Book Title: Nirvan Margnu Rahasya
Author(s): Bhogilal G Sheth
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 151
________________ [૧૪૦ ] નિર્વાણમાર્ગનું રહસ્ય ઘટાડતા જવા તે પાંચમા ગુણસ્થાનકનું માહાન્ય છે. તે કાર્ય સહજતાઓ અને વિના કલેશે થાય છે તે સમજાય તેવું છે. છે તે જ પુરૂષાર્થ આગળ વધારી રાગદ્વેષના પરિણામ બહુ ઘટી જાય તથા હિંસા, અસત્યાદિ દેશે ખૂબ મંદતાને પામે (એટલે શાસ્ત્રમાં પાંચ મહાવ્રત પ્રરૂપ્યા છે તેનું અંતરથી પાલન), ત્યારે છઠું અવાય છે. અહીં સર્વ સંગ પરિત્યાગરૂપ બાહ્યત્યાગ હોય તે, તે જીવ દ્રવ્ય અને ભાવથી મુનિ કહેવાય છે, પરંતુ જે તેવા બાહ્યત્યાગને ઉદય ન હેય ને ગૃહસ્થદશા હોય તે તેને ભાવમુનિ કહે છે, તેમ છતાં તેના અંતરમાં સર્વસંગપરિત્યાગ કરવાની ભાવના તે રહ્યા કરે છે. વિશેષ અર્થમાં જોઈએ તે પાંચમામાં વિકાસ સાધતે સમકિતી જીવ જ્યારે પિતાનાં મન, વચન, કાયા અને તેની પ્રવૃત્તિ ભગવાનરૂપ સત્પુરૂષને અથવા સશુરુને એક સમય માટે પણ અર્પણ કરે ત્યારે છઠ્ઠામાં પ્રવેશ થયે ગણાય અને મન-વચન-કાયાની અર્પણતાનું કાર્ય પૂરું થતાં અને પ્રમત્તભાવને ક્ષય થતાં “અપ્રમત્ત સંયમ” નામના સાતમા ગુણસ્થાનકે અવાય છે. આત્માને વિષે પ્રમાદરહિત જાગૃતદશા તે જ સાતમું ગુણસ્થાનક છે, ત્યાં સુધી પહોંચવાથી તેમાં સમ્યક્ત્વ સમાય છે. ત્યાં આગળ પહોંચેથી આગળની દશાની અંશે અનુભવ અથવા સુપ્રતીતિ થાય છે.” (વ્યાખ્યાન સાર-૧) કહેવામાં એમ આવે છે કે તેરમું ગુણસ્થાનક આ કાળે ને આ ક્ષેત્રથી ન પમાય; પરંતુ તેમ કહેનારા પહેલામાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174