Book Title: Nirvan Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 134
________________ નિર્વાણમાર્ગનું રહસ્ય [૧૨૩] અને પર-દયાનું નિર્મળ ઝરણ નિરંતર વહેતું હોય અને જેની સર્વ પ્રવૃત્તિ તે જ લક્ષે ઉત્કૃષ્ટપણે થતી હોય એટલે સ્વ-પર કલ્યાણના હેતુઓ થતી હોય તેમને પરમકૃપાળુ કહેવા ઘટે. અત્રે શ્રીમદ્જીએ કેને લક્ષમાં રાખીને “પરમકૃપાળુ મુનિવર્ય” શબ્દો પ્રકાડ્યા છે તે છે કે સ્પષ્ટ નથી, તે છતાં અનુમાની શકાય કે તે શબ્દપ્રયેળ તેમના પરમ આજ્ઞાંકિત અને પરમ ભક્તિસભર સુશિષ્ય મુનિશ્રી લલ્લુજી મહારાજ સંબંધે કરવામાં આવ્યું છે; સુદષ્ટિથી વિચારતાં તે સુસંગત પણ જણાય છે. પરમકૃપાળુ દેવે મુનિશ્રી લલ્લુજી મહારાજને ચોથા કાળના મુનિ તરીકે બિરદાવ્યા હતા તે વાત સુપ્રસિદ્ધ છે; વળી સંવત ૧૫૫ ના અષાડ વદ છઠ્ઠના શ્રીમદ્જીએ તેમના ઉપર લખેલ વચનામૃત ૮૮૧માં પણ તે જ પ્રમાણે નમસ્કાર કર્યા છે તે ઉપરાંત તે જ પત્રમાં મુનિશ્રીના સંબંધમાં મહાત્માશ્રી” શબ્દ પ્રયા છે, જે અવશ્ય સૂચક છે, તથા મુનિશ્રીના વિદ્વાન અને શાસ્ત્રજ્ઞ શિષ્ય શ્રીમદ્ દેવકીર્ણ સ્વામીના સંબંધે પણ “પરમકૃપાળું” એવું સુંદર વિશેષણ આપ્યું છે, તે પણ તેટલું જ સૂચક છે, આત્મદશાની સ્થિતિ દર્શાવનાર છે, જે જેમ હોય તેમ કહેવાની જ્ઞાની પુરૂષની સનાતન શૈલી ત્રિકાળ જયવંત વર્તે છે. પૂર્વે અપાઈ ગયેલા વચનામૃત ૧૭૨ માં કરેલ સંબધન અને અહીં કરેલ સંબધન વચ્ચે તફાવત લક્ષમાં લઈ વિચારવા ગ્ય છે. હવે પત્રનાં અમૃતતુલ્ય વચનને યથાશક્તિ વિચારીએ. અને તેની અદ્ભુતતા જેવા પ્રયત્ન કરીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174