Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 38
________________ ૨૬૭ चार्य पापमस्येह बध बन्घादिकं फलम् । जायते परलेाके तु फलं नरक वेदना ॥ જેમ જમીનમાં વાવેલા ખી માંથી ઉગેલા વૃક્ષ પર સમય થતાં ફળ બેસે છે, તે પ્રમાણે પાપવૃક્ષ પર વધ, બંધન આદિ ફળ બેસે છે. ચોર ચોરી કરતાં પકડાઈ ગયા કે તેને સૌ મારવા લાગે છે, અને પછી પેલિસ પાસે પકડાવી દે છે. પેાલિસ કર થઈને તેને હટર કે ક્રેડા વડે મારીને દુઃખી કરે છે. વીજળીના શેક આપે છે. જેલમાં ભારે પરિશ્રમ કરાવે છે. હાથ પગ માંધીને કેટલાયે દિવસે તેને પૂરી રાખવામાં આવે છે. અને જરા ભૂલ થાય તે અતિશય માર મારવામાં આવે છે. એકવાર વડેદરાની જેલમાં અમારું પ્રવચન હતું, ગુન્હેગારાએ પ્રભુની વાણી સાંભળીને પેાતાના પાપ બદલ ઘણા પશ્ચાતાપ કર્યાં. કેટલાકે પેાતાના પાપની ક્ષમાયાચના કરી જો કે તેમને તેમની સજા તે પૂરી ભેગવવી પડી, જેલમાં કેદીઓની દશા ઘણી દયાજનક હતી. છતાં આ સજા પૂરી થયે છૂટી ગયાપછી શું ? એવા કેટલાક કુકૃત્ય હશે જે આ જન્મમાં પકડાઈ જવા પામ્યા ન હાય, તેથી ખૂની અપરાધી નિર્દોષ છૂટી ગયા હૈાય, અથવા લાંચ આપીને પણ છૂટી ગયેા હાય. પરંતુ એ સ` પાપાના ફળ સ્વરૂપ અધેગપતિ અજગરની જેમ મુખ ફાડીને બેઠી છે. કોઇ અન્યને ઠંગીને તમે છૂટી જશે પણ તમારી પોતાની કર્માં સત્તાને ભોગવ્યા વગર છૂટી શકશેા નહિ. કમ પ્રમાણે ગતિ મળવાની છે અને નરગતિમાં તે પરમાધામી રાક્ષસ વૃત્તિવાળા તૈયાર જ છે તે મહાકૂર નિ ચીને કઇ તમારી દયા આવવાની નથી. જેમ કસાઇ મકરી, ગાય, આદિને દયારહિત થઈ મારે છે તેમ તે રાક્ષસા તમને રહેંસી નાંખશે. તેલમાં ભજીયાની જેમ તળી નાંખશે. પત્થર પર પટકશે એમ અનેક પ્રકારે મહાવેદના આપશે અને તે તમારા કરેલાં કૃત્યાના પરિણામ સ્વ રૂપે ભાગવવી પડશે. કેાઈ ચોરે સા વાર ચોરી કરી તેમાં તે છેલ્લીવાર પકડાઈ ગયા અને તેને તે પ્રમાણે સજા મળી પણ તે પહેલા નવ્વાણુવાર કરેલ ચોરીની સજા તે આ જન્મમા બાકી રહી તેનુ શું ? ભલે આ જન્મમાં તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42