SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ જૂન, ૨૦૦૯ સાકાર કરવામાં તેમને અનેક વિટંબણાઓ અને વિઘ્નનો સામનો કરવો પડ્યો હતો. કાર્નેગી મેલન જેવી ટોચની અને પ્રખ્યાત યુનિવર્સિટીમાંથી કૉમ્પ્યુટર સાયન્સમાં Ph.D. કર્યા પછી રેન્ડી પાઉશે ડિઝનીલેન્ડમાં 'imagineer' ના કામ માટે અરજી કરી. રેન્ડી પાઉશ કલ્પનામાં ઊડી રહ્યા હતા. તે ધારતા હતા કે આવી માતબર યુનિવર્સિટીના Ph.D.ને ધારે ત્યાં કામ મળી જાય. ડિઝનીલેન્ડમાંથી નનૈયાનો પત્ર મળતાં તે નક્કર ધરા ઉપર આવી ગયા. તેમણે વજીર્નિયા યુનિવર્સિટી અને ત્યાર પછી કાર્નેગી મેલનમાં virtual reality ઉપ૨ સંશોધન ચાલુ રાખ્યું અને તેમાં ઝડપી વિકાસ કર્યો. પણ તે પોતાના સ્વપ્નને ભૂલ્યા ન હતા. પ્રબુદ્ધ જીવન ૧૫ સવિનય ઈન્કાર કર્યો. હવે તે પોતાનું કાર્યક્ષેત્ર યુનિવર્સિટીમાં જ રાખવા માગતા હતા. છેવટે ડિઝનીલેન્ડના આગ્રહને વશ થઈ તેમણે અઠવાડિયામાં એક દિવસ સલાહકારની જવાબદારી સ્વીકારી. તોતિંગ ભીંત જેવા અનેક વિઘ્ન પાર કર્યા ત્યારે તેમનું બાળપણનું આ સ્વપ્ન સાકાર થયું! જોન સ્નોડી virtual realityના પ્રખ્યાત નિષ્ણાત હતા અને ડિઝનીલેન્ડ સાથે જોડાયેલા હતા. રેન્ડી પાઉશે તેની સાથે કામ જોન સ્નોડીએ તેમને એક મોટી શીખ આપી હતી. જ્યારે કોઈ વિઘ્ન આવે, અડચણ ઊભી થાય. કામ અટકતું લાગે ત્યારે કોઈ વ્યક્તિ ઉપર રોષ કે દ્વેષભાવ ન રાખતા ધીરજથી કામ લેવાની યુક્તિ તેણે સમજાવી. જોન સ્નોડીએ કહ્યું કે સામી વ્યક્તિ તને સમજી શકે તે માટે તેને પૂરતો સમય આપવો જોઈએ. ગમે તેવી વ્યક્તિ હોય, લાંબે ગાળે એ જરૂર ન્યાય આપશે. જો હેતુ શુદ્ધ અને પ્રમાણિક હોય તો પૂર્વગ્રહ, ઈર્ષા, અહં અને ગે૨સમજૂતીથી ઊભા થયેલા અવરોધો આપણી નિષ્ઠાથી લાંબે ગાળે દૂર થશે જ. કરવાની તક ઊભી કરી. તે માટે રેન્ડી પાઈશને યુનિવર્સિટીની મંજૂરી મેળવવી જરૂરી હતી. તે એક વરિષ્ટ અધિકારી પાસે ગયા. રેન્ડી પાઉશનો વિષય તદ્દન નવો અને વિકસી રહેલો હતો. તે વિષયના જાણકાર બહુ જ ઓછા હતા. આ અધિકારીએ રદિયો આપતાં કહ્યું રેન્ડી પાશે કહ્યું કે આ સોનેરી શિખામણ તેમણે જીવનમાં વણી લીધી હતી. ‘બની શકે છે કે તમારે ઘણો લાંબો સમય રાહ જોવી પડે. કોઈ માણસ સદંતર દુષ્ટ નથી. દરેકમાં કંઈક સારું તત્ત્વ હોય છે. ફક્ત રાહ જુઓ. તેનું શુભ તત્ત્વ બહાર આવશે જ.’ કે કે ‘તારો પ્રસ્તાવ કામનો છે તે કેમ ખબર પડે ?’ રેન્ડી પાઉશ તેમના સાથીઓ પાસેથી માનવતા, સહિષ્ણુતા અને ધીરજના અમૂલ્ય પાઠ શીખ્યા હતા. તેમણે દરેક વ્યક્તિત્વમાં છૂપાયેલી કુશળતાને શોધી કાઢવાની સૂઝ હાંસલ કરી હતી. તેને દરેક મનુષ્યમાં રહેલા શુભ તત્ત્વ ઉપર અખૂટ શ્રદ્ધા હતી. આ શ્રદ્ધા તેમના જીવનનું પ્રે૨ક બળ હતું. તે માનતા હતા કે માર્ગમાં ભીંત આડી આવે છે તે પણ કામની છે. એ ભીંત મોટી પરીક્ષા છે, જેને આગળ વધવાની અદમ્ય તમન્ના છે તેને એ ભીંત પાર કરવાનો ઉપાય મળશે જ. જેની નિષ્ઠા થોડી પણ ઓછી હશે તે ભીંત પાસેથી પાછો ફરશે. રેન્ડી પાઉંશ સરળતાથી હાર સ્વીકારે તેવા ન હતા. તેમણે બીજા વરિષ્ઠ અધિકારીનો સંપર્ક કર્યો. આ અધિકારીએ સહાનુભૂતિ સાથે કહ્યું, 'તારા વિષયની મારી પાસે કોઈ માહિતી નથી. નિર્ણય આપતાં પહેલા મારે વધુ વિગત મેળવવી પડશે. પરંતુ હું એટલું જાણું છું કે યુનિવર્સિટીના તેજસ્વી અધ્યાપકનો આ પ્રસ્તાવ છે.’ બન્ને અધિકારીઓએ એ જ વાત કહી કે તેઓ આ વિષયથી અપરિચિત હતા અને નિર્ણય લઈ શકતા ન હતા. એકનો ઉત્તર નકારાત્મક હતો અને બીજાનો પ્રતિભાવ પ્રોત્સાહક હતો. રેન્ડી પાઉશ કહે છે કે તેનું આ સ્વપ્ન સાકાર કરવામાં આડી ભીંત જેવું વિઘ્ન આવી ગયું હતું. છતાં તેમણે તેમાંથી પણ અમૂલ્ય અનુભવ મેળવ્યો. એક સાથીએ જ્યારે તેમની સફળતાનું સ્ય પૂછ્યું ત્યારે રેન્ડી પાશે કહ્યું, 'કોઈ પણ શુક્રવારે રાતના દસ વાગ્યે મારી ઓફિસમાં મળો.' શનિવાર અને રવિવારની રજા આવે ત્યારે મોટા ભાગના અનેક વિઘ્ન પાર કરીને રેન્ડી પાઉશ છેવટે યુનિવર્સિટી પાસેથી માાસો શુક્રવારે સાંજના જ ઑફિસથી બહાર નીકળી જતા હોય અનુમતિ મેળવીને જ રહ્યા. છે ત્યારે તે મોડે સુધી કામ કરતા હતા. તે માનતા હતા કે ‘તક’ અને તૈયારીનો સંગમ થાય છે ત્યારે જ નસીબ ખૂલે છે.’ જ આ ઘટનાએ તેમને જીવનમાં સહકાર અને પ્રોત્સાહનનું મહત્ત્વ સમજાવ્યું, જે તેમની સફળતાની ચાવી હતી. કોઈ પણ રીતે બીજાને ઉપયોગી થવાની તત્પરતાથી તેમણે અનેક અધિકારીઓ, સાથીદારો અને વિદ્યાર્થીઓના આદર અને પ્રેમ મેળવ્યા હતા અને ધાર્યું કામ પણ કરાવી શક્યા હતા. જોન સ્નોડી સાથે તેમણે ડિઝનીલેન્ડના Imagineering વિભાગમાં પાયાનું કામ કર્યું. પરિણામે ત્યાં virtual reality આધારિત અદ્ભુત કાર્યક્રમો તૈયાર થયા. હવે ડિઝનીલેન્ડે તેમને કાયમી ધોરણે રોકવાની દરખાસ્ત આપી! પણ રેન્ડી પાઉશે તેનો રેન્ડી પાઉશે હંમેશ ફળ કરતાં ફરજને વધુ મહત્ત્વ આપ્યું હતું. તેમણે આ ભાષણમાં ભાર દઈને કહ્યું કે તમારી પૂરી શક્તિ કામમાં કૂંડી અને પરિણામ તમારા કર્મ ઉપર છોડી દો. તે કાર્યક્ષમતા, સમયપાલન અને શ્રેષ્ઠતાના નાચહી હતા. સાથેસાથે આ આગ્રહ માનવતાથી મઢેલો હતો. કાર્નેગી મેલનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અને Ph.D. માં પ્રવેશનું ધોરણ ઘણું જ ઊંચું છે. તે માનતા હતા કે જ્ઞાનની સાથે લાગણીની ભિનાશ પણ જીવનમાં એટલી જ જરૂરી છે. તેમના પ્રયાસથી અનેક વિદ્યાર્થીઓને પ્રવેશ
SR No.526011
Book TitlePrabuddha Jivan 2009 06
Original Sutra AuthorN/A
AuthorDhanvant Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2009
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size460 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy