Book Title: Papni Saja Bhare Part 06
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ૨૬૮ . નવ્વાણુવાર પૂરાવાના અભાવે સજા ન પામે. પણ આખરે તેને નરકમાં જઈને સજા ભોગવવી પડશે. તે સમયે એવી મહાયાતના ભેગવવી પડશે કે તે ચોધાર આંસુએ રડશે, તે પણ પરમાધામી દેવ તેની દયા નહિ ખાય. નરક કંઈ એક બે નથી સાત-સાત નરક છે અને ઓછામાં ઓછું આયુષ્ય દસ હજાર વર્ષનું છે. અહીં પાંચ-પચીસ વર્ષ ચોરી કરી હોય અને તે પાપની સજા નરકમાં હજારો લાખો વર્ષ ભેગવવી પડે છે. કર્મસત્તાના સામ્રાજ્યમાં દેર નથી અને અંધેર પણ નથી. ચાર કયારેય પણ શાંતિ પામી શકતા નથી. दिवसे वा रजन्यां वा स्वप्ने वा जागरेऽपि वा । सशल्य इव चौये ण नैति स्वास्थ्य नरः क्वचित् ॥ પગમાં કાંટો વાગ્યા પછી કે હાથની આંગળી કપાઈ ગયા પછી જેમ પ્રતિ સમય વેદનાને અનુભવ થાય છે. ક્ષણ માત્ર તેને શાંતિ મળતી નથી તેમ ચરને દિવસ-રાત સૂતા-જાગતા કેઈપણ ક્ષણે શાંતિ હોતી નથી. માફ કરજે, પૈસા – ધન-સંપત્તિ કે લક્ષમી તમારી પાસે આવ્યા પછી તમને સુખશાંતિ મળે છે તે તમારી ધારણા છેટી છે. ધન અને સુખ શાંતિને કંઈ સંબંધ કે લેવા – દેવા નથી. પરંતુ જેમ જેમ ધન વધે તેમ તેમ અશાંતિ વધે છે, સુખનું કોઈ ઠેકાણું હોતું નથી અને શાંતિનું તે નામ નિશાન રહેતું નથી. શાસ્ત્રકારોએ કહ્યું છે કે : અર્થમનઈ કારણું પરમ”! ધન–અર્થ મહાઅનર્થનું કારણ છે. આપણે જોઈએ છીએ કે કઈ શ્રીમંતની પાસે લાખે કે કરોડોની સંપત્તિ એકઠી થઈ હોય પણ તે રાત્રે નિરાંતે નિદ્રા લઈ શકતા નથી સુખના સેંકડો સાધન બહાર એકઠા કર્યા હોવા છતાં સુખનું તે નામ નહિ, એમ શા માટે?એ લાખે કે કરોડની સંપત્તિ આવી કયાંથી એ ધન કેવા પ્રકારે આપ્યું ? જે તે અસત્ય, અનીતિ, અન્યાયના માર્ગેથી આવ્યું હોય તે તે સુખ શાંતિ કેવી રીતે આપશે ? સંભવ નથી. સ્વાશ્ય પણ નિરોગી કેવી રીતે રહેશે? અંતે ચારે તરફથી પાપ પણ ઉદયમાં આવશે. અંદર બહાર કયાંય સુખ શાંતિ નહિ હોય મન સતત ભયગ્રસ્ત, સતત ચિંતામય રહેશે. એવું ધન જીવનમાં શા કામનું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42