. પણ રેન્ડી પાઉશની ૪૭ વર્ષના રેન્ડી પાઉશને જુલાઈ ૨૦૦૭માં જાણ થઈ કે તેમને પત્ની “જેઈ’ એ પ્રવચન આપવા સામે નારાજ હતી. આ પ્રકારના લિવરનું કેન્સર છે. તેમના લિવરમાં ૧૦ જીવલેણ ગાંઠ હતી. પ્રવચનની તૈયારીમાં ઘણો સમય લાગે છે અને શ્રમ પડે છે. જેને ડૉક્ટરોનો અભિપ્રાય હતો કે તે હવે લગભગ ૬ મહિના બચશે. ભય હતો કે કેમોથેરપી, ડૉક્ટરો અને હોસ્પિટલની સતત મુલાકાત
અનેક સંઘર્ષમાંથી પસાર થયા પછી, કારકિર્દીની ટોચે પહોંચે અને નબળાઈને કારણે રેન્ડી પાઉશનું શરીર તે શ્રમ સહન નહીં કરી ત્યાં માથે આભ તૂટી પડ્યું હોય તેવા સમાચારથી ગમે તેવો શકે. વળી પ્રવચન માટે વર્જિનિયાથી પિટ્સબર્ગની મુસાફરીની પણ હિંમતવાન માણસ પણ ભાંગીને ભૂક્કો થઈ જાય. રેન્કી પાઉશે શરીર ઉપર માઠી અસર પડે. જેઈની ઇચ્છા હતી કે રેન્ડી પાઉશ કહ્યું, “હું નસીબદાર છું. હવે હું જાણું છું કે મારી કેટલી આવરદા વધુમાં વધુ સમય કુટુંબ સાથે વિતાવે. બાકી છે. બચેલું જીવન અને સમયનું આયોજન કરવાની મને તક રેન્ડી પાઉશ પ્રવચન આપવાના નિર્ણયમાં અડગ હતા. તેમણે મળી છે. લાંબા જીવન કરતાં બીજા માટે જીવવું વધારે મહત્ત્વનું જેઈને સમજાવ્યું કે તે પોતે પૂરો સમય કુટુંબ સાથે ગાળવા ઇચ્છતા છે.”
હતા. પણ, તેમના જીવન અને કારકિર્દીમાં અનેક મિત્રો, સાથીઓ મોટા ભાગના માણસો પુરેપૂરું જીવન વેડફી નાંખતા હોય છે, ત્યારે અને વિદ્યાર્થીઓનો મોટો ફાળો હતો. જીવનના છેલ્લા દિવસોમાં રેન્ડી પાઉશ ગંભીર જીવલેણ માંદગીમાં પણ જીવનની દરેક પળનો તેમને આ છેલ્લા પ્રવચન દ્વારા ઋણ સ્વીકારનો, બધાને મળવાનો, પૂરો ઉપયોગ કરવા માંગતા હતા.
પોતાના અનુભવ અને જીવનદૃષ્ટિ રજૂ કરવાનો અવસર મળતો રેન્ડી પાઉશ અત્યંત લાગણીશીલ અને કુટુંબને સમર્પિત પતિ હતો. અને ત્રણ બાળકોના પિતા હતા. જીવલેણ કેન્સરની જાણ થતાં તેમની છેલ્લી દલીલ સૌથી વધારે સચોટ હતીઃ “આપણાં બાળકો તેમણે ચાર નિર્ણય લીધા. (૧) કાર્નેગી મેલનમાંથી નિવૃત્ત થવું, અત્યારે નાના છે. મોટા થશે ત્યારે તેમને પિતાની કેવી યાદગીરી (૨) પત્ની, સગાં વર્જીનિયા રહેતા હતા ત્યાં સ્થળાંતર કરવું, (૩) હશે? તેમને તો સાંભળેલી વાતનો જ આધાર મળશે. મારા કેન્સર ઉપર શોધ કરી રહેલી કોઈ પણ પ્રયોગશાળા કે હોસ્પિટલને પ્રવચનની સી. ડી. તેમને મારી જીવનયાત્રાનો વધારે સ્પષ્ટ ખ્યાલ પોતાની ઉપર પ્રયોગ કરવાની છૂટ આપવી અને (૪) પોતાના આપશે. તું મારા માટે તેમને જે કંઈપણ જણાવીશ તેના કરતાં સાથીઓ અને વિદ્યાર્થીઓને અલવિદા કહેવા માટે કાર્નેગી મેલનમાં પણ વધારે ઉડી અસર એ સી.ડી.ની થશે. બાળકો પોતાના પિતા એક પ્રવચન આપવું.
કેવા હતા તે જાતે નિર્ણય લઈને સમજી શકશે.” તેમના છેલ્લા બે નિર્ણય હિંમતભર્યા અને અસાધારણ હતા. છેવટે તેમને પ્રવચન માટે જેઈની અનુમતિ મળી ગઈ. તેમની પત્ની અને મિત્રો અવાક્ થઈ ગયા હતા.
યુનિવર્સિટીએ પ્રવચન માટે ૧૮ સપ્ટેમ્બર, ૨૦૦૭નો દિવસ કેમોથેરપી અત્યંત કષ્ટદાયક સારવાર છે. તેની આડ અસર એટલી નક્કી કર્યો. તે માટે રેન્ડી પાઉશે ૧૭ તારીખે પિટ્સબર્ગ પહોંચવું પ્રબળ છે કે દરદી હતાશ થઈ જાય છે અને કંટાળીને થાકી જાય છે. જોઈએ. તેમાં એક મોટી અડચણ ઊભી થઈ. ૧૭ તારીખે જોઈનો તેમાં નવી શોધ, સારવાર અને ઔષધના પ્રયોગ માટે પોતાની જન્મદિવસ હતો. પતિ-પત્ની બન્ને જાણતા હતા કે જન્મદિવસ સાથે જાતને સોંપી દેવી એ નર્યું પાગલપણું લાગતું હતું.
ઉજવવાનો આ છેલ્લો અવસર હતો. એ સમયે જ રેન્ડી પાઉશ ડૉક્ટરોએ તેમને ચેતવણી આપી કે પ્રયોગના ગંભીર પરિણામ કુટુંબથી દૂર રહે તે જોઈ કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર ન હતી. પણ આવી શકે છે. કદાચ તાત્કાલિક મૃત્યુ પણ થઈ શકે છે. બાળકોને સાથે લઈ જઈ શકાય તેમ ન હતું અને બાળકોને એકલા
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૪ પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૦૯ મૂકીને જેઈ નીકળી શકે તે સંભવ ન હતું. છેવટે એ નક્કી કર્યું કે રેન્ડી પાઉશે કહ્યું કે “આ વિચિત્ર, પણ અભુત કોચ પાસેથી જેઈ ૧૮મી તારીખે વર્જીનિયાથી નીકળી સીધી પ્રવચનના સ્થળે મને જે શીખવા મળ્યું છે તે મારા જીવનના વિકાસનો પાયો છે. હું પહોંચે અને તે જ દિવસે પાછી ફરે. રેન્ડી પાઉશે મધ્યમ માર્ગથી આ કોઈ કલબની ટીમનો પણ ખેલાડી નથી બની શક્યો. એ રીતે મારું વિટંબણાનું સમાધાન કર્યું.
બાળપણનું આ સ્વપ્ન સાકાર નથી થયું. પણ તેને મારી નિષ્ફળતા રેન્ડી પાઉશના પ્રવચનનો વિષય હતો-“બાળપણના સ્વપ્નની નથી ગણતો, કારણ કે ફૂટબૉલના મેદાનમાંથી મને અનુભવના ખરેખરી સિદ્ધિ' ('Really Achieving Your Childhood અમૂલ્ય પાઠ મળ્યા છે. કોઈ પણ વિષય કે પ્રશ્નના મૂળ સુધી Dreams)". આ પ્રવચન એટલું પ્રભાવશાળી, પ્રેરણાદાયી, પહોંચવાની ટેવ મને આ કોચ પાસેથી મળી છે.' તેમણે ફરી ફરીને ભાવભીનું અને હૃદયસ્પર્ષ હતું કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા. ભારપૂર્વક કહ્યું કે મજબૂત પાયાની કિંમત ક્યારે પણ ઓછી ન એ પ્રવચનનો ચારે તરફ વાયુવેગે પ્રચાર થઈ ગયો. પ્રવચનની આંકવી. લોકપ્રિયતા અને ભવ્ય પ્રતિસાદને ધ્યાનમાં રાખીને તેમણે 'Last કોઈ એક સમયે ફૂટબૉલ એક જ ખેલાડી પાસે હોય છે, પણ Lecture" તરત જ પુસ્તકરૂપે બહાર પાડ્યું, જેમાં તેમણે જીવનના બાકીના એકવીસ ખેલાડીઓ પણ મહત્ત્વના છે. તેઓ પણ રમત થોડા વધુ અનુભવોને આવરી લીધા. એ પ્રવચન અને પુસ્તકને રમી રહ્યા છે. એક ખેલાડીમાં પણ કુશળતા ઓછી હોય તો તેની આધારે અહીં તેમના અદભુત વ્યક્તિત્વ અને જીવનદૃષ્ટિ ઉપર પ્રકાશ ટીમ હારી જાય. આ કોચ પાસેથી તેમને બાળપણમાં જ ચારિત્ર પાથર્યો છે.
ઘડતર માટે અમૂલ્ય એવા ટીમવર્ક, ખેલદિલી, સાથ-સહકાર, ખંત તેમણે પ્રવચનની શરૂઆતમાં જ કહ્યું કે તેમને પોતાની અને ધીરજના પાઠ શીખવા મળ્યા. બીમારીની કે સહાનુભૂતિની વાત નથી કરવી. તે 'Last એક અનુભવને ટાંકતાં તેમણે કહ્યું કે જ્યારે કોચ તેમની રમતથી Lecture"માં પોતાના બાળપણમાં જોયેલા સ્વપ્ન અને અભિલાષા, નારાજ થતો ત્યારે આકરી સજા કરતો. આ સજાથી ઉદાસ થયેલા તે સાકાર કરવામાં આવેલા વિપ્ન અને પોતાના પુરુષાર્થની વાત રેન્ડી પાઉશને કોચે એક સોનેરી શિખામણ આપી. “જ્યારે તારું દ્વારા જીવન જીવવાની અને માણવાની ચાવી બતાવવા માંગતા હતા. પરિણામ ખરેખર ખરાબ હોય અને કોઈ ટીકા પણ ન કરે ત્યારે
દરેક બાળક ભવિષ્યની મીઠી કલ્પનામાં રમતો હોય છે. રેન્ડી સમજવું કે કોઈને તારામાં જરા પણ રસ નથી કે આશા દેખાતી પાઉશે કહ્યું કે બાળપણમાં જોયેલા આ સ્વપ્ન ખરેખર સાકાર થયા નથી.” કોઈ આપણું ધ્યાન પણ ન દોરે અને આપણા તરફ ધ્યાન કે નહીં તે મહત્ત્વનું નથી. પણ એ માટે તેમણે જે પ્રયાસ કર્યા અને પણ ન આપે એ મોટી અવગણના છે, જે આકરી ટીકા કરતાં પણ તેમાંથી જે પાઠ શીખ્યા તેનું જીવનમાં મહત્ત્વ છે.
વધુ ખરાબ છે. બાળપણમાં રેન્ડી પાઉશને ફૂટબૉલના ખેલાડી થવાની હોંશ રેન્ડી પાઉશે કહ્યું કે “આપણાટીકાકાર આપણા સૌથી મોટા હિતેચ્છુ હતી. નવ વર્ષનો રેન્ડી ફૂટબૉલની તાલીમ આપતી કલબમાં જોડાયો. છે. આ સૂત્ર મારા જીવનમાં અંકાઈ ગયું છે.' પહેલે દિવસે તે જ્યારે ફૂટબૉલના મેદાનમાં ગયો ત્યારે તેને આશ્ચર્ય તેમનો અનુભવ હતો કે સારું શિક્ષણ અને તાલીમ પરોક્ષ રીતે થયું. તાલીમ આપનાર કોચ પાસે ફૂટબૉલ જ ન હતો!' પણ ઘણા જીવન ઉપયોગી પાઠ શીખવે છે. સાથીઓ અને
એક બાળકે કોચને પ્રશ્ન કર્યો, “અમે ફૂટબૉલ વગર રમત કઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જગાડવાની ખૂબી તે ફૂટબોલના મેદાનમાં રીતે શીખીશું?'
શીખ્યા હતા. ઉત્સાહ જાગે તો પહાડ જેવા કામ પણ સરળ થઈ આ અજાયબ કોચે સામો પ્રશ્ન કર્યો, ‘ફૂટબૉલના મેદાનમાં કેટલા જાય છે અને જવાબદારી પણ પ્રસન્નતાથી પાર પડે છે. તે ખેલાડીઓ હોય છે?'
યુનિવર્સિટીના અભ્યાસક્રમનું હંમેશ એ રીતે આયોજન કરતા કે બાવીસ.” બાળકોએ જવાબ આપ્યો.
વિદ્યાર્થીઓને પરોક્ષ રીતે બીજા વિષયોની જાણકારી સહજ રીતે બાવીસમાંથી કેટલા ખેલાડી પાસે ફૂટબૉલ હોય છે?' મળી જતી. ગમત સાથે જ્ઞાન આપવાની કુશળતા તેમની અધ્યાપક “એક જ ખેલાડી પાસે.” બાળકોએ ઉત્તર આપ્યો.
તરીકેની સફળતા અને લોકપ્રિયતાનું રહસ્ય હતું. “બરાબર. હવે તમે જવાબ આપો કે બાકીના ખેલાડીઓ ત્યારે તે આઠ વર્ષના હતા ત્યારે ડિઝનીલેન્ડ ફરવા ગયા હતા. ત્યાંના શું કરે છે?'
હેરત પમાડે તેવા મનોરંજનના કાર્યક્રમ જોઈને એટલી નાની ઉંમરે બાળખેલાડીઓ પાસે કોઈ ઉત્તર ન હતો.
તેમને આવા કાર્યક્રમ બનાવવાના મનોરથ થયા. કોચે સ્પષ્ટતા કરતાં કહ્યું કે “જેની પાસે ફૂટબૉલ નથી એવા ડિઝનીલેન્ડમાં આ જાતના કાર્યક્રમ ઘડનારાઓને imagineer' એકવીસ ખેલાડીઓ પણ રમત રમી રહ્યા છે. એ એકવીસ ખેલાડીઓ કહે છે. Imagination અને Engineer જોડીને આ શબ્દ બન્યો છે. કેવી રીતે રમે છે એ હું તમને પહેલા શીખવીશ.”
રેન્ડી પાઉશને પણ imagineer' બનવાનું સ્વપ્ન હતું. આ સ્વપ્ન
Page #15
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
સાકાર કરવામાં તેમને અનેક વિટંબણાઓ અને વિઘ્નનો સામનો કરવો પડ્યો હતો.
કાર્નેગી મેલન જેવી ટોચની અને પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી કૉમ્પ્યુટર સાયન્સમાં Ph.D. કર્યા પછી રેન્ડી પાઉશે ડિઝનીલેન્ડમાં 'imagineer' ના કામ માટે અરજી કરી. રેન્ડી પાઉશ કલ્પનામાં ઊડી રહ્યા હતા. તે ધારતા હતા કે આવી માતબર યુનિવર્સિટીના Ph.D.ને ધારે ત્યાં કામ મળી જાય. ડિઝનીલેન્ડમાંથી નનૈયાનો પત્ર મળતાં તે નક્કર ધરા ઉપર આવી ગયા. તેમણે વજીર્નિયા યુનિવર્સિટી અને ત્યાર પછી કાર્નેગી મેલનમાં virtual reality ઉપ૨ સંશોધન ચાલુ રાખ્યું અને તેમાં ઝડપી વિકાસ કર્યો. પણ તે પોતાના સ્વપ્નને ભૂલ્યા ન હતા.
પ્રબુદ્ધ જીવન
૧૫
સવિનય ઈન્કાર કર્યો. હવે તે પોતાનું કાર્યક્ષેત્ર યુનિવર્સિટીમાં જ રાખવા માગતા હતા. છેવટે ડિઝનીલેન્ડના આગ્રહને વશ થઈ તેમણે અઠવાડિયામાં એક દિવસ સલાહકારની જવાબદારી સ્વીકારી. તોતિંગ ભીંત જેવા અનેક વિઘ્ન પાર કર્યા ત્યારે તેમનું બાળપણનું આ સ્વપ્ન સાકાર થયું!
જોન સ્નોડી virtual realityના પ્રખ્યાત નિષ્ણાત હતા અને ડિઝનીલેન્ડ સાથે જોડાયેલા હતા. રેન્ડી પાઉશે તેની સાથે કામ
જોન સ્નોડીએ તેમને એક મોટી શીખ આપી હતી. જ્યારે કોઈ વિઘ્ન આવે, અડચણ ઊભી થાય. કામ અટકતું લાગે ત્યારે કોઈ વ્યક્તિ ઉપર રોષ કે દ્વેષભાવ ન રાખતા ધીરજથી કામ લેવાની યુક્તિ તેણે સમજાવી. જોન સ્નોડીએ કહ્યું કે સામી વ્યક્તિ તને સમજી શકે તે માટે તેને પૂરતો સમય આપવો જોઈએ. ગમે તેવી વ્યક્તિ હોય, લાંબે ગાળે એ જરૂર ન્યાય આપશે. જો હેતુ શુદ્ધ અને પ્રમાણિક હોય તો પૂર્વગ્રહ, ઈર્ષા, અહં અને ગે૨સમજૂતીથી ઊભા થયેલા અવરોધો આપણી નિષ્ઠાથી લાંબે ગાળે દૂર થશે જ.
કરવાની તક ઊભી કરી. તે માટે રેન્ડી પાઈશને યુનિવર્સિટીની મંજૂરી મેળવવી જરૂરી હતી. તે એક વરિષ્ટ અધિકારી પાસે ગયા. રેન્ડી પાઉશનો વિષય તદ્દન નવો અને વિકસી રહેલો હતો. તે વિષયના જાણકાર બહુ જ ઓછા હતા. આ અધિકારીએ રદિયો આપતાં કહ્યું
રેન્ડી પાશે કહ્યું કે આ સોનેરી શિખામણ તેમણે જીવનમાં વણી લીધી હતી. ‘બની શકે છે કે તમારે ઘણો લાંબો સમય રાહ જોવી પડે. કોઈ માણસ સદંતર દુષ્ટ નથી. દરેકમાં કંઈક સારું તત્ત્વ હોય છે. ફક્ત રાહ જુઓ. તેનું શુભ તત્ત્વ બહાર આવશે જ.’
કે
કે ‘તારો પ્રસ્તાવ કામનો છે તે કેમ ખબર પડે ?’
રેન્ડી પાઉશ તેમના સાથીઓ પાસેથી માનવતા, સહિષ્ણુતા અને ધીરજના અમૂલ્ય પાઠ શીખ્યા હતા. તેમણે દરેક વ્યક્તિત્વમાં છૂપાયેલી કુશળતાને શોધી કાઢવાની સૂઝ હાંસલ કરી હતી. તેને દરેક મનુષ્યમાં રહેલા શુભ તત્ત્વ ઉપર અખૂટ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધા તેમના જીવનનું પ્રે૨ક બળ હતું. તે માનતા હતા કે માર્ગમાં ભીંત આડી આવે છે તે પણ કામની છે. એ ભીંત મોટી પરીક્ષા છે, જેને આગળ વધવાની અદમ્ય તમન્ના છે તેને એ ભીંત પાર કરવાનો ઉપાય મળશે જ. જેની નિષ્ઠા થોડી પણ ઓછી હશે તે ભીંત પાસેથી પાછો ફરશે.
રેન્ડી પાઉંશ સરળતાથી હાર સ્વીકારે તેવા ન હતા. તેમણે બીજા વરિષ્ઠ અધિકારીનો સંપર્ક કર્યો. આ અધિકારીએ સહાનુભૂતિ સાથે કહ્યું, 'તારા વિષયની મારી પાસે કોઈ માહિતી નથી. નિર્ણય આપતાં પહેલા મારે વધુ વિગત મેળવવી પડશે. પરંતુ હું એટલું જાણું છું કે યુનિવર્સિટીના તેજસ્વી અધ્યાપકનો આ પ્રસ્તાવ છે.’
બન્ને અધિકારીઓએ એ જ વાત કહી કે તેઓ આ વિષયથી અપરિચિત હતા અને નિર્ણય લઈ શકતા ન હતા. એકનો ઉત્તર નકારાત્મક હતો અને બીજાનો પ્રતિભાવ પ્રોત્સાહક હતો. રેન્ડી પાઉશ કહે છે કે તેનું આ સ્વપ્ન સાકાર કરવામાં આડી ભીંત જેવું વિઘ્ન આવી ગયું હતું. છતાં તેમણે તેમાંથી પણ અમૂલ્ય અનુભવ મેળવ્યો.
એક સાથીએ જ્યારે તેમની સફળતાનું સ્ય પૂછ્યું ત્યારે રેન્ડી પાશે કહ્યું, 'કોઈ પણ શુક્રવારે રાતના દસ વાગ્યે મારી ઓફિસમાં મળો.' શનિવાર અને રવિવારની રજા આવે ત્યારે મોટા ભાગના
અનેક વિઘ્ન પાર કરીને રેન્ડી પાઉશ છેવટે યુનિવર્સિટી પાસેથી માાસો શુક્રવારે સાંજના જ ઑફિસથી બહાર નીકળી જતા હોય અનુમતિ મેળવીને જ રહ્યા. છે ત્યારે તે મોડે સુધી કામ કરતા હતા. તે માનતા હતા કે ‘તક’ અને તૈયારીનો સંગમ થાય છે ત્યારે જ નસીબ ખૂલે છે.’ જ
આ ઘટનાએ તેમને જીવનમાં સહકાર અને પ્રોત્સાહનનું મહત્ત્વ સમજાવ્યું, જે તેમની સફળતાની ચાવી હતી. કોઈ પણ રીતે બીજાને ઉપયોગી થવાની તત્પરતાથી તેમણે અનેક અધિકારીઓ, સાથીદારો અને વિદ્યાર્થીઓના આદર અને પ્રેમ મેળવ્યા હતા અને ધાર્યું કામ પણ કરાવી શક્યા હતા.
જોન સ્નોડી સાથે તેમણે ડિઝનીલેન્ડના Imagineering વિભાગમાં પાયાનું કામ કર્યું. પરિણામે ત્યાં virtual reality આધારિત અદ્ભુત કાર્યક્રમો તૈયાર થયા. હવે ડિઝનીલેન્ડે તેમને કાયમી ધોરણે રોકવાની દરખાસ્ત આપી! પણ રેન્ડી પાઉશે તેનો
રેન્ડી પાઉશે હંમેશ ફળ કરતાં ફરજને વધુ મહત્ત્વ આપ્યું હતું. તેમણે આ ભાષણમાં ભાર દઈને કહ્યું કે તમારી પૂરી શક્તિ કામમાં કૂંડી અને પરિણામ તમારા કર્મ ઉપર છોડી દો.
તે કાર્યક્ષમતા, સમયપાલન અને શ્રેષ્ઠતાના નાચહી હતા. સાથેસાથે આ આગ્રહ માનવતાથી મઢેલો હતો. કાર્નેગી મેલનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને Ph.D. માં પ્રવેશનું ધોરણ ઘણું જ ઊંચું છે. તે માનતા હતા કે જ્ઞાનની સાથે લાગણીની ભિનાશ પણ જીવનમાં એટલી જ જરૂરી છે. તેમના પ્રયાસથી અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જુન, ૨૦૦૯
મળ્યો હતો. રેન્ડી પાઉશે સંતોષથી જણાવ્યું કે આગળ જતા એ આંખમાં આંસુના બુંદ ચમકી રહ્યાં હતાં. વિદ્યાર્થીઓ ઘણાં જ સફળ પુરવાર થયા હતા. કોઈના સ્વપ્નની ‘મારું આ પ્રવચન હકિકતમાં મારા ત્રણ બાળકો માટે છે.' આ સિદ્ધિમાં પોતે નિમિત્ત થયાની તેમને પારાવાર ખુશી હતી. શબ્દો સાથે તેમણે તેમનું છેલ્લું પ્રવચન' પૂરું કર્યું.
તેમને વિશ્વાસ હતો કે યુવકોને તેમના સ્વપ્ન સિદ્ધ કરવાની શ્રોતાઓએ ઊભા થઈને ૯૦ સેકંડ સુધી સતત તાળીઓના તક આપશો તો તેમની પૂરી શક્તિ ખીલી ઊઠશે. તેમણે પોતાના
ગડગડાટથી તેમનું અભિવાદન કર્યું. વિભાગના દ્વાર યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીઓ માટે ખોલી દીધા.
ટાઈમ મેગેઝિને વર્ષ ૨૦૦૭ના સૌથી વધુ પ્રભાવશાળી ૧૦૦ તેમણે ૫૦ વિદ્યાર્થીઓને virtual reality ઉપર બે અઠવાડિયા
વ્યક્તિઓમાં રેન્ડી પાઉશની ગણના કરી છે. ટાઈમ મેગેઝિને તેમને પોતાની કલ્પના પ્રમાણે કામ કરવાની તક આપી. virtual reality
પ્રશ્ન કર્યો હતો કે તમારી શારીરિક અવસ્થા નાદુરસ્ત હોવા છતાં જેનો વિષય નથી એ વિદ્યાર્થીઓએ અવનવા પ્રયોગો કર્યા, જેનું
તમે કઈ રીતે આટલા ઉત્સાહથી પરિશ્રમ કરી શકો છો ? રેન્ડી પાઉશે અભૂત પરિણામ આવ્યું. આ પ્રયોગને કાયમી સ્વરૂપ આપીને
ઉત્તર આપ્યો, ‘પરિસ્થિતિની મર્યાદામાંથી પણ ઉત્તમ પરિણામ મેળવવું તેમણે હજારો વિદ્યાર્થીઓની મનોકામના પૂરી કરી અને તેમના
એ મારું જીવનધ્યેય છે.' જીવન ઉત્સાહ અને ઉમંગથી ભરી દીધા. રેન્ડી પાઉશ કહે છે કે કોઈને તેના સ્વપ્ન પૂરા કરવાનો અવસર આપવાથી વધુ સંતોષ
કેન્સરની જીવલેણ બિમારી અને પીડા હોવા છતાં રેન્ડી પાઉશનો કારક અને પ્રસન્નતાભર્યું બીજું કોઈ સત્કાર્ય નથી. વિદ્યાર્થીઓમાં
ઉત્સાહ અણનમ હતો. તેમણે કહ્યું, “મોત સામે છે છતાં હું જીવન સંપ અને સહચર્યનો વિકાસ આ કાર્યક્રમની મોટી આડ પેદાશ હતી.
માણી રહ્યો છું. છેલ્લા દિવસ સુધી હું જીવનની મજા માણતો રહીશ.” પ્રસન્નતાથી જીવો અને બીજાને મદદ કરો' એ રેન્ડી પાઉશનો
તેમને માટે મજા એટલે મોજમસ્તી નહીં પણ જીવનનું માધુર્ય હતું. જીવનમંત્ર હતો.
ડોક્ટરોની ૬ મહિનાની ધારણા સામે રેન્ડી પાઉશ ૧૨ મહિના
જીવ્યા. આ કાર્યક્રમની સફળતાથી પ્રેરાઈને કાર્નેગી મેલને વિશ્વમાં પ્રથમ Entertainment Technology Centreની સ્થાપના કરી, જેને
“છેલ્લું પ્રવચન' સામાન્ય માનવી કઈ રીતે સામાન્ય ઘટનાઓને રેન્ડી પાઉશે છેવટ સુધી દોરવણી આપી.
પણ અસામાન્ય રીતે જીવનમાં વણીને અસામાન્ય જીવન જીવી જાય
છે તેની ઝલક આપે છે. Last Lecture એટલું લોકપ્રિય થઈ ગયું રેન્ડી પાઉશ આધુનિક જ્ઞાનના વિસ્તારને ટેકો આપતા હતા.
કે U Tubeમાં એક કરોડની આસપાસ લોકોએ તેને જોયું અને તેમના પ્રયત્નથી કાર્નેગી મેલને 3D graphicનો Alice' નામનો
સાંભળ્યું છે. તે પુસ્તકની પણ લાખો નકલ વેચાણી છે. કૉપ્યુટર પ્રોગ્રામ તૈયાર કર્યો. પોતાની મેળે સહેલાઈથી શીખી શકાય તેવો આ કાર્યક્રમ મફત ઉપલબ્ધ છે. લાખો યુવકોએ તેનો
નિખાલસતા, વફાદારી, કૃતજ્ઞતા, કદરદાની, ભૂલનો સ્વીકાર, લાભ લીધો છે અને પોતાની શક્તિ અને સૂઝનો ક્રિયાત્મક ઉપયોગ ટીકા
હો ટીકાઓનો પણ આદર, દરેકને મદદ માટે સદા તૈયાર અને બીજાના કર્યો છે. આ કાર્યક્રમની એ ખૂબી છે કે Alice શીખતા શીખતા
સ્વપ્નને સિદ્ધ કરવાની તત્પરતાથી રેન્ડી પાઉશનું જીવન ઝગમગતું કૉપ્યુટરની ‘જાવા’ ભાષા પણ આવડી જાય છે ! આ તેનો મોટો હતું. તેમનામાં દરેક સંજોગોને હળવાશથી લેવાની અને માણવાની પરોક્ષ લાભ છે.
ગજબની કુનેહ હતી. ભાષણને અંતે તેમણે એક જાહેરાત કરી. ‘હું તમારે માટે એક
- ૨૦૦૮ની ૨૫ જુલાઈએ એક વીર સેનાનીની છટાથી તેમણે આશ્ચર્ય રજૂ કરું છું.”
દેહ છોડ્યો. એ સાથે જ તેમના મિત્રો એક હાથગાડીમાં વિશાળ કેક લઈને રેન્ડી પાઉશે પૂરા આનંદ અને પ્રસન્નતાથી છલછલતું જીવન સભાગૃહમાં હાજર થયા. આ કેક જોઈને તેમની પત્ની જેઈ પણ જીવી જાણ્યું હતું અને મોત આવ્યું ત્યારે તેને પડકારી પણ જાણ્યું આશ્ચર્ય પામી. રેન્ડી પાઉશે જાહેર કર્યું કે “ગઈ કાલે મારી પત્નીનો કg- 3
ન હતું. કેન્સરની જીવલેણ બિમારીને પણ સમાજને મદદરૂપ થવાની જન્મ દિવસ હતો. તેનો જન્મ દિવસ ઉજવવાનો અમારે માટે આ તકમાં ફેરવી તેમણે મૃત્યુનો પણ મહોત્સવ ઉજવ્યો. પોતાના છેલ્લો અવસર હતો. એટલે તે એકલા ન ઉજવતા તમને બધાને
જવલંત ઉદાહરણથી તેમણે લાખો યુવકોના જીવનમાં ચેતનાની તેમાં હું સામેલ કરી રહ્યો છું.'
ચિનગારી પ્રગટાવી છે. રેન્ડી પાઉશ જાહેરાત પૂરી કરે તે પહેલા જ જોઈ તખ્તા ઉપર દોડી ગઈ. રેન્ડી પાઉશે કેકનો એક ટુકડો જ્યારે જેઈને આપ્યો ત્યારે ૩૨/બી, ચિત્તરંજન એવન્યૂ, કોલકાતા-૭૦૦ ૦૧૨. પૂરો સભાખંડ લાગણીના પૂરમાં ખેંચાઈ ગયો હતો. દરેકની Mobile : 09830564421.
Page #17
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ફંડ રેઈઝીંગ અભિયાનમાં પ્રાપ્ત થયેલ અનુદાનની યાદી આ યાદીમાં આપનું પૂણ્યશાળી નામ હોવું જ જોઈએ. એક સંસ્થાને સદ્ધર કરી અન્ય માનવ સેવા સંસ્થાને જીવતદાન આપો
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ ૮૦માં વર્ષમાં પ્રવેશ કરે છે. આ સંસ્થાએ અત્યાર સુધી માનવ સેવા કરતી ગુજરાતના પછાત વિસ્તારની ૨૫ સંસ્થાઓને રૂ. ત્રણ કરોડ સુધીનું દાન પહોંચાડી એ સંસ્થાઓને પ્રગતિને પંથે ચઢાવી છે. પ્રત્યેક વર્ષે પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન આ દાન યજ્ઞ અવિરત યોજાય છે અને દાતાઓના સહકારથી યોજાતો રહેશે જ. એટલે આ સંસ્થાને સદ્ધર કરશો તો માનવ સેવા કરતી અન્ય સંસ્થા પણ સદ્ધર થશે જ.
૮૦મા વર્ષ દરમિયાન ૮૦ લાખનું સ્થાયી ભંડોળ એકત્રિત કરવાનો અમારો લક્ષ્યાંક છે.
‘ભક્તિ યાત્રા' કાર્યક્રમ અને ‘પ્રબુદ્ધ સ્મરણિકાના પ્રકાશન દ્વારા નીચે મુજબ રકમનો દાનનો પ્રવાહ આ સંસ્થા તરફ વહ્યો છે. એ સર્વે પુણ્યશાળી દાતાને અમારા વંદન–અભિનંદન. આ સંસ્થાની અન્ય સેવા પ્રવૃત્તિથી આપ પરિચિત છો જ. ચેક શ્રી મુંબઈ જૈન યુવક સંઘના નામે મોકલવા વિનંતિ. આપના તરફથી અનુદાન મળતા ૮૦-G સર્ટિફિકેટ આપને મોકલી શકાશે.
a ફંડ રેઈઝિંગ કમિટિ અને શ્રી મું. જેન યુવક સંઘની કાર્યવાહક સમિતિના સભ્યો ૧ ૧,૦૦,૦૦૦ મે. વેલેક્સ ઈન્ડિયા પ્રા. લિ.
૧૧,૦૦૦ મે. વી. ગુણવંત એન્ડ કુ. હસ્તે શ્રી પીયૂષભાઈ શાંતિલાલ કોઠારી
૧૧,૦૦૦ મે. ન્યૂટરીક ઈન્ફરમેટીક લી. ૨,૫૦,૦૦૦ શ્રી લાલજી વેલજી ચેરિટેબલ ટ્રસ્ટ (એન્કરવાલા)
૧૧,૦૦૦ શ્રીમતી રમાબેન વી. મહેતા ૨,૦૦,૦૦૦ મે. એશિઅન સ્ટાર કુ. લી.
૧૦,૦૦૧ શ્રીમતી મીનલ વી. પટેલ ૨,૦૦,૦૦૦ શ્રી પ્રવિણભાઈ શાંતિલાલ કોઠારી
૧૦,૦૦૦ શ્રી ઘેલાણી ચેરિટેબલ ટ્રસ્ટ ૨,૦૦,૦૦૦ શ્રી રોઝી બ્લ ડાયમંડ
૧૦,૦૦૦ શ્રી એક સગૃહસ્થ ૨,૦૦,૦૦૦ મે. એચ. દિપક એન્ડ કુ.
૧૦,૦૦૦ શ્રી યશોમતીબેન શાહ ૨,૦૦,૦૦૦ મે. ફાઈન વેલરી લી.
૧૦,૦૦૦ શ્રી ઠાકોરલાલ કેશવલાલ મહેતા ૧,૨૧,૦૦૦ શ્રી ભણશાલી ટ્રસ્ટ
૧૦,૦૦૦ શ્રી કલાવતી હસમુખલાલ વોરા ચેરિટેબલ ટ્રસ્ટ ૧,૦૦,૦૦૦ શ્રી ઓનવર્ડ ફાઉન્ડેશન હસ્તે હરેશ મહેતા
૧૦,૦૦૦ શ્રી નીતિનભાઈ કાંતિલાલ સોનાવાલા ૧,૦૦,૦૦૦ મે. જયશ્રી એન્જિનિયરિંગ કુ.
૧૦,૦૦૦ શ્રી રાજેન ચંદ્રકાંત શેઠ ૧,૦૦,૦૦૦ શ્રી બિપીનભાઈ કાનજીભાઈ જૈન
૯,૨૨૫ શ્રીમતી બિંદુ શ્રીકાંત શાહ ૧,૦૦,૦૦૦ શ્રી કાન્તિલાલ નારણદાસ શાહ (કે. એન. શાહ ચેરિ. ટ્રસ્ટ)
૯,૨૨૫ શ્રી શ્રીકાંત પ્રમોદચંદ્ર શાહ ૧,૦૦,૦૦૦ મે. મસ્કતી ઈનવેસ્ટમેન્ટ પ્રા. લિ.
૫,૮૦૦ શ્રીમતી નૈનાબેન બાબુલાલ ચુનીલાલ ચોકસી પરિવાર ૫૧,૦૦૦ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ
૫,૦૦૦ શ્રીમતી તારાબેન મોહનલાલ શાહ ચેરિ. ટ્રસ્ટ ૫૧,૦૦૦ શ્રી કમલાબેન ગંભીરચંદ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ
૫,૦૦૦ શ્રી અનીશ શૈલેશ કોઠારી
૫,૦૦૦ શ્રીમતી ભારતીબેન દિલીપભાઈ શાહ ૫૧,૧૧૧ શ્રીમતી સવિતાબાઈ નગીનદાસ ટ્રસ્ટ
૫,૦૦૦ મે. એડવાન્સ ટેકનો ટાઈમ ઈન્ડસ્ટ્રીઝ ૫૦,૦૦૦ શ્રીમતી આશાબહેન હસમુખભાઈ
૫,૦૦૦ શ્રી સુશીલાબેન અને સેવંતીભાઈ કપાસી ૫૦,૦૦૦ શ્રીમતી કંચનબેન શાહ
૫,૦૦૦ શ્રી લીના વી. શાહ ૫૧,૦૦૦ શ્રી ગુણવંત ભાઈલાલ દોશી
૫,૦૦૦ શ્રી શિવાનંદ મિશન ૫૧,૦૦૦ શ્રીમતી ઉષાબેન પ્રવિણભાઈ શાહ
૫,૦૦૦ શ્રી તરૂલતાબેન નાનજી શાહ ૨૫,૦૦૦ શ્રીમતી રમાબહેન જે. વોરા
૫,૦૦૦ સ્વ. રમણીકલાલ પૂજાભાઈ પરીખ ૨૫,૦૦૦ શ્રી અરૂણભાઈ ગાંધી
- હસ્તે અતુલ પરીખ અને નીતિન પરીખ ૨૧,૦૦૦ મે. મિનલ ક્વેલર્સ
૫,૦૦૦ મે. કુસુમ ઈલેક્ટ્રીકલ એન્ડ એન્જિનિયરીંગ કું. ૨૧,૦૦૦ શ્રીમતી નિર્મળા ચંદ્રકાંત શાહ
૫,૦૦૦ મે. હેમા રૂપા વેલ્સ ૨૧,૦૦૦ શ્રી જુગરાજ કાંતિલાલ એન્ડ કુ.
૫,૦૦૦ મે. મફતલાલ ભીખાચંદ ફાઉન્ડેશન ૨૧,૦૦૦ શ્રી મણીલાલ ચુનીલાલ સોનાવાલા ટ્રસ્ટ
૩,૦૦૦ સ્વ. ગુણવંતીબેન રસિકલાલ શાહ ૧૫,૭૫૦ શ્રી પ્રમોદચંદ્ર સોમચંદ્ર શાહ પરિવાર
૩,૦૦૦ શ્રી રમણિકભાઈ ગોસલીયા ૧૫,૦૦૦ શ્રીમતી નીરૂબહેન સુબોધભાઈ શાહ
૩,૦૦૦ શ્રી હીરજી વસનજી ગોસર ૧૫,૦૦૦ શ્રીમતી કુસુમબેન ભાઉ
૧,૫૦૦ શ્રી દેવચંદ જી. શાહ ૧૫,૦૦૦ શ્રી અમીચંદ આર. શાહ
૧,૧૦૦ શ્રીમતી ગીરાબેન શાહ ૧૫,૦૦૦ શ્રી ચીમનલાલ ચકુભાઈ માનવરાહત ટ્રસ્ટ
૧,૦૦૧ શ્રી પ્રકાશ મોદી ૧૫,૦૦૦ શ્રી વિનોદ વસા એન્ડ કુ.
૬,૦૦,૦૦૦ પ્રબુદ્ધ સ્મરણિકા દ્વારા પ્રાપ્ત ૧૧,૧૧૧ મે. કોગ્રેસ પાર્ટસ કો.
૪૩,૭૧,૮૨૪
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮
પ્રબુદ્ધ જીવન
જયભિખ્ખુ જીવનધારા : ૭
૦ ડૉ. કુમારપાળ દેસાઈ
[ગુજરાતી સાહિત્યના લબ્ધપ્રતિષ્ઠ સર્જક જયભિખ્ખુના જન્મશતાબ્દીના વર્ષમાં એમના જીવનચરિત્રનું અહીં આલેખન કરીએ છીએ. વ્યક્તિના જીવનમાં એના બાળપણના પ્રસંગો ચિત્ત પર સ્થાયી પ્રભાવ પાડતા હોય છે. ત્રણસો જેટલાં
નાનાં-મોટાં પુસ્તકોનું સર્જન કરનારા જયભિખ્ખુની બાલ્યાવસ્થા વિશેનું સાતમું પ્રકરણ.]
ભગવાનની મતિ બાહ્ય સૃષ્ટિ ભલે સ્થિર અને સ્થાયી લાગતી હોય, પણ વ્યક્તિનું મનોજગત તો જીવનના આધાત-પ્રત્યાઘાતો અનુભવતું અવિરત પરિવર્તન પામતું હોય છે. વ્યક્તિની આસપાસનો પરિવેશ પ્રત્યેક તબક્કે અને પ્રત્યેક અવસ્થાને બદલાતો રહે છે. આજે એની સૃષ્ટિ સ્વજનોથી ભરેલી હોય, તો આવતી કાલે એની સૃષ્ટિમાં માત્ર પ્રિયજનો જ દૃષ્ટિગોચર થાય. એક સમયે એની સૃષ્ટિ પ્રકૃતિના રંગે રંગાયેલી હોય, તો બીજે કાર્ય એ મનોસૃષ્ટિ ઈશ્વરલીલાનો રહસ્યગર્ભ અનુભવ પામતી હોય. સંવેદનશીલ બાળક ભીખા ('જયભિખ્ખુ'નું હુલામણું નામ)ની સૃષ્ટિમાંય સતત પરિવર્તન આવતાં ગયાં અને એની સંવેદના પર એ ભારે એક યા બીજી રીતે અંકિત થતા રહ્યા.
એક સમયે એની સૃષ્ટિ માતાના વિયોગ, માસી–મામીની માયા અને પિતાના હેતથી સભર હતી. પણ એ પછી સ્વજોની માયા વીસરાઈ અને ગામની ધરતીની માયા લાગી. વરસોડા ગામની પ્રકૃતિ આ બાળકના ચિત્તમાં મહો૨વા લાગી. એની સીમ, નિશાળ, ધર્મશાળા અને કાંતો એના જીવનની ચોપાસ વીંટળાઈ વળ્યાં. એમાં નિશાળના ગોઠિયા ગિરજાની દોસ્તી થતાં વળી નવો રંગ જાગ્યો. દોસ્તીએ ભીખાની દુનિયામાં કેટલાય નવા ખ્યાલો ને ભાવો જન્માવ્યા. આજ સુધી ઘરનાં સગાંઓ સાથે સંબંધ હતો, હવે કશી લોહીની સગાઈ નહીં ધરાવતા અન્ય જ્ઞાતિના ગાઠિયા સાથે સંબંધ ધંધાર્યા. બ્રાહ્મણ-વાણિયાની દોસ્તી થઈ.
જૂન ૨૦૦૯
હિંમતબાજ ગિરજાનો સાથ ભીરુ ભીખાને ગોઠી ગયો. બંને દોસ્તો રામલીલા જોવા માટે વરસોડાથી બે ગાઉ દૂર આવેલા અંબોડ ગામના પાદરે પહોંચ્યા. આ સમયે ખુલ્લા મેદાનમાં વર્તુળ આકારની આસપાસ ગામલોકો બેસી ગયા હતા. ભીખાએ પહેલી વાર આવા ભિન્ન ભિન્ન વર્ગના અને વયના લોકોને એક સાથે એકઠાં થયેલા અને વાતો કરતાં ઘોંઘાટ મચાવતા જોયા.
આમ તો આ સમયે એની આંખમાં ઉપ ડોકિયું કરી જતી હતી, પરંતુ આસપાસની જીવંત સૃષ્ટિ અને કીકીમાં ૨મતી જિજ્ઞાસાએ એની ઉંઘને ક્યાંય દૂર-દેશાવર મોકલી આપી. કોઈ ખેડૂત હતા, તો કોઈ વેપારી હતા. કોઈ યુવાન હતા તો કોઈ નાનાં બાળકો. કેટલાક વડીલો કોથળા પાયરીને બેઠા હતા, એ જ રીતે કેટલાક
મૂંઝાઈ જતી હશે?
પાછળ ખાટલા ઢાળીને બેઠા હતા અને કોઈ જમીનથી આઠ–દસ ફૂટ ઊંચે ખાટલા કે માંચડા જેવું બાંધીને તેના પર ગોદડાં પાથરી લાંબા પગ કરીને નિરાંતે રામલીલાની મોજ માણવા આતુર હતા.
તેલની ધારનું વર્તુળ કરીને ચાચરચોક બનાવ્યો હતો. એમાં માતાનો ફોટો મૂક્યો હતો અને એની આગળના દીવામાંથી એક માણસે આવીને મશાલ પ્રગટાવી. ચાચરમાં અજવાળું રહે અને રામલીલા દેખાય એ માટે એમાંથી બીજી મશાલો સળગાવવામાં આવી. ભવાઈ જ્યાં રમાવાની હતી, ત્યાં આઠ વાંસના થાંભલા બાંધીને માંડવી ઊભી કરી હતી. બે પડદા બાંધ્યા હતા. એની વચ્ચેની ગોળ જગામાં ભવાઈ થવાની હતી. વળી કલાકારોને તૈયાર થવા માટેનો ગામમાં જે ઉતારો આપ્યો હતો, ત્યાંથી માંડવીમાં જવા માટેનો રસ્તો રાખવામાં આવ્યો હતો. ભવાયા ચાચરમાં જતા પહેલાં માતાને વંદન કરે પછી ઘૂઘરા બાંધે. આ બધું જોઈને ભીખાને તો એમ થયું કે એ જાણે જુદી જ દુનિયામાં આવ્યો હોય! પૃથ્વી ૫૨ સ્વર્ગ ઊતર્યું હોય એવું અનુભવતો એ રોમાંચક આંખે આ સઘળું નિહાળી રહ્યો.
માતાનો મુજરો અને પૂજનવિધિ થયાં. ચારે દિશામાં ભૂંગળ વગાડવામાં આવ્યા, ગરબા ગવાયા અને પછી સીધી ચાલમાં થનથન કરતા વિઘ્નહર્તા ગણપતિ દાદા આવ્યા. બધી દિશામાં તેઓ કંકુવરણાં છાંટણાં કરતા હતા. કોઈ ગણપતિને વંદન કરતા હતા તો કોઈ એના ોિષ માગતા હતા. ભીખાને નર્તન કરતા ગણપતિને જોવાની ભારે મજા પડી. ત્યારબાદ બ્રાહ્મણ વગેરે આવ્યા અને એ રીતે ભવાઈનો પૂર્વરંગ પૂરો થયો. પછી તો રાસની રમઝટ ચાલી.
ગામના પાદરની ધૂળમાં બેઠેલો ભીખો મુગ્ધ આંખે અને પારાવાર જિજ્ઞાસા સાથે બધું જોતો હતો. વચ્ચે વચ્ચે ગોઠિયા ગિરજા સાથે વાત કરતો જાય અને એને કંઈ પૂછતો પણ જાય. રામલીલાનો આરંભ થયું. સૂત્રધારે આવીને પ્રારંભ કર્યો. એ પછી આવેલા રંગલાનો વેશ જોઈને તો ભીખાને ખૂબ મજા આવી. એના હાવભાવ અને વેશ જોઈને એ ખડખડાટ હસવા લાગ્યો. હવે ખરેખરો રામરાવણનો ખેલ શરૂ થયો. બાળક ભીખાને ભૂંગળનો અવાજ અતિ * ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આનર્ત છે. આ શબ્દની એક વ્યુત્પત્તિ ‘નર્તન
કરનાર લોકોનો પ્રદેશ' એવો પણ મળે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન ઉત્સાહવર્ધક લાગ્યો. ભૂંગળ વાગે અને આખું વાતાવરણ ચેતનવંતુ નાક, કાન કપાયાનો અભિનય થયો. ભીખાને ભારે મજા આવી. બની જતું. કંઈ મહત્ત્વનું બને એટલે ભૂંગળવાળા ભારે જોરથી ભૂંગળ રામવિરહનો ખેલ શરૂ થયો, ત્યારે રામ અત્યંત વિલાપ વૃક્ષ અને વગાડે અને ભીખાના આનંદમાં અનેરો વધારો થતો. એમાં વળી છોડને સીતાના વિરહની આંસુ સારીને વાત કરતા હતા. તબલચી, પખવાજ અને મંજીરાનો સાથ રહેતો. ઘૂઘરાના અવાજે રામલીલાનો રંગ હવે ખરેખરો જામવા લાગ્યો. રામ અને ભીખાનું મન મોહી લીધું. પગે ઘૂઘરા બાંધીને નૃત્ય કરનાર જરા રાવણના યુદ્ધનો ખેલ શરૂ થયો. દશ માથાવાળા રાવણને મારવા ઠેકો મારતો અને પછી તો ઘૂઘરાના અવાજે નર્તન રૂમઝૂમભર્યું કેટલાય મેદાને પડ્યા. જેમની આરતી ઊતરતી, જેમની પૂજા થતી અને ઘમઘમાટવાળું બની જતું. બાળક ભીખાની નજર રામલીલાના અને વારંવાર જેમના નામનો જયજયકાર થતો એવા ભગવાન રામ, હનુમાનના પગ પર એવી તો સ્થિર થઈ ગઈ કે એ રાહ જુએ કે એમના ભાઈ લક્ષ્મણ અને એમનો સેવક હનુમાન-એ બધા રાવણ ક્યારે એ પગથી જોશભેર ઠેકો લગાવે અને ઘૂઘરાનો અવાજ રણકે. સાથે લડતા હતા. રાવણને રણમાં રોળવા મથી રહ્યા હતા, પરંતુ
ભીખાએ જોયું કે આસપાસ નાના-મોટા સહુ કોઈ રામલીલાનો એ કાંઈ ગાંજ્યો જાય તેવો નહોતો. આનંદ માણતા હતા. કોઈ પોતાને રામ જેવા માનીને રામ આવતા ભીખાને થયું કે રાવણ ખરેખર ભડનો દીકરો છે. આટલા બધા જ હાથ ઊંચા કરીને મોટી બૂમ પાડતા. કોઈ વળી સીતા જેવી પત્ની, મહેનત કરે છે, છતાં કોઈ એનો વાળ વાંકો કરી શકતું નથી. એ લક્ષ્મણ જેવા ભાઈ કે હનુમાન જેવો સેવક હોય તેમ ઈચ્છતા હતા. એક હોંકારો કરે અને બિચારા વાનર પૂંછડી દબાવીને ભાગે. એક પોતે એના જેવા થાય એવા આદર્શો અજાણપણે પણ સહુ કોઈના ખોંખારો ખાય અને ટોળે વળેલાં રીંછડાં ભાગી જાય! કોઈ રાક્ષસ હૃદયમાં ઉતરતા હતા. ખેલની વચ્ચે વચ્ચે ફૂદડી જોવા મળતી અને કહેતા કે એના પેટમાં અમૃતકુંપો છે. એ કેમ મરે? એના લોહીનું એમાં પણ કૂદતી વખતે ખૂબ નાચ થતો અને એક નહીં પણ ઘણી ટીપું પડે તો એકમાંથી એક હજાર રાવણ પ્રગટ. ફૂદડીઓ ફરવામાં આવતી. ભીખો મનમાં વિચારે કે ફૂદડી ફરવી આ બધું જાણીને ભીખાના મનમાં રાવણ પ્રત્યે અહોભાવ તો મનેય ગમે છે, પણ આની ફૂદડીની ઝડપ જુદી છે અને એનો જાગ્યો. મનોમન વિચારે કે “રંગ છે રાવણ તારી જનેતાને. એક થનગનાટ પણ જુદો છે. રામલીલાના ખેલ વખતે વચ્ચે વચ્ચે તરફ એકલો તું અને બીજી તરફ આટલા બધા! છતાં તું ગાંજ્યો ચા-પાણી થઈ જતા. એમાં મધ્યાંતર ન હોય પણ કલાકારને જાય તેમ નથી.” ભીખો રાવણનો પક્ષકાર બની ગયો. સંગીતથી આરામ મળી રહેતો. એવામાં વચ્ચે વચ્ચે ભવાઈના નાના રામની સેના પર રાવણ આઘાત કરે ત્યારે ગામલોકો સ્તબ્ધ વેશ પણ ભજવાઈ જતા. ક્યારેક ભૂંગળના સૂર વહેતા તો ક્યારેક બનીને જોતા; પણ ભીખાના મનમાં ભારે ઉત્સાહ જાગતો. એને કોઈ સંવાદ વખતે આરામ લઈ લેતા.*
તો રાવણ એટલો બધો ગમી ગયો કે ન પૂછો વાત. શું એનું વચ્ચે રંગલો આવીને ભીખાને રડખડાટ હસાવી ગયો. ભૂંગળ પરાક્રમ? એકલો સહુને ભારે પડે છે! આ લડાઈમાં લક્ષ્મણ તીરથી વગાડીને ભવાઈની સૂચના કરવામાં આવી. દરેક વેશનો આરંભ મૂછિત થઈ જાય છે અને જમીન પર ચત્તોપાટ પડે છે. ભીખો વિચારે થાય ત્યારે આવણું** ગવાતું અને પછી મુખ્ય પાત્ર ગીત અને નૃત્ય છે કે આ બિચારા લક્ષ્મણે મેઘનાદ અને રાવણ સામે થવા જેવું સાથે પ્રવેશતું. સીતાવિવાહનો પ્રસંગ આવ્યો. લગ્નપ્રસંગે રામ નહોતું. આવા બળિયા સામે બાથ ભીડવાની જરૂર નહોતી. પાસે અનેક યાચકો આવવા લાગ્યા. ભવાયાઓ કાંસકીવાળો બાવો, છોકરાથી છાશ પીવાતી હશે? ફાતડો, સરાણિયો જેવા જુદા જુદા વેશ લઈને માગવા આવે. રામ યુદ્ધના મેદાનમાં લક્ષ્મણ ચત્તોપાટ પડતાં ચારેબાજુ હાહાકાર એ સહુને દાન આપે અને પછી રામવિવાહ થાય. ત્યારબાદ સીતાજીને મચી ગયો. વાનરો હુપાહૂપ કરવા લાગ્યા અને રીંછ છીંકાછીંક કરવા લગ્નમંડપમાં લાવવામાં આવ્યા. આ સમયે વિવાહના ગીતને “કટ’ લાગ્યાં. જમીન પર પડેલા લક્ષ્મણ પાસે બેસીને રામે તો હૈયાફાટ કરીને બોલી બોલવાની શરૂ થઈ. એક આનાથી ચાલીસ રૂપિયા વિલાપ આદર્યો. સુધી બોલી બોલાતી હતી. એક વ્યક્તિ બોલે એના કરતા બીજી લીલી રે હજો લીંબડી, શીતળ એની છાંય; વ્યક્તિ વધુ મોટી બોલી બોલીને માન મેળવતો હતો. ભીખાએ બોલકણા તે હજો બાંધવા, તોય પોતાની બાંય.' ઉપાશ્રયમાં આવી બોલી બોલાતી સાંભળી હતી, પણ અહીં બોલાતી રામને અતિ આજંદભેર વિલાપ કરતા જોઈને ભીખાને થયું, બોલી જેવા હોંકારા, પડકારા ને ઉશ્કેરાટ એણે જોયા નહોતા. આ આમને તે કોણ ભગવાન કહે ? જો ને! ભાઈ મરવા પડ્યો છે, પછી રામ વનવાસની વાત થઈ અને સીતાહરણનો ખેલ શરૂ થતો. ત્યારે એની પાસે રડવા બેઠા છે. અકળાઈને ભીખો બોલી ઊઠ્યો, વચ્ચે રાવણની બહેન શૂર્પણખા આવી અને લક્ષ્મણને હાથે તેના “અરે, ભાઈને ઘાયલ કરનારો સામે ઊભો ઊભો મૂછો મરડે છે * ભવાઈમાં આજના નાટકની જેમ મધ્યાંતર નહોતો.
અને આ શું રડવા બેઠો છે?” ** ભવાઈમાં મુખ્ય પાત્રનું આગમન સૂચવતું ગીત
‘એ ભીખા, એમ ન બોલીએ; પાપ લાગે.” ગિરજાએ ટકોર કરી.
Page #20
--------------------------------------------------------------------------
________________
૨૦
પ્રબુદ્ધ જીવન
ભીખો એનાથી મોટો હતો. તેથી પોતાની મોટાઈ બતાવતાં કહ્યું, ‘અરે સાચું બોલવામાંય પાપ છે ? ગિરજા, જરા જો તો ખર્ચ, બે હાથનુંય છેટું નથી. આ રામ છુટ્ટો ઘા કરે તો ય રાવણના તમામ ખેલ ખલાસ થઈ જાય. છતાં ઘા કરવાને બદલે રડે છે. ભલા, શું ભગવાનની મતિ ય મૂંઝાઈ જતી હશે ? આવું કેમ ?
આમ બોલતાં ભીખો દેશથી ઊભો થઈ ગયો. ગિરજાએ એને હાથ પકડીને બેસાડતાં કહ્યું, ‘જરા ધીરો પડ. તાતો (ગરમ) થા મા. આ ની રામલીલા છે; જ જોતો જા.'
‘અરે, રામલીલા હોય તેથી શું થયું ? એમાં રામને મારતા અટકાવે છે કોણ ? પણ ગિરજા, રાવણ ભારે બળિયો હોં. એકલો સહુને ભારે પડે છે.’
‘અરે, તું જો તો ખરી. આ રામ જ રાવણને મારશે.” ‘રાવણને ? ન બને. આવો બળિયો એમ કંઈ મરે ખરો ?' ‘જરૂર મરાશે.’ રામના હાથે યુદ્ધમાં રગદોળાશે.' ભીખાએ કહ્યું, તો આવી જા શરત પર.' “શરતમાં હું હારી જઈશ, સમજ્યો ? આ ચર્નોપાટ પડેલા લક્ષ્મણની મૂર્છા વળશે અને ફરી લડશે અને આ રામ રાવણને જરૂર મારશે.'
બાળક ભીખાને આઘાત લાગ્યો. અને બળિયો રાવણ ગમી ગયો હતો. એનાથી રાવણની હાર ખમી શકાય તેવું નહોતું. આથી એણે ગિરજાને પૂછ્યું, ‘અલ્યા, આવો બહાદુર, હિંમતબાજ અને સોનાની નગરી લંકાનો ધણી રાવણ મરાય શા માટે ? એનું કારણ શું ?'
*ભીખા, કારણ પૂછે છે ? અલ્યા, વિચાર તો ખરો, આ રાવણે સીતાનું હરણ કર્યું છે. પારકાની સ્ત્રી પર નજર નાખવી છે, તો આવું જ થાય ને!'
ભીખાએ વળતો સવાલ કર્યો, 'આ પારકાની સ્ત્રી પર નજર નાખવી એટલે શું ? એ કઈ રીતે થતું હશે ? રાવકો એવું તે શું કર્યું છે ?'
“અરે, એણે તો સીતા માતા જેવી સ્ત્રી પર ખરાબ ઈરાદાથી મેલી નજર નાખી છે. આ એનું જ પાપ. જો, આવો માણસ ગમે તેવો બહાદુર હોય, તોય મગાવાનો. એના પાપ એને પોચી (પહોંચી) વળવાનાં.'
ગિરજાની વાત સાંભળી ભીખો વિચારમાં પડી ગયો. એને થયું કે ગિરજાએ તો ભારે મોટું રહસ્ય કહ્યું. એને થયું કે પારકી સ્ત્રી પર બૂરી નજર નાંખવી એ પાપ છે. એ પાપી ગમે તેવો બળિયો અને બહાદુર હોય, તોપણ એનું પાપ એને જરૂર ગળી જવાનું અને બન્યું પણ એવું કે રામે રાવણને માર્યો. એનાં દસ માથાં કપાઈ ગયાં. રામની આરતી ઉતારાવા લાગી
જૂન, ૨૦૦૯ ભીખો તો સાવ ખાલી ખિસ્સું હતા; આથી આરતી લઈને ફરનારો આવે અને કંઈ પાઈ-પૈસો નાંખી શકે નહીં, તે શરમથી બચવા માટે દૂરથી જ દર્શન કરીને બહાર નીકળી ગયા.
રામલીલા પૂરી થઈ ત્યારે રાતના બે વાગ્યા હતા. અંધારી બારસનો ચંદ્ર હજી ઊગ્યો નહોતો, પણ ભીખાની આંખ પર ઊંઘ સવાર થઈ ગઈ હતી.
આ રામલીલાએ ભીખાને લોકના આનંદની ઓળખ આપી. લોકસમૂહ કેવો મુક્તપણે હસી-બોલી શકે છે એનો ખ્યાલ આપ્યો. જાતજાતના વર્ણના લોક એને જોવા મળ્યા અને એટલે આ આનંદની સાથે એને જીવનનો એક અર્થ પણ મળ્યો.
ગણેશને ભાવથી દર્શન કરતા ગામલોકો અને ભગવાન રામનું કીર્તન કરતા ગાયકોએ ભીખાના મનમાં ધર્મ અને ભક્તિનો રંગ રેડ્યો. વળી એણે જોયું કે બૂરી નજર નાંખનાર રાવણનો નાશ કે ઘી અને એ મનોમન વિચારવા લાગ્યો કે જીવનમાં સારી નજર
ખેલ પૂરો થતાં કલાકારોએ માતાની પાસે જઈને ઘુઘરા કાઢ્યા. આરતી કરવા લાગી. સહુએ પાઈપૈસો નાખ્યા, પણ ગિરો અને
મળે તો કેવું સારું. ને એનામાં નીતિ અને ધર્મના ભાવોની રેખા મનની અજાણી ધરતી પર આકાર લેવા લાગી આકાશ નીચે ભજવાતી ભવાઈએ ભીખાના મનના આકાશને જીવન વિશેના કેટલાય ભાવો અને વિચારોથી ભરી દીધું. કશા ઉપકરણ વિના ભજવાતી આ રામલીલાએ ભીખાના મનમાં પરંપરાના અને મૂળના સત્ત્વના બીજ રોપ્યાં. એનું મન આનંદસભર ધર્મરંગનો અનુભવ પામ્યું. (ક્રમશઃ)
૧૩/બી, ચંદ્રનગર સોસાયટી, જયભિખ્ખુ માર્ગ, પાલડી, અમદાવાદ-૩૮૦ ૦૦૭. ટેલિફોન : ૦૭૯-૨૬૬૦૨૬૭૫ મોબાઈલ : ૦૯૮૨૪૦૧૯૯૨૫
પર્યુષણ વ્યાખ્યાનમાળા
સંઘના ઉપક્રમે સેવંતીલાલ કાંતિલાલ ટ્રસ્ટના સૌજન્યથી યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા રવિવાર તા. ૧૬-૮-૨૦૦૯ થી રવિવાર તા. ૨૩-૮-૨૦૦૯ સુધી એમ આઠ દિવસ માટે યોજાયી.
વ્યાખ્યાનમાળા સ્થળ : પાટકર હૉલ, ન્યૂ મરીન લાઈન્સ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦ ૦૨૦. રોજ ૭-૩૦ વાગે ભક્તિસંગીત અને ૮-૩૦ થી ૧૦-૧પસુધી બે વ્યાખ્યાનો યોજાશે.
સર્વને પધા૨વા નિમંત્રણ છે.
॥ મંત્રીઓ
Page #21
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
શ્રી જૈન મહાવીર ગીતા : એક દર્શન-૮ ૩૫. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ
પ. પૂ. આચાર્યશ્રી વાત્સલ્યદીપ સુરીશ્વરજીનો ચાતુર્માસ પ્રવેશ તા. ૨૪-૦૬-૨૦૦૯ ના મુંબઈદાદર (પશ્ચિમ)ના જ્ઞાનમંદિરમાં થશે. જિજ્ઞાસુઓને પૂજ્ય આચાર્યશ્રીનો જ્ઞાન લાભ લેવા વિનંતી. અષ્ટમ અધ્યાય : શક્તિ યોગ
હિતચિંતક હતા. એમણે પોતાના સાહિત્યથી સૌને સમર્થ થવાની ‘શ્રી જૈન મહાવીર ગીતા’માં આઠમો અધ્યાય ‘શક્તિયોગ' છે. પ્રેરણા અહીં કરી છે તે તો ખરું જ, પોતાના જીવનથી પણ આવી જ ‘શક્તિયોગ’ની શ્લોક સંખ્યા ૯૫ છે. પ્રેરણા તેઓ કરતા હતા.
વ્યક્તિ, સમાજ અને દેશ સમર્થ, શક્તિશાળી હોય તો જ તેનો પ્રભાવ પડે છે. યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી ‘શ્રી જૈન મહાવીર ગીતા’ અષ્ટમ અધ્યાય રૂપે ‘શક્તિયોગ’નું આલેખન કરીને સૌને સમર્થ બનવાની પ્રેરણા આપે છે અને તેમાં સમગ્ર વિશ્વમાં જૈન ધર્મ, જૈન સંઘ અને જૈન ધર્મી શ્રાવક-શ્રાવિકા સૌ અત્યંત શક્તિશાળી બનીને જૈનધર્મની અદ્ભુત શાસન પ્રભાવના કરે તેવી ઉપદેશધારા વહાવે છે.
‘શક્તિયોગ'નો પ્રારંભ આમ થાય છેઃ शक्तियोग समो योगो न भूतो न भविष्यति ।
धी - श्री कान्त्यादि वासायां शक्त्यां स्वातन्त्र्यात्मनः ।। (શક્તિયોગ, શ્લોક ૧) ‘શક્તિયોગ સમાન કોઈ યોગ થયો નથી અને થવાનો નથી : બુદ્ધિ, શ્રી, કાંતિ, ઈત્યાદિનો વાસ શક્તિમાં (સામર્થ્યમાં) છે અને તેનાથી આત્માની (પોતાની) સ્વતંત્રતા છે.’
વિશ્વ સદાય સમર્થને જ પૂજે છે તે જાણીતી વાત છે. કહ્યું છે કે ‘સમરથ કો નહિ દોષ ગોસાંઈ.' સમર્થ વ્યક્તિ જ શાસક બને છે. સમર્થ સમાજ જ વર્ચસ્વ પેદા કરે છે. સમર્થ રાષ્ટ્ર જ પોતાનું રક્ષણ કરે છે. સમર્થતા વિના સાર નથી. ધન, ચતુરાઈ, પ્રતિભાની સમર્થતા જ્યાં છે ત્યાં સૌ ઝૂકે છે. જ્યારે ખબર પડે છે કે હમણાં તમારી પાસે ખૂબ પૈસા આવી ગયા છે ત્યારે અજાણ્યો પણ હસ્તધૂનન કરી જાય છે અને જ્યારે ખબર પડે છે કે તમે હમણાં તકલીફમાં છો ત્યારે સગો ભાઈ પણ તમને સામેથી આવતા જોઈને ફૂટપાથ બદલે છે !
પ્રત્યેક વ્યક્તિની ઈચ્છા તો હોય જ છે કે તેનું વર્ચસ્વ હોય. પરતંત્ર કે ગુલામ હોવું કોને ગમે? વર્ચસ્વ હોવું જોઈએ એટલી ઈચ્છા માત્ર પૂરતી નથી. એ ઈચ્છા તો જોઈએ જ, પરંતુ એ ઈચ્છાની સાથે જ, વર્ચસ્વ માટેની જરૂરી સામગ્રી પણ જોઈએ. એ સામગ્રી એટલે સામર્થ્ય. પૈસા, ચતુરાઈ, પ્રતિભા, પ્રતિષ્ઠા આ બધું જ શક્તિમાન બનાવે છે. આવું સામર્થ્ય પામવું પડે.
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સમર્થ બનવાનું કહે છે. તેઓ સમર્થ જૈનાચાર્ય તો હતા જ, સાથોસાથ પ્રખર સમાજ, દેશ
૨૧
યોગનિષ્ઠ આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીના જીવનપ્રસંગો નિહાળીએ છીએ ત્યારે તેમાંથી સાધકજીવનની સૌરભ પ્રાપ્ત થાય છે ઃ
મુનિ બુદ્ધિસાગરજી અને શ્રી વિનયવિજયજી સ્થંડિલભૂમિ (શૌચ) જવા નીકળ્યા હતા. નદીને પેલે પાર જવાનું હતું. વિનયવિજયજી આગળ ગયા અને પુલ ઓળંગીને નીકળ્યા કે તરત ત્યાં ઊભેલા સિપાહીએ નાકાવેરો માંગ્યો. સાધુ પાસે તો શું હોય? એમણે પોતાની વાત સમજાવવા કોશિશ કરી પણ એ સત્તાનો ભૂલેલો માનવી હતો. એણે ન માન્યું. એણે વિનયવિજયજીને ત્યાં જ બેસાડી રાખ્યા. થોડી પળો પછી બુદ્ધિસાગરજી મહારાજ ત્યાં આવ્યા. એમણે વિનયવિજયજીને બેસાડી રાખેલા જોયા ને એમની આંખો ફાટી રહી
‘કૌન હો તુમ? ક્યા ટેક્સ ચાહતે હો? સાધુ-સંન્યાસી સે ટેક્સ લેને કા તુમકો કીસને કહા ?'
સિપાહી આ પ્રચંડ પંજાબી જેવા દેખાતા સાધુને જોઈ હબકી ગયો. એ સાધુની આંખમાંથી ગજબ નૂર પ્રકટતું હતું. કોઈને પણ તુમાખીથી જવાબ દેવાની રોજની એની આદત ભુલાઈ ગઈ!
હમારે પાસ સે ટેક્સ લેના હૈ તો યહ દંડ લે લો! ફિર કહાં કે ભી નહીં રહોગે ! ઘરબાર છોડકર હમારે સાથ ચલના હોગા, સમજે ? જરા સાધુ–સન્યાસી કો તો સમજો ભાઈ! સિપાઈ હો તો હો, મગર ઈન્સાન તો નહીં મીટ ગયે ?' બુદ્ધિસાગરજીએ કહ્યું.
સિપાહી ચરણોમાં ઢળી પડ્યો.
મુનિરાજે તેને શાંતિથી બોધ આપ્યો કે, ‘ભાઈ! સાધુ-સંતનું સન્માન કરતાં શીખ. સન્માન ન આવડે તો અપમાન તો કદી ન કરીએ. સિપાઈધર્મ કરતાં પણ મનુષ્યધર્મ મહાન છે. એ ન ભૂલીશ, ઈશ્વર તારું કલ્યાણ કરશે.'
સિપાહી ભાવવિભોર બની ગયો.
આ ઘટનાને શું કહેવાય? પરચો કહેવો હોય તો પરચો કહીએ, નહીં તો અનોખી પ્રતિભાનો જ એ પ્રભાવ છે. જીવંત આત્મશ્રદ્ધાનો પડઘો હંમેશાં પડે છે!
X X X
Page #22
--------------------------------------------------------------------------
________________
૨ ૨
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૦૯
એકદા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજ વિહાર દરમિયાન ‘આ સાપ હમણાં ચાલ્યો જશે, એ આપણને ઉપદ્રવ કરવા આવ્યો હણાદ્રા ગામ પાસેથી નીકળ્યા. રસ્તામાં ચોરનો ભેટો થઈ ગયો. નથી !' ચોરની ઈચ્છા હતી કે સાધુને લૂંટવા! ચોરે પડકાર કર્યો. શ્રીમદ્જી અને સાચે જ, સર્પ ધીમેથી સરકીને દૂર જતો રહ્યો! ક્ષણવારમાં વાત સમજ્યા ને સામા ધસ્યા. ચોરને બાવડાથી એવો
I XXX ઝાલ્યો કે બિચારાને ભોં ભારે થઈ પડી! હવે સૂરિજીએ તેને શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી સૌને, સમર્થ અને શક્તિવંત પડકાર્યો:
થવાની પ્રેરણા આપે છે તેમાં નિતાંત શુભ ભાવના ભરી છે. કહે ‘તું અમને લૂંટવા આવ્યો છે? અલ્યા, સંત અને સતીને લૂંટવાનો છેઃ તને વિચાર કેમ આવ્યો? પણ ખેર, હવે હું તને લૂંટીશ. હું માંગું વિસ્તરેવ મહાધર્મ: સર્વજ્ઞાતીયયોગીનામ્ | તે તારે આપવું પડશે, નહિ તો જીવતો જઈશ !”
एवं ज्ञा त्वा महायोगी, शक्तिधर्म समाचरेत् ।। ચોર મુંઝાયો. એ આ પ્રચંડ પ્રતિભાધારી સાધુને જોઈ રહ્યો.
(શક્તિયોગ, શ્લોક ૨) એને તો લેવા જતા દેવાની દશા આવી પડી. શ્રીમદ્ બુદ્ધિસાગર- “સર્વ લોકો માટે શક્તિ એ જ મહાન ધર્મ છે, એમ માનીને સૂરીશ્વરજીની પ્રભાવક દેહમૂર્તિ અને તેમના હાથમાં રહેલો વિશિષ્ટ મહાયોગીઓએ શક્તિધર્મ આચરવો જોઈએ.' દંડ જોઈને તે ઢીલો પડી ગયો. એણે સાધુની શરત કબૂલ રાખી. વળી કહે છેઃ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ તેને પોતાના ઈષ્ટ દેવની શાખે जैन संघ निवृद्धर्थं, वैषाचारादिनव्यता। દારૂ નહિ પીવો અને ચોરી નહિ કરવાની પ્રતિજ્ઞા આપી છૂટો કર્યો. कर्तव्या शक्तियोगेन, देशकालद्यपेक्षया।। XXX
(શક્તિયોગ, શ્લોક ૩) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી એકદા જંગલમાં કોતરની પાસે ‘દેશ અને કાળની અપેક્ષા અનુસાર શક્તિ-સમર્થતા દ્વારા વેષ, ધ્યાનમાં મગ્ન હતા. જે અંતરની દુનિયામાં પ્રવેશી જાય તેને આચાર વગેરેની નવિનતા દ્વારા જૈન સંઘની અભિવૃદ્ધિ માટે કાર્ય કરવું બહારની દુનિયાની તમા ન હોય. શ્રીમદ્જી જ્યાં ધ્યાન લગાવીને જોઈએ.’ બેઠેલા તેની બાજુમાં જ હતી સૂવરની બોડ. બોડમાંથી બે સૂવર શારીરિક, માનસિક, આંતરિક સજ્જતા વિના અથવા તો બહાર ધસી આવ્યા. એમની નાની-નાની દંતાળીઓ ભારે ક્રૂર હતી. સામાજિક કે પારિવારિક સજ્જતા વિના વિકાસ કદીય શક્ય નથી માનવીને હણી નાંખવા માટે સક્ષમ હતી. સૂવરોએ પોતાની બોલ્ડ તે હંમેશાં યાદ રાખવું જોઈએ. “શ્રી જૈન મહાવીર ગીતા' ગ્રંથનું પાસે ધ્યાનમગ્ન બેઠેલા માનવીને જોયઃ સ્વભાવથી જ હિંસક આલેખન થયું ત્યારે સમગ્ર ભારતવર્ષમાં આઝાદીની ચળવળ પ્રાણીઓ આ યોગીરાજને નિહાળીને અહિંસક બની ગયા. અડધો પૂરજોશમાં હતી અને તે સમયે પરતંત્રતા શું ચીજ છે તે ગ્રંથલેખક કલાક વીતી ગયો. એક તરફ ધ્યાનમાં ડૂબેલા યોગી અને બીજી સ્વયં નિહાળી રહ્યા હતા તેથી તેનો પડઘો “શક્તિયોગ'માં પણ બાજુ સૂવર! સૂરિજીએ ધ્યાન પૂરું કર્યું અને સૂવરને જોયા. એમના નિહાળવા મળે છે. “શક્તિયોગ'માં જ કહે છેઃ “પરતંત્રતા હંમેશાં અંતરમાં આનંદ વ્યાપી રહ્યો. એ દિવસે એમણે આત્માની પ્રચંડ છોડી દેવી જોઈએ, અને આત્માની સ્વતંત્રતા રક્ષવી જોઈએ. પરતંત્રતા શક્તિનો અનોખો અનુભવ કર્યો. એમને થયું કે અભય સામે ભય કરતા મૃત્યુ શ્રેષ્ઠ છે. સ્વાતંત્ર્યથી જીવન છે. સ્વતંત્રતા નષ્ટ થવાથી બળ નકામો છે, જે પોતે બીતો નથી અને બીજાને બીવડાવતો નથી એ વગેરે બધું નષ્ટ થાય છે. દેશ, સમાજ, ધર્મ વગેરેનું સ્વાતંત્ર્ય શાંતિ જ છે સાચો અહિંસક!
આપનારું છે.' (શક્તિયોગ, શ્લોક ૬, ૭) સાચા આત્માના સંગીને અભયનું વરદાન મળે છે !
ધર્મનું રક્ષણ શક્તિથી જ થાય. જૈન ઈતિહાસ અને વિશ્વનો - X X X
કોઈપણ ઈતિહાસનો અભ્યાસી કહી શકશે કે પરિવાર, સમાજ, પેથાપુરના શ્રાવકના પાંચ સંતાનોને શ્રીમદ્ બુદ્ધિસાગર- રાષ્ટ્ર ઈત્યાદિનું રક્ષણ શક્તિમાનોએ કર્યું છે. હાથ પર હાથ મૂકીને સૂરીશ્વરજી યોગ શીખવવા ગામની બહાર મેદાનમાં લઈ ગયા. બેસી રહેવાથી કંઈ જ ન વળે. ધર્મનું રક્ષણ શક્તિથી થાય અને શ્રીમદ્જી સમાધિ લગાવીને બેઠા હતા. એ સમયે ઓતરાદિ તેમાં હંમેશાં સંગઠન શક્તિ ઉમેરવી જોઈએ. સંગઠનથી જ જીતાય દિશામાંથી ફૂંફાડા મારતો સર્પ શ્રીમદ્જીની નજીક સરકી આવ્યો. અને સંગઠનથી શાંતિ પણ જળવાય તે નિર્વિવાદ છે. કહે છેઃ “જૈન બાળકોએ તીણી ચીસ પાડી પણ શ્રીમજી અવિચલ રહ્યા. એમના સામ્રાજ્યનું રક્ષણ સર્વ શક્તિથી થાય છે. સંઘશક્તિની વ્યવસ્થાથી અંતરમાં સર્વ પ્રત્યે પ્રેમનો સમુદ્ર ઘૂઘવતો હતો. સાચા પ્રેમની શક્તિયોગ વડે રક્ષણ કરવું જોઈએ. મારો ધર્મ જીવનરૂપી શક્તિવાળો પરિભાષા માનવી તો શું પશુ પણ સમજે છે. શ્રીમદ્ છે. તે વિશ્વનું કલ્યાણ કરનારો છે. સારા પ્રયત્નપૂર્વક તેની સાધના બુદ્ધિસાગરસુરીશ્વરજીએ હસતાં હસતાં ડરી ગયેલાં બાળકોને કહ્યું: કરવી જોઈએ.” (શક્તિયોગ, શ્લોક ૧૩, ૧૪)
Page #23
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન
૨ ૩.
સંગાથ હંમેશાં સજ્જનનો કરવો જોઈએ. સારા લોકોની સાથે કુદરતી રીતે જ નિર્બળ લોકો બળવાન લોકોના ભઠ્ય બને છે. આથી રહેવામાં, સારા લોકોનો સંગ જાળવવામાં, સારા લોકોની મન, વચન અને કાયાથી સબળતા મેળવવી જોઈએ.” (ગાથા, ૨૫) આગેવાની કરવામાં યશની અભિવૃદ્ધિ થાય છે ને સૌને આનંદ “સેવા ધર્મ શ્રેષ્ઠ ધર્મ છે. માતાની જેમ (સર્વ દુઃખીઓની) સેવા મળે છે. કહે છેઃ “ક્રૂર લોકોના આગેવાન થવાથી સજ્જનોનો નાશ થાય કરવી જોઈએ. કર્મયોગીઓ સર્વ કર્મ કરે છે.' (ગાથા, ૨૯). છે. જ્યારે જેનોના અગ્રણી થવાથી અલ્પદોષ અને મહાલાભ થાય છે.' “ધર્મકાર્યો કરનારા યોગીઓ (ભક્તો) કદી દુઃખ પામતા નથી. તેઓ
(શક્તિ યોગ, શ્લોક ૧૬) સ્વધર્મ સેવે છે (પણ) પરધર્મનો આશ્રય લેતા નથી. આવા (સમર્થ) ટૂંકમાં, દુષ્ટ જનોની સાથે રહેવું ન જોઈએ.
જેનો યુદ્ધ વગેરે કાર્યોમાં (પણ) પાછા પડતા નથી. તેઓ ધર્મયુદ્ધ કરે જ્યાં ધર્મ હોય છે ત્યાં જય થાય છેઃ યતો ધર્મસ્તતો ગય: આ છે તથા દુષ્ટોને અટકાવે છે.” (ગાથા, ૩૧, ૩૨) સૈકાલિક સત્ય છે. “શ્રી જૈન મહાવીર ગીતા'ના ‘શક્તિયોગમાં “જ્યાં જ્યાં શક્તિ છે ત્યાં ત્યાં મારો ધર્મ વૃદ્ધિ પામે છે. વૃદ્ધિમાં આવું જ પારમાર્થિક વિધાન જોવા મળે છેઃ “જેનોના અગ્રણી થવાથી હીનતા એ જેનોની ધર્મહીનતા છે. આથી જેનોએ મેં કહેલા રહસ્યો દેશ, રાજ્ય, વગેરેની રક્ષા થાય છે. જ્યાં ધાર્મિક લોકો મુખ્ય હોય છે. જાણવા જોઈએ. તેમજ સર્વ સ્વરૂપે શક્તિનો પૂર્ણ સંગ્રહ કરવો જોઈએ.” ત્યાં ધર્મ હોય છે અને ત્યાં જ હોય છે. (શ્લોક, ૧૭)
(ગાથા, ૪૨, ૪૩) સ્વદેશાભિમાન એ ગૌરવપૂર્ણ બાબત છે. ધર્મનું, રાષ્ટ્રનું “ઉદ્યોગ પરાયણ લોકો મહાસત્તાનો આશ્રય લે છે. જેઓ ઉપયોગને અભિમાન હોવું કે ગૌરવ કરવું તે જીવનનું પણ ગૌરવ છે. આવું ત્યજે છે તેઓ મને ત્યજે છે. જે થવાનું છે તે થાય જ છે તેમ નાસ્તિકો ગૌરવ કોઈ પણ પડકાર ઝીલવાની શક્તિ આપે છે. કહે છેઃ “આત્મ અચલ રીતે માને છે (પણ) આસ્તિકો પ્રયત્ન વડે મારો આશ્રય લે છે.” શક્તિ આપનાર ધર્મ અને દેશનું અભિમાન કરવું જોઈએ. સંઘને માટે
(ગાથા, ૫૫, ૫૬) સ્વાશ્રય અને સ્વાર્પણ કરવું જોઈએ. (શક્તિયોગ, શ્લોક ૨૩). ‘કર્મભેદથી કેટલાંક લોકો ઉચ્ચ છે તો કેટલાંક નીચ છે પણ
માનવીય જીવનની તો ઉન્નતિ થવી જ જોઈએ પણ સ્વભાવથી જ્ઞાનયોગના તારતમ્યથી કોઈ ઉચ્ચ નથી અને કોઈ નીચ નથી.' (બ ઉન્નતિ પામવી જોઈએ તે આ ઉપદેશનું લક્ષ્ય છે. મન, વચન, કાયા સૌ સમાન છે). (ગાથા, ૫૯) શક્તિથી ભરપૂર હશે તો વિજય મળશે. નિર્ભય થવાશે. નિર્ભયતા “સમયને જાણનારા વિદ્વાનોએ સંઘની એકતાનું રક્ષણ કરવું જોઈએ. હંમેશાં આંતરિક દૃઢતામાંથી પ્રગટે છે. શ્રીમદ્ બુદ્ધિસાગર- જે સંઘની એકતામાં ભેદ કરે છે તે દ્રોહી છે અને મારા ધર્મનો વિનાશ સૂરીશ્વરજીના પ્રત્યેક લેખનમાં સાત્ત્વિકતા, ખુમારી ઝળહળે છે. કરે છે.” (ગાથા, ૬૨). શ્રી જૈન મહાવીર ગીતા'નો “શક્તિયોગ’ પણ શક્તિપુંજ છે. સમર્થ “ઉદાર આચાર તથા પ્રતિબોધથી ધર્મની વિશાળતા સ્થપાય છે. તેને બનો, અહિંસક બનો, પરતંત્ર ન રહો, નબળાને સાચવો, ધર્મની હંમેશાં વ્યાખ્યાન વગેરે દ્વારા રક્ષવી જોઈએ અને વધારવી જોઈએ. સેવા કરો, ધર્મનું રક્ષણ કરોનો ઘોષ પ્રત્યેક શ્લોકમાં સતત રણકતો જેનોએ સંઘબળ વડે અને દેશ, કાળ મુજબ વ્યવહાર ગોઠવીને (સંઘ) સંભળાય છે, ત્યારે એક ત્યાગી અને યોગી સાધુ પુરુષની શક્તિવર્ધક કાર્યો અને ઉપાયોની યોજના કરવી જોઈએ. ખાસ કરીને મહાનતાના આપણને સુચારુ દર્શન થાય છે. માનવજીવન અમૂલ્ય ધર્મતીર્થની વૃદ્ધિ માટે આવા પ્રયત્ન કરવા જોઈએ અને મોહાંધ બનીને છે. જીવન જો દઢ, સદાચારપૂર્ણ અને વિવેકી બનાવ્યું હશે તો ગમે આળસ કરવી જોઈએ નહિ બલ્ક પુરુષાર્થ કરવો જોઈએ.' તેવા સુખ-દુ:ખમાં આનંદપૂર્વક જીવી જવાશે. સુખમાં છકી જવું
(ગાથા, ૬૩, ૬૪, ૬૫) કે દુ:ખમાં ડરી જવું એ નબળાઈ છે. એથી જીવનની શાંતિ ખંડિત “ચાર પ્રકારના સંઘની વૃદ્ધિ માટેના શક્તિવર્ધક કાર્યોમાં દેશ અને થાય છે. ભગવાન મહાવીરે માનવદેહનો-માનવ જીવનનો જે કાળની અપેક્ષા મુજબ સબુદ્ધિ રાખીને કાર્ય કરવામાં આવે તો તેમાં મહિમા ગાયો છે તેમાં મૌલિક દૃષ્ટિબંદુ છે. તેઓએ પોતાના પાપ નથી. (ગાથા, ૭૧) જ્ઞાનલોક દ્વારા એક સત્યનો ઉઘાડ કરી આપ્યો: ‘દેવ કરતાં માણસ “સંઘ વગેરેની શક્તિના લાભાર્થે સર્વકાર્યોમાં સબુદ્ધિ રાખીને ધર્મના એક મૂઠી ઊંચો. તિર્યંચ અને નરક કરતાં પણ માનવી મોટો.” આ અનુરાગી જેનોએ કર્તવ્ય કર્મમાં અધિકાર રાખવો જોઈએ. જેન ધર્મના વિધાન સ્મૃતિની દિવાલ પર કોતરી રાખવા જેવું છે. કેમ કે, આ દેહ વિરોધીઓની જે જે શક્તિઓ હોય તે તે શક્તિઓ જેનોએ પ્રયત્નપૂર્વક દ્વારા સત્કર્મની વિરાટ સિદ્ધિને આંબી શકાય. એક લક્ષ્યાંક સિદ્ધ કરી જાણવી જોઈએ અને તે મેળવીને આગળ વધવું જોઈએ. જેન ધર્મના શકાય. અને માનવી પાસે શું નથી? સંસ્કાર છે, શુભ અને અશુભનો વિરોધીઓના જે જે શક્તિવર્ધક કાર્યો હોય તેનાથી પણ વધારે કાર્યો નિર્ણય કરવાની શક્તિ છે. સારું અને ખરાબ પારખવાની હંસદૃષ્ટિ જેનોએ પ્રયત્નપૂર્વક કરવા જોઈએ. જૈનધર્મની વૃદ્ધિ માટે સર્વશક્તિને
એકત્ર કરવી જોઈએ. સર્વસંઘની શક્તિ વડે જ (સંગઠન વડે જ) સંઘ થોડાંક શ્લોકાર્થ જોઈએ:
ટકી રહે છે તેમ નક્કી જાણવું જોઈએ. જેનોના સર્વ કર્મો વડે જેન
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૪
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૦૯ ધર્મની પ્રગતિ થાય છે. પુણ્યથી પુણ્ય ઉદ્ભવે છે અને સ્વર્ગ તથા (છેલ્લે) સમયે સીનો તાણીને ટટ્ટાર થવું જ પડે, જરૂર પડે તો હાથમાં શસ્ત્ર મુક્તિ પણ મળે છે.' (ગાથા-૭૩, ૭૪, ૭૫, ૭૬, ૭૭) લેવા જ પડે. એવા સમયે એમ ન થાય તો તે નેતાઓને પ્રજા નિર્માલ્ય
જેનોની ઉન્નતિ વિરુદ્ધ જે દયા હોય તો તે દયા પણ સંઘ શક્તિનો જ ગણે તે ભૂલવું ન જોઈએ. નિર્માલ્ય નેતાગીરીને પ્રજા કે ઈતિહાસ નાશ કરનારી છે અને વસ્તુતઃ તે હિંસા રૂપ છે માટે તેનાથી દૂર રહેવું કદીય ક્ષમા ન કરે. જોઈએ. વ્યવહારિક અને ધાર્મિક રૂપવાળી દયા શુભ છે માટે જ સેવવા “શ્રી જૈન મહાવીર ગીતા'નો “શક્તિયોગ' જે વાંચશે અને યોગ્ય છે. જેનોની સર્વશક્તિનો નાશ કરનાર (વસ્તુને) અધર્મ કહેવાય વિચારશે તેને સદાય પ્રેરક લાગશે. આ એક સર્વકાલીન પ્રેરણાની છે. જેનોની સર્વશક્તિને ધારણ કરનાર ધર્મ કહેવાય છે. (માટે તેનું ઉત્તમ અને મહાન રચના છે.
(ક્રમશ:) પાલન કરવું જોઈએ.) મહાસંઘની રક્ષા કરવામાં બધા જ ધર્મો સુરક્ષિત પૂજ્ય આચાર્યશ્રી વાત્સલ્યદીપ, છે. (માટે તેની રક્ષા કરવી જોઈએ.).
C/o. અનંત ચશ્માઘર, મનીષ હૉલ પાસે, અંકુર રોડ, નારણપુરા,
(ગાથા, ૮૨, ૮૩, ૮૪) અમદાવાદ-૩૮૦ ૦૧૩. શક્તિવર્ધક કાર્યોમાં કદી વિરક્તિ કરવી નહીં. જ્ઞાન વૈરાગ્ય વગેરે
પંથે પંથે પાથેય (અનુસંધાન પૃષ્ટ છેલ્લાનું ચાલુ) યોગ વડે ભોગ્ય કર્મમાં આગળ વધવું જોઈએ. ભોગી લોકો સર્વ ભોગમાં
ભાઈની સેવા કરવાનો લાભ લેવો. સેવા કરનારાઓમાં સૌથી અગ્રેસર નિષ્કામ રહે તો તેનું કલ્યાણ થાય તેથી ગૃહસ્થ જેનો પોતાની શક્તિનો
કોઈ વ્યક્તિ હોય તો તે માવજીભાઈની પુત્રવધૂ ભાવનાબેન. એકલે હાથે નાશ કરતા નથી તેમ જાણવું. જેનો શારીરિક વગેરે સર્વશક્તિ માટેના
નાજુક શરીરવાળી પુત્રવધૂ ભાવનાબેન પોતાનાથી વધુ વજનવાળા શ્વસુરા નાશકારક કર્મોના વ્યભિચાર વગેરે દોષોના ત્યાગ વડે (બ્રહ્મચર્યના પાલન
માવજીભાઈના પુરુષદેહને કોઇપણ જાતના અણગમા કે સ્ત્રીસહજ સંકોચ વડે) સમર્થ બને છે.” (ગાથા, ૮૬, ૮૭, ૮૮, ૮૯)
વગર ઊંચકી લે, એમને વ્યવસ્થિત રીતે પથારીમાં ગોઠવીને પલંગ પર શ્રેષ્ઠ જૈનોએ પરસ્પર શક્તિનો વ્યય કરવો જોઈએ નહીં પરંતુ સુવડાવી દે, મા બાળકને ખવડાવે તેમ પંગુ શ્વસુરને ખુરશી પર બેસાડી શક્તિનો શુભ એવો શક્તિવર્ધક એવો યોગ કરવો જોઈએ.' કોળિયા ભરાવી પ્રેમથી જમાડે, એમનું મોટું તથા શરીર પાણીથી ધોઈ
(ગાથા, ૯૦) ટુવાલથી લૂંછી સાફ કરી આપે, આ તથા આવી અનેકવિધ સેવાઓ દીકરીની બધાય લોકોએ પોતાનું બધું જે કંઈ છે તે સંઘ માટે જ છે તેમ જેમ ખડે પગે ઊભી રહીને કરે. એ જોઈને હું તો દંગ જ રહી ગયો. પર્યુષણ માનવું જોઈએ. કર્મયોગીઓએ પોતાની મુક્તિ માટે આ ભાવના હંમેશાં પર્વ દરમિયાન પોતે આઠ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા કરી હતી ત્યારે પણ રાખવી જોઈએ.” (ગાથા, ૯૨).
ભાવનાબેને શ્વસુરની આ સેવાઓ કરવાનું કોઈ જાતનો ભંગ કર્યા વગર મારા વચનોમાં સંશય રાખનારા નાસ્તિકો છે અને ધર્મનાશકો છે.
ચાલુ રાખ્યું હતું. ખરેખર સેવાઓની આ પરાકાષ્ટા હતી અને એમાં ઉચ્ચ તેઓ કુતર્ક કરવાથી અપયશ પામે છે અને દુર્ગતિમાં જાય છે.'
કોટિનું બાહ્યાંતર અને અત્યંતર તપ મને દૃષ્ટિ ગોચર થયું.
થોડા દિવસ પછી પુત્રવધૂ ભાવનાબેનને પોતાના પુત્રના શિક્ષણ અર્થ (ગાથા, ૯૪)
શ્વસુરની સેવા પોતાના પતિ હેમંતને સોંપી મુંબઈ જવાનું થયું ત્યારે જે ‘નાસ્તિકોના કુતર્કોમાં મારા લોકો (ભક્તો) મોહ પામતા નથી,
હૃદયદ્રાવક દ્રશ્ય સર્જાયું અને ક્યારે પણ ભૂલી શકીશ નહીં. વિદાય લેતી મારા આશ્રયે રહેલા મારામાં યત્કિંચિત શ્રદ્ધા રાખનારા જેનો (ભક્તો)
વેળાએ ભાવનાબેન બિમાર શ્વસુરને ગાલે હાથ ફેરવતા ફેરવતી કેટલીક મારી ગતિને પામે છે. (ગાથા, ૯૫).
મિનિટો સુધી સતત રડતી રહી અને આજુબાજુ ઊભેલા સૌને રડાવતી રહી. “શ્રી જૈન મહાવીર ગીતા'નો ‘શક્તિયોગ” એટલે પ્રેરણાનો અખૂટ રડતી જાય અને બિમાર સ્વસુરને કહેતી જાય, “શરીરની સંભાળ રાખજો; સ્રોત. નીડરતા, નિર્ભયતા, સમર્થતા અને તેજસ્વીતા પ્રાપ્ત કરો હું જલ્દીથી દિવાળીની રજાઓમાં તમારી સેવામાં આવી જઈશ.” ખરેખર અને ઉત્તમ જીવન જીવો ની અભૂતપૂર્વ ઉપદેશધારા આ પોતાના આ વચનને પાળવા ભાવનાબેન અને અન્ય પરિવારજનો ૨૨મી ‘શક્તિયોગ'માંથી પ્રત્યેક શ્લોકમાંથી પ્રાપ્ત થાય છે. ગુણવાન અને ઓક્ટોબર, ૨૦૦૮ના રોજ ટ્રેન દ્વારા કચ્છ જવા નીકળી ચૂક્યા હતા પણ ધાર્મિકજનો માટે પ્રેરણાનું નવ્ય ભાથું ‘શક્તિયોગ'માંથી સંપ્રાપ્ત એઓ બધા લુણી પહોંચે તે પહેલા માવજીભાઈ આયુષ્ય પૂર્ણ કરી ગયા થાય છે. ગ્રંથલેખક શ્રીમદ્ બુદ્ધિસાગરસુરીશ્વરજીનું પ્રથમ શ્લોકમાં હતા. પરમકૃપાળુ સદ્ગતના આત્માને શાંતિ અર્પે. જ જે નિવેદન છે તે સત્ય છે કે જૈન સાહિત્યમાં “શક્તિયોગ' જેવી ભાવનાબેન જવી દશ પુત્રવધૂઓ, હમત જેવા સંતાનો, પ્રફુલ જેવા પ્રેરક રચના છે જ નહિ, માટે તે અભૂતપૂર્વ ગણવી રહી. ત્યાગ કરો
ભાણેજ તેમજ જરૂર પડ્યે સહકારનો હાથ લાંબો કરતા કુટુંબીજનો અને દયા કરોની સતત વાતોએ જીવનને જો નિર્માલ્ય બનાવી દીધું
માવજીભાઈની જેમ વધુ ને વધુ પરિવારોને પ્રાપ્ત થાય અને એ દ્વારા વધુ ને
વધુના જીવનબાગ મઘમઘતા બને એવી પ્રાર્થના હું મનોમન કરતો રહ્યો.* હોય તો તે પ્રેરણાનો સંદર્ભ બદલવો પડે. પાકિસ્તાનના ૫-૧૦
૪૦૯, હિન્દ રાજસ્થાન બિલ્ડીંગ, ૪થે માળે, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર મામુલી માણસો આવીને ભારત પર એટેક કરી જાય અને ભારત (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૧૪. ફોન : ૨૪૧૦૫૫૦૦, ૨૪૧૦૪૨૨ ૨. જોયા કરે તો તે મહાનતા ગણાય કે નહિ તે વિચારવું પડે. એવા રેસી :- ૨૪૧૪૪૦૧૦૨૪૧૪૫૧૬ ૧.
Page #25
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન જ્ઞાન અને ક્રિયાનો સમન્વય
સુમનભાઈ એમ. શાહ મુક્તિમાર્ગમાં જ્ઞાન અને ક્રિયા એ બન્ને ઈષ્ટ હોવા છતાંય, અપેક્ષાએ એવું કહી શકાય કે સમ્ય-જ્ઞાનથી મિથ્યા ભ્રમ ટળે એકાંકીપણે તેનો ઉપયોગ કરવાથી ધ્યેયની સિદ્ધિ અશક્યવત્ જણાય છે અને સમ્યક-ક્રિયાથી કર્મના બંધનો શિથિલ થાય છે. આમ ક્રિયા છે. જ્ઞાનીઓનો એવો અભિપ્રાય છે કે જ્ઞાન અને ક્રિયા એ બન્નેના અને જ્ઞાનના સમન્વયમાં જ યથાર્થ અધ્યાત્મ સમાયેલું છે એવો સમન્વયમાં શુદ્ધ અધ્યાત્મ છે. જીવની અસરથી પ્રભાવિત થઈ કર્મના જ્ઞાનીઓનો અભિપ્રાય છે. પુદ્ગલોમાં સુખ-દુ:ખ આપવાની શક્તિ પેદા થાય છે અને કર્મની બિના નયન પાવે નહીં, બિના નયન કી બાત; અસર તળે આવી જીવ પણ વિવિધ પ્રકારના સુખ-દુઃખ, અજ્ઞાન
સેવે સદ્ગુરુ કે ચરણ, સો પાવે સાક્ષાત અને મોહના વિપાકો અનુભવે છે. આ વસ્તુસ્થિતિ જેઓ જાણતા
-શ્રીમદ્ રાજચંદ્ર નથી અથવા વિપરીતપણે જાણે છે તેઓ કાં તો એકલી ભાવના કે જ્ઞાનના બળથી અથવા એકલી ક્રિયાના બળથી મુક્તિ મેળવવાનો
નિશ્ચયદૃષ્ટિનું લક્ષ કે ધ્યેય જિજ્ઞાસુ સાધકે એવા દેહધારી જ્ઞાનીઅર્થહીન પ્રયાસ કરે છે.
પુરુષ પાસેથી મેળવવું ઘટે કે જેઓ મુક્તિમાર્ગ પામેલ છે અને
અન્યને પમાડવાની ક્ષમતા ધરાવે છે. આવા સદ્ગુરુ પાસેથી મળેલ મુક્તિમાર્ગના સાધકને જો વીતરાગ પ્રણીત ધર્મ અંગીકાર કરવો
પરમ-શ્રુતજ્ઞાનરૂપ બોધ ભવ્યજીવમાં રહેલી મિથ્યાદૃષ્ટિ કે હોય તો નિશ્ચય અને વ્યવહાર એ બેમાંથી એકનેય છોડવું હિતાવહ
માન્યતાઓનો ધ્વંશ કરે છે અને સમ્યક્દષ્ટિ પ્રસ્થાપિત કરે છે. નથી, બલ્ક બન્નેના યથાર્થ સમન્વયથી હેતુ સિદ્ધ થઈ શકે છે. નિશ્ચય
આવા ભવ્યજીવને સદ્ગુરુ પ્રત્યે શ્રદ્ધા, અનન્યતા, આશ્રય-ભક્તિ બહુધા ભાવ-પ્રધાન છે અને વ્યવહાર ક્રિયા પ્રધાન છે. જીવ
ઈત્યાદિ ઉદ્ભવે છે. આવો સાધક સદ્ગુરુની નિશ્રામાં ધ્યેયને અનુરૂપ અંતઃકરણના સહયોગથી ભાવાત્મક પરિણામો ઉપજાવી શકે જ્યારે
મુક્તિમાર્ગનાં કારણો સત્-સાધનોથી સેવે છે, જે એક પ્રકારની મન, વચન, કાયાના યોગથી ક્રિયાત્મક પરિણામો નીપજે, મોહનો
સમ્યક્રિયા અને પુરુષાર્થ છે. સદ્ગુરુના આજ્ઞાધીનપણામાં રહી અધિકાર જે ભવ્યજીવને ચાલ્યો ગયો છે, એવાઓની આત્માને
સાધક આધ્યાત્મિક વિકાસ સાધે છે. સાધકથી થતી સમ્યકક્રિયા ઉદ્દેશીને કરેલી શુદ્ધ ક્રિયાને વીતરાગો અધ્યાત્મ કહે છે. કોઈપણ
પાછળ પ્રાણિધાન, પ્રવૃત્તિ, વિનય, સિદ્ધિ અને વિનિમય જેવાં લક્ષ, હેતુ કે પરિણામની શુદ્ધિ થવા માટે નિયત કરેલાં કારણો
પાંચ આશય હોવાથી તેનો ધર્મ-વ્યાપાર મોક્ષનું કારણ બની સેવવાની ભલામણ જ્ઞાનીઓએ કરેલી છે અને તેમાં ક્રિયા અંતર્ગત
શકે છે. જે દ્વારોથી પોગલિક કર્મો આવે છે, તે દ્વારો બંધ કરી
નવાં કર્મો રોકી દેવાં અને પહેલાંના કર્મોનો ક્ષય થાય એવા અંતરક્રિયાને કેવળ કાયાની ચેષ્ટા માનીને જેઓ માત્ર ભાવ કે
આશયથી થયેલી ક્રિયાને અમુક અપેક્ષાએ પુરુષાર્થ કહી શકાય. શ્રુતજ્ઞાનને અધ્યાત્મ ગણે છે, તેઓનું જીવન દંભ-રહિત બનવું
આનાથી સાધકની પ્રજ્ઞાશક્તિ પ્રજવલિત થાય છે અને આત્મિકઅશક્યવત્ જણાય છે. આનું કારણ એ જણાય છે કે છબસ્થ
ગુણો નિરાવરણ થવા માંડે છે. જ્ઞાન-દર્શનાદિ ગુણો જેટલા અવસ્થામાં મન-ચિત્તાદિ ભળ્યા સિવાય કેવળ કાયાથી જાણપણે
પ્રમાણમાં નિરાવરણ થયા હોય તેટલા પ્રમાણમાં તેની શુદ્ધ-ચેતના ક્રિયા થવી અશક્યવત્ છે. બીજી રીતે જોઈએ તો આત્મપ્રદેશોનું
(દર્શન અને જ્ઞાનોપયોગી કાર્યાન્વિત થાય છે. છતાંય અમુક કંપન થયા વિના મન-વચન-કાયા પ્રવૃત્તિ કરી શકતું નથી.
પ્રમાણમાં અપૂર્ણતા રહે છે, જેની પૂર્ણતા માટે સાધકે સતત ઉદ્યમી અથવા વાણીનો વ્યાપાર કાયાની અપેક્ષા રાખે છે અને મનનો
રહેવું ઘટે છે અને જે એક પ્રકારની ધ્યેયલક્ષી ક્રિયા છે. સાધકે જ્ઞાન વ્યાપાર પણ કાયાની અપેક્ષા રાખે છે, તેમ જ વાણી અને
અને ક્રિયાના સમન્વય વખતે પણ સગુરુની આશ્રય-ભક્તિ કાયાનો વ્યાપાર પણ આત્માની અપેક્ષા રાખે છે. જેઓ જીવને
છોડવાની નથી પરંતુ તેને નિરંતર સતેજ રાખવાની છે. શરીરી અવસ્થામાં પણ સર્વથા નિત્ય અને નિર્લેપ માને છે,
આમ ‘જ્ઞાન ક્રિયાભ્યામ્ મોક્ષઃ' એ જ્ઞાની પુરુષોનું વચન તે ઓ ના જીવનમાં વહેલા મોડા દંભનો પ્રવેશ થયા સિવાય
યથાયોગ્ય જ છે એવું કહી શકાય. રહેતો નથી. જો કે આવી પરિસ્થિતિ દેહધારી સર્વજ્ઞ કે ક્ષીણમોહદશામાં સ્થિત જ્ઞાની પુરુષોને લાગુ પડતી નથી. એવું
| * * * કહી શકાય કે એકલા નિશ્ચયથી ક્રિયાની ઉપેક્ષા, પ્રમાદની પુષ્ટિ, ૫૬૩, આનંદવન સોસાયટી, ન્યુ સમા રોડ, અહંકારની વૃદ્ધિ અને આળસનો આદર વધે છે.
વડોદરા-૩૯૦ ૦૦૮. ફોન : (૦૨૬૫) ૩૨૪૫૪૩૯
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
જૂન, ૨૦૦૯ જૈન પારિભાષિક શબ્દકોશ
ડો. જિતેન્દ્ર બી. શાહ
| (મે ૨૦૦૯ત્ના અંકથી આગળ) ૫૫૮. પૃથકત્વ (ભદ) : પૃથકત્વ શબ્દનો બેથી માંડી નવની સંખ્યા સુધી વ્યવહાર થાય છે.
पृथक्त्व शब्द का दो से लेकर नौ की संख्या तक व्यवहार होता है ।
It is a technical term standing for the numbers two to nine. ૫૫૯. પૃથકત્વ વિતર્ક-સવિચાર : શ્રુતજ્ઞાનને અવલંબી કોઈ પણ એક દ્રવ્યમાં તેના પર્યાયોનો ભેદ અર્થાત્ પૃથકત્વ વિવિધ દૃષ્ટિએ
ચિંતવન કરવું, તેમજ મન આદિ કોઈ પણ એક યોગ છોડી અન્ય યોગ ઉપર સંક્રમ અર્થાત્ સંચાર કરે, ત્યારે તે ધ્યાન પૃથ૦ વિતર્ક-વિચાર' કહેવાય છે. अर्थ पर से शब्द पर और शब्द पर से अर्थ पर चिन्तनार्थ प्रवृत्ति करता है, तथा मन आदि किसी भी एक योग को छोडकर अन्य योग का अवलंबन ग्रहण करता है तब वह ध्यान 'पृथक्त्व वितर्क-सविचार' कहलाता है। On the basis of whatever scriptural knowledge is available to him he in the interests of reflection he switches on from a meaning to a word, or lastly when he gives up one of yogas-e.g. that pertaining to manas in order to take up another, then the dhyana concerned
is called Pruthaktva-Vitarkasavicara. ૫૬૦. પોતજ
: જે કોઈ પણ પ્રકારના આવરણથી વીંટાયા વિના જ પેદા થાય છે તે પોતજ.
जो किसी प्रकार के आवरण से वेष्टित न होकर ही पैदा होते है वो पोतज है ।
The potaja are those species which are born without being wrapped in a coverage. ૫૬ ૧, પોષધોપવાસ : આઠમ, ચોદશ, પૂનમ કે બીજી હરકોઈ તિથિએ ઉપવાસ સ્વીકારી, બધી વરણાગીનો ત્યાગ કરી,
ધર્મજાગરણમાં તત્પર રહેવું તે પૌષધોપવાસ વ્રત. अष्टमी, चतुर्दशी, पूर्णिमा या दूसरी कोई भी तिथि में उपवास धारण करके और सब तरह की शरीर विभूषा का त्याग करके धर्म जागरण में तत्पर रहना पौषधोपवास व्रत है । On the 8th, 14th or full-moon date of the lunÉàr month-or on any other date-to keeps fast, to refrain from bodily decoration, to keep awake during night time engaged in
virtuous acts is called pauadhopavasa. ૫૬૨. પ્રકીર્ણક
: જે નગરવાસી અને દેશવાસી જેવા છે, તે દેવો પ્રકીર્ણક કહેવાય છે.
जो नगरवासी और देशवासी के समान देव ।
Prakirnakas are those who are akin to the rank-and-file townsmen and countrymen. ૫૬૩. પ્રકૃતિબંધ : કર્મપુદ્ગલોમાં જે જ્ઞાનને આવૃત્ત કરવાનો, દર્શનને અટકાવવાનો, સુખ-દુ:ખ અનુભવવાનો વગરે
સ્વભાવ બંધાય છે, તે સ્વભાવનિર્માણ એ પ્રકૃતિબંધ. कर्मपुद्गलों में ज्ञान को आवृत्त करने, दर्शन को रोकने, सुख-दु:ख देने का जो स्वभाव बनता है वह स्वभावनिर्माण ही प्रकृतिबन्ध है। The binding of nature e.g. the nature to conceal Jnana, the nature to obstruct darsana, the nature to cause the experience of pleasure, pain etc. that takes place in the
karmic particles is called praktibandha. ૨૦, સુદર્શન સોસાયટી, ૨, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩.
(વધુ આવતા અંકે)
Page #27
--------------------------------------------------------------------------
________________
જૂન, ૨૦૦૯
પ્રબુદ્ધ જીવન પુસ્તકનું નામ : કહો, કેવા હતા પ્રભુ મહાવીર?
સર્જન સ્વાગત
have gone, wrong' (લેખક-રફીક ઝકરિયા) સંપાદક : હર્ષદ દોશી
અને ‘રાષ્ટ્ર ઔર મુસલમાન’ (લેખક-નાસિરા શર્મા) પ્રવચનકાર : પરમ દાર્શનિક શ્રી જયંત મુનિ
2 ડૉ. કલા શાહ
આ બન્ને પુસ્તકો વાંચ્યા પછી બંનેના લેખકોએ (પેટરબાર); પ્રકાશક : જેન એકેડેમી કલકત્તા,
રાજકારણથી દૂર રહીને આ સવાલની છણાવટ ૩૨/બી, ચિત્તરંજન એવન્યુ,
પુસ્તકનું નામ : વસુંધરાનું વંઠેલું સંતાન આપણા મનમાં ભરાયેલા રાજકારણી કચરાને કોલકાતા-૭૦૦૦૧૨. લેખક : ડૉ. મહેરવાન ભમગરા
સાફ કરીને એક નવી જ શુદ્ધ હવાનો સ્પર્શ કરાવે મૂલ્ય- રૂ. ૭૦- પાના-૧ ૭૦, પ્રકાશન : યજ્ઞ પ્રકાશન
છે. હિંદુ-મુસ્લિમ વિખવાદને રાજકારણના આવૃત્તિ-૨૦૦૩, ઑગષ્ટ.
ભૂમિપુત્ર, હુઝરાત પાગા, વડોદરા-૩૯૦૦૦૧. આટાપાટામાંથી બહાર કાઢીને નવેસરથી નવી રીતે પ્રાપ્તિ સ્થાન : શ્રી યશ્વિનભાઈ એન. કાપડી મૂલ્ય-રૂ. ૧૫/- પાના-૩૨, આવૃત્તિ-૧, વિચારવા પ્રેરે છે. બંનેનું ધ્રુવપદ છે. હિંદુ-મુસ્લિમ ૨૦૧, મીરાઝ બિલ્ડીંગ, બીજે માળે,
એકતા અને ભારતની સહિયારી સંમિશ્રિત સંસ્કૃતિ પુનર્મુદ્રણ. માર્ચ-૨૦૦૭. ૫૧, ટી. પી. એસ. રોડ, બોરીવલી (પશ્ચિમ),
છે. નાનકડી પુસ્તિકા હિંદુ-મુસ્લિમ એકતાના ઈશ્વરે આપણને મબલખ આપ્યું છે. પણ આપણે
સંદેશો આપે છે. મુંબઈ-૪૦૦ ૦૯૨. ખપ પૂરતું જ તેમાંથી લેવાનું છે. છેલ્લા ૧૦૦
XXX ફોન : ૨૮૩૩૩૦૫૪, ૨૮૩૩૧૮૯૮, વરસમાં ઉદ્યોગીકરણના વ્યાપ પછી માણસે
પુસ્તકનું નામ : મનની શાંતિ અને શક્તિ ‘પુચ્છિન્નુણ' એ ભગવાન મહાવીરની અતિ પ્રાચીન કહેવાતી પ્રગતિ પાછળ આંધળી દોટ માંડી છે.
લેખક : અનુભવાનંદજી તથા શ્રીમતી લીલી જેમ્સ સ્તુતિ છે જે અર્ધમાગધી ભાષામાં છે. શ્રી પોતાના સુખ સગવડ અને ભોગવિલાસ માટે
એલન. અનુવાદક : શ્રી મોહનલાલ એસ. મહેતા. સૂયગડાંગ સુત્ર અધ્યયન ૬, પુચ્છિસૂર્ણ-વીર થઈને તે નિર્દયતાપૂર્વક પશુ-પક્ષી, જીવ-જંતુ,
શં-વીર થઇન ત નદયતાપૂર્વક પશુ-પક્ષી, જીવ-જંતુ, પ્રકાશક: નયના નંદલાલ ઠક્કર. બલરામ ચેમ્બર્સ, ના અનપમ નદી–પહાડો અને જંગલોનો આડેધડ નાશ કરી અમે માળે, બ્લોક નં. ૨૧, બેરેક રોડ, મેટ્રો
ભર આલેખન રહ્યો છે. માનવીએ માઝા મૂકી છે. સમગ્ર સૃષ્ટિને સિનેમાની પાછળ, મુંબઈ-૪૦૦ ૦૨૦. મુખ્ય આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે.
જીવવાલાયક રહેવા દીધી નથી. તે સૃષ્ટિનો સંહારક વિક્રેતા : એન. એમ. ઠક્કરની કંપની, ૧૦૪, શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ બન્યો છે.
પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨. ફોનઃ અર્જુનને વિરાટ દર્શન કરાવ્યું હતું તે રીતે અહીં આ નાનકડી પુસ્તિકા દ્વારા ડૉ. ભાંગરા આ ૨૨૦૧૦૬૩૩, ૨૨૦૩૩૧૨૮. મૂલ્ય-રૂ. ૪૫, પણ મહાવીર સ્વામીના કેવળજ્ઞાન- જે સમગ્ર વસુંધરાના વંઠેલા સંતાનને પોતાની કરણી બાબત પાના-૭૫, આવૃત્તિ-બીજી, એપ્રિલ-'૦૭. લોકવ્યાપી છે તેને આધારે શાસ્ત્રકારે વિરાટનું જાગૃત કરે છે. હજુ પ્રલય નથી થયો. આપણે પાણી અનુભવાનંદજીએ જીવનને ઉન્નત કરે તેવું દર્શન કરાવ્યું છે.
પહેલાં પાળ બાંધીએ, જાગીએ અને અન્યને આધ્યાત્મિક અને વિચારશીલ સાહિત્ય ગુજરાતને વીર સ્તુતિ કરીને શાસ્ત્રના રચયિતાએ એ સમયના
જગાડીએ. વિચારવંત વાચકોને સંકલ્પ કરવા પ્રેરે આપ્યું છે. બ્રાહ્મણ અને શ્રમણ સંસ્કૃતિમાં જે કોઈ ગતિવિધિ તેવી આ પુસ્તિકા છે.
૭૫ પાનાની આ નાનકડી પુસ્તિકામાં મનની
શાંતિ દ્વારા જીવન વિકાસની ખુબીઓનો પરિચય હતી તેને પ્રસ્તુત કરી છે. અને જૈન દર્શનના અને
XX X.
લેખકે કરાવ્યો છે. પુસ્તિકાના વિભાગ લેખકે કર્યા જૈન ભક્તિયોગના ઘણાં રહસ્યો ઉદ્ઘાટિત કર્યા પુસ્તકનું નામ :
છે. પહેલા વિભાગના પાંચ પ્રકરણમાં લેખકે મનનું છે. આ સમગ્ર અધ્યયન ચોવીશ ઉપમાઓમાં મિયાં ને મહાદેવનો મેળ પડશે જ પડશે
ચેતનામાં કેવી રીતે રૂપાંતર કરી શકાય અને તેમાં અલંકૃત થયું છે. પ્રત્યેક ઉપમાનું અનુસંધાન લેખક : કાન્તિ શાહ, પ્રકાશન : યજ્ઞ પ્રકાશન
શક્તિના દર્શન કેવી રીતે કરી શકાય તે પ્રક્રિયા તીર્થકર ભગવાન મહાવીરના વ્યક્તિત્વની સાથે ભૂમિપુત્ર, હુઝરાત પાગા, વડોદરા-૩૯૦૦૦૧.
સમજાવી છે. લેખકના મતે શાંતિ એટલે મન જ સાથે જૈન દર્શનની મૂળગામી ભાવના સાથે મૂલ્ય રૂા. ૩૦/- પાના-૮૦, આવૃત્તિ-૧,
નહિ પણ મનથી મુક્ત થયેલું માનવીનું મૂળ સ્વરૂપ વણાયેલું છે. પુનર્મુદ્રણ, જુલાઈ-૨૦૦૬.
તેને ચૈતન્યમય જીવન કહી શકાય. અને એ જ આ ગ્રંથમાં પુચ્છિન્નુર્ણ સૂત્રની દરેક ગાથાઓમાં ‘ભારતની સહિયારી સંમિશ્ર સંસ્કૃતિમાંથી મહોરેલું શાંતિ અને શક્તિની પ્રતીતિ કરાવે છે અને શબ્દશબ્દમાં જૈન દર્શનની મૌલિકતા પ્રગટ અસલ હિદુત્વ કેવું હોય તે લોકોને પ્રેમપૂર્વક બીજા વિભાગમાં લેખકે અખૂટ અને અજેય શક્તિ થાય છે અને ભગવાન મહાવીરના ગુણદર્શનમાં સમજાવવું પડશે. કદર હિંદુત્વવાદી, કદર આપે
રના ગણદર્શનમાં સમજાવવું પડશે. કટ્ટર હિંદુત્વવાદી, કટ્ટર આપે તેવા પારસમણિ સમા પ્રેરણાત્મક એમના વીરલ વ્યક્તિત્વની પ્રતીતિ. “પુચ્છિસ્સ'ના મુસ્લિમવાદી, કટ્ટર સેક્યુલરવાદી, કટ્ટર એન્ટી શક્તિદાતા સવિચાર આપ્યા છે. જે વાચકને મનની આ વિવેચનમાં પૂ. ગુરુદેવ શ્રી જયંતમુનિના
સેક્યુલરવાદી-આ ચારેયમાંથી ભિન્ન એવાં પાંચમાં શાંતિની ખોજ માટે અત્યંત ઉપકારક થાય તેવા ગહન ચિંતન, ઉત્કૃષ્ટ પ્રભુભક્તિ અને સાહિત્ય અભિગમ-નિરૂપાધિક-નર્યા માણસ તરીકેનો છે. નાનકડી પુસ્તિકા મનની શાંતિ અને શક્તિ પ્રેમનો ત્રિવેણી સ્રોત વહી રહ્યો છે.
અભિગમ જ આ દોજખમાંથી આપણને બહાર કેળવવા માટે સહાય રૂપ થાય તેમ છે. *** આ પુસ્તક ધર્મજિજ્ઞાસુ અને આરાધકોને ઉપયોગી કાઢી શકશે.’
બી-૪૨, દયાનંદ સોસાયટી, એ-૧૦૪, ગોકુલથશે.
ઉપરનું કથન આ પુસ્તિકામાં વિસ્તરે છે. લેખકે ધામ, ગોરેગામ (ઈસ્ટ), મુંબઈ-૪૦૦ ૦૬૩. X X X.
શ્રી કાન્તિ શાહ Indian Muslims-Whare ફોન નં. : (022) 22923754
Page #28
--------------------------------------------------------------------------
________________ Regd. With Registrar of Newspapers for India No. R. N. I. 6067/57 Posted at Patrika Channel sorting office Mumbai-400 001. On 16th of every month. Regd. No. MH/MR/ SOUTH-146 / 2009-11 PAGE No. 28 PRABUDHHA JIVAN JUNE, 2009 પુત્રના ક્ષેમકુશળ માટેની કુરબાની પુખ્તવયનો થયો હતો. મારા કચ્છના રોકાણ મેળવવાનું અને એની મધુરપ માણવાની તક દરમિયાન એકવાર હું ટેક્ષીમાંથી ઉતરી રહ્યો હતો આપણે ગુમાવી બેઠા છીએ. ઈ. સ. ૨૦૦૮ના દમયંતી એના મંદબુદ્ધિના પુત્ર દીપ સાથે, ત્યારે દીપ મને ખસેડી એ ટેક્ષીમાં બેસવા ઉત્સુક ચાતુર્માસ દરમિયાન મારા ગામ લુણી, કચ્છ ખાતે વર્ષે બે વર્ષે મહિના દોઢ માટે અમારા પડોશમાં થતાં મારા પર જોશભેર ધસી આવ્યો. મને મારું રહેવાનું થયું ત્યારે ફળિયાના સહજીવનને રહેતા એના પિયરીએ રહેવા આવે ત્યારે એને ટેક્ષીમાંથી ખેંચી કાઢી તમાચો મારી મને દૂર કરવા માણવાનો અનેરો મોકો મને અનાયાસે મળી મળવાનું અને એની સાથે સુખદુઃખની વાતો માટે દીપે જેવો હાથ ઉગામ્યો તે જોઈને મને ગયો. ચાતુર્માસ દરમિયાન ફળિયાના એકાદ કરવાનું થાય. વચ્ચે વચ્ચે થોડાક દિવસ માટે બચાવવા વચ્ચે પડવા દમયંતી દોડી આવી. આથી અપવાદ સિવાય બધા ઘર ખુલી ગયા હતા. આ અનુકૂળતા પ્રમાણે એના પતિ પણ લુણી આવી ગિન્નાયેલા દીપે મારા બદલે એક તમાચો દમયંતીને સહવાસ દરમિયાન ધૂળે ઢંકાયેલા ત્રણેક જેટલા રહી જાય. સંયમ સાથેનું સંવાદી જીવન જીવતા ચોડી દીધો. તમાચો ખાઈને પણ ક્ષમાધરિત્રી જેવી રત્નોના પરિચયમાં આવવાનું સદ્ભાગ્ય મને પતિ-પત્નીની એ આદર્શ જોડ. એમનું એક માત્ર માતા દમયંતી શાંત રહી અને પુત્રને વહાલભર્યા પ્રાપ્ત થયું. સંતાન દીપ લગભગ બે વર્ષનો થયો ત્યારે એમને સંબોધનોથી સમજાવવા મથતી રહી. આથી અગાઉ ફળિયામાં મારા પડોશમાં રહેતા માવજીભાઈ સમજ પડી કે એ મંદબુદ્ધિનો છે અને ત્યારથી પણ બે વખત દીપના હાથે તમાચા ખાતા મેં જીવનની પ્રારંભિક કઠણાઈઓને પાર કરી, કેટલાક તેની માનસિક સુધારણા માટે આ દંપતીએ જે દમયંતીને જોઈ છે. આવું બની જવા છતાં મેં વર્ષોના પરિશ્રમ પછી ધંધાર્થે સ્થિર અને સુખી પ્રયત્નો કર્યા છે એનો જોટો જડવો મુશ્કેલ છે. દમયંતીને ગુસ્સે થતાં કે દીપને ધમકાવતા ક્યારે થયા હતા. કુટુંબ વત્સલ માવજીભાઈએ પોતાના દીપ નિશાળે જવાની ઉમરનો થયો ત્યારે આ પણ જોઈ નથી. ભાણેજ પ્રફુલ તથા કેટલાક કુટુંબીજનોને ધંધામાં દંપતી કર્ણાટકના માંડ્યા શહેરમાં રહેતા હતા. સાથે રાખી એમને જીવનમાં સ્થિર થવામાં સારી તે સમયે મંદબુદ્ધિના બાળકને ભણાવી શકે એવી પંથે પંથે પાથેય... મદદ કરી હતી. જીવન સુખરૂપ વહી રહ્યું હતું. ત્યાં શાળા માંડ્યાથી ચાલીસેક કિલોમીટર દૂરમાયસોર અચાનક માવજીભાઈએ પોતાના ધર્મપત્નીને ચીમનલાલ ગલીયા શહેરમાં હતી. ત્યાં દમયંતી દરરોજ વહેલી ખોયા. એમના અવસાન બાદ થોડા સમયમાં સવારના દીપને ભણાવવા ટ્રેનમાં લઈ જતી. શાળા ભગવાન મહાવીરના ધર્મોપદેશ પર અપાર સ્વસ્થતા પ્રાપ્ત કરી વહેવાકુશળ માવજીભાઈ ચાલુ હોય ત્યાંસુધી ત્યાં જ રોકાય અને ઢળતા શ્રદ્ધા ધરાવનાર દમયંતીને આ વિષમ પરિસ્થિતિ પોતાના ચાર સંતાનોને પરણાવી પોતાની એ બપોર માંડ્યા પાછી ફરે. માંડ્યા રહેતા હતા પોતે સહી રહી છે એમાં પોતાના પૂર્વ ભવના અંગેની જવાબદારીથી મુક્ત થયા. સમય વહી રહ્યો ત્યાંસુધીનો દમયંતીનો આ નિત્ય ક્રમ. દીપની કર્મો સિવાય અન્ય કોઈનો વાંક ગુનો દેખાતો હતો ત્યાં તો એમના પર લકવાના હુમલાનો બીજો સારસંભાળ સારો એવો સમય લઈ લેતી હતી એ નથી. બનેલી ઘટનાને અનુલક્ષીને મેં દમયંતીને વજ્રઘાત થયો; જેથી એઓ પંગુ બની ગયા અને જોઈને દંપતીએ વિચાર્યું કે દરમિયાનમાં બીજું સૂચવ્યું કે દીપને થોડો શાંત પાડવા અને એનો પોતાની યાદદાસ્ત બિલકુલ ખોઈ બેઠા. બાળક અવતરે તો દીપ પાછળ યોગ્ય સમય ન ગુસ્સો થોડો ઓછો થાય એ માટે કોઈ યોગ્ય આજકાલ કરેલ ઉપકારોને તરત જ ભૂલી આપી શકાય. આ નિવારવા એમણે નાની ઉંમરમાં મનોચિકિત્સકને બતાવી એની દવા કરાવો. જનારા નગુણાઓની સંખ્યા ખૂબ જ વધી રહી છે બીજું બાળક ન જન્મે એ અંગેની ભીખ પ્રતિજ્ઞા જવાબમાં દમયંતીએ કહ્યું કે, “આવી દવાઓથી ત્યારે માવજીભાઈના સદ્ભાગ્યે એમના પુત્ર લઈ લીધી. આજે દમયંતી અને મુકેશ અનુક્રમે દીપ શાંત જરૂર થઈ જાય, પણ આની આડ અસરને હેમંત, પુત્રવધૂ ભાવનાબેન, ત્રણ પુત્રીઓ અને ચુમ્માલીસ અને છેતાલીસ વર્ષના થયા છે ત્યારે કારણે એના થનારા સંભવીત માનસિક વિકાસની એમનો ભાણેજ પ્રફુલ્લ સહિત એમના પરિવારતેઓ બન્ને દીપના યોગક્ષેમ પાછળ પોતાની સર્વ શક્યતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રુંધાઈ જાય જે જનો એમની લાચાર અવસ્થામાં એમની પડખે શક્તિ અને સમય ખર્ચી રહ્યા છે. આજે જ્યારે અમે હરગીઝ પસંદ કરી શકીએ નહીં.” આવી ઉદ્દાત અડીખમ ઊભા રહ્યા. આજે જીવનમૂલ્યોનું પોતાના શરીર સુખ અને સગવડને આડે આવતા માતૃ-પિતૃ ભાવનાને હું મનોમન વંદી રહ્યો. ધોવાણ ઘણું થયું છે ત્યારે આ પરિવારનું આદર્શ ગર્ભમાંના બાળકનો પણ ગર્ભપાત દ્વારા નિકાલ * * * દૃષ્ટાંત આપણને સૌને પ્રેરણા આપે એવું છે. કરાવનારાઓની સંખ્યા વધી રહી છે ત્યારે પોતાના ચાતુર્માસ દરમિયાન માવજીભાઈ પણ લુણી મંદબુદ્ધિના બાળક માટે જીવનના સર્વ સુખને ધૂળે ઢંકાયેલાં રત્નો બધા સાથે રહે જેથી એમને કુટુંબની હુંફ મળી ન્યોછાવર કરનાર સૈયા દંપતીનું દૃષ્ટાંત અનેકને રહે એ હેતુસર એવું નક્કી કરવામાં આવ્યું કે પ્રેરણા આપે એવું છે. આપણે શહેરની એપાર્ટમેન્ટ જીવનશૈલીને સંબંધકર્તા સૌએ વારાફરતી લુણી આવી માવજીદીપ હવે મજબૂત બાંધાનો અઢાર વર્ષની અપનાવી છે એને કારણે પડોશીઓ સાથે નિકટતા (વધુ માટે જુઓ પાનું 24) Printed & Published by Niruben S. Shah on behalf of Shri Mumbai Jain Yuvak Sangh and Printed at Fakhri Printing Works, 312/A. Byculla Service Industrial Estate, Dadaji Konddev Cross Rd, Byculla, Mumbai-400 027. And Published at 385, SVP Rd., Mumbai400004. Temparary Add.: 33, Mohamadi Minar, 14th Khetwadi. Mumbai-400004. Tel.: 23820296. Editor: Dhanwant T. Shah.