Book Title: Panyas Pravar Muktivimal Ganivarnu Sankshipta Jivan Charitra
Author(s): Kanakvimal
Publisher: Muktivimal Jain Granthmala
View full book text
________________
ગુરૂવ્યક્તિને ક્રિયાશુદ્ધિથી જીવનને શુદ્ધ કરવી છતાં પરિપકવતા હતી. ગાંભીય તાને ઝળકાટ હતો. તપથી શરીરને કૃશ બનાવવા છતાં તેમાં ક્ષમાનું તેજ હતું. હરહંમેશ સદુપદેશમાં રહેવા છતાં નિઃસ્વાર્થ જીવન હતું. તેમના એક જ વાર પરિચયમાં આવેલે તેમને વિસારી ન શકે તેવું તેમનું મુખારવિંદ ઉપર તેજ હતું. અનેક ચર્ચાઓ અને માથાકૂટથી રૂઢ બનેલા આગ્રહી માણસે પણ જેના વચનમાત્રથી પેતાને ખેટે આગ્રહ છેડી સારા રસ્તે આવી જાય તેવું તેઓશ્રીમાં મિત અને પથ્ય વકતૃત્વપણું, શાસન અને ગરછના કૂટ પ્રશ્નોને પોતાની કુશાગ્ર અને હાજરજવાબી બુદ્ધિથી હિતકાર રીતે નિકાલ કરવાની તેમનામાં તાકાત હોવા છતાં સર્વપ્રિય થવાનું સોભાગ્ય હતું. પિતાના મન, વચન અને કાયાની સંપૂર્ણ શક્તિ જ્ઞાનધ્યાન, ભકિત, તપ, પરોપકાર અને શાસનસેવામાં દાખલ કરતાં જરા પણ કમીના નહોતી રાખી છતાં આવા ઉપકારક ગુણભંડાર મહાપુરૂષોને જગત બહુજ ઓછા વખત માટે લાભ મેળવી શકી છે; કારણ કે તેવા માણસો માટે ઉચ્ચતર લેક અત્યંત ઉત્કંઠિત હોઈ તેઓ ઘણા અપાયુષી હોય છે.
સ્વગમન तीत्थयरागणहारी सुरवइणो चक्कीकेसवारामा । कालेन संहरिया, अवरजणाणं तु का वत्ता ? ॥ १ ॥
તીર્થકર, ગણધર, સુરેન્દ્ર, ચક્રવર્તી, વાસુદેવ, પ્રતિવાસુદેવ અને બળદેવ વિગેરે સમર્થ પુરૂષને કાળે સંહય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com