Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 33
________________ ૨૬૨ તે ગણત્રીના વર્ષો સુધી, ત્યાર પછી તે તે ચોરીનું ધન તમારા મૂળ ધનને પણ વ્યર્થ બનાવે છે. તમે કોઈ ચોરને દાતા દાનવીર સુખી, સંપન જે છે ? દુરાચાર જેવા માર્ગેથી આવતું ધન માનવીની બુદ્ધિને પણ બગાડે છે, “યથાધન, તથા અન્ન, યથા અન્ન તથા મતિ” જેવું ધન તેવું અન્ન અને જેવું અન્ન તેવું મન. તેથી ધમીએ તે નિર્ણય કરે કે પાપી કે અધર્મની સુખ સાહ્યબી જોઈને ચોરી અન્યાય કે અનીતિના રસ્તે લાખ રૂપિયાની કમાણી થતી હોય તો પણ પિતે તે મા નહિ જાય. પિતાની શુભભાવનાને તેડે નહિ. પિતાના ન્યાયનીતિના માર્ગને છોડે નહિ. - “ધમી ને ઘેર ધાડ અને પાપીને ઘરે લહેર ” " આ કહેવત પ્રમાણે કદાચ ધમીને દુઃખ દરિદ્રતા હોય પાપી સાધન સંપન્ન હોય અને લહેર કરતે હોય, તે પણ ધમને તે વિશ્વાસ છે કે આ પાપી – ચારનું પૂર્વનું પુણ્ય આજે ભોગવી રહ્યો છે. તે સુખ ક્ષણજીવી છે. પરિણામે તે તેને દુઃખ ભેગવવું જ પડશે. સમાજમાં આપણે જોઈએ છીએ કે પૂર્વ પુણ્યદયે પાપીને ત્યાં લીલાલહેર હોય છે, પરંતુ આખરે તે સર્વને વિનાશ થાય છે. છેવટે પાપનું પરિણામ દુખ જ છે, પૂર્વ પુણ્યના સહારે વર્તમાનનું પાપ ઢંકાયેલું રહે તે પણ ધમીએ તે જોઈને પિતાને ધર્મ છેડે નહિ. પિતાને પરિશ્રમની સાચી કમાઈની ભૂખી રોટલી પણ મીઠી માનવી. પરંતુ ચોરીના મેવા-મિઠાઈ ઝેર રૂપ છે. - ભલે, અહ૫ પુણ્યાગ લાંબા સમય માટે હોય તે સારું છે, પાપ કે ચોરીથી ઉપાર્જિત ઘણું ધન થડા દિવસ માટે મળ્યા પછી વ્યક્તિને એવી રીતે પછાડે છે કે, તે ફરીથી ઉભી થઈ શકતી નથી. આબરૂને સર્વનાશ થાય, સમાજમાં શિર ઉંચું પણ થઈ ન શકે. કે સુખ પણ દેખાડી શકાય નહિ તેવી સ્થિતિ થાય છે, માટે નિર્ણય કરે કે કયે માર્ગ સારો કે હિતાવહ છે? ક્ષણિક સુખ, ક્ષણજીવી લક્ષ્મી તમે ઈચ્છે છે તે પછી તમારે માટે ચોરી પાપ કરવું સહેલું છે અને જો તમે દીર્ધકાળનું સુખ ઈચ્છતા હો તે પાપ અન્યાયને ત્યાગ કરીને ધર્મ ન્યાય નીતિના માર્ગ પર ચાલ્યા વગર બીજે કંઈ ઉપાય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42